Today News : ઝારખંડ મુક્તિ મોર્ચાએ મહાગઠબંધનને મુશ્કેલીમાં મુક્યું, બિહારમાં 12 બેઠકોની માંગ કરી

Gujarat Latest News Update Today in Gujarati 24 July 2025: જેએમએમના એક વરિષ્ઠ નેતાએ જણાવ્યું હતું કે હવે સમય આવી ગયો છે કે આરજેડીએ આ ઉપકારનો બદલો વાળવો જોઈએ. અમને ખાતરી છે કે આરજેડી આ વખતે મહાગઠબંધનમાં જેએમએમનો સમાવેશ કરશે અને આગામી ચૂંટણીઓમાં અમને સારી એવી બેઠકો આપશે.

Written by Ankit Patel
Updated : July 24, 2025 22:33 IST
Today News : ઝારખંડ મુક્તિ મોર્ચાએ મહાગઠબંધનને મુશ્કેલીમાં મુક્યું, બિહારમાં 12 બેઠકોની માંગ કરી
ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેન (Facebook)

Today Latest News Update in Gujarati 24 July 2025: આ વર્ષના અંતમાં બિહારમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે. આરજેડીના નેતૃત્વવાળા મહાગઠબંધનમાં સીટોની વહેંચણી પર ચર્ચા શરૂ થઈ ગઈ છે. આ દરમિયાન હેમંત સોરેનની પાર્ટી ઝારખંડ મુક્તિ મોર્ચા (જેએમએમ)એ મહાગઠબંધનને મુશ્કેલીમાં મૂકી દીધું છે. જેએમએમએ 12 બેઠકોની માંગ કરી છે. ઝારખંડમાં જેએમએમનું શાસન છે, જ્યાં હેમંત સોરેન મુખ્યમંત્રી છે. ઝારખંડમાં જેએમએમ ગઠબંધનનું નેતૃત્વ કરી રહી છે, પરંતુ બિહારમાં તેનો સમાવેશ થતો નથી. સૂત્રોએ ધ ઇન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું હતું કે જેએમએમ અને આરજેડી વચ્ચે 243 સભ્યોની બિહાર વિધાનસભાની ચૂંટણી માટે બેઠકોની વહેંચણી અંગે અનૌપચારિક ચર્ચા થઈ છે. જોકે હજુ સુધી આ અંગે બંને પક્ષો વચ્ચે કોઇ ઔપચારિક બેઠક યોજાઇ નથી.

જેએમએમના એક વરિષ્ઠ નેતાએ જણાવ્યું હતું કે હવે સમય આવી ગયો છે કે આરજેડીએ આ ઉપકારનો બદલો વાળવો જોઈએ. અમને ખાતરી છે કે આરજેડી આ વખતે મહાગઠબંધનમાં જેએમએમનો સમાવેશ કરશે અને આગામી ચૂંટણીઓમાં અમને સારી એવી બેઠકો આપશે. જેએમએમના બિહારના મહાસચિવ સીતરમન સિંહે ધ ઇન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું હતું કે પાર્ટીએ આરજેડીને તેની 12 મજબૂત બેઠકોની યાદી આપી છે.

Live Updates

Gujarat Rain : રાજ્યમાં વરસાદનું જોર ઘટ્યું, ફક્ત એક જ તાલુકામાં એક ઇંચથી વધારે વરસ્યો

ગુજરાત વરસાદ : સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગરના આંકડા પ્રમાણે રાજ્યમાં ગુરુવારને 24 જુલાઇના રોજ સવારના 6 થી રાતના 8 વાગ્યા સુધીમાં 72 તાલુકામાં વરસાદ વરસ્યો છે. …બધું જ વાંચો

શું છે શિવ મંદિરનો વિવાદ? જેના પર બે બૌદ્ધ બહુમતી ધરાવતા દેશોમાં શરૂ થયો લોહિયાળ સંઘર્ષ

Thailand Cambodia Conflict: ભારતથી લગભગ 5000 કિમી દૂર દક્ષિણ-પૂર્વ એશિયાના બે પડોશી દેશો થાઇલેન્ડ અને કંબોડિયા વચ્ચે ચાલી રહેલો સરહદ વિવાદ ગુરુવારે લોહિયાળ સંઘર્ષમાં ફેરવાઈ ગયો. …વધુ વાંચો

ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા ઇસુદાન ગઢવી અને ગોપાલ ઇટાલિયાની ધરપકડ થઈ શકે છે: કેજરીવાલ

