/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/04/Shehbaz-Sharif.jpg)
પાકિસ્તાનાન પ્રધાનમંત્રી શહેબાઝ શરીફ (તસવીર - @CMShehbaz)
Today Latest News Update in Gujarati 02 october 2025: પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (પીઓકે)માં જોરદાર વિરોધ પ્રદર્શન ચાલી રહ્યા છે. ધ ન્યૂઝ અખબારના અહેવાલ મુજબ, પીઓકેમાં ચાલી રહેલા વિરોધ પ્રદર્શન દરમિયાન ઓછામાં ઓછા 6 નાગરિકો અને 3 પોલીસકર્મીઓ માર્યા ગયા છે. સ્થાનિક અધિકારીઓએ જણાવ્યું હતું કે વિરોધ પ્રદર્શનમાં લગભગ 172 પોલીસકર્મીઓ ઇજાગ્રસ્ત થયા છે, જેમાંથી 12 ની હાલત ગંભીર હોવાનું કહેવાય છે. અખબારે એમ પણ અહેવાલ આપ્યો હતો કે હિંસક પ્રદર્શન દરમિયાન લગભગ 50 લોકો ઘાયલ થયા હતા. પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફે કાયદો અને વ્યવસ્થાની બગડતી સ્થિતિ પર ઊંડી ચિંતા વ્યક્ત કરી છે.
- Oct 02, 2025 22:34 IST
Today News Live: PoK માં ભારે વિરોધ પ્રદર્શન, 9 લોકોના મોત
પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (પીઓકે)માં જોરદાર વિરોધ પ્રદર્શન ચાલી રહ્યા છે. ધ ન્યૂઝ અખબારના અહેવાલ મુજબ, પીઓકેમાં ચાલી રહેલા વિરોધ પ્રદર્શન દરમિયાન ઓછામાં ઓછા 6 નાગરિકો અને 3 પોલીસકર્મીઓ માર્યા ગયા છે. સ્થાનિક અધિકારીઓએ જણાવ્યું હતું કે વિરોધ પ્રદર્શનમાં લગભગ 172 પોલીસકર્મીઓ ઇજાગ્રસ્ત થયા છે, જેમાંથી 12 ની હાલત ગંભીર હોવાનું કહેવાય છે. અખબારે એમ પણ અહેવાલ આપ્યો હતો કે હિંસક પ્રદર્શન દરમિયાન લગભગ 50 લોકો ઘાયલ થયા હતા. પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફે કાયદો અને વ્યવસ્થાની બગડતી સ્થિતિ પર ઊંડી ચિંતા વ્યક્ત કરી છે.
- Oct 02, 2025 21:09 IST
Gujarat Rain : દશેરાના દિવસે સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ, વંથલીમાં 2.91 ઇંચ વરસ્યો
Gujarat Rain : ગુજરાત સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરાયેલા વરસાદના આંકડા પ્રમાણે 2 ઓક્ટોબર 2025ના રોજ સાંજના 6 વાગ્યા સુધીમાં 104 તાલુકામાં વરસાદ વરસ્યો છે ...બધું જ વાંચો
- Oct 02, 2025 20:19 IST
વિદેશમાં ભારતીય લોકતંત્ર પર રાહુલ ગાંધી ફરી બોલ્યા, ભાજપે કહ્યું - લીડર ઓફ પ્રોપેગેન્ડા
Rahul Gandhi in Colombia : લોકસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી દક્ષિણ અમેરિકાના પ્રવાસે છે. તેમણે અહીં કોલંબિયાની ઇઆઇએ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરી હતી. આ દરમિયાન રાહુલ ગાંધીએ દેશની કેન્દ્ર સરકાર પર ભારતીય લોકતંત્ર પર મોટો હુમલો કરવાનો આરોપ લગાવ્યો ...વધુ વાંચો
- Oct 02, 2025 18:54 IST
GST 2.0 ની મોટી ભેટ, મારુતિ સુઝુકી ડિઝાયર 88,000 રુપિયા સુધી સસ્તી થઇ
