/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/09/PM-Modi-to-address-nation-live-updates.jpg)
પીએમ મોદી (તસવીર: સોશિયલ મીડિયા)
Today Latest News Update in Gujarati 20 october 2025: દિવાળીના એક દિવસ પહેલા, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દિવાળી પર દેશવાસીઓને ખાસ અપીલ કરી છે. તેમણે ફરી એકવાર લોકોને સ્વદેશી ખરીદવા પર ભાર મૂકવાનો આગ્રહ કર્યો છે. તેમના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર પોસ્ટ કરતા, પીએમ મોદીએ લખ્યું, "આ તહેવારોની મોસમમાં, ચાલો 1.4 અબજ ભારતીયોની મહેનત, સર્જનાત્મકતા અને નવીનતાની ઉજવણી કરીએ. ભારતીય ઉત્પાદનો ખરીદો અને ગર્વથી કહો, 'આ સ્વદેશી છે!' તમે જે ખરીદ્યું છે તે સોશિયલ મીડિયા પર શેર કરો. આ રીતે, તમે અન્ય લોકોને પણ આવું કરવા માટે પ્રેરણા આપશો."
- Oct 20, 2025 22:34 IST
ગોવર્ધન પૂજા પર છે ગોવર્ધન પરિક્રમાનો પ્લાન? આ સ્થળોએ પણ ફરતા આવજો
Govardhan Puja 2025 : ગોવર્ધન પૂજા આ વખતે 22 ઓક્ટોબરના ના રોજ છે. આ દિવસે લોકો ભગવાન કૃષ્ણની પૂજા કરે છે અને ગોવર્ધનની પરિક્રમા કરવા જાય છે. જો તમે ગોવર્ધન જઈ રહ્યા છો તો તમે તેની આસપાસના કેટલાક અન્ય સ્થળો પણ ફરી શકો છો. તો આવો એક નજર કરીએ ગોવર્ધનમાં તમે ક્યાં ક્યાં ફરી શકો છો ...અહીં વાંચો
- Oct 20, 2025 21:41 IST
દિગ્ગજ અભિનેતા અસરાનીનું નિધન, 84 વર્ષની ઉંમરે લીધા અંતિમ શ્વાસ
Asrani passes away : બોલિવૂડ અભિનેતા અને કોમેડિયન અસરાનીનું દિવાળીના દિવસે નિધન થયું છે. તેમણે 84 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા હતા. મળતી માહિતી મુજબ તેઓ છેલ્લા ઘણા દિવસોથી બીમાર હતા ...બધું જ વાંચો
- Oct 20, 2025 18:41 IST
આ ગામમાં સદીઓથી દિવાળી ઉજવવામાં આવતી નથી, લોકો દીવા પ્રગટાવવાથી પણ ડરે છે, જાણો કારણ
Diwali 2025 : દેશભરમાં દિવાળી ખૂબ જ ઉત્સાહથી ઉજવવામાં આવે છે. બાળકો અને વડીલો સહિત પરિવારના દરેક સભ્ય આ રોશની અને આનંદના તહેવારને પોતાની રીતે ખાસ બનાવવા માટે દિવસો અગાઉથી તૈયારીઓ શરૂ કરી દે છે. જોકે એક ગામ એવું છે જ્યાં દિવાળી ઉજવવામાં આવતી નથી ...વધુ વાંચો
- Oct 20, 2025 16:52 IST
શિંગોડા રોજ ખાવાથી સ્વાસ્થ્ય પર શું થાય છે અસર, તેને બાફીને, કાચા કે સુકાવીને કઇ રીતે ખાવા, જાણો
Benefits of water chestnuts : શિંગોડા એ શિયાળાનું ફળ છે જે પોષક તત્વોનો ખજાનો છે. લોકો આ ફળને કાચા, સુકા કે બાફીને ખાય છે. ચાલો જાણીએ શિયાળામાં દરરોજ શિંગોડાનું સેવન કરવાથી સ્વાસ્થ્ય પર કેવી અસર પડે છે ...સંપૂર્ણ વાંચો
- Oct 20, 2025 16:03 IST
સોનાની છડી, રત્નો અને…,પાંચ દશક પછી ખોલવામાં આવેલા બાંકે બિહારી મંદિરમાં ભોયરામાં શું-શું મળ્યું?
