Today News : મુઝફ્ફરપુરમાં શોર્ટ સર્કિટના કારણે ઘરમાં આગ લાગી, એક જ પરિવારના પાંચ સભ્યોના મોત

Gujarat Latest News Update Today in Gujarati 15 November 2025: બિહારના મુઝફ્ફરપુરમાં એક મોટી ઘટના બની. શનિવારે સવારે શોર્ટ સર્કિટના કારણે ઘરમાં આગ લાગી, જેમાં એક જ પરિવારના પાંચ સભ્યોના મોત થયા.

Gujarat Latest News Update Today in Gujarati 15 November 2025: બિહારના મુઝફ્ફરપુરમાં એક મોટી ઘટના બની. શનિવારે સવારે શોર્ટ સર્કિટના કારણે ઘરમાં આગ લાગી, જેમાં એક જ પરિવારના પાંચ સભ્યોના મોત થયા.

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
Today Live News updates

આજના તાજા સમાચાર - photo- IEGujarati

Today Latest News Update in Gujarati 15 November 2025: બિહારના મુઝફ્ફરપુરમાં એક મોટી ઘટના બની. શનિવારે સવારે શોર્ટ સર્કિટના કારણે ઘરમાં આગ લાગી, જેમાં એક જ પરિવારના પાંચ સભ્યોના મોત થયા. અન્ય પાંચ લોકો પણ ઘાયલ થયા છે અને તેમને સારવાર માટે મેડિકલ કોલેજમાં દાખલ કરવામાં આવ્યા છે. આ ઘટના મોતીપુર પોલીસ સ્ટેશન વિસ્તારના વોર્ડ 13માં બની છે.

Advertisment

માહિતી મળતાં જ પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. આગ પર હવે કાબુ મેળવી લેવામાં આવ્યો છે. ડીએસપી પશ્ચિમ સુચિત્રા કુમારીએ જણાવ્યું હતું કે શોર્ટ સર્કિટના કારણે એક ઘરમાં આગ લાગી હતી. એક જ પરિવારના પાંચ સભ્યો બળીને ખાખ થઈ ગયા હતા, જ્યારે પાંચ અન્ય ઘાયલ થયા હતા અને તેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

  • Nov 15, 2025 23:02 IST

    Varanasi Teaser: રાજામૌલીની ફિલ્મ 'વારાણસી' ની પ્રથમ ઝલક જોવા મળી, મહેશ બાબુનો દમદાર લુક

    Varanasi Teaser : એસએસ રાજામૌલીની ફિલ્મ 'વારાણસી' ની પ્રથમ ઝલક પ્રશંસકો મળી ગઇ છે. એસએસ રાજામૌલીની ફિલ્મ વારાણસીનું હૈદરાબાદમાં એક લાઈવ ઈવેન્ટમાં ટીઝર લોન્ચ કરવામાં આવ્યું હતું ...વધુ માહિતી



  • Nov 15, 2025 21:38 IST

    ગુજરાતમાં પીએમ મોદીએ કહ્યું - બિહારની ચૂંટણીએ જાતિવાદના ઝેરને નકારી કાઢ્યું

    PM Modi Gujarat Visit : પીએમ મોદી એક દિવસ ગુજરાતના પ્રવાસે આવ્યા હતા. દેડિયાપાડા ખાતે આયોજિત આ સભામાં વડાપ્રધાન મોદીએ 9700 કરોડથી વધુના વિવિધ વિકાસ કાર્યોનો શિલાન્યાસ કર્યો હતો. આ દરમિયાન લોકોને સંબોધિત કરતા તેમણે બિહારની જીતને ઐતિહાસિક ગણાવી અને વિપક્ષની આકરી ટીકા કરી ...વધુ વાંચો



  • Advertisment
  • Nov 15, 2025 20:47 IST

    બિહાર વિધાનસભા ચૂંટણી : 2020માં ખરાબ પ્રદર્શન બાદ નીતિશ કુમારની વાપસી, કેવી રીતે લખાઇ JDU ની વિજય ગાથા?

