Today News Update in Gujarati: વિશ્વ બેંકે ભારતના નાણાકીય વર્ષ 26 માટે GDP વૃદ્ધિ દરનો અંદાજ 6.3% પર જાળવી રાખ્યો

Gujarat Latest News Update Today in Gujarati 10 June 2025: ભારતીય અર્થતંત્ર 2025-26માં 6.3ટકાના દરે વૃદ્ધિ પામશે, વિશ્વ બેંકે મંગળવારે ચાલુ નાણાકીય વર્ષ માટે તેના જીડીપી વૃદ્ધિ દરના અનુમાનને જાળવી રાખ્યું છે

Gujarat Latest News Update Today in Gujarati 10 June 2025: ભારતીય અર્થતંત્ર 2025-26માં 6.3ટકાના દરે વૃદ્ધિ પામશે, વિશ્વ બેંકે મંગળવારે ચાલુ નાણાકીય વર્ષ માટે તેના જીડીપી વૃદ્ધિ દરના અનુમાનને જાળવી રાખ્યું છે

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
India GDP Growth | India GDP Rate | india economy growth | indian economy

India GDP Growth : ભારતનો જીડીપી ગ્રોથ સતત વધી રહ્યો છે.

Today Latest News Update in Gujarati 10 June 2025: ભારતીય અર્થતંત્ર 2025-26માં 6.3ટકાના દરે વૃદ્ધિ પામશે, વિશ્વ બેંકે મંગળવારે ચાલુ નાણાકીય વર્ષ માટે તેના જીડીપી વૃદ્ધિ દરના અનુમાનને જાળવી રાખ્યું છે. એપ્રિલ 2025માં તેમાં 40 બેસિસ પોઈન્ટ (બીપીએસ)નો ઘટાડો કર્યો હતો તેમ છતાં તેણે ચેતવણી આપી હતી કે વૈશ્વિક અનિશ્ચિતતાને કારણે રોકાણની ગતિ ધીમી પડી શકે છે. જોકે 6.3 ટકાના અંદાજિત દરે પણ ભારત સૌથી ઝડપથી વિકસતું મોટું અર્થતંત્ર રહેશે. વિશ્વ બેંકે તેના ગ્લોબલ ઇકોનોમિક પ્રોસ્પેક્ટ્સ રિપોર્ટમાં જણાવ્યું છે.

Advertisment

રાજકોટમાં કોરોનાથી પહેલું મોત, ગુજરાતમાં 1100ને પાર સક્રિય કેસ

ગુજરાતમાં ધીમે ધીમે કોરોના વાયરસની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. હેલ્થ વિભાગે આપેલા આંકડા પ્રમાણે સોમવારે રાજ્યમાં કોરોનાના 235 નવા કેસ નોંધાયા. જેથી એક્ટિવ કેસોની સંખ્યા 1109 પર પહોંચી છે. હાલ 33 દર્દીઓ હોસ્પિટલમાં દાખલ છે. જ્યારે 106 જેટલા દર્દીઓ સાજા થતા રજા અપાઈ છે. આ સાથે જ રાજકોટમાં કોરોનાથી પહેલું મોત નોંધાયાના સમાચાર આવી રહ્યા છે.

મળતી માહિતી પ્રમાણે રાજકોટમાં રહેતા 55 વર્ષીય પુરુષે હોસ્પિટલમાં મોતને ભેટ્યા હતા. તેમને છેલ્લા ચાર દિવસથી કોરોનાના લક્ષણો હતા, 3-4 દિવસ ખાનગી હોસ્પિટલમાં સારવાર લીધા બાદ ગઈકાલે સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જોકે, સારવાર દરમિયાન આધેડનું મોત નીપજ્યું હતું.

ઓસ્ટ્રિયાની એક સ્કૂલમાં ભીષણ ગોળીબારી, 11 ના મોત

ઓસ્ટ્રિયાથી એક આઘાતજનક સમાચાર સામે આવ્યા છે. અહીંની એક સ્કૂલમાં હુમલાખોર દ્વારા ભીષણ ગોળીબારી કરવામાં આવી હતી. જેમાં 11 લોકોના મોતના સમાચાર છે. રોયટર્સ ન્યૂઝ એજન્સીએ ત્યાંના એક સ્થાનિક અખબારને ટાંકીને જણાવ્યું છે કે ઓસ્ટ્રિયાના ગ્રાઝ શહેરમાં મંગળવારે એક શૂટરે સ્કૂલમાં ગોળીબાર કર્યો હતો. જેમાં 11 લોકોના મોત થયા છે.

