Explained: શિવ મંદિર માટે થાઇલેન્ડ અને કંબોડિયા વચ્ચે યુદ્ધ, ભારત કોને સાથે આપશે?

Thailand Cambodia Shiva Temple Conflict: પ્રાચીન શિવ મંદિરને લઇ થાઇલેન્ડ અને કંબોડિયા વચ્ચે યુદ્ધ છેડાયું છે. આ યુદ્ધમાં ચીન મોટી ભૂમિકા ભજવી શકે છે. જો ભારતના પણ બંને દેશો સાથે સારા સંબંધ છે.

Thailand Cambodia Shiva Temple Conflict: પ્રાચીન શિવ મંદિરને લઇ થાઇલેન્ડ અને કંબોડિયા વચ્ચે યુદ્ધ છેડાયું છે. આ યુદ્ધમાં ચીન મોટી ભૂમિકા ભજવી શકે છે. જો ભારતના પણ બંને દેશો સાથે સારા સંબંધ છે.

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
Preah Vihar Temple | thailand cambodia temple dispute | Thailand Cambodia shiva temple conflict

Thailand Cambodia Shiva Temple Conflict: થાઇલેન્ડ કમ્બોડિયા વચ્ચે પ્રાચીન શિવ મંદિરને લઇ તણાવ વધ્યું છે. (Source: Wikimedia Commons)

Thailand Cambodia War : હજારો વર્ષ જૂના શિવ મંદિરને લઇને થાઇલેન્ડ અને કંબોડિયા વચ્ચે યુદ્ધ છેડાઇ ગયું છે, રોકેટ ફેંકવામાં આવી રહ્યાં છે, ફાઇટર જેટ વડે પણ હુમલો કરવામાં આવી રહ્યો છે. એવું માનવામાં આવે છે કે ચીન પણ આ યુદ્ધમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે. તેના બંને દેશો સાથે સંબંધો સારા છે, પરંતુ થાઈલેન્ડ સાથે આર્થિક ભાગીદારી ચાલી રહી હોવાથી કંબોડિયા પર દબાણ લાવી શકાય તેમ માનવામાં આવે છે. આવી સ્થિતિમાં, પ્રશ્ન એ ઉભો થાય છે કે ભારતનું વલણ શું હશે? શું ભારત થાઇલેન્ડને ટેકો આપશે કે કંબોડિયાને સાથે જશે?

Advertisment

હવે આ સવાલનો સીધો જવાબ એ છે કે - ભારત આવી બાબતોમાં ક્યારેય થાઇલેન્ડને સંપૂર્ણ ટેકો આપશે નહીં અને ન તો તે કંબોડિયાને ટેકો આપશે. ભારત, હંમેશની જેમ, આવી બાબતોમાં તટસ્થ રહે છે, તે સંતુલન કરવાનો પ્રયાસ કરે છે. તેનું પોતાનું કારણ પણ છે. થાઈલેન્ડ હોય કે કંબોડિયા, બંને સાથે ભારતના સંબંધો ઘણા સારા છે. બંને દેશો વચ્ચે વિવિધ ક્ષેત્રોમાં ઘણા વર્ષોથી સહકાર ચાલી રહ્યો છે. આવી સ્થિતિમાં, એક દેશને ટેકો આપીને, ભારત બીજા સાથેના સંબંધો બગાડવાનું જોખમ લઈ શકે નહીં.

થાઇલેન્ડ સાથે ભારતના સંબંધો

થાઇલેન્ડ સાથે ભારતના સંબંધો ઘણા મજબૂત છે. બંને દેશો અત્યારે મલ્ટિ-સેક્ટરલ ટેકનિકલ એન્ડ ઇકોનોમિક કોઓપરેશન (BIMSTEC)નો હિસ્સો છે, જે તેની એક્ટ ઇસ્ટ પોલિસીને કારણે મજબૂત ભાગીદારી પણ ધરાવે છે. સાથે જ ભારત અને થાઇલેન્ડ પણ સમયાંતરે સંયુક્ત સૈન્ય અભ્યાસ કરે છે, પછી તે મિત્રતાની વાત હોય કે SIAM Bharatની. બંને દેશોની નૌસેના સમયાંતરે સંયુક્ત કવાયત પણ કરે છે.

