/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/06/Israel-iran-conflict.jpg)
ઇઝરાયલ હુમલો (તસવીર - સોશિયલ મીડિયા)
Today Latest News Update in Gujarati 17 June 2025: ઇઝરાયેલ અને ઈરાન વચ્ચે વધી રહેલા તણાવ વચ્ચે ભારતીય વિદેશ મંત્રાલયે માહિતી આપી છે કે તેહરાનમાં રહેતા ભારતીય વિદ્યાર્થીઓને શહેરમાંથી બહાર કાઢવામાં આવ્યા છે. વિદેશ મંત્રાલયે એક નિવેદન બહાર પાડીને કહ્યું કે તેહરાનમાં હાજર ભારતીય વિદ્યાર્થીઓને સુરક્ષા કારણોસર શહેરની બહાર મોકલી દેવામાં આવ્યા છે, જેની વ્યવસ્થા ભારતીય દૂતાવાસે કરી હતી. મંત્રાલયે કહ્યું કે અન્ય ભારતીય રહેવાસીઓ, જેઓ પોતાની મુસાફરીની વ્યવસ્થા જાતે કરી શકે છે, તેમને પણ વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને શહેર છોડી દેવાની સલાહ આપવામાં આવી છે. આ ઉપરાંત કેટલાક ભારતીયોને આર્મેનિયાની સરહદ દ્વારા બહાર કાઢવામાં મદદ કરવામાં આવી છે. દૂતાવાસ ભારતીય નાગરિકો સાથે સતત સંપર્કમાં છે.
G7 સમિટમાં ઇઝરાયલ અને ઈરાન વચ્ચે વધતા તણાવને ઘટાડવાના પ્રયાસો
સોમવારે કેનેડામાં શરૂ થયેલી G7 સમિટમાં વૈશ્વિક નેતાઓએ ઇઝરાયલ અને ઈરાન વચ્ચે વધતા તણાવને ઘટાડવાનો પ્રયાસ કર્યો. યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે બંને દેશોને તાત્કાલિક વાતચીત શરૂ કરવાની અપીલ કરી. તેમણે પત્રકારોને કહ્યું, "તેઓએ વાત કરવી જોઈએ અને તે તાત્કાલિક કરવી જોઈએ." બ્રિટિશ વડા પ્રધાન કીર સ્ટાર્મરે કહ્યું કે બધા G7 દેશો માને છે કે આ સંઘર્ષને વધતો અટકાવવો મહત્વપૂર્ણ છે, કારણ કે તે ગાઝાની પરિસ્થિતિ અને વૈશ્વિક અર્થતંત્રને અસર કરી શકે છે.
અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટના કેસઃ 163ના DNA મેચ થયા
12 જૂન 2025ના રોજ થયેલી અમદાવાદમાં પ્લેન ક્રેશની દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોમાંથી 163 મૃતકોના DNA મેચ થયા છે. જ્યારે અત્યાર સુધી 124 લોકોના મૃતદેહ તેમના પરિવારજનોને સોંપવામાં આવ્યા છે.
- Jun 17, 2025 23:21 IST
જસપ્રીત બુમરાહે આખરે મૌન તોડ્યું, આ કારણે ટીમ ઇન્ડિયાનો કેપ્ટન બનવાથી કર્યો ઇન્કાર
Jasprit Bumrah : ભારતના ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહે આખરે પોતાનું મૌન તોડ્યું છે કે તેણે ભારતના આગામી ટેસ્ટ કેપ્ટન બનવાની તક કેમ નકારી કાઢી હતી ...બધું જ વાંચો
- Jun 17, 2025 21:44 IST
અમદાવાદ વિમાન દુર્ઘટના: 163 મૃતકોના DNA સેમ્પલ મેચ થયા, 124 મૃતદેહ પરિવારજનોને સોંપાયા
Ahmedabad Plan Crash: અમદાવાદ વિમાન દુર્ઘટનામાં 163 મૃતકોનાં DNA સેમ્પલ મેચ થયા છે. અત્યાર સુધીમાં કુલ 124 પાર્થિવ દેહ પરિવારજનોને સોંપાવામાં આવ્યા હોવાનું સિવિલ હોસ્પિટલ સુપ્રિન્ટેન્ડેન્ટ ડૉ. રાકેશ જોશીએ મીડિયા બ્રીફિંગમાં જણાવ્યું હતું. ...વધુ માહિતી
- Jun 17, 2025 19:59 IST
વરસાદમાં AC કયા ટેમ્પરેચર પર ચલાવવું જોઈએ? જાણો કયા મોડ પર મળશે સૌથી વધારે ઠંડક
