/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/11/Joravarsing-jadav.jpg)
લોકસાહિત્યકાર પદ્મશ્રી જોરાવર સિંહ જાદવ- photo- Social media
Today Latest News Update in Gujarati 7 November 2025: ગુજરાતી લોકસાહિત્યના સુપ્રસિદ્ધ દિગ્ગજ લેખક, સંપાદક અને પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત જોરાવરસિંહ જાદવનું નિધન થયું છે. તેમણે 85 વર્ષની વયે દુનિયાને અલવિદા કહ્યું છે. જોરાવરસિંહ જાદવના અવસાનના સમાચારથી સમગ્ર ગુજરાત સાહિત્ય જગતમાં ઊંડો શોક ફેલાયો છે. જોરાવરસિંહ જાદવે પોતાનું આખું જીવન ભારતીય અને ખાસ કરીને ગુજરાતી લોકસાહિત્ય, લોકકલા અને લોકસંસ્કૃતિના સંવર્ધન માટે સમર્પિત કર્યું હતું. તેમના યોગદાનને કારણે જ ગુજરાતી લોકસાહિત્યને વૈશ્વિક સ્તરે આગવી ઓળખ મળી હતી.
- Nov 07, 2025 23:27 IST
EPFO Pension Rules : 58 વર્ષ પહેલા પેન્શન લેવા માટે શું છે નિયમ? નોકરી છૂટવા પર શું થશે
EPFO Pension Rules : ઇપીએફઓ માત્ર રિટાયરમેન્ટ માટે પૈસા જમા કરવાની યોજના નથી, તે કર્મચારી પેન્શન યોજના (EPS) દ્વારા તમારા ભવિષ્યને સુરક્ષિત કરવાનો એક માર્ગ પણ છે. પરંતુ ઘણા કર્મચારીઓ તેના નિયમો વિશે મૂંઝવણમાં છે. અમે અહીં મહત્વની જાણકારી આપી રહ્યા છીએ ...અહીં વાંચો
- Nov 07, 2025 21:41 IST
World Radiography Day 2025 : વિશ્વ રેડિયોગ્રાફી દિવસ કેમ મનાવાય છે, જાણો ઇતિહાસ અને મહત્વ
World Radiography Day 2025 : 8મી નવેમ્બરે વિશ્વ રેડિયોગ્રાફી દિવસના પ્રસંગે તમને આ દિવસના ઈતિહાસ અને મહત્વ વિશે જણાવીએ ...વધુ વાંચો
- Nov 07, 2025 19:25 IST
બિહારમાં પ્રથમ તબક્કામાં કેમ થયું રેકોર્ડ મતદાન? પ્રશાંત કિશોરે બે મોટા કારણ જણાવ્યા
Bihar Assembly Election 2025 Voting : ચૂંટણી પંચે કહ્યું છે કે પ્રથમ તબક્કામાં બિહારના 18 જિલ્લાઓની 121 બેઠકો પર 64.66 ટકા મતદાન નોંધાયું હતું, જે 2020 ની વિધાનસભા ચૂંટણીમાં 57.29 ટકા મતદાન કરતા ઘણું વધારે છે અને 1951 પછીનું સૌથી વધુ મતદાન છે ...વધુ વાંચો
- Nov 07, 2025 18:24 IST
આઈપીએલ 2026 : CEO કાશી વિશ્વનાથને ધોનીના રમવા પર આપી અપડેટ, સેમસનની સીએસકેમાં એન્ટ્રી પર શું કહ્યું?
