Today News : RSS 'એક ભારત, શ્રેષ્ઠ ભારત' માં વિશ્વાસ દાખવે છે : નરેન્દ્ર મોદી

Gujarat Latest News Update Today in Gujarati 01 October 2025: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે દિલ્હીના ડૉ. આંબેડકર ઇન્ટરનેશનલ સેન્ટર ખાતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) ના શતાબ્દી સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે હાજરી આપી હતી.

Gujarat Latest News Update Today in Gujarati 01 October 2025: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે દિલ્હીના ડૉ. આંબેડકર ઇન્ટરનેશનલ સેન્ટર ખાતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) ના શતાબ્દી સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે હાજરી આપી હતી.

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
PM Modi

વડાપ્રધાન મોદી - photo- social media

Today Latest News Update in Gujarati 01 october 2025: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે દિલ્હીના ડૉ. આંબેડકર ઇન્ટરનેશનલ સેન્ટર ખાતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) ના શતાબ્દી સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે હાજરી આપી હતી. આ પ્રસંગે, પ્રધાનમંત્રીએ રાષ્ટ્રમાં RSS ના 100 વર્ષના યોગદાનને દર્શાવતી ખાસ ડિઝાઇન કરેલી સ્મારક ટપાલ ટિકિટ અને સિક્કો બહાર પાડ્યો. PM મોદીએ કહ્યું, "કાલે વિજયાદશમી છે, એક તહેવાર જે ખરાબ પર સારાની જીત, અન્યાય પર ન્યાયની જીત, અસત્ય પર સત્યની જીત અને અંધકાર પર પ્રકાશની જીતનું પ્રતીક છે. 100 વર્ષ પહેલાં આ શુભ દિવસે RSS ની સ્થાપના કોઈ સંયોગ નહોતો."

Advertisment
  • Oct 01, 2025 21:58 IST

    મહિલા વન-ડે વર્લ્ડ કપ પર સચિન તેંડુલકરે કહ્યું - મહિલા ક્રિકેટને નવી દિશા આપી શકે છે

    ICC Women’s World Cup : સચિન તેંડુલકરે પોતાના ICC કોલમમાં લખ્યું કે આ ફક્ત ટાઇટલ જીતવા માટેની ટુર્નામેન્ટ નહીં, પરંતુ તેવી અસંખ્ય છોકરીઓના સપનાઓને પૂર્ણ કરવા માટે એક પ્લેટફોર્મ તરીકે કામ કરશે. જે ક્રિકેટને કારકિર્દીના રુપમાં જુએ છે ...અહીં વાંચો



  • Oct 01, 2025 20:55 IST

    મહિલા વન ડે વર્લ્ડ કપ : ભારતીય મહિલા ટીમ પણ પાકિસ્તાની પ્લેયર્સ સાથે હાથ મિલાવશે નહીં

    ICC Women’s World Cup 2025 : ભારતીય ક્રિકેટ બોર્ડે વિમેન્સ વન ડે વર્લ્ડ કપમાં પણ ભારતીય ટીમને પાકિસ્તાની ખેલાડીઓ સાથે હાથ મિલાવવાની ના પાડી દીધી છે. મહિલા વર્લ્ડ કપમાં ભારત અને પાકિસ્તાનની મેચ રવિવારે (5 ઓક્ટોબર) કોલંબોમાં રમાશે ...સંપૂર્ણ વાંચો



  • Advertisment
  • Oct 01, 2025 19:51 IST

    દેશમાં 57 નવા કેન્દ્રીય વિદ્યાલય ખોલવામાં આવશે, આ શાળાઓમાં 4,000થી વધુ નોકરીઓ ઉભી થશે

    Kendriya Vidyalayas : કેન્દ્રની મોદી સરકારે શિક્ષણ અને રોજગાર ક્ષેત્ર માટે મોટી જાહેરાત કરી છે. બુધવારે કેન્દ્રીય કેબિનેટે દેશમાં 57 નવા કેન્દ્રીય વિદ્યાલય ખોલવાના પ્રસ્તાવને મંજૂરી આપી હતી. સરકારનો આ નિર્ણય માત્ર શિક્ષણ ક્ષેત્રે જ નહીં પરંતુ રોજગાર ક્ષેત્રમાં પણ નવી તકો ઊભી કરશે ...અહીં વાંચો



  • Oct 01, 2025 19:02 IST

    Gujarat Rain : નવરાત્રીમાં નર્મદા ડેમ છલકાયો, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વધામણા કર્યા

    Gujarat Rain : ગુજરાત સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરાયેલા વરસાદના આંકડા પ્રમાણે 1 ઓક્ટોબર 2025ના રોજ સાંજના 6 વાગ્યા સુધીમાં 73 તાલુકામાં વરસાદ વરસ્યો છે ...બધું જ વાંચો



  • Oct 01, 2025 17:17 IST

    અમદાવાદમાં ભારત વિ વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે પ્રથમ ટેસ્ટ, જાણો સંભવિત પ્લેઇંગ ઇલેવન, હેડ ટુ હેડ, પિચ રિપોર્ટ સહિત બધી જાણકારી