Advertisment

ભારતમાં કોરોનાનો નવો પ્રકાર XFG સામે આવ્યો

ભારતમાં કોરોનાના કેસ સતત ઝડપથી વધી રહ્યા છે, ગયા મહિનાથી વધવા માંડેલા કેસોની સંખ્યા હવે 64101 પર પહોંચી ગઈ છે. ચિંતાની વાત એ છે કે ભારતમાં કોરોનાનો એક નવો પ્રકાર પણ સામે આવ્યો છે, તેનું નામ XFG છે. આ નવો કોવિડ પ્રકાર મનુષ્યોની સૌથી મજબૂત રોગપ્રતિકારક શક્તિને પણ ટાળવામાં સક્ષમ છે. હાલમાં, આ નવા પ્રકારના 163 કેસ નોંધાયા છે, અહીં પણ મહારાષ્ટ્ર સૌથી વધુ અસરગ્રસ્ત રાજ્ય માનવામાં આવે છે.

દેશમાં વધતા કોરોના કેસોની વાત કરીએ તો, 22 મેના રોજ ફક્ત 257 સક્રિય દર્દીઓ હતા, જ્યારે 10 જૂનના રોજ આ આંકડો વધીને 64101 થઈ ગયો છે. છેલ્લા 24 કલાકની વાત કરીએ તો, દેશમાં 358 નવા કોરોના દર્દીઓ નોંધાયા છે, અહીં પણ 624 લોકો આ ચેપમાંથી સ્વસ્થ પણ થયા છે.

  • Jun 10, 2025 23:12 IST

    ઓપરેશન સિંદૂર : પીએમ મોદીએ વિદેશથી પરત ફરેલા ડેલિગેશન સાથે મુલાકાત કરી

    Operation Sindoor : પીએમ નરેન્દ્ર મોદીએ નવી દિલ્હી સ્થિત તેમના નિવાસસ્થાને વિદેશથી પરત ફરેલા ડેલિગેશન સાથે મુલાકાત કરી હતી. પીએમ તરફથી આ ડેલિગેશન માટે ડિનરનું આયોજન કરવામાં આવ્યું હતું ...વધુ માહિતી



  • Jun 10, 2025 21:54 IST

    Today News Live : વિશ્વ બેંકે ભારતના નાણાકીય વર્ષ 26 માટે GDP વૃદ્ધિ દરનો અંદાજ 6.3% પર જાળવી રાખ્યો

    ભારતીય અર્થતંત્ર 2025-26માં 6.3ટકાના દરે વૃદ્ધિ પામશે, વિશ્વ બેંકે મંગળવારે ચાલુ નાણાકીય વર્ષ માટે તેના જીડીપી વૃદ્ધિ દરના અનુમાનને જાળવી રાખ્યું છે. એપ્રિલ 2025માં તેમાં 40 બેસિસ પોઈન્ટ (બીપીએસ)નો ઘટાડો કર્યો હતો તેમ છતાં તેણે ચેતવણી આપી હતી કે વૈશ્વિક અનિશ્ચિતતાને કારણે રોકાણની ગતિ ધીમી પડી શકે છે. જોકે 6.3 ટકાના અંદાજિત દરે પણ ભારત સૌથી ઝડપથી વિકસતું મોટું અર્થતંત્ર રહેશે. વિશ્વ બેંકે તેના ગ્લોબલ ઇકોનોમિક પ્રોસ્પેક્ટ્સ રિપોર્ટમાં જણાવ્યું છે.



  • Jun 10, 2025 19:23 IST

    રાજા રઘુવંશી હત્યા કેસ: એક નાનું જુઠ્ઠાણું અને સોનમનો પ્લાન ઉંધો પડ્યો

    રાજા રઘુવંશી હત્યા કેસ મામલે વધુ એક ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે. પત્ની સોનમ રઘુવંશી એ કરેલી એક ભૂલથી કેસ ઉકેલવામાં પોલીસને મોટી સફળતા મળી. ...સંપૂર્ણ માહિતી



  • Jun 10, 2025 18:47 IST

    બનાસ નદીમાં નહાવા ગયેલા 11 યુવકો ડૂબ્યા, આઠના મોત, ત્રણની શોધખોળ ચાલું

    Youths drowned in banas river: બનાસ નદીના જૂના પુલ પાસે બધાએ પાણીમાં નહાવાનું શરૂ કર્યું. સ્નાન કરતી વખતે પહેલા એક યુવાન ડૂબવા લાગ્યો. તેને બચાવવાના પ્રયાસમાં બધા એક પછી એક ડૂબવા લાગ્યા. ...સંપૂર્ણ માહિતી



  • Jun 10, 2025 16:49 IST

    Today News Live : ઓસ્ટ્રિયાની એક સ્કૂલમાં ભીષણ ગોળીબારી, 11 ના મોત, હુમલાવરે પોતાને પણ મારી ગોળી

    ઓસ્ટ્રિયાથી એક આઘાતજનક સમાચાર સામે આવ્યા છે. અહીંની એક સ્કૂલમાં હુમલાખોર દ્વારા ભીષણ ગોળીબારી કરવામાં આવી હતી. જેમાં 11 લોકોના મોતના સમાચાર છે. રોયટર્સ ન્યૂઝ એજન્સીએ ત્યાંના એક સ્થાનિક અખબારને ટાંકીને જણાવ્યું છે કે ઓસ્ટ્રિયાના ગ્રાઝ શહેરમાં મંગળવારે એક શૂટરે સ્કૂલમાં ગોળીબાર કર્યો હતો. જેમાં 11 લોકોના મોત થયા છે.