Mathura Banke Bihari Mandir Treasury Chamber : મથુરામાં 19 મી સદીના બાંકે બિહારી મંદિરનું ટ્રેઝરી ચેમ્બરને રવિવારે ફરીથી ખોલવામાં આવ્યું હતું. ગર્ભગૃહની બાજુમાં રહેલ આ ભોયરું છેલ્લે 1971માં ખોલવામાં આવ્યું હતું. ત્યારથી તિજોરીની અંદર શું છે તે વિશે ઉત્સુકતા હતી ...સંપૂર્ણ વાંચો
- Oct 20, 2025 15:18 IST
મહિલા વન ડે વર્લ્ડ કપ : ઇંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા, દક્ષિણ આફ્રિકા અંતિમ 4 માં, એક સ્થાન માટે 5 ટીમો વચ્ચે જંગ, આવું છે સમીકરણ
Women’s World Cup 2025 Semifinal Qualification Scenario : ભારત સામેની જીત બાદ ઈંગ્લેન્ડે સેમિ ફાઈનલમાં ક્વોલિફાય કરી લીધું છે. ઓસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકા પહેલાથી જ નોકઆઉટ માટે ક્વોલિફાય થઈ ચૂક્યા છે. હવે એક સ્થાન માટે 5 ટીમો વચ્ચે રેસ છે
...વધુ વાંચો - Oct 20, 2025 12:18 IST
Weekly Government Bharti 2025 : ગુજરાત સરકારી નોકરીથી લઈને હાઈકોર્ટ સુધીની ભરતીઓ સપ્તાહમાં થશે બંધ
Government bharti online apply last date : દિવાળીની બધી ખુશીઓ વચ્ચે આ અઠવાડિયું સરકારી નોકરીઓ માટે તૈયારી કરતા યુવાનો માટે મહત્વપૂર્ણ છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, એકલવ્ય મોડેલ સ્કૂલ ભરતી સહિત હાઈકોર્ટ નોકરી મોટી ભરતીઓ માટેના અરજી ફોર્મ બંધ થઈ રહ્યા છે. ...સંપૂર્ણ માહિતી
- Oct 20, 2025 10:16 IST
Son Papdi : દિવાળી પર સૌથી વધુ ભેટમાં મળતી સોન પાપડી ક્યાંથી આવી? રસપ્રદ ઇતિહાસ અને ખાસ રેસીપી
Son Papdi history and special recipe : લોકો ભેટમાં મળેલી સોન પાપડી ખોલ્યા વિના પણ તેને આપી દે છે તે સામાન્ય છે. પરંતુ શું તમે જાણો છો કે ભારતમાં આ મીઠાઈ ક્યાંથી ઉદ્ભવી અને તે કેવી રીતે બને છે? ચાલો વધુ જાણીએ. ...અહીં વાંચો
- Oct 20, 2025 09:50 IST
તો ભારત ભારે ટેરિફ ચુકવતો રહેશે, રશિયા તેલ ખરીદી પર ટ્રમ્પે ભારતને આપી ચેતવણી
Trump Tarrifs on India : ડોનાલ્ડ ટ્રમ્પે ચેતવણી પણ આપી હતી કે જો ભારત આમ નહીં કરે, તો તે ભારે ટેરિફ ચૂકવવાનું ચાલુ રાખશે. "મેં ભારતના વડા પ્રધાન મોદી સાથે વાત કરી હતી, અને તેમણે કહ્યું હતું કે તેઓ રશિયન તેલ વિશે વાત નહીં કરે," ટ્રમ્પે એરફોર્સ વનમાં પત્રકારોને જણાવ્યું હતું. ...અહીં વાંચો
- Oct 20, 2025 07:35 IST
Today News Live: પીએમ મોદીની દેશવાસીઓને ખાસ અપીલ
દિવાળીના એક દિવસ પહેલા, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દિવાળી પર દેશવાસીઓને ખાસ અપીલ કરી છે. તેમણે ફરી એકવાર લોકોને સ્વદેશી ખરીદવા પર ભાર મૂકવાનો આગ્રહ કર્યો છે. તેમના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર પોસ્ટ કરતા, પીએમ મોદીએ લખ્યું, "આ તહેવારોની મોસમમાં, ચાલો 1.4 અબજ ભારતીયોની મહેનત, સર્જનાત્મકતા અને નવીનતાની ઉજવણી કરીએ. ભારતીય ઉત્પાદનો ખરીદો અને ગર્વથી કહો, 'આ સ્વદેશી છે!' તમે જે ખરીદ્યું છે તે સોશિયલ મીડિયા પર શેર કરો. આ રીતે, તમે અન્ય લોકોને પણ આવું કરવા માટે પ્રેરણા આપશો."


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us