    India vs West Indies 1st Test : ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે 2 ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચ ગુરુવાર (2 ઓક્ટોબર) થી અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં શરુ થશે. વેસ્ટ ઈન્ડીઝની ટીમ ભલે નબળી હોય પણ ભારતીય ટીમ આ શ્રેણીને હળવાશથી નહીં લે ...સંપૂર્ણ માહિતી



  • Oct 01, 2025 15:37 IST

    ભારતમાં ડ્રાઇવર વગરની પ્રથમ ઓટો લોન્ચ થઇ, જાણો કિંમત

    India First Autonomous Electric Three Wheeler : ભારતીય ઇલેક્ટ્રિક મોબિલિટી ક્ષેત્રમાં એક મહત્વપૂર્ણ ઇતિહાસ રચાયો છે. ઓમેગા સેકી મોબિલિટીએ વિશ્વનું પ્રથમ ઓટોનોમસ (ડ્રાઇવરલેસ) ઇલેક્ટ્રિક થ્રી-વ્હીલર, લોન્ચ કર્યું છે ...સંપૂર્ણ માહિતી



  • Oct 01, 2025 15:10 IST

    NCRB ના ચિંતાજનક ડેટા : ભારતમાં વિદ્યાર્થીઓની આત્મહત્યાનો વધતો ગ્રાફ, શૈક્ષણિક દબાણ અને માનસિક સ્વાસ્થ્ય?

    Student suicides NCRB data : નેશનલ ક્રાઈમ રેકોર્ડ્સ બ્યુરો (NCRB) ના તાજેતરના ડેટા અનુસાર 2023 માં વિદ્યાર્થીઓની આત્મહત્યાની સંખ્યા 13,892 હતી, જે 2013 ની તુલનામાં આશરે 65% નો વધારો છે અને 2019 ની તુલનામાં 34% નો વધારો છે. ...સંપૂર્ણ વાંચો



  • Oct 01, 2025 12:11 IST

    Today News Live: RSS 'એક ભારત, શ્રેષ્ઠ ભારત' માં માને છે: નરેન્દ્ર મોદી

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે દિલ્હીના ડૉ. આંબેડકર ઇન્ટરનેશનલ સેન્ટર ખાતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) ના શતાબ્દી સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે હાજરી આપી હતી. આ પ્રસંગે, પ્રધાનમંત્રીએ રાષ્ટ્રમાં RSS ના 100 વર્ષના યોગદાનને દર્શાવતી ખાસ ડિઝાઇન કરેલી સ્મારક ટપાલ ટિકિટ અને સિક્કો બહાર પાડ્યો. PM મોદીએ કહ્યું, "કાલે વિજયાદશમી છે, એક તહેવાર જે ખરાબ પર સારાની જીત, અન્યાય પર ન્યાયની જીત, અસત્ય પર સત્યની જીત અને અંધકાર પર પ્રકાશની જીતનું પ્રતીક છે. 100 વર્ષ પહેલાં આ શુભ દિવસે RSS ની સ્થાપના કોઈ સંયોગ નહોતો."



  • Oct 01, 2025 11:15 IST

    Today News Live: છિંદવાડામાં કફ સિરપથી 6 બાળકોના મોત, બાયોપ્સીમાં કિડની ફેલ્યોરનો ખુલાસો

    છેલ્લા 10 દિવસમાં છિંદવાડાના કોયલા નચલ પ્રદેશમાં બાળકોના મૃત્યુ અંગે થયેલા હોબાળામાં હવે એક મોટો ખુલાસો થયો છે. તપાસમાં જાણવા મળ્યું છે કે બાળકોની કિડની ફેલ્યોરનું કારણ કફ સિરપ હતું. જે બાળકોને શરદી, ખાંસી અને તાવ માટે કફ સિરપ આપવામાં આવ્યું હતું તેમની કિડની ફેલ્યોર ધીમે ધીમે વધી ગઈ. અત્યાર સુધીમાં 6 બાળકોના મોત થયા છે, જ્યારે ઘણા અન્ય નાગપુર અને છિંદવાડામાં હોસ્પિટલમાં દાખલ છે.



  • Oct 01, 2025 11:01 IST

    Ojas GSSSB Bharti 2025: ગુજરાત સરકારમાં ₹49,600ની નોકરી મેળવવાની તક, અહીં વાંચો લાયકાતથી લઈને બધી જ માહિતી

    Ojas GSSSB Senior Expert Bharti 2025: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી અંતર્ગત સિનિયર એક્સપર્ટ પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, અરજી પ્રક્રિયા સહિતની મહત્વની માહિતી અહીં વાંચો. ...સંપૂર્ણ વાંચો



