/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/10/Afghanistan-cricketer-killed.jpg)
પાકિસ્તાન હુમલામાં અફઘાનિસ્તાન ક્રિકેટરના મોત- photo X ACB
Afghanistan-Pakistan War : અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ સતત તણાવ પેદા કરી રહ્યું છે. દરમિયાન, શનિવારે સવારે પાકિસ્તાની હુમલા બાદ ત્રણ અફઘાન ક્રિકેટરોના મોત અંગે મહત્વપૂર્ણ માહિતી સામે આવી. અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડે તેના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર એક પોસ્ટમાં આ હુમલા પર દુ:ખ વ્યક્ત કર્યું. રાશિદ ખાન સહિત અનેક અફઘાન આંતરરાષ્ટ્રીય ખેલાડીઓએ પણ શોક વ્યક્ત કર્યો.
અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડે આગામી ત્રિકોણીય શ્રેણી માટે પાકિસ્તાનનો પ્રવાસ રદ કરવાની જાહેરાત કરી અને મૃત્યુ પામેલા ત્રણ ક્રિકેટરોનો ખુલાસો કર્યો. બોર્ડે એક લાંબી ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં પણ શોક વ્યક્ત કર્યો. રાશિદ ખાન, ફઝલહક ફારૂકી અને ગુલબદ્દીન નાયબ સહિત અનેક અફઘાન આંતરરાષ્ટ્રીય ખેલાડીઓએ પણ શોક વ્યક્ત કર્યો.
કયા ત્રણ ક્રિકેટરોના મોત?
અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, પાકિસ્તાનના ઉર્ગુનમાં પાકિસ્તાન દ્વારા હુમલો થયો છે. આ હુમલામાં ત્રણ સ્થાનિક ક્રિકેટરો, કબીર આગા, સિબઘાતુલ્લાહ અને હારુને જીવ ગુમાવ્યા. આ ત્રણ ક્રિકેટરો ઉપરાંત, પાંચ નાગરિકો પણ માર્યા ગયા. સાત અન્ય ઘાયલ થયા હતા.
બોર્ડે જણાવ્યું હતું કે ત્રણેય ખેલાડીઓ મૈત્રીપૂર્ણ મેચ રમ્યા પછી ઉર્ગુનમાં તેમના ઘરે પાછા ફર્યા હતા. ત્યાં જ તેમના પર હુમલો થયો હતો. બોર્ડે આ હુમલાની સખત નિંદા કરી હતી અને પાકિસ્તાન સામે ત્રિકોણીય શ્રેણીમાં રમવાનો ઇનકાર કર્યો હતો. અફઘાનિસ્તાન નવેમ્બરના અંતમાં પાકિસ્તાનમાં T20 ત્રિકોણીય શ્રેણી રમવાનું હતું. આ હુમલા બાદ, બોર્ડ હવે તે શ્રેણીમાંથી ખસી ગયું છે.
Statement of Condolence
The Afghanistan Cricket Board expresses its deepest sorrow and grief over the tragic martyrdom of the brave cricketers from Urgun District in Paktika Province, who were targeted this evening in a cowardly attack carried out by the Pakistani regime.
In… pic.twitter.com/YkenImtuVR— Afghanistan Cricket Board (@ACBofficials) October 17, 2025
અફઘાનિસ્તાનના ક્રિકેટરોએ શોક વ્યક્ત કર્યો
અફઘાનિસ્તાનના આંતરરાષ્ટ્રીય ક્રિકેટરોએ હુમલા પર શોક વ્યક્ત કર્યો. રાશિદ ખાને પોતાના X હેન્ડલ પર લખ્યું, "પાકિસ્તાનના અફઘાનિસ્તાન પરના હવાઈ હુમલામાં માર્યા ગયેલા નાગરિકો પ્રત્યે હું સંવેદના વ્યક્ત કરું છું. આ હુમલામાં બાળકો, મહિલાઓ અને યુવા ક્રિકેટરોએ જીવ ગુમાવ્યા. આ એક ખૂબ જ ખોટું કૃત્ય છે જે નાગરિકોને લક્ષ્ય બનાવે છે. હું ACBના પાકિસ્તાન સામેની શ્રેણીમાંથી ખસી જવાના નિર્ણયનું સ્વાગત કરું છું. આ મુશ્કેલ સમયમાં હું મારા લોકો સાથે ઉભો છું. અમારા માટે, આપણો દેશ કંઈપણ પહેલા આવે છે."
આ પણ વાંચોઃ- Diwali Video : ઓફિસની વાયરલ દિવાળી ગિફ્ટ સૂટકેસની અંદર શું છે; અનપેકિંગનો વીડિયો જોઈ લોકો ચોંકી ગયા
ફઝલહક ફારૂકીએ લખ્યું, "ખેલાડીઓ અને નાગરિકોની હત્યા કરવી એ ગર્વ કરવાની વાત નથી. તે એક અક્ષમ્ય ગુનો છે." અફઘાન ઓલરાઉન્ડર ગુલબદીન નાયબે આ હુમલા પર ગુસ્સો અને શોક વ્યક્ત કરતા લખ્યું, "પાકિસ્તાને કાયર લશ્કરી હુમલો કર્યો. હું મારા સાથી ક્રિકેટરો અને નાગરિકોના જીવ ગુમાવવા બદલ ઊંડી સંવેદના વ્યક્ત કરું છું. પાકિસ્તાની લશ્કરના આ હુમલાથી અફઘાનિસ્તાન ક્યારેય તૂટી શકશે નહીં."


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us