Today News Update in Gujarati: પુનામાં ઈન્દ્રાયણી નદીનો પુલ ધરાશાયી, 10 થી 15 પ્રવાસીઓ ફસાયા

Today Latest News Update in Gujarati 15 June 2025: મહારાષ્ટ્રના પુનામાં ઇન્દ્રાયણી નદી પરનો પુલ ધરાશાયી થતા 10 થી 15 પ્રવાસીઓ ફસાયા છે.

Written by Ajay Saroya
Updated : June 16, 2025 08:28 IST
Today News Update in Gujarati: પુનામાં ઈન્દ્રાયણી નદીનો પુલ ધરાશાયી, 10 થી 15 પ્રવાસીઓ ફસાયા
Pune Indrayani River Bridge Collapses: મહારાષ્ટ્રના પુનામાં ઇન્દ્રાયણી નદી પરનો પુલ ધરાશાયી થતા 10 થી 15 પ્રવાસીઓ ફસાયા છે. (Photo: Social Media)

Today Latest News Update in Gujarati 15 June 2025: અમદાવાદ પ્લેન ક્રેશ દૂર્ઘટના બાદ મૃતકોના મૃતદેહોનો DNA ટેસ્ટ કર્યા બાદ પરિવારજનોને સોંપવાની કામગીરી ચાલી રહી છે. અત્યાર સુધી 31 મૃતદેહોના ડીએનએ સેમ્પલ મેચ થયા છે, જેમાથી 15 ડેથબોડી પરિવારજનોને સોંપવામાં આવી છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલ થી મૃતરોના મૃતદેહો તેમના ઘર સુધી પોલી એસ્કોર્ટ સાથે પહોંચાડાશે. તમને જણાવી દઇયેક્, 12 જૂન, 2025 ગુરુવારના રોજ બપોરે 1.40 વાગે અમદાવાદથી લંડન જતી એર ઈન્ડિયાની ફ્લાઇટ આઈજીપી કમાઉન્ડમાં મેડિકલ હોસ્ટેલ ઉપર ક્રેશ થઇ ગઇ છે. આ વિમાન દૂર્ઘટનામાં 241 પેસેન્જરના કરૂણ મોત થયા છે.

ગુજરાતમાં LRD ભરતી માટે 2.47 લાખ ઉમેરવારો લેખિત પરીક્ષા આપશે

સમગ્ર ગુજરાત રાજ્યમાં આજે લોકરક્ષક દળ (LRD) ભરતી માટે લેખિત પરીક્ષા યોજાવાની છે. રાજ્યમાં અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ સહિત વિવિધ જીલ્લાઓમાં 825 કેન્દ્રો પર 2.47 લાખથી વધુ ઉમેદારો લેખિત પરીક્ષા આપશે. આ પરીક્ષા સવારે 9.30 થી 12.30 વચ્ચે યોજવાની છે. પરીક્ષા કેન્દ્રો પર ગેરરીતિ રોકવા માટે સીસીટીવી, 8000થી વધુ પોલીસ અધિકારી અને શિક્ષણ વિભાગના 18000થી વધુ અધિકારીઓને જવાબદારી સોંપવામાં આવી છે.

કેદારનાથ જતું હેલિકોપ્ટર ક્રેશ, 6 પેસેન્જર હતા

કેદારનાથમાં એક હેલિકોપ્ટર ક્રેશ થયું છે, તેમા 6 પેસેન્જર હતા. આજે દહેરાદૂન થી કેદારનાથ જઇ રહેલું હેલિકોપ્ટર ગૌરીકુંડ અને ત્રિજુગીનારાયણ વચ્ચે સંપર્ક વિહોણું થઇ ગયું હતું. આ ઘટનાની વધુ માહિતીની રાહ જોવાઇ રહી છે.

Live Updates

પુણેમાં ઈન્દ્રાયણી નદીનો પુલ તૂટી પડ્યો, અત્યાર સુધીમાં 5 લોકોના મોત; ઘણા પ્રવાસીઓ તણાયા

Pune Bridge On Indrayani River Collapsed: પુણેમાં ઈન્દ્રાયણી નદી પરનો પુલ તૂટી પડવાથી 10 થી 15 પ્રવાસીઓ તણાઈ ગયા છે, કેટલાકને બચાવી લેવામાં આવ્યા છે. હાલમાં પાંચ લોકોના મોતની પુષ્ટિ પણ થઈ છે. અકસ્માતનો એક વીડિયો પણ સામે આવ્યો છે. …સંપૂર્ણ માહિતી

પુનામાં ઈન્દ્રાયણી નદીનો પુલ ધરાશાયી, 10 થી 15 પ્રવાસીઓ ફસાયા

મહારાષ્ટ્રના પુનામાં પિંપરી ચિંચવડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા કુંદામાલા ગામ પાસે ઇન્દ્રાયણી નદી પર બનેલો પુલ પાણીમાં તણાઇ ગયો છે. નદી પરનો પુલ તણાતા 10 થી 15 પ્રવાસીઓ ફસાયા હોવાની આશંકા છે. 5 થી 6 લોકોને રેસ્ક્યૂ કરવામાં આવ્યા છે.