  • Oct 01, 2025 08:15 IST

    Philippines earthquake : ફિલિપાઇન્સમાં 6.9 ની તીવ્રતાના ભૂકંપે વિનાશ વેર્યો, 20 લોકો મોત, અનેક લોકો ઘાયલ

    earthquake landslide Philippines : ફિલિપાઇન્સમાં 6.9 ની તીવ્રતાના ભૂકંપથી લોકો પોતાના ઘર છોડીને ભાગી ગયા. અધિકારીઓએ જણાવ્યું હતું કે મધ્ય ફિલિપાઇન્સના એક પ્રાંતમાં મંગળવારે મોડી રાત્રે આવેલા શક્તિશાળી ભૂકંપને કારણે ઘરો અને ઇમારતોની દિવાલો ધરાશાયી થઈ ગઈ હતી ...વધુ માહિતી



  • Oct 01, 2025 08:08 IST

    Today News Live: ફિલિપાઇન્સમાં 6.9 ની તીવ્રતાનો ભૂકંપ, 20 લોકોના મોત

    મંગળવારે રાત્રે ફિલિપાઇન્સમાં 6.9 ની તીવ્રતાના ભૂકંપને કારણે લોકો પોતાના ઘર છોડીને ભાગી ગયા હતા. અધિકારીઓએ જણાવ્યું હતું કે મંગળવારે મોડી રાત્રે મધ્ય ફિલિપાઇન્સના એક પ્રાંતમાં આવેલા શક્તિશાળી ભૂકંપને કારણે ઘરો અને ઇમારતોની દિવાલો ધરાશાયી થઈ ગઈ હતી, જેમાં ઓછામાં ઓછા 20 લોકો માર્યા ગયા હતા અને અનેક લોકો ઘાયલ થયા હતા. શક્તિશાળી ભૂકંપથી વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો, જેના કારણે ઘણા વિસ્તારો અંધકારમાં ડૂબી ગયા હતા.

    ભૂકંપથી પથ્થરના ચર્ચને નુકસાન થયું હતું અને અનેક વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો. ભૂકંપનું કેન્દ્ર સેબુ પ્રાંતના બોગો સિટીથી 17 કિલોમીટર ઉત્તરપૂર્વમાં હતું. પથ્થરનું ચર્ચ જ્યાં આવેલું છે તે દાનબંતાયન શહેરમાં વીજળી ખોરવાઈ ગઈ હતી. ચર્ચને થયેલા નુકસાનનો સંપૂર્ણ આંકડો તાત્કાલિક ઉપલબ્ધ નથી.



  • Oct 01, 2025 08:04 IST

    Jobs in Canada : કેનેડામાં નોકરી મેળવવાની સુવર્ણ તક! સરકાર આ છ ક્ષેત્રોમાં આપી રહી છે આમંત્રણ

    how to find jobs in Canada : ઇમિગ્રેશન, રેફ્યુજીસ એન્ડ સિટીઝનશિપ કેનેડા (IRCC) એ એક્સપ્રેસ એન્ટ્રી ઇમિગ્રેશન સિસ્ટમ હેઠળ છ શ્રેણીના કામદારોની ઓળખ કરી છે જેની તેને જરૂર છે. સરકારનો હેતુ શ્રમ બજારની જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે કુશળ કામદારોને દેશમાં લાવવાનો છે. ...વધુ માહિતી



  • Oct 01, 2025 07:24 IST

    Today News Live: ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 110 તાલુકામાં વરસાદ નોંધાયો

    ગુજરાત સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવેલા વરસાદના આંકડા પ્રમાણે 30 સપ્ટેમ્બર 2025, સવારે 6 વાગ્યાથી લઈને 1 ઓક્ટોબર 2025 સવારે 6 વાગ્યા સુધીમાં 24 કલાકના સમયગાળા દરમિયાન રાજ્યના 110 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે ગીર સોમનાથના તાળાળામાં 0.91 ઈંચ વરસાદ ખાબક્યો હતો.



  • Oct 01, 2025 07:23 IST

    Today News Live: ચેન્નાઈમાં એક થર્મલ પાવર સ્ટેશન પર મોટી દુર્ઘટના

    તમિલનાડુની રાજધાની ચેન્નાઈમાં એન્નોર થર્મલ પાવર સ્ટેશનના બાંધકામ સ્થળે આજે એક મોટી દુર્ઘટના બની. સ્ટેશન પર એક કમાન તૂટી પડવાથી નવ લોકોના દુઃખદ મોત થયા છે અને દસ અન્ય ઘાયલ થયા છે. 30 ફૂટની ઊંચાઈથી પડેલી કમાન સ્થળાંતરિત કામદારો પર પડી, જેના કારણે વ્યાપક અરાજકતા ફેલાઈ ગઈ. પીએમ મોદીએ અકસ્માત પર શોક વ્યક્ત કર્યો.

    અહેવાલો અનુસાર 30 ફૂટની ઊંચાઈથી પડેલી કમાન ઘણા સ્થળાંતરિત કામદારો પર પડી, જેના કારણે તેઓ કાટમાળ નીચે ફસાઈ ગયા અને તેમના મોત થયા. ઘણા અન્ય લોકોને ખૂબ જ મુશ્કેલીથી બચાવી લેવામાં આવ્યા. દસ ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જેમાંથી એકની હાલત ગંભીર છે.



બ્રેકિંગ ન્યૂઝ ગુજરાત વિશ્વ દેશ