વેપારની વાત કરીએ તો ભારત અને થાઇલેન્ડ વચ્ચે 18 અબજ ડોલરનો વેપાર થાય છે. અહીં પણ ભારત-આસિયાન ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ દ્વારા વેપાર વધારવાનો પ્રયાસ કરી રહ્યું છે. આ ઉપરાંત ભારત-મ્યાનમાર-થાઇલેન્ડ ત્રિપક્ષીય હાઇવેનો પણ ઉલ્લેખ કરવો જરૂરી છે, આ હાઇવેના કારણે ભારત અને દક્ષિણપૂર્વ એશિયા વચ્ચેની કનેક્ટિવિટી ઘણી મજબૂત બનશે.

Advertisment

ભારત અને કંબોડિયા વચ્ચેના સંબંધો

હવે જો કંબોડિયાની વાત કરીએ તો થાઈલેન્ડની સરખામણીમાં તે એક નાનો અને નબળો દેશ છે, તેની સાથે ભારતના સાંસ્કૃતિક, વેપારી સંબંધો પણ છે. ભારત છેલ્લા ઘણા દાયકાઓથી કંબોડિયાને આઇટી, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, શિક્ષણ ના ક્ષેત્રમાં મદદ કરી રહ્યું છે. ભારતની મદદથી ઘણા મંદિરોનો જીર્ણોદ્ધાર પણ કરવામાં આવ્યો છે. ભારત છેલ્લા ઘણા વર્ષોથી કંબોડિયાની સેનાને ટ્રેનિંગ આપી રહ્યું છે, ત્યાં પણ મોટા પાયે મદદ મળી રહી છે. આતંકવાદ વિરોધી તાલીમ હોય કે ક્ષમતા નિર્માણની વાત હોય, ભારતે હંમેશા કંબોડિયાનું સમર્થન કર્યું છે.

જો વેપારની વાત કરીએ તો ભારત અને કંબોડિયામાં 300-400 મિલિયન ડોલરનો વેપાર થાય છે. અહીં પણ ભારત હવે આગામી સમયમાં કૃષિ અને ટેક્સટાઈલ ક્ષેત્રે ભાગીદારી વધારવા વિચારણા કરી રહ્યું છે. આ ઉપરાંત કંબોડિયા પણ થોડા સમય પહેલા મેકોંગ-ગંગા સહયોગના માળખાનો એક ભાગ બની ગયું છે, જેણે ભારત સાથે સાંસ્કૃતિક, પર્યટક અને શૈક્ષણિક સંબંધોને સુધાર્યા છે.

ભારતની એક્ટ ઇસ્ટ પોલિસી

અહીં એક વાત સમજવા જેવી છે કે એક્ટ ઇસ્ટ પોલિસીમાં ભારત ઘણું માને છે, આસિયાન દેશો સાથે તેના સંબંધો સારા હોવા જોઇએ, તેને પ્રાથમિકતા આપવામાં આવે છે. મોદી સરકારના આવ્યા બાદ એક્ટ ઈસ્ટ પોલિસીને વધુ તાકાત મળી છે. અહીં પણ ચીનનો પ્રભાવ ઓછો કરવા આસિયાન દેશો સાથે સંબંધો મજબૂત કરવાની કવાયત ચાલી રહી છે. આ કારણે નિષ્ણાતોનું માનવું છે કે થાઈલેન્ડ અને કંબોડિયા વચ્ચે યુદ્ધથી આસિયાન દેશો વચ્ચે ચાલી રહેલી પરસ્પર ભાગીદારીને આંચકો લાગશે એટલું જ નહીં પરંતુ ક્યાંકને ક્યાંક ભારતની રણનીતિને પણ નુકસાન થશે.

