/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/06/indigo-flight.jpg)
Indigo Flight : ઈન્ડિગો ફ્લાઇટ્સ. (Photo: @IndiGo6E)
Today Latest News in Gujarati 22 June 2025: અમેરિકાએ ઈરાનના 3 પરમાણું મથકો પર રવિવારે સવારે હુમલો કર્યો છે. આ સાથે ઈઝરાયલ ઈરાન યુદ્ધમાં અમેરિકાએ ઝપલાવ્યું છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સૌથી પહેલા સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરી ઈરાન પર હુમલો કર્યાની જાણકારી આપી હતી. આ દરમિયાન ઈરાને ઈઝરાયલ પર મિસાઇલ એટેક તેજ કરી દીધા છે. જેના કારણે સમગ્ર દેશમાં સાયરન વાગી રહી છે. ધ ગાર્જિયન અનુસાર, લોકોએ જણાવ્યું કે, તેમણે યરુશેલમ અને તેલ અવીવમાં જોરદાર બ્લાસ્ટનો અવાજ સાંભળ્યો છે.
ગુજરાતમાં આજે 8300થી વધુ ગ્રામ પંચાયત ચૂંટણી માટે મતદાન
ગુજરાતમાં આજે 8326 ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે મતદાન થઇ રહ્યું છે. આજે ગ્રામ પંચાયતો માટે સવારે 7 વાગે મતદાન શરૂ થઇ ગયું છે અને સાંજે 6 વાગ્યા સુધી વોટિંગ ચાલશે. રાજ્યમાં લગભગ 81 લાખ મતદારો પોતાના મતદાન હકનો ઉપયોગ કરશે. આ ગ્રામ પંચાયત ચૂંટણીના પરિણામ 25 જૂન જાહેર થશે. મહીસાગર જિલ્લામાં પંચાયત ચૂંટણીમાં મતદાન કરવા જઇ રહેલા મતદારોના વાહનને અકસ્માત નડ્યો છે. આ એક્સિડેન્ટમાં 2 લોકોના મોત થયા છે અને 13 લોકો ઇજાગ્રસ્ત થયા છે.
ચંદીગઢ લખનઉ ઈન્ડિગો ફ્લાઇટ ટેકનિકલ કારણોસર રદ
ચંદીગઢ થી લખનઉ જતી ઈન્ડિગોની ફાઇલટ 6E 146 રદ કરવામાં આવી છે. ફ્લાઇટના પાયલોટને ઉડાનની પહેલા તપાસ દરમિયાન ટેકનિકલ સમસ્યા જણાઇ હતી. ફ્લાઇટ ટેક ઓફ કરવાની પહેલા ટેક્નિકલ ખામી જણાઇ હતી અને સાવચેતીના પગલે તમામ પેસેન્જરને એરક્રાફ્ટ માંથી ઉતારી દેવામાં આવ્યા છે. ફ્લાઇટ રદ થતા પેસેન્જરોને વૈકલ્પિક ફ્લાઇટમાં બેસાડવામાં આવ્યા છે અથવા સંપૂર્ણ વિમાન ભાડું પરત કરવામાં આવ્યું છે- સુત્રો.
- Jun 22, 2025 21:50 IST
ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં સરેરાશ 70 ટકાથી વધુ મતદાન
રાજ્યમાં આજે 8000થી વધુ ગ્રામ પંચાયતોમાં ચૂંટણીનું મતદાન યોજાયું હતું.વરસાદના વિઘ્ન સાથે બે-ત્રણ ઘટના સિવાય સમગ્ર રાજ્યમાં શાંતિપૂર્ણ રીતે મતદાન સંપન્ન થયું છે. ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં સરેરાશ 70 ટકાથી વધુ મતદાન થયું છે.
- Jun 22, 2025 18:42 IST
ગુજરાતમાં મજબૂત ચોમાસાની સિસ્ટમ બની, આગામી 2 દિવસ મેઘરાજા આ જિલ્લાઓમાં ભુક્કા બોલાવશે
Heavy rain in Gujarat: હવામાન વિભાગે રવિવાર રાત્રે 1 વાગ્યા સુધી રાજ્યના પાટણ, મહેસાણા અને બનાસકાંઠા જિલ્લાઓ માટે વરસાદ માટે રેડ એલર્ટ જારી કર્યું છે. ...સંપૂર્ણ માહિતી
- Jun 22, 2025 14:46 IST
અમદાવાદમાં દૂર્ઘટનાગ્રસ્ત એર ઈન્ડિયાના વિમાનનો કાટમાળ એરપોર્ટ લઇ જવાયો
અમદાવાદમાં દૂર્ઘટનાગ્રસ્ત એર ઈન્ડિયાના વિમાન AI-171નો કાટમાળ એરપોર્ટ લઇ જવામાં આવ્યો છે. વિમાનનો કાટમાળ હવે તપાસ એજન્સીને સોંપવામાં આવશે. હાલ એર ઈન્ડિયાના પ્લેન ક્રેશની તપાસ ચાલી રહી છે. તમને જણાવી દઇયે કે, 12 જૂન, 2025ના રોજ બપોરે 1.40 વાગે આસપાસ અમદાવાદમાં એર ઈન્ડિયાનું વિમાન મેઘાણીનગરમાં મેડિકલ હોસ્ટેલ પર ક્રેશ થયું હતું. આ વિમાન ક્રેશ દૂર્ઘટનામાં 241 મુસાફરો સહિત ઘણા લોકોના મોત થયા છે.