AC Temperature in Monsoon : જો તમે વરસાદની સિઝનમાં એસીનો ઉપયોગ કરી રહ્યા છો, તો યોગ્ય ઠંડક માટે કેટલીક બાબતો જાણવી ખૂબ જ જરૂરી છે. તમારે જાણવું જોઈએ કે ચોમાસામાં એર કંડિશનર કયા મોડ પર ચલાવવું જોઈએ ...અહીં વાંચો
- Jun 17, 2025 18:58 IST
Today News Live : ભારતીય વિદેશ મંત્રાલયે તેહરાનમાં રહેલા વિદ્યાર્થીઓને લઇને જાહેર કર્યું નિવેદન
ઇઝરાયેલ અને ઈરાન વચ્ચે વધી રહેલા તણાવ વચ્ચે ભારતીય વિદેશ મંત્રાલયે માહિતી આપી છે કે તેહરાનમાં રહેતા ભારતીય વિદ્યાર્થીઓને શહેરમાંથી બહાર કાઢવામાં આવ્યા છે. વિદેશ મંત્રાલયે એક નિવેદન બહાર પાડીને કહ્યું કે તેહરાનમાં હાજર ભારતીય વિદ્યાર્થીઓને સુરક્ષા કારણોસર શહેરની બહાર મોકલી દેવામાં આવ્યા છે, જેની વ્યવસ્થા ભારતીય દૂતાવાસે કરી હતી. મંત્રાલયે કહ્યું કે અન્ય ભારતીય રહેવાસીઓ, જેઓ પોતાની મુસાફરીની વ્યવસ્થા જાતે કરી શકે છે, તેમને પણ વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને શહેર છોડી દેવાની સલાહ આપવામાં આવી છે. આ ઉપરાંત કેટલાક ભારતીયોને આર્મેનિયાની સરહદ દ્વારા બહાર કાઢવામાં મદદ કરવામાં આવી છે. દૂતાવાસ ભારતીય નાગરિકો સાથે સતત સંપર્કમાં છે.
- Jun 17, 2025 17:58 IST
Gujarat Rain Forecast: બોટાદ-ભાવનગરમાં મેઘકહેર બાદ અમદાવાદ-ગાંધીનગરને લઈ અંબાલાલ પટેલની મોટી આગાહી
rain forecast in Gujarat: વધુમાં અંબાલાલ પટેલે જણાવ્યું છે કે દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદની શક્યતાઓ છે. એટલું નહીં આગાહી 36 કલાક અમદાવાદ અને ગાંધીનગરમાં પણ ભારે રહેશે. તથા અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ શકે છે. ...બધું જ વાંચો
- Jun 17, 2025 16:34 IST
ભાવનગરના સિહોરમાં પાણીના પ્રચંડ પ્રવાહમાં રમકડાની જેમ તણાયા વાહનો, જુઓ વીડિયો
Bhavnagar News: સિહોરમાં ધોધમાર વરસાદના પગલે રસ્તાઓ બેટમાં ફેરવાયા છે અને પ્રચંડ પ્રવાહમાં લોકોના વ્હીકલો પણ તણાયા છે. આવો એજ એક વીડિયો હાલમાં સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. ...વધુ માહિતી
- Jun 17, 2025 13:52 IST
મોટી દુર્ઘટના ટળી! એર ઈન્ડિયાની અમદાવાદથી લંડન જતી ફ્લાઈટ કેન્સલ, મુસાફરો એરપોર્ટ પર અટવાયા
Air India flight from Ahmedabad to London cancelled : આજે મંગળવારે 17 જૂન 2025ના રોજ અમદાવાદથી લંડન જતી એર ઈન્ડિયાની ફ્લાઈટ કેન્શનલ કરવામાં આવી હતી. ટેકઓફના થોડા સમય પહેલા જ ટેક્નિકલ ખામી ધ્યાનમાં આવતા એર ઈન્ડિયાની ફ્લાઈટ કેન્સલ કરવામાં આવી હતી. ...અહીં વાંચો
- Jun 17, 2025 13:31 IST
Today News Live : એર-ઈન્ડિયાની લંડન જતી ફ્લાઈટ કેન્સલ
12 જૂન 2025, ગુરુવારના રોજ એર ઈન્ડિયાની અમદાવાદથી લંડન જતી ફ્લાઈટ દુર્ઘટના ગ્રસ્ત થઈ હતી. ત્યારે આજે મંગળવારે 17 જૂન 2025ના રોજ અમદાવાદથી લંડન જતી એર ઈન્ડિયાની ફ્લાઈટ કેન્શનલ કરવામાં આવી હતી. ટેકઓફના થોડા સમય પહેલા જ ટેક્નિકલ ખામી ધ્યાનમાં આવતા એર ઈન્ડિયાની ફ્લાઈટ કેન્સલ કરવામાં આવી હતી. છેલ્લી ઘડીએ ફ્લાઈટ કેન્શલ થતાં મુસાફરો રઝળી પડ્યા હતા.