IPL 2026 : આઈપીએલ 2026ની લઇને શુક્રવારે એક મોટી જાણકારી ચેન્નાઈ સુપર કિંગ્સના સીઈઓ કાશી વિશ્વનાથનના હવાલાથી સામે આવી છે. ખેલાડીઓના રિટેન્શન માટે 15 નવેમ્બર છેલ્લી તારીખ છે ...વધુ વાંચો
- Nov 07, 2025 17:46 IST
રાહુલ ગાંધીના વોટ ચોરીના જવાબમાં ‘વોટ જેહાદ’, મહારાષ્ટ્રમાં ભાજપની નવી રણનીતિ
Maharashtra BJP : કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ હરિયાણા અને મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં વોટચોરીનો આરોપ લગાવ્યો છે. આ દરમિયાન મહારાષ્ટ્રમાં ભાજપ નવી રણનીતિ પર કામ કરી રહ્યું છે. આ રણનીતિ હેઠળ 'વોટ ચોરી'ના આરોપોનો સામનો કરવા માટે 'વોટ જેહાદ' અભિયાન શરૂ કરવામાં આવી રહ્યું છે ...અહીં વાંચો
- Nov 07, 2025 16:39 IST
ટીમમાંથી બહાર હોવા છતા પ્રતિકા રાવલને કેવી રીતે મળ્યો વર્લ્ડ કપ મેડલ? જય શાહનો શું હતો રોલ
Pratika Rawal Receives World Cup Medal: પ્રતિકા રાવલે ટૂર્નામેન્ટની 6 ઇનિંગ્સમાં 50થી વધુની એવરેજથી 308 રન બનાવ્યા હતા. આ ટૂર્નામેન્ટમાં તેણે બે વિકેટ પણ ઝડપી હતી. જોકે બાંગ્લાદેશ સામેની લીગ મેચમાં ઈજાગ્રસ્ત થતા ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ હતી ...વધુ માહિતી
- Nov 07, 2025 15:45 IST
આ કંપનીએ સસ્તામાં લોન્ચ કર્યું દમદાર ઇલેક્ટ્રિક સ્કૂટર, જાણો કિંમત, રેન્જ અને ફિચર્સ
Numeros Scooter Launches : ભારતમાં ઇલેક્ટ્રિક મોબિલિટીને નવો મોડ આપનાર કંપની ન્યુમરસ મોટર્સે બેંગલુરુમાં પોતાનું નવું અને અનોખું ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર ‘n - First’ લોન્ચ કર્યું છે. કંપનીનો દાવો છે કે આ ઇવી બાઇક અને સ્કૂટરનું જબરજસ્ત કોમ્બિનેશન છે ...અહીં વાંચો
- Nov 07, 2025 15:16 IST
મહિલા પ્રીમિયર લીગ : હરમનપ્રીતથી વધારે કિંમત પર સ્મૃતિ મંધાનાને કરી રિટેન, હવે કઇ ફ્રેન્ચાઇઝી પાસે કેટલા રુપિયા બચ્યા
WPL 2026 : વિમેન્સ પ્રીમિયર લીગ 2026 ની હરાજી પહેલાં તમામ ટીમોએ રિટન અને રિલીઝ કરેલા ખેલાડીઓની યાદી જાહેર કરી છે. વિમેન્સ પ્રીમિયર લીગ 2026 ની હરાજી 27 નવેમ્બરે યોજાશે ...સંપૂર્ણ વાંચો
- Nov 07, 2025 12:27 IST
દિલ્હીના IGI એરપોર્ટ પર એર ટ્રાફિક કંટ્રોલ સિસ્ટમમાં સમસ્યા, 100 થી વધુ ફ્લાઇટ્સ મોડી પડી
IGI airport Flight delays : હવાઈ ટ્રાફિક કંટ્રોલ સિસ્ટમમાં ટેકનિકલ ખામીને કારણે શુક્રવારે સવારે દિલ્હીના ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર 100 થી વધુ ફ્લાઇટ્સ મોડી પડી હતી. ...વધુ વાંચો
- Nov 07, 2025 11:42 IST
Today News Live: ગુજરાતના પ્રસિદ્ધ લોકસાહિત્યકાર પદ્મશ્રી જોરાવર સિંહ જાદવનું નિધન
ગુજરાતી લોકસાહિત્યના સુપ્રસિદ્ધ દિગ્ગજ લેખક, સંપાદક અને પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત જોરાવરસિંહ જાદવનું નિધન થયું છે. તેમણે 85 વર્ષની વયે દુનિયાને અલવિદા કહ્યું છે. જોરાવરસિંહ જાદવના અવસાનના સમાચારથી સમગ્ર ગુજરાત સાહિત્ય જગતમાં ઊંડો શોક ફેલાયો છે. જોરાવરસિંહ જાદવે પોતાનું આખું જીવન ભારતીય અને ખાસ કરીને ગુજરાતી લોકસાહિત્ય, લોકકલા અને લોકસંસ્કૃતિના સંવર્ધન માટે સમર્પિત કર્યું હતું. તેમના યોગદાનને કારણે જ ગુજરાતી લોકસાહિત્યને વૈશ્વિક સ્તરે આગવી ઓળખ મળી હતી.
