/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/06/sonam-Raghuvanshi.jpg)
Raja Raghuvanshi Murder Case: રાજા રઘુવંશી હત્યા કેસ - photo- X ANI
Today Latest News Update in Gujarati 11 June 2025: રાજા રઘુવંશી હત્યાકાંડના પાંચ આરોપીઓને શિલોંગ કોર્ટમાં રજુ કરવામાં આવ્યા હતા. મેઘાલય પોલીસે સોનમ રઘુવંશી, રાજ કુશવાહા સહિત પાંચેય આરોપીઓને કોર્ટમાં રજુ કર્યા હતા. બધા આરોપીઓને કોર્ટે 8 દિવસના પોલીસ રિમાન્ડ પર મોકલી દીધા છે. સૂત્રોના મતે પોલીસે 10 દિવસના રિમાન્ડ માંગ્યા હતા.
રાહુલ ગાંધીએ PM મોદીને પત્ર લખીને SC-ST વિદ્યાર્થીઓ માટે આવી માંગણી કરી
લોકસભાના વિપક્ષી નેતા રાહુલ ગાંધીએ પીએમ નરેન્દ્ર મોદીને પત્ર લખીને રહેણાંક છાત્રાલયોમાં રહેતા SC, ST, EBC, OBC અને લઘુમતી વિદ્યાર્થીઓની ખરાબ સ્થિતિ વિશે વાત કરી છે. આ ઉપરાંત, તેમણે આ સમુદાયોના વિદ્યાર્થીઓને આપવામાં આવતી પોસ્ટ-મેટ્રિક શિષ્યવૃત્તિમાં વિલંબનો મુદ્દો પણ ઉઠાવ્યો છે. રાહુલ ગાંધીએ પોતાના પત્રમાં પીએમ નરેન્દ્ર મોદીને આ બંને 'ગંભીર મુદ્દાઓ' ઉકેલવા કહ્યું છે. રાહુલે દાવો કર્યો છે કે આ બે કારણોસર, હાંસિયામાં ધકેલાઈ ગયેલા સમુદાયોના 90% વિદ્યાર્થીઓ માટે શૈક્ષણિક તકો અવરોધાય છે.
LOx લીક થવાને કારણે શુભાંશુ શુક્લાનું Axiom-4 મિશન ફરી મુલતવી રખાયું
ભારતીય અવકાશયાત્રી શુભાંશુ શુક્લાનું Axiom-4 મિશન ફરી એકવાર મુલતવી રાખવામાં આવ્યું છે. આ મિશન હેઠળ શુક્લાને આંતરરાષ્ટ્રીય અવકાશ મથક (ISS) મોકલવાના હતા. 'સ્ટેટિક ફાયર' પરીક્ષણ પછી બૂસ્ટરની તપાસ દરમિયાન પ્રવાહી ઓક્સિજન (LOx) લીક થયું હોવાનું જાણવા મળ્યું. આ પછી, આ મિશન ફરી એકવાર મુલતવી રાખવામાં આવ્યું છે. સ્પેસએક્સ કંપનીએ આ માહિતી આપી છે.
ભારતીય અવકાશયાત્રી શુભાંશુ શુક્લા આજે બુધવારે ઇતિહાસ રચવા જઈ રહ્યા હતા. શુક્લા અને અન્ય ત્રણ લોકોને Axiom-4 મિશન માટે ભારતીય સમય મુજબ બુધવારે સાંજે 5.30 વાગ્યે આંતરરાષ્ટ્રીય અવકાશ મથક (ISS) માટે લોન્ચ કરવાના હતા. શુભાંશુ શુક્લાનું આ મિશન અગાઉ પણ મુલતવી રાખવામાં આવ્યું છે.
- Jun 11, 2025 23:29 IST
President Aide-de-Camp: ભરૂચની યશસ્વી સોલંકી બની રાષ્ટ્રપતિની પ્રથમ મહિલા ADC
Lieutenant Commander Yashaswi Solankee: યશસ્વી સોલંકી ગુજરાતના ભરૂચની છે. એપ્રિલમાં તેમની પસંદગી થઈ હતી. આ પછી તેમણે એક મહિનાનો ઓરિએન્ટેશન પૂર્ણ કર્યો અને 9 મેના રોજ તેમને રાષ્ટ્રપતિ મુર્મુ તરફથી પ્રતિષ્ઠિત એગ્યુલેટ પ્રાપ્ત થયો. યશસ્વી સોલંકી જિલ્લા સ્તરની બેડમિન્ટન અને વોલીબોલ ખેલાડી રહી ચૂકી છે. ...વધુ વાંચો
- Jun 11, 2025 21:00 IST
Today News Live : સોનમ રઘુવંશીસહિત પાંચેય આરોપીઓ કોર્ટે 8 દિવસના રિમાન્ડ પર મોકલ્યા
રાજા રઘુવંશી હત્યાકાંડના પાંચ આરોપીઓને શિલોંગ કોર્ટમાં રજુ કરવામાં આવ્યા હતા. મેઘાલય પોલીસે સોનમ રઘુવંશી, રાજ કુશવાહા સહિત પાંચેય આરોપીઓને કોર્ટમાં રજુ કર્યા હતા. બધા આરોપીઓને કોર્ટે 8 દિવસના પોલીસ રિમાન્ડ પર મોકલી દીધા છે. સૂત્રોના મતે પોલીસે 10 દિવસના રિમાન્ડ માંગ્યા હતા.
