/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/10/Naxalites-surrender.jpg)
નક્સલીઓનું આત્મસમર્પણ- photo- X ANI
Today Latest News Update in Gujarati 17 october 2025: છત્તીસગઢમાં, આજે 153 શસ્ત્રો સાથે 208 નક્સલીઓએ આત્મસમર્પણ કર્યું અને હવે તેઓ પુનર્વસનમાંથી પસાર થશે. બસ્તરના જગદલપુરમાં, 208 નક્સલીઓએ સુરક્ષા દળો સમક્ષ આત્મસમર્પણ કર્યું અને મુખ્ય પ્રવાહમાં જોડાવા માટે પોતાના શસ્ત્રો મૂક્યા. તેમની પાસે ભારતીય બંધારણની નકલો હતી.
અધિકારીઓએ જણાવ્યું કે આનાથી અબુઝમાડનો મોટાભાગનો ભાગ નક્સલી પ્રભાવથી મુક્ત થશે અને ઉત્તર બસ્તરમાં આતંકનો અંત આવશે. તેમણે જણાવ્યું કે ફક્ત દક્ષિણ બસ્તર જ બાકી છે. છત્તીસગઢના મુખ્યમંત્રી વિષ્ણુદેવ સાંઈએ ગુરુવારે જણાવ્યું હતું કે ઉત્તર બસ્તર અને અબુઝમાડ પ્રદેશો નક્સલી હિંસાથી સંપૂર્ણપણે મુક્ત થઈ ગયા છે, જ્યારે દક્ષિણ બસ્તરમાં લડાઈ નિર્ણાયક તબક્કામાં પહોંચી ગઈ છે.
- Oct 17, 2025 23:29 IST
પાકિસ્તાન સામે હાથ નહીં મિલાવવાનો નિર્ણય કોનો હતો, કયા ભગવાનની પૂજા કરે છે સૂર્યકુમાર, જાણો
Suryakumar Yadav Express Adda : ઈન્ડિયન એક્સપ્રેસનો ખાસ કાર્યક્રમ એક્સપ્રેસ અડ્ડામાં ભારતીય ટી-20 ક્રિકેટ ટીમના કેપ્ટન સૂર્યકુમાર યાદવે ધ ઈન્ડિયન એક્સપ્રેસ ગ્રુપના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અનંત ગોએન્કા અને ડેપ્યુટી એસોસિએટ એડિટર દેવેન્દ્ર પાંડે સાથે ખાસ વાતચીત કરી હતી ...વધુ માહિતી
- Oct 17, 2025 21:55 IST
Express Adda: સૂર્યકુમાર યાદવે પત્નીનો નંબર કયા નામથી કર્યો છે સેવ, કર્યો ખુલાસો
Suryakumar Yadav Express Adda : ઈન્ડિયન એક્સપ્રેસના ખાસ કાર્યક્રમ એક્સપ્રેસ અડ્ડામાં ભારતીય ટી 20 ક્રિકેટ ટીમનો કેપ્ટન સૂર્યકુમાર યાદવ ઉપસ્થિત રહ્યો હતો. આ દરમિયાન ધ ઈન્ડિયન એક્સપ્રેસ ગ્રુપના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અનંત ગોએન્કા અને ડેપ્યુટી એસોસિએટ એડિટર દેવેન્દ્ર પાંડે સાથે ખાસ વાતચીત કરી હતી ...વધુ માહિતી
- Oct 17, 2025 20:04 IST
ગુજરાતના નવા મંત્રીઓને ખાતાની ફાળવણી, જાણો કોને મળ્યો કયો વિભાગ
gujarat new cabinet ministers portfolio : ગુજરાતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળના મંત્રીમંડળના વિસ્તરણ પછી તમામ મંત્રીઓને તેમના ખાતા ફાળવી દેવામાં આવ્યા છે. સીએમ સહિત કુલ 27 મંત્રીઓ છે. કયા મંત્રીએ કયું ખાતું મળ્યું તે વિશે જણાવી રહ્યા છીએ ...વધુ માહિતી