watch | Gujarat | Investigation into the Air India plane crash in Ahmedabad continues. The plane wreckage was taken to the airport. The wreckage will be handed over to the investigation agency: Safin Hasan, Deputy Police Commissioner, Ahmedabad Traffic Branch pic.twitter.com/7YVEuTVP5p
— ANI (@ANI) June 22, 2025
- Jun 22, 2025 14:32 IST
ચંદીગઢ લખનઉ ઈન્ડિગો ફ્લાઇટ ટેકનિકલ કારણોસર રદ
ચંદીગઢ થી લખનઉ જતી ઈન્ડિગોની ફાઇલટ 6E 146 રદ કરવામાં આવી છે. આ ફ્લાઇટ ચંદીગઢથી લખનઉ જઇ રહી હતી. ફ્લાઇટના પાયલોટને ઉડાનની પહેલા તપાસ દરમિયાન ટેકનિકલ સમસ્યા જણાઇ હતી. ફ્લાઇટ ટેક ઓફ કરવાની પહેલા ટેક્નિકલ ખામી જણાઇ હતી અને સાવચેતીના પગલે તમામ પેસેન્જરને એરક્રાફ્ટ માંથી ઉતારી દેવામાં આવ્યા છે. ફ્લાઇટ રદ થતા પેસેન્જરોને વૈકલ્પિક ફ્લાઇટમાં બેસાડવામાં આવ્યા છે અથવા સંપૂર્ણ વિમાન ભાડું પરત કરવામાં આવ્યું છે- સુત્રો.
चंडीगढ़ से लखनऊ जाने वाली इंडिगो की फ्लाइट 6E 146 को पायलट द्वारा तकनीकी समस्या का पता लगाए जाने के बाद रद्द कर दिया गया।
चंडीगढ़ से लखनऊ जाने वाली इंडिगो की फ्लाइट को शुक्रवार को रद्द कर दिया गया, क्योंकि पायलट ने उड़ान से पहले जांच के दौरान तकनीकी समस्या का पता लगाया। विमान के…
— ANI_HindiNews (@AHindinews) June 22, 2025 - Jun 22, 2025 14:28 IST
અમદાવાદમાં જગન્નાથ ભગવાનના મામેરાના દર્શન
અમદાવાદમાં 148મી જગન્નાથ રથયાત્રા માટે તૈયારીઓ ચાલી રહી છે. રથયાત્રા પહેલા ભગવાન જગન્નાથનના મોસાળ સરસપુરન રણછોડરાય મંદિરમાં મામેરાના દર્શન આજે યોજાયા હતા. ભગવાનના મામેરના દર્શન માટે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા. મહિલા ભજન મંડળીઓએ ભક્તિમય માહોલ બનાવ્યો હતો. તમને જણાવી દઇયેકે, 27 જૂન, 2025 શુક્રવાર અષાઢ સુદ બીજના દિવસે ભગવાન જગન્નાથજીની રથયાત્રા યોજાય છે.
https://twitter.com/AHindinews/status/1936703354966802790
- Jun 22, 2025 12:24 IST
ઈરાનનો ઈઝરાયલ પર મિસાઇલ એટેક, તેલ અવીવમાં ભયંકર બ્લાસ્ટ
અમેરિકાએ ઈરાનના 3 પરમાણું મથકો પર રવિવારે સવારે હુમલો કર્યો છે. આ સાથે ઈઝરાયલ ઈરાન યુદ્ધમાં અમેરિકાએ ઝપલાવ્યું છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સૌથી પહેલા સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરી ઈરાન પર હુમલો કર્યાની જાણકારી આપી હતી. આ દરમિયાન ઈરાને ઈઝરાયલ પર મિસાઇલ એટેક તેજ કરી દીધા છે. જેના કારણે સમગ્ર દેશમાં સાયરન વાગી રહી છે. ધ ગાર્જિયન અનુસાર, લોકોએ જણાવ્યું કે, તેમણે યરુશેલમ અને તેલ અવીવમાં જોરદાર બ્લાસ્ટનો અવાજ સાંભળ્યો છે.
- Jun 22, 2025 12:06 IST
Gujarat Panchayat Election: ગુજરાતમાં આજે 8300થી વધુ પંચાયત ચૂંટણી માટે મતદાન, મહીસાગરમાં મતદારોને અકસ્માત નડ્યો
Gujarat Panchayat Election 2025 Voting: ગુજરાતમાં આજે 8300થી વધુ ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે મતદાન ચાલી રહ્યું છે. ગ્રામ પંચાયતના ચૂંટણી પરિણામ 25 જૂને જાહેર થશે. ...બધું જ વાંચો


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us