- Jun 17, 2025 13:26 IST
રશિયા ત્રણ વર્ષમાં ન કરી શક્યું એ ઈઝરાયલે 48 કલાકમાં કરી બતાવ્યું, ઈરાનની એર ડિફેન્સ સિસ્ટમ કરી તબાહ
Israeli Missile Attack: ઇઝરાયલનું ઇરાની હવાઈ હુમલાઓ પર નિયંત્રણ ફક્ત વિમાનો સુધી મર્યાદિત નથી પરંતુ તે ચોકસાઈ, સંકલન અને ગતિ વિશે પણ છે. રશિયા યુક્રેનમાં આ હાંસલ કરવા માંગતું હતું પરંતુ કરી શક્યું નહીં. ...અહીં વાંચો
- Jun 17, 2025 12:20 IST
SMC Recruitment 2025: સુરતમાં પરીક્ષા વગર જ ₹40,000ની નોકરી મેળવવાની તક, અહીં વાંચો બધી માહિતી
SMC Recruitment 2025: સુરત મહાનગરપાલિકા ભરતી અંતર્ગત ટેક્નીશિયન પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, નોકરીનો પ્રકાર, પગાર ધોરણ, ઈન્ટરવ્યુ તારીખ સમય અને સ્થળ સહિતની મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ સમાચાર છેલ્લે સુધી વાંચવા. ...સંપૂર્ણ માહિતી
- Jun 17, 2025 11:47 IST
Today News Live : ગુજરાતમાં આજે સવારે 10 વાગ્યા સુધીમા 97 તાલુકામાં વરસાદ
ગુજરાત સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા આપેલા વરસાદના આંકડા પ્રમાણે આજે 17 જૂન 2025 સવારે 6 વાગ્યાથી લઈને સવારે 10 વાગ્યા સુધીમાં રાજ્યના 97 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે ભાવનગરના ઉમરાળા, બોટાદના બરવાળા અને અમદાવાદના ધોરેલા, ધંધુકામાં વરસાદ પડ્યો હતો. ભાવનગરના ઉમરાળામાં ચાર કલાકમાં 3.66 ઈંચ વરસાદ ખાબક્યો હતો.
- Jun 17, 2025 10:32 IST
Today News Live : G7 સમિટમાં ઇઝરાયલ અને ઈરાન વચ્ચે વધતા તણાવને ઘટાડવાના પ્રયાસો
સોમવારે કેનેડામાં શરૂ થયેલી G7 સમિટમાં વૈશ્વિક નેતાઓએ ઇઝરાયલ અને ઈરાન વચ્ચે વધતા તણાવને ઘટાડવાનો પ્રયાસ કર્યો. યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે બંને દેશોને તાત્કાલિક વાતચીત શરૂ કરવાની અપીલ કરી. તેમણે પત્રકારોને કહ્યું, "તેઓએ વાત કરવી જોઈએ અને તે તાત્કાલિક કરવી જોઈએ." બ્રિટિશ વડા પ્રધાન કીર સ્ટાર્મરે કહ્યું કે બધા G7 દેશો માને છે કે આ સંઘર્ષને વધતો અટકાવવો મહત્વપૂર્ણ છે, કારણ કે તે ગાઝાની પરિસ્થિતિ અને વૈશ્વિક અર્થતંત્રને અસર કરી શકે છે.
- Jun 17, 2025 09:59 IST
Gujarat Rain : ગુજરાતમાં 24 કલાકમાં 221 તાલુકામાં વરસાદ, 13 ઈંચથી વધુ વરસાદથી ગઢડા જળબંબાકાર, ક્યાં કેટલો વરસાદ નોંધાયો?
Aaj Nu Havaman, Gujarat Rain : ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 221 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે ગઢડામાં 13.9 ઈંચ વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. ...સંપૂર્ણ વાંચો
- Jun 17, 2025 09:18 IST
Today News Live : ગુજરાતમાં સવારે બે કલાકમાં 74 તાલુકામાં વરસાદ
સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરેલા વરસાદના આંકડા પ્રમાણે ગુજરાતમાં આજે 17 જૂન 2025, સવારે 6 વાગ્યાથી લઈને 8 વાગ્યા સુધીના બે કલાકમાં ગુજરાતના 74 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે વરસાદ રાજકોટમાં 1.65 ઈંચ વરસાદ નોંધાયો હતો. ત્યારબાદ અમદાવાદના ધંધુકામાં 1.61 ઈંચ વરસાદ રહ્યો હતો.