Arvind Kejriwal Gujarat Visit: અરવિંદ કેજરીવાલે કહ્યું કે ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી પહેલા તેમના પક્ષના નેતાઓ ઇસુદાન ગઢવી અને ગોપાલ ઇટાલિયાની ધરપકડ થઈ શકે છે. …સંપૂર્ણ માહિતી

Today News Live : ઝારખંડ મુક્તિ મોર્ચાએ મહાગઠબંધનને મુશ્કેલીમાં મુક્યું, બિહારમાં 12 બેઠકોની માંગ કરી

આ વર્ષના અંતમાં બિહારમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે. આરજેડીના નેતૃત્વવાળા મહાગઠબંધનમાં સીટોની વહેંચણી પર ચર્ચા શરૂ થઈ ગઈ છે. આ દરમિયાન હેમંત સોરેનની પાર્ટી ઝારખંડ મુક્તિ મોર્ચા (જેએમએમ)એ મહાગઠબંધનને મુશ્કેલીમાં મૂકી દીધું છે. જેએમએમએ 12 બેઠકોની માંગ કરી છે. ઝારખંડમાં જેએમએમનું શાસન છે, જ્યાં હેમંત સોરેન મુખ્યમંત્રી છે. ઝારખંડમાં જેએમએમ ગઠબંધનનું નેતૃત્વ કરી રહી છે, પરંતુ બિહારમાં તેનો સમાવેશ થતો નથી. સૂત્રોએ ધ ઇન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું હતું કે જેએમએમ અને આરજેડી વચ્ચે 243 સભ્યોની બિહાર વિધાનસભાની ચૂંટણી માટે બેઠકોની વહેંચણી અંગે અનૌપચારિક ચર્ચા થઈ છે. જોકે હજુ સુધી આ અંગે બંને પક્ષો વચ્ચે કોઇ ઔપચારિક બેઠક યોજાઇ નથી.

જેએમએમના એક વરિષ્ઠ નેતાએ જણાવ્યું હતું કે હવે સમય આવી ગયો છે કે આરજેડીએ આ ઉપકારનો બદલો વાળવો જોઈએ. અમને ખાતરી છે કે આરજેડી આ વખતે મહાગઠબંધનમાં જેએમએમનો સમાવેશ કરશે અને આગામી ચૂંટણીઓમાં અમને સારી એવી બેઠકો આપશે. જેએમએમના બિહારના મહાસચિવ સીતરમન સિંહે ધ ઇન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું હતું કે પાર્ટીએ આરજેડીને તેની 12 મજબૂત બેઠકોની યાદી આપી છે.

ઋષભ પંત ઇજા છતા ટીમ માટે મેદાનમાં ઉતર્યો, સ્ટેડિયમ તાળીઓથી ગુંજી ઉઠ્યું, જુઓ વીડિયો

ઋષભ પંત વીડિયો : ભારતીય ટીમના વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંતને જમણા પગમાં ફ્રેક્ચર હોવા છતાં બેટિંગ કરવા માટે મેદાનમાં ઉતર્યો છે. પ્રેક્ષકોએ ઉભા થઈને તાળીઓ પાડીને સ્વાગત કર્યું …સંપૂર્ણ માહિતી

India-UK Trade Deal: ભારત અને બ્રિટન વચ્ચે ફ્રી ટ્રેડ એગ્રિમેન્ટ પર હસ્તાક્ષર, હવે સસ્તામાં મળશે આ સામાન

India-UK Trade Deal: ભારત અને બ્રિટેને ગુરુવારે ઐતિહાસિક ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (એફટીએ) પર હસ્તાક્ષર કર્યા. તેનાથી બંને દેશોની બજાર પહોંચમાં નોંધપાત્ર સુધારો થશે અને વાર્ષિક દ્વિપક્ષીય વેપારમાં આશરે 34 અબજ ડોલરનો વધારો થશે …વધુ વાંચો

ઋષભ પંત આખી શ્રેણીમાંથી બહાર, 6 સપ્તાહ આરામ કરવાની સલાહ, 2 વર્ષ પછી આ વિકેટકીપરની ટેસ્ટમાં વાપસી

ઋષભ પંત ઇજા : ઋષભ પંત ઇજાને કારણે ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ સિરીઝમાંથી બહાર થઈ ગયો છે. ધ્રુવ જુરેલ વિકેટકિપિંગની જવાબદારી સંભાળશે …બધું જ વાંચો

Today News Live : ગુજરાતમાં બપોરે 2 વાગ્યા વચ્ચે 53 તાલુકામાં વરસાદ

સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરેલા વરસાદના આંકડા પ્રમાણે આજે 23 જુલાઈ 2025, સવારે 6 વાગ્યાથી બપોરે 2 વાગ્યા સુધીમાં રાજ્યના 53 તાલુકામા વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે વરસાદ નવસારીમાં 0.87 ઈંચ પડ્યો હતો.

