Today News : સીઝફાયર પછી પ્રથમ નિવેદનમાં ઇરાનના સુપ્રીમ લીડરે કહ્યું - અમે અમેરિકાના મોઢા પર તમાચો માર્યો છે

Today Latest News Update in Gujarati 26 June 2025: ઈરાનના સર્વોચ્ચ લીડર ખામેનીએ એવો દાવો પણ કર્યો છે કે અમેરિકાને તેના હુમલાઓથી કંઇ મળ્યું નથી. તેઓએ ચેતવણી આપી છે કે જો અમેરિકા ભવિષ્યમાં ફરી હુમલો કરવાનો પ્રયાસ કરશે તો તેની ભારે કિંમત ચૂકવવી પડશે

Today Latest News Update in Gujarati 26 June 2025: ઈરાનના સર્વોચ્ચ લીડર ખામેનીએ એવો દાવો પણ કર્યો છે કે અમેરિકાને તેના હુમલાઓથી કંઇ મળ્યું નથી. તેઓએ ચેતવણી આપી છે કે જો અમેરિકા ભવિષ્યમાં ફરી હુમલો કરવાનો પ્રયાસ કરશે તો તેની ભારે કિંમત ચૂકવવી પડશે

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
Iran-Israel Conflict

Israel-Iran War: ઈરાનના સુપ્રીમ લીડર આયાતુલ્લાહ અલી ખામેની - photo- X @khamenei_ir

Today Latest News Update in Gujarati 26 June 2025: ઈરાનના સર્વોચ્ચ લીડર આયાતુલ્લાહ અલી ખામેનીએ સીઝફાયર પછી પ્રથમ નિવેદન આપ્યું છે. અમેરિકા પર નિશાન સાધતા તેમણે કહ્યું છે કે અમે અમેરિકાને મોઢા પર તમાચો માર્યો છે. તેમણે એવો દાવો પણ કર્યો છે કે અમેરિકાને તેના હુમલાઓથી કંઇ મળ્યું નથી. તેઓએ ચેતવણી આપી છે કે જો અમેરિકા ભવિષ્યમાં ફરી હુમલો કરવાનો પ્રયાસ કરશે તો તેની ભારે કિંમત ચૂકવવી પડશે. ખામેનીએ પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે ઇઝરાયેલને બચાવવા યુદ્ધમાં ઝંપલાવનાર અમેરિકાને ઇરાનના લોકોએ જોરદાર તમાચો માર્યો છે. હું સ્પષ્ટ કરી દઉં કે ઈરાન ક્યારેય અમેરિકા સામે સરેન્ડર થવાનું નથી અને ભવિષ્યમાં જો હુમલો કરવાનો પ્રયાસ કરવામાં આવશે તો અમેરિકી સૈન્ય મથક પર હુમલો કરવામાં આવશે. પોતાના નિવેદનમાં ખામેનીએ વધુમાં દાવો કર્યો હતો કે તેમના દેશે મોટી જીત મેળવી છે.

Advertisment

હવે જ્યારે તમે ફોન કરો છો ત્યારે અમિતાભ બચ્ચનની કોલર ટ્યુન તમને સંભળાશે નહીં

છેલ્લા કેટલાક સમયથી, ચાહકો અમિતાભ બચ્ચનની લગભગ દરેક પોસ્ટ પર ટિપ્પણી કરી રહ્યા હતા કે તેઓ ફોન પર તેમના અવાજથી કંટાળી ગયા છે, તેથી તેમણે બોલવાનું બંધ કરી દેવું જોઈએ. જેના પર અમિતાભ બચ્ચને જવાબ આપ્યો કે 'સરકારને કહો, મને નહીં, જ્યારે સરકારે કહ્યું ત્યારે અમે તે કર્યું.' હવે એવું લાગે છે કે લોકોનો અવાજ યોગ્ય જગ્યાએ પહોંચ્યો છે, કારણ કે આ કોલર ટ્યુન હવે સરકારે બંધ કરી દીધી છે.

દેશમાં વધતા સાયબર ગુનાઓને કારણે, ભારત સરકારે ટેલિકોમ કંપનીઓને દરેક કોલ પર જાગૃતિ સંદેશાઓ વગાડવાનો નિર્દેશ આપ્યો હતો, જેથી લોકો નકલી કોલ અને ઓનલાઈન છેતરપિંડીથી બચી શકે. આ માટે, અમિતાભ બચ્ચનના શક્તિશાળી અવાજનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. જેમાં તેઓ વપરાશકર્તાઓને ચેતવણી આપતા હતા કે તેઓ કોલ્સ અથવા સંદેશાઓ પર OTP શેર ન કરો.

Advertisment

ટ્રમ્પે ફરી ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામનો શ્રેય લીધો

યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર એ જ નિવેદનનું પુનરાવર્તન કર્યું છે જેના કારણે ભારતમાં હોબાળો મચી ગયો છે. ટ્રમ્પે કહ્યું છે કે ગયા મહિને ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંઘર્ષ દરમિયાન તેમણે યુદ્ધવિરામ કરાવ્યો હતો. ભારતમાં કોંગ્રેસ આ બાબતે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને સતત પ્રશ્નો પૂછી રહી છે. કેન્દ્ર સરકાર દ્વારા સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે યુદ્ધવિરામમાં ત્રીજા પક્ષની કોઈ ભૂમિકા નહોતી.