Maruti Suzuki Dzire price cut : સરકાર દ્વારા લાગુ કરવામાં આવેલા GST 2.0 સુધારાની અસર હવે કાર ખરીદનારાઓના ખિસ્સા પર સ્પષ્ટપણે દેખાઈ રહી છે. આ સુધારાને કારણે મારુતિ સુઝુકીની સૌથી વધુ વેચાતી કારમાંથી એક સ્વિફ્ટ ડિઝાયરની કિંમતમાં ભારે ઘટાડો થયો છે. ...અહીં વાંચો
- Oct 02, 2025 17:41 IST
બિહાર વિધાનસભા ચૂંટણી : સત્તા વિરોધી લહેર કેવી રીતે ખતમ કરશે ભાજપ? જાણો શું છે ફોર્મ્યુલા
Bihar Assembly elections 2025 : બિહારમાં વિધાનસભાની ચૂંટણી ઓક્ટોબરના બીજા અઠવાડિયામાં જાહેર થાય તેવી શક્યતા છે. આ પહેલા ભાજપ ચૂંટણી રણનીતિ પર ઝડપથી કામ કરી રહી છે. ભાજપ આ વખતે એનડીએમાં શક્ય તેટલી બેઠકો જીતવા માંગે છે અને આ તેના વર્તમાન ધારાસભ્યો માટે એક પડકાર હોઈ શકે છે કારણ કે પાર્ટીનો હેતુ સત્તા વિરોધી લહેરને નબળી પાડવાનો છે ...અહીં વાંચો
- Oct 02, 2025 16:51 IST
દરરોજ 10 કે 60 મિનિટ સુધી ચાલવાથી શરીર પર શું થાય છે અસર, ન્યૂરોલોજિસ્ટે ગણાવ્યા ફાયદા
Walking Benefits : ચાલવું સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. આ જ કારણ છે કે આરોગ્ય નિષ્ણાતો તમામ ઉંમરના લોકોને દરરોજ ચાલવાની સલાહ આપે છે. ચાલવું એ એક સરળ અને નેચરલ વર્કઆઉટ છે, જેને દરેક વ્યક્તિ તેમની દિનચર્યામાં શામેલ કરી શકે છે ...બધું જ વાંચો
- Oct 02, 2025 15:42 IST
બુમરાહે અમદાવાદ ટેસ્ટમાં પુરી કરી ખાસ ‘અડધી સદી’, જવાગલ શ્રીનાથના રેકોર્ડની બરાબરી કરી
Jasprit Bumrah Record : પ્રથમ ટેસ્ટમાં ભારતીય ફાસ્ટ બોલરો જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ સિરાજે ટીમને શાનદાર શરુઆત અપાવી હતી અને વેસ્ટ ઈન્ડીઝની આખી ટીમ 162 રનમાં સમેટાઈ ગઈ હતી. બુમરાહે ત્રણ વિકેટ ઝડપી હતી અને ખાસ રેકોર્ડ બનાવ્યો ...અહીં વાંચો
- Oct 02, 2025 09:10 IST
singer Pandit Chhannulal Mishra passes away : પ્રખ્યાત શાસ્ત્રીય ગાયક પંડિત છન્નુલાલ મિશ્રાનું નિધન, પીએમ મોદી સાથે હતું કનેક્શન
classical singer Pandit Chhannulal Mishra passes away : પ્રખ્યાત શાસ્ત્રીય ગાયક અને પદ્મ પુરસ્કાર વિજેતા કલાકાર પંડિત છન્નુલાલ મિશ્રાનું 91 વર્ષની વયે અવસાન થયું છે. તેમણે ગુરુવારે સવારે 4:15 વાગ્યે મિર્ઝાપુરમાં અંતિમ શ્વાસ લીધા. ...બધું જ વાંચો
- Oct 02, 2025 07:48 IST
Today News Live: CJI ગવઈના માતાએ RSSનું આમંત્રણ નકાર્યું
સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ (CJI) બીઆર ગવઈની માતા કમલતાઈ ગવઈએ બુધવારે કહ્યું કે તેઓ 5 ઓક્ટોબરના રોજ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) ના શતાબ્દી સમારોહમાં હાજરી આપશે નહીં. એક ખુલ્લા પત્રમાં તેમણે જણાવ્યું હતું કે સમાચાર, આરોપો અને તેમના પર લાગેલા બદનક્ષીને કારણે તેમણે મુખ્ય મહેમાન તરીકે કાર્યક્રમમાં હાજરી ન આપવાનો નિર્ણય લીધો છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us