- Oct 17, 2025 19:02 IST
ગુજરાત મંત્રી મંડળમાં નવા 17 ચહેરાઓને મળ્યું સ્થાન, આ નવા મંત્રીઓ વિશે જાણો બધી જ માહિતી
Gujarat New Cabinet : ગુજરાતમાં નવું મંત્રી મંડળ જાહેર કરવામાં આવ્યું છે. જાહેર કરાયેલા નવા મંત્રી મંડળમાં 17 નવા ચહેરાઓને સમાવવામાં આવ્યા છે. અહીં નવા જાહેર કરાયેલા 17 મંત્રીઓ વિશે જાણકારી આપી રહ્યા છીએ ...સંપૂર્ણ માહિતી
- Oct 17, 2025 17:41 IST
આ દિવાળી પર ખરીદો નવી કાર અને મેળવો લાખો રુપિયાની બચત, અહીં જુઓ સંપૂર્ણ ડિસ્ટાઉન્ટ ઓફર
Diwali Car Discounts Offers 2025 : આ દિવાળી પર ઘણી કોમ્પેક્ટ અને મિડસાઇઝ સેડાન પર લાખો રૂપિયા સુધીના ડિસ્કાઉન્ટ ઓફર માર્કેટમાં ઉપલબ્ધ છે. તો ચાલો જાણીએ કે કઈ સેડાન કાર પર કેટલું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે ...સંપૂર્ણ વાંચો
- Oct 17, 2025 16:05 IST
Gujarat New Cabinet : હર્ષ સંઘવી બન્યા નાયબ ઉપ મુખ્યમંત્રી, જાણો રાજકીય કારકિર્દી અને પ્રોફાઇલ
Harsh Sanghvi Deputy CM Gujarat : ગુજરાત સરકારે પોતાના નવા કેબિનેટની રચના કરી દીધી છે. જેમાં સૌથી ખાસ વાત એ રહી કે માત્ર 40 વર્ષની ઉંમરે હર્ષ સંઘવીને ભૂપેન્દ્ર પટેલ સરકારમાં નાયબ મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા છે ...બધું જ વાંચો
- Oct 17, 2025 14:59 IST
Today News Live: છત્તીસગઢમાં 208 નક્સલીઓએ બંધારણની નકલો સાથે સુરક્ષા દળો સમક્ષ આત્મસમર્પણ કર્યું
છત્તીસગઢમાં, આજે 153 શસ્ત્રો સાથે 208 નક્સલીઓએ આત્મસમર્પણ કર્યું અને હવે તેઓ પુનર્વસનમાંથી પસાર થશે. બસ્તરના જગદલપુરમાં, 208 નક્સલીઓએ સુરક્ષા દળો સમક્ષ આત્મસમર્પણ કર્યું અને મુખ્ય પ્રવાહમાં જોડાવા માટે પોતાના શસ્ત્રો મૂક્યા. તેમની પાસે ભારતીય બંધારણની નકલો હતી.
અધિકારીઓએ જણાવ્યું કે આનાથી અબુઝમાડનો મોટાભાગનો ભાગ નક્સલી પ્રભાવથી મુક્ત થશે અને ઉત્તર બસ્તરમાં આતંકનો અંત આવશે. તેમણે જણાવ્યું કે ફક્ત દક્ષિણ બસ્તર જ બાકી છે. છત્તીસગઢના મુખ્યમંત્રી વિષ્ણુદેવ સાંઈએ ગુરુવારે જણાવ્યું હતું કે ઉત્તર બસ્તર અને અબુઝમાડ પ્રદેશો નક્સલી હિંસાથી સંપૂર્ણપણે મુક્ત થઈ ગયા છે, જ્યારે દક્ષિણ બસ્તરમાં લડાઈ નિર્ણાયક તબક્કામાં પહોંચી ગઈ છે.
