Live

Today News Live: મુઝફ્ફરપુરમાં શોર્ટ સર્કિટના કારણે ઘરમાં આગ લાગી, એક જ પરિવારના પાંચ સભ્યોના મોત

Gujarat Latest Live News Update Today in Gujarati 15 November 2025: બિહારના મુઝફ્ફરપુરમાં એક મોટી ઘટના બની. શનિવારે સવારે શોર્ટ સર્કિટના કારણે ઘરમાં આગ લાગી, જેમાં એક જ પરિવારના પાંચ સભ્યોના મોત થયા.

Written by Ankit Patel
Updated : November 15, 2025 17:30 IST
Today News Live: મુઝફ્ફરપુરમાં શોર્ટ સર્કિટના કારણે ઘરમાં આગ લાગી, એક જ પરિવારના પાંચ સભ્યોના મોત
આજના તાજા સમાચાર - photo- IEGujarati

Today Latest News Live Update in Gujarati 15 November 2025: બિહારના મુઝફ્ફરપુરમાં એક મોટી ઘટના બની. શનિવારે સવારે શોર્ટ સર્કિટના કારણે ઘરમાં આગ લાગી, જેમાં એક જ પરિવારના પાંચ સભ્યોના મોત થયા. અન્ય પાંચ લોકો પણ ઘાયલ થયા છે અને તેમને સારવાર માટે મેડિકલ કોલેજમાં દાખલ કરવામાં આવ્યા છે. આ ઘટના મોતીપુર પોલીસ સ્ટેશન વિસ્તારના વોર્ડ ૧૩માં બની છે.

માહિતી મળતાં જ પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. આગ પર હવે કાબુ મેળવી લેવામાં આવ્યો છે. ડીએસપી પશ્ચિમ સુચિત્રા કુમારીએ જણાવ્યું હતું કે શોર્ટ સર્કિટના કારણે એક ઘરમાં આગ લાગી હતી. એક જ પરિવારના પાંચ સભ્યો બળીને ખાખ થઈ ગયા હતા, જ્યારે પાંચ અન્ય ઘાયલ થયા હતા અને તેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

Live Updates

IND vs SA 1st Test : ભારત વિ દક્ષિણ આફ્રિકા પ્રથમ ટેસ્ટ, બીજા દિવસે 16 વિકેટો ધરાશાયી

India vs South Africa 1st Test Day 2 Updates: બીજા દિવસના અંતે દક્ષિણ આફ્રિકાને 63 રનની લીડ છે અને 3 વિકેટો બાકી છે. રવિન્દ્ર જાડેજાએ 4 વિકેટ ઝડપી. આ પહેલા ભારત પ્રથમ ઇનિંગ્સમાં 189 રનમાં ઓલઆઉટ થયું હતું …વધુ માહિતી

લાલુ પ્રસાદ યાદવની પુત્રી રોહિણી આચાર્યએ રાજનીતિ છોડી, પરિવાર સાથે સંબંધો તોડ્યા

Rohini Acharya : : લાલુ પ્રસાદ યાદવની પુત્રી રોહિણી આચાર્યએ રાજનીતિ છોડવાનો નિર્ણય કર્યો છે. રોહિણી આચાર્યએ એમ પણ કહ્યું છે કે તે પરિવાર સાથેના સંબંધો તોડી રહી છે. રોહિણી આચાર્યએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને આ માહિતી આપી હતી.
સંપૂર્ણ વાંચો

આઈપીએલ 2026 : સેમસનની સીએસકેમાં એન્ટ્રી, રવિન્દ્ર જાડેજા રાજસ્થાન રોયલ્સમાં ટ્રેડ થતા કરોડોનું નુકસાન

IPL 2026 Retentions And Trades Updates : આઈપીએલ 2026 રિટેન્શન માટેની અંતિમ તારીખ 15 નવેમ્બર છે. આ દરમિયાન શનિવારે આઇપીએલ તરફથી સત્તાવાર રિલીઝ જાહેર કરીને ઘણા મોટા નામોના ટ્રેડ વિશે માહિતી આપવામાં આવી હતી …બધું જ વાંચો

ભારતમાં આ વર્ષે જ લોંચ થશે Redmi Note 15 Pro સીરિઝ, ક્યારથી શરુ થશે વેચાણ

redmi note 15 pro series india : એક ટિપસ્ટરે દાવો કર્યો છે કે Redmi Note 15 Pro શ્રેણી ભારતમાં આવતા મહિને ડિસેમ્બરમાં લોન્ચ કરવામાં આવશે.આ શ્રેણીના સ્માર્ટફોનનો પહેલો વેચાણ 9 જાન્યુઆરી, 2026 થી શરૂ થશે. …બધું જ વાંચો

