આંધ્રપ્રદેશમાં એક મોટી ટ્રેન દુર્ઘટના: ટાટા એર્નાકુલમ એક્સપ્રેસના બે કોચમાં આગ લાગી, એક મુસાફરનું મોત

fire in Tata Ernakulam Express : ટાટા-એર્નાકુલમ એક્સપ્રેસમાં અકસ્માત આજે સોમવારે વહેલી સવારે થયો જ્યારે મુસાફરો ગાઢ નિંદ્રામાં હતા. આગની જાણ થતાં જ ગભરાટ ફેલાઈ ગયો. ટ્રેનના ડબ્બા ઝડપથી સળગી ગયા. રેલવે પીઆરઓના જણાવ્યા અનુસાર, એક કોચમાં આગ લાગી છે.

fire in Tata Ernakulam Express : ટાટા-એર્નાકુલમ એક્સપ્રેસમાં અકસ્માત આજે સોમવારે વહેલી સવારે થયો જ્યારે મુસાફરો ગાઢ નિંદ્રામાં હતા. આગની જાણ થતાં જ ગભરાટ ફેલાઈ ગયો. ટ્રેનના ડબ્બા ઝડપથી સળગી ગયા. રેલવે પીઆરઓના જણાવ્યા અનુસાર, એક કોચમાં આગ લાગી છે.

author-image
Ankit Patel
New Update
Tata Ernakulam Express fire

ટાટા એર્નાકુલમ એક્સપ્રેસ ટ્રેનમાં આગ Photograph: (X)

Tata Ernakulam Express train fire : આજે 29 ડિસેમ્બર 2025, સોમવારે વહેલી સવારે આંધ્રપ્રદેશના અનાકાપલ્લીમાં એલામંચિલી નજીક ટાટા એર્નાકુલમ એક્સપ્રેસના બે કોચમાં આગ લાગી હતી. લોકો પાઇલટે તાત્કાલિક ટ્રેન રોકી દીધી અને તમામ મુસાફરોને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા. અનાકાપલ્લીના પોલીસ અધિક્ષક તુહિન સિંહાના જણાવ્યા અનુસાર, આગમાં એક મુસાફરનું મોત નીપજ્યું છે.

Advertisment

ટાટા-એર્નાકુલમ એક્સપ્રેસમાં અકસ્માત વહેલી સવારે થયો જ્યારે મુસાફરો ગાઢ નિંદ્રામાં હતા. આગની જાણ થતાં જ ગભરાટ ફેલાઈ ગયો. ટ્રેનના ડબ્બા ઝડપથી સળગી ગયા. રેલવે પીઆરઓના જણાવ્યા અનુસાર, એક કોચમાં આગ લાગી છે.

સોમવારે, ટાટા-એર્નાકુલમ એક્સપ્રેસના કોચ B1 અને M2 માં અચાનક આગ લાગી. આગને કારણે ટ્રેનમાં ગભરાટ ફેલાયો હતો, પરંતુ મુસાફરોને સમયસર સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. એક મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો છે.

આગમાં ટ્રેનના બંને કોચ સંપૂર્ણપણે નાશ પામ્યા હતા. આગની માહિતી મળતાં જ, લોકો પાઇલટે તાત્કાલિક ટ્રેનને રોકી દીધી, ત્યારબાદ રેલવે સ્ટાફ અને ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી અને આગ ઓલવવાનું કામ શરૂ કર્યું. જોકે, ફાયર બ્રિગેડ પહોંચે ત્યાં સુધીમાં બંને કોચ સંપૂર્ણપણે આગમાં લપેટાઈ ગયા હતા.

Advertisment

ટાટા-એર્નાકુલમ એક્સપ્રેસમાંથી એકનો મૃતદેહ મળી આવ્યો

એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું કે અકસ્માત યલામાંચિલી નજીક થયો હતો. પોલીસ અધિકારીએ જણાવ્યું કે આગ લાગી ત્યારે એક અસરગ્રસ્ત કોચમાં 82 મુસાફરો અને બીજામાં 76 મુસાફરો મુસાફરી કરી રહ્યા હતા. 

તેમણે કહ્યું કે કમનસીબે, કોચ B1 માંથી એકનો મૃતદેહ મળી આવ્યો છે. મૃતકની ઓળખ ચંદ્રશેખર સુંદરમ તરીકે થઈ છે. કેટલાક મુસાફરોને પણ સામાન્ય દાઝી ગયા હતા. અકસ્માતમાં તમામ મુસાફરોનો સામાન પણ નાશ પામ્યો હતો.

આગનું કારણ નક્કી કરવા માટે ફોરેન્સિક ટીમ તપાસ કરી રહી છે

એક પોલીસ અધિકારીએ પત્રકારોને જણાવ્યું કે બે ક્ષતિગ્રસ્ત કોચને ટ્રેનથી અલગ કરી દેવામાં આવ્યા હતા, ત્યારબાદ ટ્રેન એર્નાકુલમ માટે રવાના થઈ હતી. 

આ પણ વાંચોઃ- બારામતીમાં અદાણી પવાર પરિવાર એક મંચ પર: સુપ્રિયા સુલેએ કહ્યું- ગૌતમ અદાણી મારા મોટા ભાઈ જેવા

અસરગ્રસ્ત કોચમાંથી મુસાફરોને તેમના ગંતવ્ય સ્થાન પર મોકલવાની વ્યવસ્થા કરવામાં આવશે. તેમણે કહ્યું કે આગનું કારણ નક્કી કરવા માટે બે ફોરેન્સિક ટીમો તપાસ કરી રહી છે.

આંધ્ર પ્રદેશ આગ દેશ