Today News Live : ઋષભ પંતને આખી શ્રેણીમાંથી બહાર, ધ્રુવ જુરેલ વિકેટકીપિંગ કરશે

ઇંગ્લેન્ડ સામેની ચોથી ટેસ્ટ મેચના બીજા દિવસે શરૂ થતાં જ ભારતીય ક્રિકેટ ટીમને મોટો ઝટકો લાગ્યો. ઋષભ પંત આખી શ્રેણીમાંથી બહાર છે. માન્ચેસ્ટર ટેસ્ટના પહેલા દિવસે હર્ટ થઈને નિવૃત્ત થયેલા ભારતીય ટેસ્ટ ટીમના વિકેટકીપર ઋષભ પંતને પગના અંગૂઠામાં ફ્રેક્ચર થવાને કારણે છ અઠવાડિયાનો આરામ કરવાની સલાહ આપવામાં આવી છે.

પ્લેઇંગ ઇલેવનમાં એક ખેલાડી ઓછો હોવાથી, ભારતીય ટીમ મેનેજમેન્ટે મેડિકલ ટીમને તપાસ કરવા કહ્યું છે કે જરૂર પડ્યે પેઇનકિલર્સ લીધા પછી પંત બેટિંગ કરી શકે છે કે નહીં. જોકે, ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) ના એક સૂત્રએ ધ ઇન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું હતું કે આની શક્યતા નહિવત્ છે.

Russian Plane missing : રશિયામાં 50 યાત્રીઓ સાથેનું વિમાન ગાયબ, ATC સાથે સંપૂર્ક તૂટ્યો

passenger-plane missing in Russia : રશિયાની રાજ્ય સમાચાર એજન્સી TASS અહેવાલ આપે છે કે વિમાન ટિંડા માટે ઉડાન ભરી હતી પરંતુ ગંતવ્ય સ્થાનની નજીક પહોંચતાની સાથે જ તેનો એર ટ્રાફિક કંટ્રોલ સાથેનો સંપર્ક તૂટી ગયો. એવું કહેવાય છે કે આ વિમાન ચીનની સરહદ નજીક ગુમ થઈ ગયું છે. …અહીં વાંચો

Today News Live : રશિયામાં 50 યાત્રીઓ સાથેનું વિમાન ગાયબ

ચીનની સરહદ નજીક એક પેસેન્જર વિમાન ગુમ થયું છે. વિમાનનો એર ટ્રાફિક કંટ્રોલ સાથેનો સંપર્ક તૂટી ગયો છે. હાલમાં, An-24 નામના આ પેસેન્જર વિમાનમાં લગભગ 50 લોકો સવાર હોવાના અહેવાલ છે.

BOB ભરતી 2025: બેંક ઓફ બરોડામાં મેનેજર સહિતની નોકરીઓ, કોણ કરી શકશે અરજી?

Bank of Baroda Recruitment 2025: બેંક ઓફ બરોડા ભરતી અંતર્ગત વિવિધ પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, વય મર્યાદા, અરજી પ્રક્રિયા સહિતની મહત્વની માહિતી આ લેખમાં વાંચો …વધુ માહિતી

ભારત અને ચીન ગલવાનની કડવી યાદોને ભૂલીને આગળ વધ્યા, મોદી સરકારે ખૂબ જ મહત્વપૂર્ણ નિર્ણય લીધો

India China diplomatic ties : મોદી સરકારે ફરીથી ચીની નાગરિકોને પ્રવાસી વિઝા આપવાનું શરૂ કર્યું છે. ગયા મહિને કૈલાશ માનસરોવર યાત્રા પણ પુનઃસ્થાપિત કરવામાં આવી હતી. …વધુ માહિતી