કેદારનાથ જવાના માર્ગ પર ભૂસ્ખલન, સોનપ્રયાગથી યાત્રા સ્થગિત

કેદારનાથ યાત્રા માર્ગ પર ભૂસ્ખલન થયું છે. કેદારનાથ ધામ જવાના જંગલચટ્ટી નજીક ગધેરેમાં માટી અને પથ્થરો પડવાથી કેદારનાથ જવાના માર્ગને નુકસાન પહોંચ્યું છે. સોનપ્રયાગ થી કેદારનાથ ધામ જતા માર્ગને આગામી આદેશ સુધી સ્થગિત કરવામાં આવ્યું છે. પગપાળા ચાલીને યાત્રા કરનાર પ્રવાસીઓની સુરક્ષા માટે પગલાં લેવામાં આવી રહ્યા છે.

Vijay Rupani: ગુજરાતના પૂર્વ CM વિજય રૂપાણીનો DNA મેચ થયો, પરિવારને સોંપાયો મૃતદેહ

ex-Gujarat CM Vijay Rupani DNA: રવિવારે ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના ડીએનએ મેચ કરવામાં આવ્યા છે. આ પછી તેમનો મૃતદેહ પરિવારને સોંપવામાં આવ્યો હતો. …બધું જ વાંચો

પૂર્વ CM વિજય રૂપાણીના DNA મેચ, સોમવારે રાજકોટમાં રાજકીય સમ્માન સાથે અંતિમ સંસ્કાર

અમદાવાદ પ્લેન ક્રેશ દૂર્ઘટનામાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું નિધન થયું છે. આ દૂર્ઘટનામાં મૃતકોના ડીએનએ ટેસ્ટ કરી મૃતદેહો સોંપવામાં આવી રહ્યા છે. વિજય રૂપાણીના ડીએનએ સેમ્પલ મેચ થઇ ગયા છે. હવે તેમનો મૃતદેહ આજ સાંજ સુધીમાં રાજકોટ લઇ જવામાં આવશે. પ્રાથમિક માહિતી મુજબ, સોમવારે રાજકોટમાં રાજકીય સમ્માન સાથે વિજય ભાઇ રૂપાણીના અંતિમ સંસ્કાર થશે. ત્યાર પછી મંગળવારે રાજકોટ અને બુધવારે ગાંધીનગરમાં શોકસભા રાખવામાં આવી શકે છે.

યુકે નેવીના F-35 ફાઇટર જેટનું તિરુવંતપુરમમાં ઇમરજન્સી લેન્ડિંગ

યુકે નેવીના એક F-35 ફાઇટર જેટનું તિરુવંતપુરમમાં ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું છે. F-35 ફાઇટર જેટમાં ઇંધણ ઓછું હોવાનું કારણે તિરુવંતપુરમ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું છે. ફાઇટર જેટ હાલ ત્યાં જ છે. વધુ માહિતીની રાહ જોવાઇ રહી છે.

કેદારનાથ જતું હેલિકોપ્ટર ક્રેશ, 6 પેસેન્જર હતા

કેદારનાથમાં એક હેલિકોપ્ટર ક્રેશ થયું છે, તેમા 6 પેસેન્જર હતા. આજે દહેરાદૂન થી કેદારનાથ જઇ રહેલું હેલિકોપ્ટર ગૌરીકુંડ અને ત્રિજુગીનારાયણ વચ્ચે સંપર્ક વિહોણું થઇ ગયું હતું. આ ઘટનાની વધુ માહિતીની રાહ જોવાઇ રહી છે.

ગુજરાતમાં LRD ભરતી માટે 2.47 લાખ ઉમેરવારો લેખિત પરીક્ષા આપશે

સમગ્ર ગુજરાત રાજ્યમાં આજે લોકરક્ષક દળ (LRD) ભરતી માટે લેખિત પરીક્ષા યોજાવાની છે. રાજ્યમાં અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ સહિત વિવિધ જીલ્લાઓમાં 825 કેન્દ્રો પર 2.47 લાખથી વધુ ઉમેદારો લેખિત પરીક્ષા આપશે. આ પરીક્ષા સવારે 9.30 થી 12.30 વચ્ચે યોજવાની છે. પરીક્ષા કેન્દ્રો પર ગેરરીતિ રોકવા માટે સીસીટીવી, 8000થી વધુ પોલીસ અધિકારી અને શિક્ષણ વિભાગના 18000થી વધુ અધિકારીઓને જવાબદારી સોંપવામાં આવી છે.

અમદાવાદ પ્લેન ક્રેશ દૂર્ઘટનામાં 19 મૃતકોના DNA મેચ થયા

અમદાવાદ પ્લેન ક્રેશ દૂર્ઘટના બાદ મૃતકોના મૃતદેહોનો DNA ટેસ્ટ કર્યા બાદ પરિવારજનોને સોંપવાની કામગીરી ચાલી રહી છે. અત્યાર સુધી 19 મૃતદેહોના ડીએનએ સેમ્પલ મેચ થયા છે, જેમાથી 11 ડેથબોર્ડ પરિવારજનોને સોંપવામાં આવી છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલ થી મૃતરોના મૃતદેહો તેમના ઘર સુધી પોલી એસ્કોર્ટ સાથે પહોંચાડાશે. તમને જણાવી દઇયેક્, 12 જૂન, 2025 ગુરુવારના રોજ બપોરે 1.40 વાગે અમદાવાદથી લંડન જતી એર ઈન્ડિયાની ફ્લાઇટ આઈજીપી કમાઉન્ડમાં મેડિકલ હોસ્ટેલ ઉપર ક્રેશ થઇ ગઇ છે. આ વિમાન દૂર્ઘટનામાં 241 પેસેન્જરના કરૂણ મોત થયા છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