    Bihar Assembly Election Result 2025 : બિહાર વિધાનસભા ચૂંટણીના પરિણામો ચોક્કસપણે અપ્રત્યાક્ષિત છે, પરંતુ નીતિશ કુમારની વાપસી તેથી પણ વધુ રસપ્રદ રાજકીય કહાની વ્યક્ત કરે છે. સતત 20 વર્ષ સુધી બિહારના રાજકારણમાં પ્રભુત્વ ધરાવતા નીતિશ કુમારને લઈને છેલ્લા કેટલાક વર્ષોથી અનેક પ્રકારની ચર્ચાઓ થઈ રહી હતી ...બધું જ વાંચો



  • Nov 15, 2025 19:31 IST

    આઈપીએલ 2026 : દરેક ટીમોના રિટેન અને રિલીઝ ખેલાડીઓની યાદી, એક જ ક્લિકમાં બધી જ માહિતી

    IPL 2026 Retained Players List Updates: ઇન્ડિયન પ્રીમિયર લીગ 2026 (આઈપીએલ 2026) માટે રિટેન ખેલાડીઓની યાદી શનિવારે (15 નવેમ્બર) ના રોજ જાહેર કરવામાં આવી હતી. આઈપીએલ 2026 માટે કઇ ટીમે કોને રિટેન કર્યા અને કોને રિલીઝ કર્યા તે વિશે અહીં માહિતી આપી રહ્યા છીએ ...વધુ વાંચો



  • Nov 15, 2025 17:30 IST

    IND vs SA 1st Test : ભારત વિ દક્ષિણ આફ્રિકા પ્રથમ ટેસ્ટ, બીજા દિવસે 16 વિકેટો ધરાશાયી

    India vs South Africa 1st Test Day 2 Updates: બીજા દિવસના અંતે દક્ષિણ આફ્રિકાને 63 રનની લીડ છે અને 3 વિકેટો બાકી છે. રવિન્દ્ર જાડેજાએ 4 વિકેટ ઝડપી. આ પહેલા ભારત પ્રથમ ઇનિંગ્સમાં 189 રનમાં ઓલઆઉટ થયું હતું ...વધુ માહિતી



  • Nov 15, 2025 17:17 IST

    લાલુ પ્રસાદ યાદવની પુત્રી રોહિણી આચાર્યએ રાજનીતિ છોડી, પરિવાર સાથે સંબંધો તોડ્યા

    Rohini Acharya : : લાલુ પ્રસાદ યાદવની પુત્રી રોહિણી આચાર્યએ રાજનીતિ છોડવાનો નિર્ણય કર્યો છે. રોહિણી આચાર્યએ એમ પણ કહ્યું છે કે તે પરિવાર સાથેના સંબંધો તોડી રહી છે. રોહિણી આચાર્યએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને આ માહિતી આપી હતી.
    ...સંપૂર્ણ વાંચો



  • Nov 15, 2025 15:43 IST

    આઈપીએલ 2026 : સેમસનની સીએસકેમાં એન્ટ્રી, રવિન્દ્ર જાડેજા રાજસ્થાન રોયલ્સમાં ટ્રેડ થતા કરોડોનું નુકસાન

    IPL 2026 Retentions And Trades Updates : આઈપીએલ 2026 રિટેન્શન માટેની અંતિમ તારીખ 15 નવેમ્બર છે. આ દરમિયાન શનિવારે આઇપીએલ તરફથી સત્તાવાર રિલીઝ જાહેર કરીને ઘણા મોટા નામોના ટ્રેડ વિશે માહિતી આપવામાં આવી હતી ...બધું જ વાંચો



  • Nov 15, 2025 14:28 IST

    ભારતમાં આ વર્ષે જ લોંચ થશે Redmi Note 15 Pro સીરિઝ, ક્યારથી શરુ થશે વેચાણ

    redmi note 15 pro series india : એક ટિપસ્ટરે દાવો કર્યો છે કે Redmi Note 15 Pro શ્રેણી ભારતમાં આવતા મહિને ડિસેમ્બરમાં લોન્ચ કરવામાં આવશે.આ શ્રેણીના સ્માર્ટફોનનો પહેલો વેચાણ 9 જાન્યુઆરી, 2026 થી શરૂ થશે. ...બધું જ વાંચો



  • Nov 15, 2025 13:29 IST

    Srinagar Nowgam blast : શ્રીનગરના નૌગામ પોલીસ સ્ટેશનમાં વિસ્ફોટ કેવી રીતે થયો? DGPએ બધું સમજાવ્યું

    dgp Nalin Prabhat press conference : ડીજીપીએ કહ્યું, "આ વિસ્ફોટમાં રાજ્ય તપાસ એજન્સીના ત્રણ કર્મચારીઓ, બે ક્રાઈમ ફોટોગ્રાફરો, બે મહેસૂલ અધિકારીઓ અને એક દરજી સહિત નવ લોકોના મોત થયા હતા." ...અહીં વાંચો



