Today Latest News Update in Gujarati 12 July 2025: સીજેઆઈ બી.આર.ગવઈએ શનિવારે કહ્યું હતું કે ભારતીય ન્યાયિક પ્રણાલીમાં સુધારાની સખત જરૂર છે. ગવઈએ કહ્યું કે તેમાં અનોખા પડકારોનો સામનો કરવો પડે છે. તેમાં ઘણી વખત દાયકાઓ સુધી ચાલતા કેસ પણ સામેલ છે. ભારતના મુખ્ય ન્યાયાધીશ બી.આર. ગવઈએ હૈદરાબાદની નાલસાર વિધિ યુનિવર્સિટીના દિક્ષાંત સમારંભમાં વિદ્યાર્થીઓને સંબોધન કરતી વખતે ન્યાયતંત્રની સ્થિતિ પર ચિંતા વ્યક્ત કરી હતી. ચીફ જસ્ટિસે જણાવ્યું હતું કે જ્યારે હું એવા નિષ્કર્ષ પર પહોંચ્યો છું કે આપણી ન્યાય પ્રણાલીમાં સુધારાની સખત જરૂર છે, છતા હું આશાવાદી છું કે મારા સાથી નાગરિકોને પડકારોનો સામનો કરવો પડશે.