- Jun 11, 2025 18:44 IST
રાજા રઘુવંશી મર્ડર કેસ, સોનમના ભાઇને રાજાની માતાએ પુછ્યું, તમે તેને માર કેમ ના માર્યો? જાણો શું હતો ગોવિંદનો જવાબ
Raja Raghuvanshi Murder Case : રાજા રઘુવંશી હત્યા કેસ, સોનમ રઘુવંશીના ભાઈ ગોવિંદની મુલાકાત રાજા રઘુવંશીની માતા ઉમા રઘુવંશી સાથે થઈ છે. ઉમા રઘુવંશીએ પોતે આ મુલાકાત વિશે માહિતી આપી હતી. ઉમા રઘુવંશીએ કહ્યું કે ગોવિંદે કહ્યું છે કે સોનમને ફાંસી આપવી જોઈએ. ...સંપૂર્ણ માહિતી
- Jun 11, 2025 15:23 IST
Elon Musk Apology: ડોનાલ્ડ ટ્રમ્પ સાથેનો વિવાદ ખતમ! એલોન મસ્ક એ પોસ્ટ બદલ માફી માંગી
Elon musk apology to Donald trump: ડોનાલ્ડ ટ્રમ્પ અને એલોન મસ્ક વચ્ચેનો વિવાદ ખતમ થવા તરફ છે. એલોન મસ્કે ડોનાલ્ડ ટ્રમ્પ વિશેની પોસ્ટ બદલ જાહેરમાં માફી માંગી છે. મસ્ક અફસોસ વ્યક્ત કરતાં લખે છે કે, તેઓ ખૂબ આગળ વધી ગયા હતા. ...વધુ વાંચો
- Jun 11, 2025 13:39 IST
Bihar Politics: ભાજપની મુશ્કેલીઓ વધી!સાથી દળોએ શરૂ કરી દબાણ વધારવાની રણનીતિ, સમજો આખી 'રમત'
Bihar Politics Assembly election : બિહાર વિધાનસભા ચૂંટણીની તૈયારી કરી રહેલા NDAના ઘટક પક્ષો હવે દબાણની રણનીતિ અપનાવી રહ્યા છે. રાજ્યમાં મહત્તમ બેઠકો મેળવવા માટે શક્તિ પ્રદર્શનનું રાજકારણ શરૂ થઈ ગયું છે. ...વધુ માહિતી
- Jun 11, 2025 12:40 IST
ભારતીય વૈજ્ઞાનિક શુભાંશુ શુકલાને સ્પેસ સ્ટેશન પર લઇ જનાર મિશન એક્સિઓમ 4 ફરી વિલંબમાં
Axiom-4 mission delay news: એક્સિઓમ-4 મિશન લોન્ચિંગ ફરી મોકૂફ રહ્યું છે. સ્પેસ એક્સ (Spacex) રોકેટમાં ટેકનિકલ ખામી સર્જાતાં ભારતના શુભાંશુ શુકલા (Shubhanshu Shukla) ને અવકાશમાં લઇ જનાર એક્સિઓમ-4 મિશનમાં ચોથી વખત વિલંબ થયો છે. અગાઉ, પ્રતિકૂળ હવામાન પરિસ્થિતિઓને કારણે તેને 11 જૂન સુધી મુલતવી રાખવામાં આવ્યું હતું. ...અહીં વાંચો
- Jun 11, 2025 12:03 IST
Today News Live : રાહુલ ગાંધીએ પીએમ મોદીને પત્ર લખીને SC-ST વિદ્યાર્થીઓ માટે આ માંગણી કરી
લોકસભાના વિપક્ષી નેતા રાહુલ ગાંધીએ પીએમ નરેન્દ્ર મોદીને પત્ર લખીને રહેણાંક છાત્રાલયોમાં રહેતા SC, ST, EBC, OBC અને લઘુમતી વિદ્યાર્થીઓની ખરાબ સ્થિતિ વિશે વાત કરી છે. આ ઉપરાંત, તેમણે આ સમુદાયોના વિદ્યાર્થીઓને આપવામાં આવતી પોસ્ટ-મેટ્રિક શિષ્યવૃત્તિમાં વિલંબનો મુદ્દો પણ ઉઠાવ્યો છે. રાહુલ ગાંધીએ પોતાના પત્રમાં પીએમ નરેન્દ્ર મોદીને આ બંને 'ગંભીર મુદ્દાઓ' ઉકેલવા કહ્યું છે. રાહુલે દાવો કર્યો છે કે આ બે કારણોસર, હાંસિયામાં ધકેલાઈ ગયેલા સમુદાયોના 90% વિદ્યાર્થીઓ માટે શૈક્ષણિક તકો અવરોધાય છે.
