Today News : મણિપુરમાં રાષ્ટ્રપતિ શાસન 6 મહિના માટે લંબાવાયું, સરકાર બનાવવાના પ્રયાસોને ફટકો

Today Latest News Update in Gujarati 25 July 2025: કેન્દ્ર સરકારે લાંબા સમયથી અશાંતિમાં રહેલા મણિપુરમાં રાષ્ટ્રપતિ શાસનનો સમયગાળો લંબાવ્યો છે. આ સંબંધિત એક પ્રસ્તાવ લોકસભામાં રજૂ કરવામાં આવ્યો છે અને હવે તે રાજ્યસભામાં રજૂ થવાનો છે.

Today Latest News Update in Gujarati 25 July 2025: કેન્દ્ર સરકારે લાંબા સમયથી અશાંતિમાં રહેલા મણિપુરમાં રાષ્ટ્રપતિ શાસનનો સમયગાળો લંબાવ્યો છે. આ સંબંધિત એક પ્રસ્તાવ લોકસભામાં રજૂ કરવામાં આવ્યો છે અને હવે તે રાજ્યસભામાં રજૂ થવાનો છે.

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
Amit Shah, અમિત શાહ

કેન્દ્રીય મંત્રી અમિત શાહ (તસવીર - અમિત શાહ ટ્વિટર સ્ક્રિનગ્રેબ)

Today Latest News Update in Gujarati 25 July 2025: કેન્દ્ર સરકારે લાંબા સમયથી અશાંતિમાં રહેલા મણિપુરમાં રાષ્ટ્રપતિ શાસનનો સમયગાળો લંબાવ્યો છે. આ સંબંધિત એક પ્રસ્તાવ લોકસભામાં રજૂ કરવામાં આવ્યો છે અને હવે તે રાજ્યસભામાં રજૂ થવાનો છે. કેન્દ્રીય ગૃહમંત્રી શુક્રવારે રાજ્યસભામાં આ પ્રસ્તાવ મૂકશે. મણિપુરમાં પરિસ્થિતિ સતત બગડતી રહ્યા બાદ, કેન્દ્ર સરકારે આ વર્ષે 13 ફેબ્રુઆરીએ રાષ્ટ્રપતિ શાસન લાદ્યું હતું. અગાઉ, એન. બિરેન સિંહે મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપવું પડ્યું હતું. હવે રાષ્ટ્રપતિ શાસનનો સમયગાળો તેની સમયમર્યાદા પૂર્ણ થાય તે પહેલાં લંબાવવામાં આવી રહ્યો છે.

Advertisment
  • Jul 25, 2025 23:36 IST

    જો રુટે 38મી સદી ફટકારી સંગાકારાની બરાબરી કરી, આ મામલે પોન્ટિંગને પાછળ રાખ્યો, હવે ફક્ત સચિન જ આગળ

    Joe Root Record : માન્ચેસ્ટરમાં ભારત સામેની ચોથી ટેસ્ટના ત્રીજા દિવસે જો રૂટે પોતાની ટેસ્ટ કારકિર્દીની 38મી સદી ફટકારી ઘણા રેકોર્ડ પોતાના નામે કર્યા ...અહીં વાંચો



  • Jul 25, 2025 22:17 IST

    Gujarat Rain : દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, કપરાડામાં 6.34 ઇંચ વરસાદ

    Gujarat Rain Weather Forecast Update : સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગરના આંકડા પ્રમાણે રાજ્યમાં શુક્રવારને 25 જુલાઇના રોજ સવારના 6 થી સાંજના 6 વાગ્યા સુધીમાં 54 તાલુકામાં વરસાદ વરસ્યો છે. ...વધુ માહિતી



  • Advertisment
  • Jul 25, 2025 17:10 IST

    ક્રિકેટર યશ દયાલ ફરી મુશ્કેલીમાં મુકાયો, હવે સગીરાએ બળાત્કારનો આરોપ લગાવ્યો, જયપુરમાં FIR

    Yash Dayal : જયપુર પોલીસે આરસીબીના ફાસ્ટ બોલર યશ દયાલ વિરુદ્ધ એક સગીરા પર બળાત્કાર કરવાના આરોપમાં એફઆઈઆર દાખલ કરી છે. આ પહેલા ગાઝિયાબાદની એક મહિલાએ યૌન શોષણનો આરોપ લગાવ્યો હતો
    ...વધુ વાંચો