આ કારણથી કહેવામાં આવી રહ્યું છે કે આ વખતે પણ ભારત કોઇ એક દેશને સાથે આપશે નહીં, પરંતુ તે શાંતિ પર ધ્યાન કેન્દ્રિત કરશે, કેવી રીતે બંને દેશોને વાટાઘાટોના ટેબલ પર લાવી શકાય, તેના પર ભાર મૂકવામાં આવશે. ભારતે રશિયા-યુક્રેન યુદ્ધ, ઈરાન-ઈઝરાયેલ યુદ્ધમાં પણ આ નીતિ પર ભાર મૂક્યો છે, આવી સ્થિતિમાં આ જ સિદ્ધાંત પર આગળ વધવાની તૈયારી થઈ રહી છે.

શું ચીન પરિબળથી ભારત પરેશાન થશે?

ચીનની એક એવી રણનીતિ છે જ્યાં તે નબળા દેશોને વધુને વધુ લોન આપે છે અને તેમને દેવાની જાળમાં ફસાવે છે. પાકિસ્તાન હોય, નેપાળ હોય કે શ્રીલંકા, તેણે આવું જ કર્યું છે, બાંગ્લાદેશ સાથે પણ થઈ રહ્યું છે. આ ઉપરાંત આવા તમામ દેશો સાથે ચીનની ભાગીદારી અનેક ક્ષેત્રોમાં વધારે છે, કારણ સ્પષ્ટ છે, તે ભારતને આગળ વધવાની અને વિસ્તાર કરવાની તક આપવા માંગતું નથી. આ જ કારણે જો ચીન આ યુદ્ધમાં નબળા કંબોડિયાનું સમર્થન કરે અને ભારત ખુલ્લેઆમ થાઈલેન્ડના સમર્થનમાં આવે તો તે ભારતની એક્ટ ઈસ્ટ પોલિસીને ઝટકો લાગશે. જો કમ્બોડિયા ચીનની નજીક આવી જશે તો તે સ્થિતિમાં પણ ભારતની ચિંતા વધવાની છે.

થાઇલેન્ડ અને કંબોડિયા શા માટે એકબીજા સાથે ટકરાઈ રહ્યા છે?

થાઇલેન્ડ અને કંબોડિયા વચ્ચેના વિવાદો કોઈ નવી વાત નથી. કંબોડિયાના ફ્રેન્ચ વસાહતી કબજા દરમિયાન જ્યારે બંને દેશો વચ્ચેની સરહદો પ્રથમ વખત ખેંચવામાં આવી હતી ત્યારે તે એક સદીથી વધુ જૂની છે. 2008માં, જ્યારે કંબોડિયાએ વિવાદિત સરહદી વિસ્તારમાં સ્થિત 11મી સદીના મંદિરને યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે નોંધણી કરાવવાની માંગ કરી, ત્યારે બંને દેશો વચ્ચે દુશ્મનાવટ વધી ગઈ.

આ પગલાએ થાઇલેન્ડમાં ઉગ્ર વિરોધ પ્રદર્શનો અને શ્રેણીબદ્ધ સશસ્ત્ર સંઘર્ષોને વેગ આપ્યો હતો, જેમાં સૌથી ભયાનક 2011 માં હતું, જ્યારે અઠવાડિયાઓ સુધી ચાલેલી લડાઇમાં 15 લોકો માર્યા ગયા હતા અને હજારો લોકો વિસ્થાપિત થયા હતા. ત્યારથી, સમયાંતરે નાની મોટી અથડામણો થતી રહે છે, જેના પરિણામે સૈનિકો અને નાગરિકો બંનેને જીવ ગુમાવવા પડે છે. મે મહિનામાં સરહદ પર અથડામણમાં કમ્બોડિયાના એક સૈનિકનું મોત થયા બાદ હાલ તણાવ વધી ગયું છે.

એક્સપ્રેસ એક્સપ્લેન india વિશ્વ