- Jun 11, 2025 11:52 IST
Inverter AC: એસીમાં "ઇન્વર્ટર" શું છે? 90% લોકો આ સત્ય જાણતા નથી!
Inverter AC: ઘણા લોકો માને છે કે ઇન્વર્ટર એસી એટલે બેકઅપ પાવર! પરંતુ સત્ય બિલકુલ અલગ છે. ઇન્વર્ટર એસી કેવી રીતે કામ કરે છે, તે વીજળી કેમ બચાવે છે અને તેના 4 મુખ્ય ફાયદાઓ જાણો. ...અહીં વાંચો
- Jun 11, 2025 10:36 IST
Raja Raghuwanshi Murder Case: હનીમૂન મર્ડર મિસ્ટ્રી સોલ્વ, સોનમ સામે જ રાજાની હત્યા, આરોપીએ કબૂલ્યો ગુનો, સમગ્ર કેસ શું છે?
Raja Raghuwanshi Murder Case Update: મેઘાલય હનીમૂન હત્યાનો રહસ્ય ઉકેલાયો છે. ચારેય આરોપીઓએ સ્વીકાર્યું છે કે તેમણે રાજા રઘુવંશીની હત્યા કરી હતી અને બાદમાં તેનો મૃતદેહ ઊંડી ખાડામાં ફેંકી દીધો હતો. ...સંપૂર્ણ માહિતી
- Jun 11, 2025 09:09 IST
Today's Gujarat Weather: ગુજરાતમાં ગરમી વધીને 41 ડિગ્રી પહોંચી, ક્યારે પડશે વરસાદ? IMDએ શું કરી આગાહી?
Gujarat Today Weather Forecast Update: વરસાદની આગાહી વચ્ચે રાજ્યમાં ગરમીનો પારો ઉચકાઈ રહ્યો છે. રાજ્યમાં ફરીથી મહત્તમ તાપમાન 41 ડિગ્રી ઉપર પહોંચી ગયું છે. ...સંપૂર્ણ વાંચો
- Jun 11, 2025 09:09 IST
Today News Live : અમદાવાદમાં આજે ભગવાન જગન્નાથની જળયાત્રા
આજે જેઠ સુદ પૂનમના દિવસે અમદાવાદમાં ભગવાન જગન્નાથની જળયાત્રા નીકળશે. 108 કળશથી ભગવાનનો ભવ્ય જળાભિષેક થશે. જેમાં ગૃહમંત્રી અને મેયર ઉપસ્થિત રહેશે.
- Jun 11, 2025 08:41 IST
GSSSB ભરતી 2025 : ITI પાસ ઉમેદવારો માટે સરકારી નોકરી મેળવવાની જોરદાર તક, વાંચો બધી જ માહિતી
GSSSB Recruitment 2025, GSSSB ભરતી 2025, Ojas bharti 2025 : ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી અંતર્ગત વાયરમેન વર્ગ-3 પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ સહિતની મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ સમાચાર છેલ્લે સુધી વાંચવા. ...સંપૂર્ણ વાંચો
- Jun 11, 2025 08:17 IST
Today News Live : શુભાંશુ શુક્લાનું Axiom-4 મિશન ફરી મુલતવી રખાયું
ભારતીય અવકાશયાત્રી શુભાંશુ શુક્લાનું Axiom-4 મિશન ફરી એકવાર મુલતવી રાખવામાં આવ્યું છે. આ મિશન હેઠળ શુક્લાને આંતરરાષ્ટ્રીય અવકાશ મથક (ISS) મોકલવાના હતા. 'સ્ટેટિક ફાયર' પરીક્ષણ પછી બૂસ્ટરની તપાસ દરમિયાન પ્રવાહી ઓક્સિજન (LOx) લીક થયું હોવાનું જાણવા મળ્યું. આ પછી, આ મિશન ફરી એકવાર મુલતવી રાખવામાં આવ્યું છે. સ્પેસએક્સ કંપનીએ આ માહિતી આપી છે.
ભારતીય અવકાશયાત્રી શુભાંશુ શુક્લા આજે બુધવારે ઇતિહાસ રચવા જઈ રહ્યા હતા. શુક્લા અને અન્ય ત્રણ લોકોને Axiom-4 મિશન માટે ભારતીય સમય મુજબ બુધવારે સાંજે 5.30 વાગ્યે આંતરરાષ્ટ્રીય અવકાશ મથક (ISS) માટે લોન્ચ કરવાના હતા. શુભાંશુ શુક્લાનું આ મિશન અગાઉ પણ મુલતવી રાખવામાં આવ્યું છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us