Today News Live: વારાણસી એરપોર્ટ પર ઇન્ડિગોની ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ

Gujarat Latest Live News Update Today in Gujarati 23 October 2025: ઇન્ડિગોની એક ફ્લાઇટનું ઉત્તર પ્રદેશના વારાણસીમાં ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું. ફ્લાઇટ કોલકાતાથી શ્રીનગર જઈ રહી હતી.

Gujarat Latest Live News Update Today in Gujarati 23 October 2025: ઇન્ડિગોની એક ફ્લાઇટનું ઉત્તર પ્રદેશના વારાણસીમાં ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું. ફ્લાઇટ કોલકાતાથી શ્રીનગર જઈ રહી હતી.

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
IndiGo flight

ઈન્ડિગો વિમાન - Photo- ANI

Today Latest News Live Update in Gujarati 23 october 2025: ઇન્ડિગોની એક ફ્લાઇટનું ઉત્તર પ્રદેશના વારાણસીમાં ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું. ફ્લાઇટ કોલકાતાથી શ્રીનગર જઈ રહી હતી ત્યારે ફ્લાઇટ દરમિયાન ઇંધણ લીકેજ થયું હોવાનું જાણવા મળ્યું, જેના કારણે કેબિન ક્રૂને ઇમરજન્સી લેન્ડિંગ કરવાનો આદેશ આપવામાં આવ્યો. આ નિર્ણય જોખમી હતો, પરંતુ લેન્ડિંગ સુરક્ષિત હતું અને તમામ મુસાફરોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા.

Advertisment

અહેવાલો અનુસાર, કોલકાતાથી શ્રીનગર જઈ રહેલી ઇન્ડિગોની ફ્લાઇટ 6E-6961 એ બુધવારે વારાણસીના લાલ બહાદુર શાસ્ત્રી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડિંગ કર્યું. ફ્લાઇટમાં ઇંધણ લીકેજ થયું હોવાના અહેવાલ છે, જેના કારણે ક્રૂને ઇમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું.

  • Oct 23, 2025 22:11 IST

    Chhath Puja : છઠ પૂજામાં કઇ વસ્તુઓની પડે છે જરુર? અહીં જુઓ આખી સામગ્રી લિસ્ટ

    Chhath Puja Samagri List 2025 : ચાર દિવસીય છઠ પૂજા તહેવાર નહાય-ખાયથી શરૂ થાય છે અને ઉગતા સૂર્યને અર્ઘ્ય અર્પણ કરીને સમાપ્ત થાય છે. હિન્દુ કેલેન્ડર અનુસાર આ વર્ષનો છઠ તહેવાર 25 ઓક્ટોબરથી શરૂ થાય છે અને 28 ઓક્ટોબરે સમાપ્ત થાય છે ...વધુ વાંચો



  • Oct 23, 2025 19:55 IST

    મહિલા વર્લ્ડ કપ 2025 : સ્મૃતિ મંધાનાની ન્યૂઝીલેન્ડ સામે 88 બોલમાં સદી, બનાવ્યો આ વર્લ્ડ રેકોર્ડ

    મહિલા વર્લ્ડ કપ 2025 : સ્મૃતિ મંધાનાએ ન્યૂઝીલેન્ડ સામેન મેચમાં 95 બોલમાં 4 સિક્સર અને 10 ફોરની મદદથી 109 રન બનાવ્યા હતા. પ્રથમ વિકેટ માટે પ્રતિકા રાવલ સાથે 212 રનની મજબૂત ભાગીદારી કરી હતી. પ્રતિકા રાવલે 134 બોલમાં 13 ફોર અને 2 સિક્સર સાથે 122 રન બનાવ્યા હતા ...વધુ માહિતી



  • Advertisment
  • Oct 23, 2025 18:54 IST

    બિહારમાં વંશવાદી નેતાઓની બોલબાલા, આરજેડીના 42 ટકા ધારાસભ્યો નેતાના પુત્ર, જેડીયુ, ભાજપ અને કોંગ્રેસની શું છે સ્થિતિ, જાણો