- Nov 07, 2025 11:19 IST
Vande Mataram: વંદે માતરમના 150 વર્ષ નિમિત્તે પીએમ મોદીએ ખાસ ભેટો રજૂ કરી; જાણો તેમણે શું કહ્યું
150 Years of Vande Mataram National Song: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે નવી દિલ્હીના ઇન્દિરા ગાંધી ઇન્ડોર સ્ટેડિયમ ખાતે રાષ્ટ્રીય ગીત વંદે માતરમની 150મી વર્ષગાંઠના એક વર્ષ લાંબા સમારોહનું ઉદ્ઘાટન કર્યું. તેમણે આ પ્રસંગે એક સ્મારક સ્ટેમ્પ અને સિક્કો પણ બહાર પાડ્યો. ...સંપૂર્ણ માહિતી
- Nov 07, 2025 09:16 IST
Exclusive: મતદાર યાદીમાં 200 થી વધુ સ્થળોએ ફોટો, ફક્ત એક જ વાર મત આપ્યો; રાહુલ ગાંધીના દાવાની તપાસ
Haryana Election 2024 Fake Voting : રાહુલ ગાંધીએ પ્રેસ કોન્ફરન્સમાં આરોપ લગાવ્યો હતો કે ઘણા મતદારોએ એક કરતા વધુ વખત મતદાન કરવાનો અધિકાર વાપર્યો હતો. કેટલીક મતદાર યાદીઓમાં બીજા વ્યક્તિના નામે કોઈ બીજાનો ફોટો હતો. ...અહીં વાંચો
- Nov 07, 2025 09:10 IST
Canada PR : કેનેડામાં કાયમી નિવાસનું સપનું જોનારા માટે ખરાબ સમાચાર, કેનેડાનો આ ઈમિગ્રેશન પ્લાન મુશ્કેલીઓ વધારશે
canada immigration plan impact indians : કેનેડા સરકારે 2026-2028 માટે તેનો ઇમિગ્રેશન લેવલ પ્લાન બહાર પાડ્યો છે, જેનાથી ભારતીય વિદ્યાર્થીઓ અને કામદારોમાં નોંધપાત્ર ચિંતાઓ ઉભી થઈ છે. ...વધુ માહિતી
- Nov 07, 2025 07:38 IST
Today News Live: ડોનાલ્ડ ટ્રમ્પ આવતા વર્ષે ભારતની મુલાકાત લેશે
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગુરુવારે વડા પ્રધાન મોદીની પ્રશંસા કરતા કહ્યું કે તેમની ચર્ચાઓ ખૂબ સારી રીતે ચાલી રહી છે. તેમણે એવો પણ સંકેત આપ્યો કે તેઓ બંને દેશો વચ્ચેના વેપાર સંબંધોને મજબૂત બનાવવાના પ્રયાસોના ભાગ રૂપે આવતા વર્ષે ભારતની મુલાકાત લઈ શકે છે. ઓવલ ઓફિસમાં પત્રકારો સાથે વાત કરતા, ડોનાલ્ડ ટ્રમ્પે પીએમ મોદીને એક મહાન માણસ અને મિત્ર ગણાવ્યા. તેમણે ઊર્જા આયાત પર વોશિંગ્ટન અને નવી દિલ્હી વચ્ચે વધતા સમન્વયનો સંકેત આપ્યો, નોંધ્યું કે ભારતે રશિયા પાસેથી તેલ ખરીદવાનું લગભગ બંધ કરી દીધું છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us