  • Jun 10, 2025 16:35 IST

    RCB New Owner: શું RCB વેચાઇ જવાની છે? Diageo બનાવી રહી છે ભાગીદારી વેચવાનો પ્લાન - રિપોર્ટ

    RCB New Owner Diageo, RCB Stake Sale : રિપોર્ટ પ્રમાણે યુકેની શરાબ કંપની ડિયાજિયોએ ક્લબમાં એક ભાગ અથવા સંપૂર્ણ હિસ્સાના સંભવિત વેચાણ સહિત વિવિધ વિકલ્પોનું મૂલ્યાંકન કરવા માટે સંભવિત સલાહકારો સાથે પરામર્શ કરવાનું શરૂ કર્યું છે ...વધુ માહિતી



  • Jun 10, 2025 15:02 IST

    Today News Live : દ્વારકામાં એક ઈમારતમાં ભીષણ આગ લાગી, પિતા અને બે બાળકોના મોત

    આજે દિલ્હીના દ્વારકામાં એક ઈમારતમાં અચાનક આગ લાગી હોવાના સમાચાર આવ્યા. અહીં શબ્દ એપાર્ટમેન્ટના 8મા માળે ભીષણ આગ લાગી. આ આગથી ડરીને ત્રણ લોકોએ ઉતાવળમાં ઈમારતના 7મા માળેથી નીચે કૂદી પડ્યા. જેના કારણે ત્રણ લોકોના મોત નિપજ્યા.

    દ્વારકામાં ભીષણ આગની માહિતી મળતાં, ફાયર બ્રિગેડની 10 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ અને આગ ઓલવવાનું કામ શરૂ કરવામાં આવ્યું. આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો હતો પરંતુ તે દરમિયાન 7મા માળેથી કૂદકો મારનારા ત્રણ લોકોના મોત નિપજ્યા હતા. આમાં એક પિતા અને બે બાળકોનો સમાવેશ થાય છે.



  • Jun 10, 2025 11:56 IST

    SSC CGL Recruitment 2025: સરકારી નોકરીઓની બમ્પર ભરતી, પોસ્ટ, પગાર સહિતની બધી જ માહિતી અહીં વાંચો

    SSC CGL 2025 Notification Out: સ્ટાફ સિલેક્શન કમિશન ભરતી અંતર્ગત કમ્બાઈન્ડ ગ્રેજ્યુએટ લેવલ પોસ્ટની વિગતો, પગાર ધોરણ, અરજી પ્રક્રિયા, વય મર્યાદા, અરજી ફી સહિતની મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ સમાચાર છેલ્લે સુધી વાંચાવા. ...સંપૂર્ણ માહિતી



  • Jun 10, 2025 09:58 IST

    રાજા રઘુવંશી હત્યા કેસ : સોનમ રઘુવંશીએ ગાઝીપુરના વન સ્ટોપ સેન્ટરમાં 14 કલાક કેવી રીતે વિતાવ્યા?

    Indore couple missing in Meghalaya : રાજા રઘુવંશીની હત્યા કેસમાં સોમવારે સવારે ઉત્તર પ્રદેશના ગાઝીપુરથી તેમની પત્ની સોનમની ધરપકડ કરવામાં આવી હતી અને તેમને ત્રણ દિવસના ટ્રાન્ઝિટ રિમાન્ડ પર મોકલી દેવામાં આવ્યા હતા. ...વધુ માહિતી



  • Jun 10, 2025 09:25 IST

    Today News Live : સોનમે હુમલાખોરો સાથે લોકેશન શેર કર્યું

    ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓના જણાવ્યા અનુસાર, મેઘાલયમાં સોનમ અને રાજાના હનીમૂન દરમિયાન, રાજાની હત્યા કરનારા હુમલાખોરોએ સોનમ દ્વારા શેર કરાયેલી લોકેશન માહિતીનો ઉપયોગ કરીને દંપતીને ટ્રેક કર્યા હોવાનું કહેવાય છે. બીજી તરફ, રાજ ઇન્દોરમાં જ રોકાયો હતો અને મેઘાલયના અધિકારીઓ રાજા અને સોનમને શોધી રહ્યા હતા ત્યારે તે સોનમના પરિવારના ઘરે પણ જોવા મળ્યો હતો.