  • Nov 15, 2025 11:41 IST

    Today News Live: મુઝફ્ફરપુરમાં શોર્ટ સર્કિટના કારણે ઘરમાં આગ લાગી, એક જ પરિવારના પાંચ સભ્યોના મોત

    બિહારના મુઝફ્ફરપુરમાં એક મોટી ઘટના બની. શનિવારે સવારે શોર્ટ સર્કિટના કારણે ઘરમાં આગ લાગી, જેમાં એક જ પરિવારના પાંચ સભ્યોના મોત થયા. અન્ય પાંચ લોકો પણ ઘાયલ થયા છે અને તેમને સારવાર માટે મેડિકલ કોલેજમાં દાખલ કરવામાં આવ્યા છે. આ ઘટના મોતીપુર પોલીસ સ્ટેશન વિસ્તારના વોર્ડ ૧૩માં બની છે.

    માહિતી મળતાં જ પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. આગ પર હવે કાબુ મેળવી લેવામાં આવ્યો છે. ડીએસપી પશ્ચિમ સુચિત્રા કુમારીએ જણાવ્યું હતું કે શોર્ટ સર્કિટના કારણે એક ઘરમાં આગ લાગી હતી. એક જ પરિવારના પાંચ સભ્યો બળીને ખાખ થઈ ગયા હતા, જ્યારે પાંચ અન્ય ઘાયલ થયા હતા અને તેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.



  • Nov 15, 2025 11:36 IST

    Srinagar Nowgam Blast: શ્રીનગરના નૌગામ પોલીસ સ્ટેશનમાં પ્રચંડ વિસ્ફોટ, 9 લોકોના મોત, શું દિલ્હી વિસ્ફોટથી જોડાયેલા છે તાર?

    Srinagar Nowgam police station Blast in gujarati : શુક્રવારે મોડી રાત્રે શ્રીનગરના નૌગામ પોલીસ સ્ટેશનમાં એક પ્રચંડ વિસ્ફોટ થયો હતો, જેમાં નવ લોકો માર્યા ગયા હતા અને 29 ઘાયલ થયા હતા. ...બધું જ વાંચો



  • Nov 15, 2025 09:43 IST

    Canada PR : ભારતીય વિદ્યાર્થીઓ કેનેડિયન PR કેવી રીતે મેળવી શકે છે? આ 5 બાબતો કરવાથી વધી જશે PRની તક

    Canada Permanent Residency For indian Students: કેનેડામાં શિક્ષણ અને કાર્ય અનુભવ મેળવવાથી વિદ્યાર્થીઓ માટે કાયમી રહેઠાણ (PR) મેળવવાનો માર્ગ પણ ખુલે છે. ચાલો જોઈએ કે વિદ્યાર્થીઓ PR મેળવવાની તેમની તકો કેવી રીતે વધારી શકે છે. ...સંપૂર્ણ માહિતી



  • Nov 15, 2025 09:39 IST

    Today News Live: જમ્મુ અને કાશ્મીર પોલીસ સ્ટેશનમાં વિસ્ફોટ, 7 લોકોના મોત

    જમ્મુ અને કાશ્મીરના નૌગામથી મોટા સમાચાર સામે આવ્યા છે. પોલીસ સ્ટેશન પરિસરની નજીક એક મોટો વિસ્ફોટ થયો છે. મોડી રાત્રે થયેલા આ વિસ્ફોટમાં અત્યાર સુધીમાં સાત લોકોના મોત થયાના અહેવાલ છે, જ્યારે ઘણા લોકો ઘાયલ થયા છે.

    દિલ્હી વિસ્ફોટ સાથે જોડાયેલા શંકાસ્પદોની પોલીસ સ્ટેશનમાં પૂછપરછ કરવામાં આવી રહી હતી. વિસ્ફોટ બાદ સુરક્ષા કર્મચારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. તપાસ માટે સ્નિફર ડોગ્સ તૈનાત કરવામાં આવ્યા છે. શ્રીનગરના ડેપ્યુટી કમિશનર અક્ષય લાબરૂએ પીડિતોને મળવા હોસ્પિટલની મુલાકાત લીધી હતી. 23 થી વધુ લોકો ઘાયલ થયા હોવાથી મૃત્યુઆંક વધી શકે છે.



બ્રેકિંગ ન્યૂઝ ગુજરાત વિશ્વ દેશ