- Jun 17, 2025 09:03 IST
Today News Live : એર ઇન્ડિયાની ફ્લાઇટમાં ટેકનિકલ ખામી
એર ઇન્ડિયાની ફ્લાઇટમાં ટેકનિકલ ખામીને કારણે, સાન ફ્રાન્સિસ્કોથી મુંબઈ જતી ફ્લાઇટને કોલકાતામાં લેન્ડ કરવામાં આવી હતી. મુસાફરોને ફ્લાઇટમાંથી નીચે ઉતારવામાં આવ્યા હતા અને ઓલેનને ખાલી કરાવવામાં આવ્યા હતા.
- Jun 17, 2025 08:57 IST
Scholarship : દુનિયાના સૌથી અમીર અને સુંદર દેશમાં મેળવો ડિગ્રી, લાખો રૂપિયા વાળી 5 સ્કોલરશિપ કઈ છે?
Switzerland Fully Funded Scholarship : સ્વિત્ઝરલેન્ડ વિશ્વનો સૌથી સુંદર દેશ પણ છે.જો તમે પણ આ દેશમાં અભ્યાસ કરવા માંગતા હો, તો તમારે આ માટે વધારે પૈસા ખર્ચવા પડશે નહીં. તેનું કારણ એ છે કે અહીં ઘણી બધી શિષ્યવૃત્તિઓ આપવામાં આવે છે. ...વધુ માહિતી
- Jun 17, 2025 08:22 IST
Today News Live : પીએમ નરેન્દ્ર મોદી કેનેડા પહોંચ્યા, 51મા G7 સમિટમાં ભાગ લેશે
કેનેડાની મુલાકાતે આવેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું કેલગરીમાં આગમન પર ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું. તેઓ આલ્બર્ટાના કનાનાસ્કિસમાં 51મા G7 સમિટમાં ભાગ લેશે. આ દરમિયાન, મેઘાલયના પોલીસ મહાનિર્દેશક (DGP) ઇદાશિશા નોંગરાંગે જણાવ્યું હતું કે તપાસ ટીમ મંગળવારે રાજા રઘુવંશી હત્યા કેસમાં ઘટનાસ્થળની મુલાકાત લઈને ગુનાના દ્રશ્યને ફરીથી બનાવશે. DGPએ માહિતી આપી હતી કે પોલીસ ટીમ મંગળવારે બપોરે 12 વાગ્યાની આસપાસ ગુનાના દ્રશ્યને ફરીથી બનાવવા માટે તમામ ધરપકડ કરાયેલા આરોપીઓને સોહરામાં ઘટનાસ્થળે લઈ જશે.
- Jun 17, 2025 08:20 IST
Gujarat Rain : ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી, આજે 8 જિલ્લામાં રેડ એલર્ટ, ભારેથી અતિ ભારે વરસાદની આગાહી
today Gujarat monsoon weather updates :સોમવારે સાંજે સારો એવો વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. જેના પગલે લોકોને અસહ્ય બફારામાંથી રાહત મળી હતી. બીજી તરફ હવામાન વિભાગે પણ આજે મંગળવારે દક્ષિણ ગુજરાતના છ અને સૌરાષ્ટ્રના બે જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ આપ્યું છે. ...સંપૂર્ણ વાંચો
- Jun 17, 2025 08:19 IST
Today News Live : આજે રાજકોટમાં વિજય રૂપાણીની પ્રાર્થના સભા
અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં નિધન થયેલા ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને સોમવારે ભારે હૈયે અંતિમ વિદાય આપી હતી. ત્યારે આજે મંગળવારે 17 જૂન 2025ના રોજ રાજકોટમાં પ્રાર્થના સભાનું આયોજન કર્યું છે. આજે રાજકોટના રેસકોર્ષ ખાતે બપોરે 3થી 6 દરમિયાન પ્રાર્થના સભા રાખી છે જ્યારેતા. 19મી જુનને ગુરુવારે સવારે 9થી 12 કલાક દરમિયાન ગાંધીનગરમાં હેલિપેડ ગ્રાઉન્ડમાં હોલ નંબર-1માં પ્રાર્થના યોજાશે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us