  • Jun 10, 2025 09:20 IST

    Today News Live : ગુજરાતમાં કોરોના વિસ્ફોટ, એક્ટિવ કેસની સંખ્યા 1000ને પાર

    ગુજરાતમાં ધીમે ધીમે કોરોના વાયરસની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. હેલ્થ વિભાગે આપેલા આંકડા પ્રમાણે સોમવારે રાજ્યમાં કોરોનાના 235 નવા કેસ નોંધાયા. જેથી એક્ટિવ કેસોની સંખ્યા 1109 પર પહોંચી છે. હાલ 33 દર્દીઓ હોસ્પિટલમાં દાખલ છે. જ્યારે 106 જેટલા દર્દીઓ સાજા થતા રજા અપાઈ છે.



  • Jun 10, 2025 08:38 IST

    Today News Live : સોનમ રઘુવંશીને લઈને ફ્લાઇટ દ્વારા શિલોંગ લઈ જશે મેઘાલય પોલીસ

    મેઘાલયમાં પોલીસે ઇન્દોરના યુવક રાજા રઘુવંશીની હત્યા કેસમાં પાંચ લોકોની ધરપકડ કરી છે. રાજાની પત્ની સોનમ રઘુવંશીની પણ આ કેસમાં ધરપકડ કરવામાં આવી છે. સોનમને યુપી પોલીસે ગાઝીપુરના એક ઢાબામાંથી ધરપકડ કરી હતી. ત્યારબાદ મેઘાલય પોલીસ હવે તેને પટના લાવી છે જ્યાં સોનમને ફુલવારી શરીફ પોલીસ સ્ટેશનમાં રાખવામાં આવી છે. મેઘાલય પોલીસ તેને ત્રણ દિવસના ટ્રાન્ઝિટ રિમાન્ડ પર શિલોંગ લઈ જઈ રહી છે. પોલીસ સોનમ રઘુવંશીને મોડી રાત્રે ગાઝીપુરથી પટના લાવી હતી જ્યાં હવે તેને ફ્લાઇટ દ્વારા ગુવાહાટી લઈ જવામાં આવશે અને ત્યાંથી તેને શિલોંગ કોર્ટમાં રજૂ કરવામાં આવશે.



  • Jun 10, 2025 08:23 IST

    ગુજરાત સરકારમાં નોકરી મેળવવાની આજે છેલ્લી તક, મહેસૂલ તલાટી સહિત આટલી ભરતીની અરજી પ્રક્રિયા આજે થશે બંધ

    Gujarat government jobs Last date to online apply : તમારી પાસે ગુજરાત સરાકરની નોકરી મેળવવા માટે આજે છેલ્લી તક છે. ગુજરાત સરકારની નોકરી મેળવવા માટે અરજી કરવાનો આજે 10-જૂન 2025 છેલ્લો દિવસ છે. આવતી કાલ એટલે કે 11 જૂન 2025થી તમને આ મોકો મળશે નહીં. ...બધું જ વાંચો



  • Jun 10, 2025 07:26 IST

    Today News Live : ભારતમાં કોરોનાનો નવો પ્રકાર XFG સામે આવ્યો

    ભારતમાં કોરોનાના કેસ સતત ઝડપથી વધી રહ્યા છે, ગયા મહિનાથી વધવા માંડેલા કેસોની સંખ્યા હવે 64101 પર પહોંચી ગઈ છે. ચિંતાની વાત એ છે કે ભારતમાં કોરોનાનો એક નવો પ્રકાર પણ સામે આવ્યો છે, તેનું નામ XFG છે. આ નવો કોવિડ પ્રકાર મનુષ્યોની સૌથી મજબૂત રોગપ્રતિકારક શક્તિને પણ ટાળવામાં સક્ષમ છે. હાલમાં, આ નવા પ્રકારના 163 કેસ નોંધાયા છે, અહીં પણ મહારાષ્ટ્ર સૌથી વધુ અસરગ્રસ્ત રાજ્ય માનવામાં આવે છે.

    દેશમાં વધતા કોરોના કેસોની વાત કરીએ તો, 22 મેના રોજ ફક્ત 257 સક્રિય દર્દીઓ હતા, જ્યારે 10 જૂનના રોજ આ આંકડો વધીને 64101 થઈ ગયો છે. છેલ્લા 24 કલાકની વાત કરીએ તો, દેશમાં 358 નવા કોરોના દર્દીઓ નોંધાયા છે, અહીં પણ 624 લોકો આ ચેપમાંથી સ્વસ્થ પણ થયા છે.



બ્રેકિંગ ન્યૂઝ ગુજરાત વિશ્વ દેશ