/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/09/Indore-accident.jpg)
ઈન્દોરમાં ટ્રક અકસ્માત - photo- Social media
Today Latest News Update in Gujarati 16 September 2025: મધ્યપ્રદેશના ઇન્દોરમાં એરપોર્ટ રોડ પર સ્થિત શિક્ષક નગરમાં સોમવારે સાંજે એક ભયાનક અકસ્માત થયો. અંકિત હોટલ અને ગીતાંજલિ હોસ્પિટલ વચ્ચે એક ઝડપી ટ્રકે 16 લોકોને કચડી નાખ્યા. આ અકસ્માતમાં બે લોકોના મોત થયા છે, જ્યારે ઘણા લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. મૃત્યુઆંક વધવાની આશંકા છે.
પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, અકસ્માત દરમિયાન એક બાઇક ટ્રક નીચે ફસાઈ ગઈ હતી. ટ્રક બાઇકને લાંબા અંતર સુધી ખેંચી ગયો હતો, જેના કારણે બાઇકમાં આગ લાગી ગઈ હતી અને થોડી જ વારમાં ટ્રકમાં પણ આગ લાગી ગઈ હતી.
- Sep 16, 2025 23:35 IST
Oppo F31 Pro+ 5G સ્માર્ટફોન લોન્ચ, તેમાં છે 7000mAh મોટી બેટરી અને 50MP કેમેરા, જાણા કિંમત
Oppo F31, F31 Pro અને Pro+ 5G ભારતમાં લોન્ચ : Oppo F31 series ભારતમાં લોન્ચ કરવામાં આવી છે. ચાઇનીઝ સ્માર્ટફોન કંપનીએ આ સિરીઝમાં ત્રણ નવા સ્માર્ટફોન Oppo F31 5G, Oppo F31 Pro 5G અને Oppo F31 Pro+ 5G રજૂ કર્યા છે ...વધુ માહિતી
- Sep 16, 2025 20:57 IST
પાકિસ્તાનના વિદેશ મંત્રી ઇશાક ડારે કહ્યું - ભારતે ફગાવી દીધી હતી અમેરિકાની મધ્યસ્થતાની વાત
India-Pakistan Conflict : પાકિસ્તાનના વિદેશ મંત્રી ઇશાક ડારે કહ્યું કે ભારતે ક્યારેય પાકિસ્તાન સાથે કોઈ ત્રીજા પક્ષની મધ્યસ્થી સ્વીકારી નથી. ઓપરેશન સિંદૂર દરમિયાન સીઝફાયરનો પ્રસ્તાવ અમેરિકા દ્વારા આવ્યો હતો પરંતુ ભારત સંમત થયું ન હતું.
...વધુ વાંચો - Sep 16, 2025 19:26 IST
Gujarat Rain : રાજ્યમાં સિઝનનો 108.34 ટકા વરસાદ, મંગળવારે 15 તાલુકામાં મેઘમહેર
Gujarat Rain : રાજ્યમાં16 સપ્ટેમ્બર 2025 સુધીમાં સિઝનનો કુલ 108.34 ટકા વરસાદ નોંધાયો છે. જેમાં કચ્છમાં 135.95 ટકા, ઉત્તર ગુજરાતમાં 118.72 ટકા, પૂર્વ મધ્ય ગુજરાતમાં 110.21 ટકા, સૌરાષ્ટ્રમાં 93.92 ટકા અને દક્ષિણ ગુજરાતમાં 112.02 ટકા વરસાદ વરસ્યો છે ...અહીં વાંચો
- Sep 16, 2025 17:54 IST
રાત્રે ખાધા પછી બેઠા-બેઠા કરો આ 3 યોગાસન, ભોજન પચી જશે અને પેટ પણ ફૂલશે નહીં
Health News Gujarati : આયુર્વેદિક નિષ્ણાત અને યોગ ગુરુએ જણાવ્યું હતું કે જમ્યા પછી 3 યોગ આસન કરવાથી તમારી પાચનતંત્ર સ્વસ્થ રહે છે. ચાલો જાણીએ કે પાચનને સ્વસ્થ રાખવા માટે ખાધા પછી કયા યોગ આસન કરવામાં આવે છે ...વધુ માહિતી
- Sep 16, 2025 17:28 IST
એપોલો ટાયર્સ ટીમ ઇન્ડિયાનું નવું જર્સી સ્પોન્સર, BCCI ને એક મેચના 4.5 કરોડ રુપિયા ચૂકવશે