  • Jul 25, 2025 16:33 IST

    OTT Platforms Ban: આપત્તિજનક અને અશ્લીલ કોન્ટેન્ટ પર સરકારનું મોટું એક્શન, Ullu એપ સહિત 24 પ્લેટફોર્મ પર પ્રતિબંધ, જુઓ આખું લિસ્ટ

    Government OTT Platforms Ban News in Gujarati: કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રાલયે ઉલ્લુ, ઓલ્ટ સહિત 24 એપ્સ પર પ્રતિબંધ મૂક્યો છે. માહિતી અને પ્રસારણ મંત્રાલયે પોર્નોગ્રાફિક સામગ્રી અને વાંધાજનક જાહેરાતો દર્શાવતી એપ્સને ઓળખીને આ નિર્ણય લીધો છે. ...સંપૂર્ણ માહિતી



  • Jul 25, 2025 10:55 IST

    Rajasthan School Building Collapsed: રાજસ્થાનમાં સરકારી શાળાની ઇમારત ધરાશાયી, 4 બાળકોના મોત, 17 ઘાયલ

    Rajasthan Government School Building Collapsed News: રાજસ્થાનના ઝાલાવાડમાં શુક્રવારે સવારે એક સરકારી શાળાની ઇમારત ધરાશાયી થઈ. પ્રારંભિક માહિતી અનુસાર, છત તૂટી પડવાથી 60 થી વધુ બાળકો કાટમાળ નીચે દટાયા છે. ...સંપૂર્ણ માહિતી



  • Jul 25, 2025 08:32 IST

    Gujarat Rain : ગુજરાતમાં વરસાદ નરમ પડ્યો, 24 કલાકમાં માત્ર 2 તાલુકામાં દોઢ ઈંચ સુધી વરસાદ નોંધાયો

    today 25 July 2025 Gujarat rain fall data in gujarati : ગુજરાતમાં 24 કલાકમાં માત્ર 2 જ તાલુકામાં દોઢ ઈંચ સુધી જ વરસાદ નોંધાયો છે. બીજી તરફ વરસાદ પડવાના તાલુકાઓની સંખ્યામાં પણ ઘટાડો નોંધાયો છે. ...વધુ વાંચો



  • Jul 25, 2025 08:12 IST

    Today News Live: ગુજરાતમાં 24 કલાકમાં 83 તાલુકામાં વરસાદ

    સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરેલા વરસાદના આંકડા પ્રમાણે આજે 24 જુલાઈ 2025, સવારે 6 વાગ્યાથી 25 જુલાઈ સવારે 6 વાગ્યાના 24 કલાકના સમયગાળામાં રાજ્યના 83 તાલુકામાં વરસાદ પડ્યો હતો.જેમાં સૌથી વધારે વરસાદ તાપીના વ્યારામાં 1.22 ઈંચ અને વલસાડના ધરમપુરમાં 1.02 ઈંચ વરસાદ નોંધાયો હતો.



  • Jul 25, 2025 08:12 IST

    Today News Live: મણિપુરમાં રાષ્ટ્રપતિ શાસન 6 મહિના માટે લંબાવાયું

    કેન્દ્ર સરકારે લાંબા સમયથી અશાંતિમાં રહેલા મણિપુરમાં રાષ્ટ્રપતિ શાસનનો સમયગાળો લંબાવ્યો છે. આ સંબંધિત એક પ્રસ્તાવ લોકસભામાં રજૂ કરવામાં આવ્યો છે અને હવે તે રાજ્યસભામાં રજૂ થવાનો છે. કેન્દ્રીય ગૃહમંત્રી શુક્રવારે રાજ્યસભામાં આ પ્રસ્તાવ મૂકશે. મણિપુરમાં પરિસ્થિતિ સતત બગડતી રહ્યા બાદ, કેન્દ્ર સરકારે આ વર્ષે 13 ફેબ્રુઆરીએ રાષ્ટ્રપતિ શાસન લાદ્યું હતું. અગાઉ, એન. બિરેન સિંહે મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપવું પડ્યું હતું. હવે રાષ્ટ્રપતિ શાસનનો સમયગાળો તેની સમયમર્યાદા પૂર્ણ થાય તે પહેલાં લંબાવવામાં આવી રહ્યો છે.



બ્રેકિંગ ન્યૂઝ ગુજરાત વિશ્વ દેશ