Srinagar Nowgam blast : શ્રીનગરના નૌગામ પોલીસ સ્ટેશનમાં વિસ્ફોટ કેવી રીતે થયો? DGPએ બધું સમજાવ્યું

dgp Nalin Prabhat press conference : ડીજીપીએ કહ્યું, “આ વિસ્ફોટમાં રાજ્ય તપાસ એજન્સીના ત્રણ કર્મચારીઓ, બે ક્રાઈમ ફોટોગ્રાફરો, બે મહેસૂલ અધિકારીઓ અને એક દરજી સહિત નવ લોકોના મોત થયા હતા.” …અહીં વાંચો

Today News Live: મુઝફ્ફરપુરમાં શોર્ટ સર્કિટના કારણે ઘરમાં આગ લાગી, એક જ પરિવારના પાંચ સભ્યોના મોત

બિહારના મુઝફ્ફરપુરમાં એક મોટી ઘટના બની. શનિવારે સવારે શોર્ટ સર્કિટના કારણે ઘરમાં આગ લાગી, જેમાં એક જ પરિવારના પાંચ સભ્યોના મોત થયા. અન્ય પાંચ લોકો પણ ઘાયલ થયા છે અને તેમને સારવાર માટે મેડિકલ કોલેજમાં દાખલ કરવામાં આવ્યા છે. આ ઘટના મોતીપુર પોલીસ સ્ટેશન વિસ્તારના વોર્ડ ૧૩માં બની છે.

માહિતી મળતાં જ પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. આગ પર હવે કાબુ મેળવી લેવામાં આવ્યો છે. ડીએસપી પશ્ચિમ સુચિત્રા કુમારીએ જણાવ્યું હતું કે શોર્ટ સર્કિટના કારણે એક ઘરમાં આગ લાગી હતી. એક જ પરિવારના પાંચ સભ્યો બળીને ખાખ થઈ ગયા હતા, જ્યારે પાંચ અન્ય ઘાયલ થયા હતા અને તેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

Srinagar Nowgam Blast: શ્રીનગરના નૌગામ પોલીસ સ્ટેશનમાં પ્રચંડ વિસ્ફોટ, 9 લોકોના મોત, શું દિલ્હી વિસ્ફોટથી જોડાયેલા છે તાર?

Srinagar Nowgam police station Blast in gujarati : શુક્રવારે મોડી રાત્રે શ્રીનગરના નૌગામ પોલીસ સ્ટેશનમાં એક પ્રચંડ વિસ્ફોટ થયો હતો, જેમાં નવ લોકો માર્યા ગયા હતા અને 29 ઘાયલ થયા હતા. …બધું જ વાંચો

Canada PR : ભારતીય વિદ્યાર્થીઓ કેનેડિયન PR કેવી રીતે મેળવી શકે છે? આ 5 બાબતો કરવાથી વધી જશે PRની તક

Canada Permanent Residency For indian Students: કેનેડામાં શિક્ષણ અને કાર્ય અનુભવ મેળવવાથી વિદ્યાર્થીઓ માટે કાયમી રહેઠાણ (PR) મેળવવાનો માર્ગ પણ ખુલે છે. ચાલો જોઈએ કે વિદ્યાર્થીઓ PR મેળવવાની તેમની તકો કેવી રીતે વધારી શકે છે. …સંપૂર્ણ માહિતી

Today News Live: જમ્મુ અને કાશ્મીર પોલીસ સ્ટેશનમાં વિસ્ફોટ, 7 લોકોના મોત

જમ્મુ અને કાશ્મીરના નૌગામથી મોટા સમાચાર સામે આવ્યા છે. પોલીસ સ્ટેશન પરિસરની નજીક એક મોટો વિસ્ફોટ થયો છે. મોડી રાત્રે થયેલા આ વિસ્ફોટમાં અત્યાર સુધીમાં સાત લોકોના મોત થયાના અહેવાલ છે, જ્યારે ઘણા લોકો ઘાયલ થયા છે.

દિલ્હી વિસ્ફોટ સાથે જોડાયેલા શંકાસ્પદોની પોલીસ સ્ટેશનમાં પૂછપરછ કરવામાં આવી રહી હતી. વિસ્ફોટ બાદ સુરક્ષા કર્મચારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. તપાસ માટે સ્નિફર ડોગ્સ તૈનાત કરવામાં આવ્યા છે. શ્રીનગરના ડેપ્યુટી કમિશનર અક્ષય લાબરૂએ પીડિતોને મળવા હોસ્પિટલની મુલાકાત લીધી હતી. 23 થી વધુ લોકો ઘાયલ થયા હોવાથી મૃત્યુઆંક વધી શકે છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