    EXCLUSIVE : બિહાર ઘણા પ્રગતિશીલ આંદોલનોનો ગઢ છે, પરંતુ રાજકારણમાં ભાઇ-ભત્રીજાના મામલે પણ રાજ્ય આગળ છે. ઈન્ડિયન એક્સપ્રેસના એક અહેવાલ અનુસાર વર્તમાન 243 સભ્યોની વિધાનસભામાં વંશવાદી નેતાઓનું પ્રભુત્વ છે. 243 સભ્યોની વિધાનસભામાં વંશવાદી નેતાઓની સંખ્યા 70 એટલે કે 28.81 ટકા છે, જે કુલ સંખ્યાના એક ચતુર્થાંશ કરતા વધુ છે ...સંપૂર્ણ વાંચો



  • Oct 23, 2025 17:08 IST

    નેક્સ્ટ જનરેશન બજાજ ચેતક ઇલેક્ટ્રિક સ્કૂટર લોન્ચ પહેલા થયું સ્પોટ, જાણો શું છે મોટા અપડેટ

    Next gen Bajaj Chetak First Look : નેક્સ્ટ જનરેશન બજાજ ચેતક ઇલેક્ટ્રિક સ્કૂટરની પ્રથમ ઝલક એટલે કે સ્પાય શોટ્સ (Spy Shots) સામે આવ્યા છે. કંપનીએ હજી સુધી લોન્ચિંગની સત્તાવાર તારીખ જાહેર કરી નથી પણ એવું માનવામાં આવે છે કે આ નવું ચેતક 2026 માં ભારતીય રસ્તાઓ પર આવી શકે છે ...સંપૂર્ણ વાંચો



  • Oct 23, 2025 16:34 IST

    કડવા નહીં પણ અમૃત છે આ પાન, લિવરથી લઇને ડાયાબિટીસ સુધીની કરે છે સારવાર!

    health news gujarati : આયુર્વેદિક નિષ્ણાત આચાર્ય બાલકૃષ્ણના જણાવ્યા અનુસાર લીમડાના પાન, લીમડાની છાલ, જ્યૂસ અથવા પાવડરમાં એવા ગુણો હોય છે જે લિવરની કામગીરીને સુધારવામાં મદદ કરે છે ...સંપૂર્ણ વાંચો



  • Oct 23, 2025 15:26 IST

    રોહિત શર્મા-વિરાટ કોહલી માટે મુશ્કેલી, આવી રીતે તો નહીં રમી શકે વર્લ્ડ કપ 2027

    World Cup 2027 : ભારતીય ક્રિકેટમાં આ સમયે સૌથી મોટી ચર્ચા એ છે કે રોહિત શર્મા અને વિરાટ કોહલીની વન-ડે કારકિર્દી ક્યાં સુધી ચાલશે? શું આ બંને 2027ના વર્લ્ડ કપ સુધી રમી શકશે? ...સંપૂર્ણ માહિતી



  • Oct 23, 2025 14:18 IST

    Bihar Election : તેજસ્વી યાદવ હશે મહાગઠબંધનનો સીએમ ચહેરો, અશોક ગહેલોતની જાહેરાત

    Bihar Election 2025 : રાજસ્થાનના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા અશોક ગેહલોતે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, "અહીં બેઠેલા બધાએ નિર્ણય લીધો છે કે અમે તેજસ્વી યાદવને આ ચૂંટણીઓમાં મુખ્યમંત્રીના ચહેરા તરીકે સમર્થન આપીએ છીએ. ...વધુ માહિતી



  • Oct 23, 2025 10:27 IST

    Ojas New Bharti 2025 : ભાવનગરમાં સરકારી નોકરી મેળવવાની જોરદાર તક, અહીં વાંચો બધી જ માહિતી

    bmc recruitment 2025 : Ojas New Bharti 2025 અંતર્ગત ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં નોકરીઓની વિગતો, શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, વય મર્યાદા સહિતની મહત્વન માહિતી અહીં આપેલી છે. ...વધુ વાંચો



  • Oct 23, 2025 09:04 IST

    America H1B visa : શું અમેરિકાએ H1B વિઝા નિયમો પર યુ-ટર્ન લીધો? હવે તોતિંગ ફી નહીં ભરવી પડે? ટ્રમ્પની નવી જાહેરાતથી રાહત