- Oct 17, 2025 13:29 IST
Today News Live: રાજ્યકક્ષા ના મંત્રીઓ
કાંતિ અમૃતિયા
રમેશ કટારા
દર્શના વાઘેલા
પ્રવીણ માલી
સ્વરૂપ ઠાકોર
જયરામ ગામીત
રિવાબા જાડેજા
પી સી બરંડા
સંજય મહિડા
કમલેશ પટેલ
ત્રિકમ છાંગા
કૌશિક વેકરિયા
- Oct 17, 2025 13:29 IST
Today News Live: રાજ્ય કક્ષા સ્વતંત્ર હવાલો
ઇશ્વર પટેલ
પ્રફુલ પાનસેરીયા
મનિષા વકીલ
- Oct 17, 2025 13:29 IST
Today News Live: મુખ્યમંત્રી-ઉપમુખ્યમંત્રી અને કેબિનેટ મંત્રીઓ
ભુપેન્દ્ર પટેલ, મુખ્યમંત્રી
હર્ષ સંઘવી, નાયબ મુખ્યમંત્રી
કેબિનેટ મંત્રી
ઋષિકેશ પટેલ
જીતુ વાઘાણી
કનુભાઈ દેસાઈ
કુંવરજી બાવળીયા
નરેશ પટેલ
અર્જુન મોઢવાડિયા
પ્રદ્યુમન વાજા
રમણ સોલંકી
- Oct 17, 2025 12:45 IST
Today News Live: હર્ષ સંઘવીએ DYCM તરીકે શપથ લીધા
ગુજરાતમાં નવા મંત્રી મંડળનો શપથ ગ્રહણ સમારોહ શરુ થયો છે. હર્ષ સંઘવીને સૌપ્રથમ શપથ લીધી છે. તેમને ગુજરાતના DYCM બનાવાયા છે. તેમણે ઉપ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા.
- Oct 17, 2025 12:44 IST
Ojas New bharti 2025 : ગુજરાત સરકારના આરોગ્ય વિભાગમાં નર્સ બનવાની તક, અહીં વાંચો બધી જ માહિતી
Ojas GSSSB Nurse Recruitment 2025 : ઓજસ ગુજરાત ભરતી 2025 અંતર્ગત પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, વય મર્યાદા, અરજી પ્રક્રિયા સહિતની મહત્વની માહિતી આ આર્ટિકલમાં આપેલી છે. ...વધુ માહિતી
- Oct 17, 2025 11:28 IST
Gujarat New Cabinet : ગુજરાતના નવા મંત્રી મંડળની રચના, આ ધારાસભ્યોને મળ્યું સ્થાન, જોઈ લો યાદી
Gujarat new cabinet formed in gujarati : ગુજરાતના નવા મંત્રી મંડળની યાદી જાહેર થઈ છે ત્યારે ચાલો જોઈએ કયા કયા ધારાસભ્યોને મંત્રીઓને મંત્રીમંડળમાં સ્થાન મળ્યું છે. નીચે યાદી આપેલી છે. ...સંપૂર્ણ વાંચો
- Oct 17, 2025 10:13 IST
Today News Live: ગુજરાતના આ 7 ધારાસભ્યોને ફોન આવી ગયા
ગુજરાતમાં નવા મંત્રી મંડળમાં સામેલ કરાયેલા રિપિટ મંત્રીઓને ફોન કરવામાં આવ્યા છે. પુરુષોત્તમ સોલંકી, કુંવરજી બાવળિયા, પ્રફુલ પાનસેરિયા, ઋષિકેશ પટેલ, કનુ દેસાઈ, હર્ષ સઘવીને ફોન આવી ગયો છે.
- Oct 17, 2025 10:07 IST
Bihar Election 2025 : ચિરાગ પાસવાને તમામ 29 બેઠકો માટે ઉમેદવારોની જાહેરાત કરી, કોણ કોણ થયા સામેલ?
