Today Latest News Live Update in Gujarati 18 october 2025: પંજાબ નેશનલ બેંક સાથે આશરે ₹13,000 કરોડની છેતરપિંડી કરીને દેશ છોડીને ભાગી ગયેલા ઉદ્યોગપતિ મેહુલ ચોકસીને પરત લાવવાના પ્રયાસમાં એક મોટી સફળતા મળી છે. 18 ઓક્ટોબરના રોજ બેલ્જિયમની એક કોર્ટે તેમના પ્રત્યાર્પણને મંજૂરી આપી હતી. તેમને ભારત પાછા લાવવામાં આ નિર્ણય મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે.
બેલ્જિયમની કોર્ટે મેહુલ ચોકસીના ભારત પ્રત્યાર્પણને મંજૂરી આપી છે, તેને સંપૂર્ણપણે કાયદેસર જાહેર કર્યું છે, જેને ભારત સરકાર અને તપાસ એજન્સીઓ માટે સફળતા તરીકે જોવામાં આવી રહી છે.