Today News Live : લંડનમાં ભારતીયો દ્વારા પીએમ મોદીનું ઉષ્માભર્યું સ્વાગત

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બે દિવસના યુકે પ્રવાસ પર છે. તેનો હેતુ બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવવાનો છે. લંડનમાં ભારતીય સમુદાયના સભ્યોએ પ્રધાનમંત્રીનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું. પીએમ મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને લખ્યું, ‘બ્રિટનમાં ભારતીય સમુદાય દ્વારા આપવામાં આવેલા ઉષ્માભર્યા સ્વાગતથી હું અભિભૂત છું. ભારતની પ્રગતિ માટે તેમનો પ્રેમ અને જુસ્સો ખરેખર પ્રોત્સાહક છે.’ ઉપરાંત, આજે ભારત અને બ્રિટન વચ્ચે મુક્ત વેપાર કરાર પર હસ્તાક્ષર થવા જઈ રહ્યા છે. આનાથી ચામડા, જૂતા અને કપડાંની નિકાસ રાહત દરે શક્ય બનશે. જ્યારે બ્રિટનથી વ્હિસ્કી અને કારની આયાત સસ્તી થશે.

Ojas New Bharti 2025 : એન્જિનિયર ઉમેદવારો માટે ગુજરાતમાં નોકરીની ઉત્તમ તક, ₹ 49,600 પગાર

ojas gphc Bharti 2025 in gujarati : ઓજસ નવી ભરતી 2025 અંતર્ગત મદદનીશ ઈજનેર (સિવિલ) વર્ગ-3 પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, વય મર્યાદા,અરજી કરવાની છેલ્લી તારીખ સહિતની મહત્વની માહિતી અહીં વાંચો. …અહીં વાંચો

Gujarat Rain : ગુજરાતમાં વરસાદ ધીમો પડ્યો, 24 કલાકમાં 91 પૈકી 84 તાલુકામાં એક ઈંચ કરતા ઓછો વરસાદ

today 24 July 2025 Gujarat rain fall data in gujarati : ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં વરસાદની વાત કરીએ તો રાજ્યમાં 91 તાલુકામાં હળવાથી ભારે વરસાદ નોંધાયો છે. જોકે, 84 તાલુકામાં પુરો એક ઈંચ પણ વરસાદ નોંધાયો નથી. …અહીં વાંચો

Today News Live : ગુજરાતમાં 24 કલાકમાં 91 તાલુકામાં વરસાદ

સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરેલા વરસાદના આંકડા પ્રમાણે આજે 23 જુલાઈ 2025, સવારે 6 વાગ્યાથી 24 જુલાઈ સવારે 6 વાગ્યાના 24 કલાકના સમયગાળામાં રાજ્યના 91 તાલુકામાં વરસાદ પડ્યો હતો. જેમાં સૌથી વધારે વરસાદ વલસાડના ધરમપુર અને પારડીમાં અનુક્રમે 2.13 ઈંચ અને 1.89 ઈંચ નોંધાયો હતો.

Today News Live : PM મોદીનો બ્રિટન પ્રવાસ, ભારત અને યુકે વચ્ચે મુક્ત વેપાર કરાર પર હસ્તાક્ષર થશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી બ્રિટનના બે દિવસના પ્રવાસે છે. ત્યારે આજે ગુરુવારે બ્રિટનના પ્રધાનમંત્રી કીએર સ્ટાર્મર સાથે દ્વિપક્ષીય બેઠક થશે. બંને દેશો વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારીની પ્રગતિ પર પણ ચર્ચા કરશે અને વેપાર, અર્થતંત્ર, ટેકનોલોજી, નવીનતા, સુરક્ષા, આબોહવા પરિવર્તન, આરોગ્ય, શિક્ષણ અને લોકો-થી-લોકોના સંબંધો પર ચર્ચા કરશે. પદ સંભાળ્યા પછી વડા પ્રધાનની આ યુકેની ચોથી મુલાકાત હશે.

24 જુલાઈના રોજ ભારત અને યુકે વચ્ચે મુક્ત વેપાર કરાર પર હસ્તાક્ષર કરવામાં આવશે. આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલ પણ વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે લંડનમાં રહેશે. વેપાર કરારમાં ચામડા, ફૂટવેર અને કપડાં જેવા શ્રમ-સઘન ઉત્પાદનોની નિકાસ પરના કરને દૂર કરવાનો પ્રસ્તાવ છે, જ્યારે યુકેમાંથી વ્હિસ્કી અને કારની આયાત સસ્તી બનાવવામાં આવશે, જેથી બંને અર્થતંત્રો વચ્ચેનો વેપાર 2030 સુધીમાં બમણો થઈને US $ 120 બિલિયન થઈ શકે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