Chirag Paswan NDA alliance candidate second list : ચિરાગ પાસવાને બિહાર ચૂંટણી માટે તમામ 29 બેઠકો માટે ઉમેદવારોની જાહેરાત કરી છે. બીજી યાદીમાં 15 ઉમેદવારોનો સમાવેશ થાય છે, જે અગાઉની યાદીમાં 14 ઉમેદવારો હતા. ...અહીં વાંચો
- Oct 17, 2025 09:06 IST
Today News Live: ગુજરાતના મુખ્યમંત્રી સિવાય બધા મંત્રીઓના લેવાયા રાજીનામા
ગુજરાતમાં નવા મંત્રીમંડળની રચના થવા જઈ રહી છે ત્યારે ગુરુવારે મોડી રાત્રે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સિવાય તમામ મંત્રીઓના રાજીનામા લેવામાં આવ્યા હતા. આજે નવા મંત્રીઓ શપથ ગ્રહણ કરશે.
- Oct 17, 2025 09:05 IST
Today News Live: ચિરાગ પાસવાને તમામ 29 બેઠકો માટે ઉમેદવારોની જાહેરાત કરી
ચિરાગ પાસવાને બિહાર ચૂંટણી માટે તમામ 29 બેઠકો માટે ઉમેદવારોની જાહેરાત કરી છે. બીજી યાદીમાં 15 ઉમેદવારોનો સમાવેશ થાય છે, જે અગાઉની યાદીમાં 14 ઉમેદવારો હતા. ચિરાગ પાસવાનને વિશ્વાસ છે કે તેમનો પક્ષ આ વખતે વધુ સારું પ્રદર્શન કરશે અને NDAને મજબૂત બનાવશે.
એક નિવેદનમાં, LJP એ કહ્યું, "લોક જનશક્તિ પાર્ટી (રામ વિલાસ) ના રાષ્ટ્રીય અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી શ્રી ચિરાગ પાસવાનના નેતૃત્વમાં જાહેર કરાયેલ 2025 બિહાર વિધાનસભા ચૂંટણી માટે તમામ ઉમેદવારોને હાર્દિક અભિનંદન અને શુભકામનાઓ. તમે બધા "બિહાર પહેલા, બિહાર પહેલા" ના સંકલ્પને સાકાર કરીને ડબલ-એન્જિન NDA સરકાર માટે ઐતિહાસિક વિજય સુનિશ્ચિત કરશો.
- Oct 17, 2025 08:39 IST
Study-Work in Canada: વિદ્યાર્થીઓ અને વર્કર્સે કેનેડા પહોંચતા જ દેખાડવા પડશે આ કાગળો, નહીં તો થવું પડશે ઘરભેગા, વાંચો લીસ્ટ
canada travel tips for student workers : એક વિદેશી વિદ્યાર્થી અથવા કામદાર તરીકે કેનેડામાં પ્રવેશવા માટેના નિયમોને સમજવું મહત્વપૂર્ણ છે. તમારે કયા દસ્તાવેજોની જરૂર છે, તમારે કઈ ભૂલો ટાળવી જોઈએ અને એરપોર્ટ પર તમારે કેવા પ્રકારની વસ્તુઓનો સામનો કરવો પડશે તે સમજવું મહત્વપૂર્ણ છે. ...બધું જ વાંચો
- Oct 17, 2025 07:47 IST
Today News Live: આજે ગુજરાતના નવા મંત્રીઓ શપથ ગ્રહણ કરશે
ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી ભૂપેન્દ્ર પટેલની આગેવાની હેઠળના મંત્રી મંડળના વિસ્તરણની ચર્ચાઓએ વેગ પકડ્યો હતો. જોકે, હવે આ ચર્ચા પૂર્ણ થઈ છે. આજે શુક્રવારે ગુજરાતને નવું મંત્રી મંડળ મળી જશે. આજે સવારે 11.30 વાગ્યે ગાંધીનગર ખાતે મહાત્મા મંદિરમાં નવા મંત્રીઓ શપથ ગ્રહણ કરશે. ઉલ્લેખનીય છે કે મોડી રાત્રે નવા મંત્રીઓના નામ પર મહોર લાગી હતી અને આ અંગે જેતે મંત્રીઓને ફોન કરીને જાણ કરાઈ હતી. આજે ગુજરાતના રાજ્યપાલ નવા મંત્રીમંડળને શપથ લેવડાવશે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us