    US visa policy : અમેરિકન હિતોના નામે યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા લેવામાં આવેલા તાજેતરના નિર્ણયોને ધ્યાનમાં રાખીને, નવા H1B વિઝા નિયમોની જટિલતા અને વ્યાપક અસરોને કારણે વધુ ફેરફારો થઈ શકે છે. ...સંપૂર્ણ વાંચો



  • Oct 23, 2025 08:57 IST

    Today News Live: દિલ્હીમાં એન્કાઉન્ટરમાં ચાર બિહારી ગુનેગારોનું એન્કાઉન્ટર

    બિહાર પોલીસ અને દિલ્હી પોલીસની સંયુક્ત ટીમે રાજધાનીના રોહિણીમાં બુધવારે સવારે 2:20 વાગ્યે એન્કાઉન્ટરમાં ચાર બિહારી ગુનેગારોને ઠાર કર્યા. આ એન્કાઉન્ટર રોહિણીના બહાદુર શાહ માર્ગ પર ડોક્ટર આંબેડકર ચોકથી પંસાલી ચોક સુધી થયું હતું. અહેવાલો અનુસાર, ગુનેગારો અને પોલીસ વચ્ચે ભારે ગોળીબાર થયો હતો. એવી શંકા છે કે તેઓ બિહાર ચૂંટણી દરમિયાન કોઈ ઘટનાને અંજામ આપવાની યોજના બનાવી રહ્યા હતા.

    આ ગુનેગારોની ઓળખ પણ થઈ ગઈ છે. એન્કાઉન્ટરમાં રંજન પાઠક (25), બિમલેશ મહતો ઉર્ફે બિમલેશ સાહની (25), મનીષ પાઠક (33) અને અમન ઠાકુર (21) ગંભીર રીતે ઘાયલ થયા હતા. ત્યારબાદ તેમને રોહિણીની ડૉ. BSA હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, પરંતુ ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા. તે બધા સિગ્મા ગેંગના સભ્યો હોવાનું કહેવાય છે.



  • Oct 23, 2025 07:17 IST

    Today Weather : ગુજરાત સહિત ઉત્તર ભારતના રાજ્યોમાં વરસાદની સંભાવના, હિમાચલમાં હિમવર્ષાની આગાહી

    Weather Forecast Update Today in Gujarati: દક્ષિણપૂર્વ અરબી સમુદ્ર અને દક્ષિણપશ્ચિમ બંગાળની ખાડી પર બે અલગ અલગ ઓછા દબાણવાળા વિસ્તારો જવાબદાર છે. આ નવી હવામાન પ્રણાલી દક્ષિણ ભારતમાં ભારેથી ખૂબ જ ભારે વરસાદ લાવવાની ધારણા છે. ...વધુ માહિતી



  • Oct 23, 2025 07:16 IST

    Today News Live: વારાણસી એરપોર્ટ પર ઇન્ડિગોની ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ

    ઇન્ડિગોની એક ફ્લાઇટનું ઉત્તર પ્રદેશના વારાણસીમાં ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું. ફ્લાઇટ કોલકાતાથી શ્રીનગર જઈ રહી હતી ત્યારે ફ્લાઇટ દરમિયાન ઇંધણ લીકેજ થયું હોવાનું જાણવા મળ્યું, જેના કારણે કેબિન ક્રૂને ઇમરજન્સી લેન્ડિંગ કરવાનો આદેશ આપવામાં આવ્યો. આ નિર્ણય જોખમી હતો, પરંતુ લેન્ડિંગ સુરક્ષિત હતું અને તમામ મુસાફરોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા.

    અહેવાલો અનુસાર, કોલકાતાથી શ્રીનગર જઈ રહેલી ઇન્ડિગોની ફ્લાઇટ 6E-6961 એ બુધવારે વારાણસીના લાલ બહાદુર શાસ્ત્રી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડિંગ કર્યું. ફ્લાઇટમાં ઇંધણ લીકેજ થયું હોવાના અહેવાલ છે, જેના કારણે ક્રૂને ઇમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું.



બ્રેકિંગ ન્યૂઝ ગુજરાત વિશ્વ દેશ