Apollo Tyres : એપોલો ટાયર્સ હવે સત્તાવાર રીતે ભારતીય ક્રિકેટ ટીમનું નવું જર્સી સ્પોન્સર બની ગયું છે. એટલે કે હવે ટીમ ઇન્ડિયાની જર્સી પર એપોલો ટાયર્સનો લોગો જોવા મળશે. BCCI અને એપોલો ટાયર્સ વચ્ચેનો આ નવો કરાર 2027 સુધી ચાલશે ...વધુ માહિતી
- Sep 16, 2025 15:18 IST
ક્રિકેટર યુવરાજ સિંહ અને રોબિન ઉથપ્પાને ઇડીએ સમન્સ પાઠવ્યું, જાણો શું છે કેસ
ED Summons : એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી)એ કથિત ગેરકાયદેસર ઓનલાઇન સટ્ટાબાજી એપ સાથે જોડાયેલા મની લોન્ડરિંગ કેસમાં પૂર્વ ભારતીય ક્રિકેટરો યુવરાજ સિંહ, રોબિન ઉથપ્પા અને અભિનેતા સોનુ સૂદને પૂછપરછ માટે સમન્સ પાઠવ્યું છે ...સંપૂર્ણ માહિતી
- Sep 16, 2025 14:35 IST
CBSE Board New Rules : CBSE ધો.10-12 બોર્ડના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર, 7-પોઇન્ટ નોટિસ જાહેર
CBSE brings 2 year rule, 7-point notice issued : CBSE બોર્ડે સ્પષ્ટપણે લખ્યું છે કે CBSE બોર્ડમાંથી અભ્યાસ કરતા કોઈપણ વિદ્યાર્થીને ધોરણ 10, 12 CBSE બોર્ડ પરીક્ષામાં ફક્ત ત્યારે જ બેસવાની મંજૂરી આપવામાં આવશે જો તેઓ આ બધી શરતો અને નિયમો પૂર્ણ કરે. ...બધું જ વાંચો
- Sep 16, 2025 12:36 IST
Nadiad Bharti 2025 : નડિઆદમાં પરીક્ષા વગર ₹40,000 સુધીની નોકરી મેળવવાની જોરદાર તક, અહીં વાંચો બધું જ
Nadiad Municipal Corporation Recruitment For Various Posts: નડિઆદ મહાનગરપાલિકા ભરતી અંતર્ગત વિવિધ પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, નોકરીનો પ્રકાર, વોક ઈન ઈન્ટરવ્યુ તારીખ સહિતની માહિતી અહીં આપેલી છે. ...બધું જ વાંચો
- Sep 16, 2025 11:52 IST
PM મોદીના જન્મદિવસ નિમિત્તે રાજ્યમાં મેગા બ્લડ ડોનેશન ડ્રાઈવ, 1.27 લાખથી વધુ રજીસ્ટ્રેશન
Mega blood donation drive in the Gujarat state : વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી ના જન્મદિવસના ઉપલક્ષ્યમાં આજે રાજ્યના તમામ કર્મચારી મહામંડળ દ્વારા જુના સચિવાલય ખાતે આયોજીત નમો કે નામ રક્તદાન મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે શુભારંભ કરાવ્યો હતો. ...વધુ માહિતી
- Sep 16, 2025 10:29 IST
Dehradun Cloudburst: દેહરાદૂનના સહસ્ત્રધારમાં વાદળ ફાટવાથી બે લોકો ગુમ, અનેક ઘરો અને હોટલોને નુકસાન
Dehradun Uttarakhand Cloudburst News in Guajarati: દેહરાદૂનના એક મુખ્ય બજારમાં વાદળ ફાટ્યા બાદ ઘણો કાટમાળ નીચે ઉતરી ગયો હતો, જેના કારણે ઘણી હોટલોને ભારે નુકસાન થયું હતું અને બે થી ત્રણ લોકો ગુમ થયા હતા. ...વધુ વાંચો
- Sep 16, 2025 08:43 IST
ITR Due Date Extended: મોટી રાહત! ITR ફાઈલ કરવાની તારીખ લંબાવાઈ, જાણો ક્યાં સુધી ભરી શકાશે રિટર્ન?
