Today Latest News Update in Gujarati 15 September 2025: લોકસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ સોમવારે પંજાબના અમૃતસર અને ગુરદાસપુર જિલ્લાના પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી. આ દરમિયાન તેમણે કુદરતી આફતથી અસરગ્રસ્ત લોકો સાથે વાતચીત કરી હતી. અમૃતસર પહોંચ્યા બાદ રાહુલ ગાંધી અમૃતસરના અજનાલાના ઘોનેવાલ ગામ ગયા હતા અને પૂરગ્રસ્ત લોકોને મળ્યા હતા અને નુકસાનનો તાગ મેળવ્યો હતો.