ITR Due Date Extended : સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સ (CBDT) એ સોમવારે આવકવેરા રિટર્ન (ITR) ફાઇલ કરવાની અંતિમ તારીખ એક દિવસ વધારીને 16 સપ્ટેમ્બર કરી દીધી છે, એટલે કે હવે કરદાતાઓ 16 સપ્ટેમ્બર સુધી તેમના રિટર્ન ફાઇલ કરી શકે છે. ...બધું જ વાંચો
- Sep 16, 2025 08:22 IST
Gujarat Rain : ગુજરાતમાં 24 કલાકમાં 21 તાલુકામાં વરસાદ, નવસારીના ચિખલીમાં સૌથી વધુ ત્રણ ઈંચ વરસાદ
Gujarat Rain Weather Forecast Update Today in Gujarati: છેલ્લા 24 કલાકમાં વરસાદના આંકડાની વાત કરીએ તો ગુજરાતમાં 24 કલાકમાં 21 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે વરસાદ નવસારીના ચિખલીમાં 2.95 ઈંચ વરસાદ નોંધાયો હતો. ...વધુ વાંચો
- Sep 16, 2025 08:13 IST
Today News Live: દહેરાદૂનના સહસ્ત્રધારમાં વાદળ ફાટવાથી બે લોકો ગુમ થયા
દહેરાદૂનના સહસ્ત્રધારમાં વાદળ ફાટવાથી ભારે વિનાશ થયો છે. અત્યાર સુધીમાં બે લોકો ગુમ થયાના અહેવાલ છે અને ઘણા ઘરો અને હોટલોને નુકસાન થયું છે. ઉત્તરાખંડમાં હવામાન ખરાબ હોવાથી લોકોનું જીવન ખૂબ જ મુશ્કેલ બન્યું છે, આગામી દિવસોમાં પણ વરસાદ પડવાની શક્યતા છે.
સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, દહેરાદૂનના એક મુખ્ય બજારમાં વાદળ ફાટ્યા બાદ ઘણો કાટમાળ નીચે ઉતરી ગયો હતો, જેના કારણે ઘણી હોટલોને ભારે નુકસાન થયું હતું અને બે થી ત્રણ લોકો ગુમ થયા હતા. એક બજારમાં સાત થી આઠ દુકાનો સંપૂર્ણપણે નાશ પામી છે. આ વાદળ ફાટવાથી લગભગ 100 લોકો પણ ફસાયા હતા, જેમને સ્થાનિક લોકોએ ઘણી મહેનત બાદ સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા.
- Sep 16, 2025 07:59 IST
Today News Live: ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 21 તાલુકામાં વરસાદ નોંધાયો
ગુજરાત સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવેલા વરસાદના આંકડા પ્રમાણે 15 સપ્ટેમ્બર 2025, સવારે 6 વાગ્યાથી લઈને 16 સપ્ટેમ્બર 2025 સવારે 6 વાગ્યા સુધીમાં 24 કલાકના સમયગાળા દરમિયાન રાજ્યના 21 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. માં સૌથી વધારે વરસાદ નવસારીના ચિખલીમાં 2.95 ઈંચ વરસાદ નોંધાયો હતો.
- Sep 16, 2025 07:30 IST
Today News Live: મધ્ય પ્રદેશના ઇન્દોરના એરપોર્ટ રોડ પર મોટો અકસ્માત
મધ્યપ્રદેશના ઇન્દોરમાં એરપોર્ટ રોડ પર સ્થિત શિક્ષક નગરમાં સોમવારે સાંજે એક ભયાનક અકસ્માત થયો. અંકિત હોટલ અને ગીતાંજલિ હોસ્પિટલ વચ્ચે એક ઝડપી ટ્રકે 16 લોકોને કચડી નાખ્યા. આ અકસ્માતમાં બે લોકોના મોત થયા છે, જ્યારે ઘણા લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. મૃત્યુઆંક વધવાની આશંકા છે.
પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, અકસ્માત દરમિયાન એક બાઇક ટ્રક નીચે ફસાઈ ગઈ હતી. ટ્રક બાઇકને લાંબા અંતર સુધી ખેંચી ગયો હતો, જેના કારણે બાઇકમાં આગ લાગી ગઈ હતી અને થોડી જ વારમાં ટ્રકમાં પણ આગ લાગી ગઈ હતી.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us