ટ્રમ્પના મતે, "કદાચ તે બધા (યુદ્ધો)માંથી સૌથી મહત્વપૂર્ણ ભારત અને પાકિસ્તાન હતા, મેં ફોન કરીને તેને સમાપ્ત કર્યું અને કહ્યું કે જો તમે એકબીજા સાથે લડશો તો અમે કોઈપણ પ્રકારનો વેપાર સોદો કરીશું નહીં. પાકિસ્તાનના આર્મી ચીફ જનરલ અસીમ મુનીર તાજેતરમાં વ્હાઇટ હાઉસ આવ્યા હતા. વડા પ્રધાન નરેન્દ્ર મોદી મારા સારા મિત્ર છે, તેમણે કહ્યું હતું કે અમે વેપાર સોદો ઇચ્છીએ છીએ…અમે પરમાણુ યુદ્ધ બંધ કર્યું."

  • Jun 26, 2025 23:20 IST

    ભગવાન જગન્નાથની રથયાત્રામાં કરો આ 5 કામ, ભાગ્ય ચમકી ઉઠશે

    Rath Yatra 2025: રથયાત્રામાં સામેલ થવા અને કેટલાક વિશેષ ઉપાયો કરવાથી ભક્તોને મોક્ષની પ્રાપ્તિ થાય છે. નકાકાત્મક ઊર્જા દૂર થાય છે અને ભાગ્યના દરવાજા ખુલી જાય છે. ...સંપૂર્ણ વાંચો



  • Jun 26, 2025 22:23 IST

    Surya Grahan 2025 Date : આ દિવસે જોવા મળશે વર્ષનું અંતિમ સૂર્ય ગ્રહણ, શું ભારતમાં દેખાશે, જાણો

    Surya Grahan (Solar Eclipse) 2025 Date : સૂર્યગ્રહણ એક ખગોળીય ઘટના છે અને દુનિયાભરના ખગોળશાસ્ત્રીઓ તેની રાહ જોઈ રહ્યા છે. જાણો 2025નું બીજુ અને અંતિમ સૂર્યગ્રહણ ક્યારે જોવા મળશે ...વધુ માહિતી



  • Jun 26, 2025 21:30 IST

    EXPRESS ADDA માં દિલ્હીના સીએમ રેખા ગુપ્તાએ કહ્યું - અગાઉની સરકારો દિલ્હીના વિકાસ વિશે ચિંતિત ન હતી

    Delhi Cm Rekha Gupta EXPRESS ADDA : દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા ગુરુવારે ધ ઈન્ડિયન એક્સપ્રેસના કાર્યક્રમ EXPRESS ADDA માં મહેમાન બન્યા હતા. આ કાર્યક્રમમાં તેમણે ધ ઇન્ડિયન એક્સપ્રેસના નેશનલ ઓપિનિયન એડિટર વંદિતા મિશ્રાના સવાલોના જવાબ આપ્યા હતા ...બધું જ વાંચો



  • Jun 26, 2025 20:21 IST

    જસપ્રીત બુમરાહ એજબેસ્ટન ટેસ્ટમાં નહીં રમે! ભારત પાસે શું છે રિપ્લેસમેન્ટ વિકલ્પ અને બોલિંગ પ્લાન?

    ind vs eng edgbaston test : શુભમન ગિલની આગેવાની હેઠળની ટીમને એજબેસ્ટન ટેસ્ટમાં બુમરાહ વિના જ જવું પડી શકે છે. હેડિંગ્લેમાં 44 ઓવર નાંખ્યા બાદ જસપ્રીત બુમરાહ એજબેસ્ટનમાં રમાનારી બીજી ટેસ્ટ માટે બહાર બેસવાનું નિશ્ચિત છે. બીજી ટેસ્ટ 2 જુલાઇથી રમાશે ...વધુ વાંચો



  • Jun 26, 2025 18:13 IST

    સીઝફાયર પછી પ્રથમ નિવેદનમાં ઇરાનના સુપ્રીમ લીડરે કહ્યું - અમે અમેરિકાના મોઢા પર તમાચો માર્યો છે

    ઈરાનના સર્વોચ્ચ લીડર ખામેનીએ સીઝફાયર પછી પ્રથમ નિવેદન આપ્યું છે. અમેરિકા પર નિશાન સાધતા તેમણે કહ્યું છે કે અમે અમેરિકાને મોઢા પર તમાચો માર્યો છે. તેમણે એવો દાવો પણ કર્યો છે કે અમેરિકાને તેના હુમલાઓથી કંઇ મળ્યું નથી. તેઓએ ચેતવણી આપી છે કે જો અમેરિકા ભવિષ્યમાં ફરી હુમલો કરવાનો પ્રયાસ કરશે તો તેની ભારે કિંમત ચૂકવવી પડશે. ખામેનીએ પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે ઇઝરાયેલને બચાવવા યુદ્ધમાં ઝંપલાવનાર અમેરિકાને ઇરાનના લોકોએ જોરદાર તમાચો માર્યો છે. હું સ્પષ્ટ કરી દઉં કે ઈરાન ક્યારેય અમેરિકા સામે સરેન્ડર થવાનું નથી અને ભવિષ્યમાં જો હુમલો કરવાનો પ્રયાસ કરવામાં આવશે તો અમેરિકી સૈન્ય મથક પર હુમલો કરવામાં આવશે. પોતાના નિવેદનમાં ખામેનીએ વધુમાં દાવો કર્યો હતો કે તેમના દેશે મોટી જીત મેળવી છે.



  • Jun 26, 2025 16:51 IST

    અમિત શાહે કહ્યું - હિન્દી કોઇ ભાષાની દુશ્મન ના હોઇ શકે, આપણી ભાષાઓ ભારતને એક કરવા માટે શક્તિશાળી માધ્યમ બને

    Amit Shah : અમિત શાહે કહ્યું કે હું પૂરા દિલથી માનું છું કે હિન્દી કોઈ પણ ભારતીય ભાષાની દુશ્મન ન હોઈ શકે. હિન્દી એ બધી ભારતીય ભાષાઓની મિત્ર છે અને હિન્દી અને ભારતીય ભાષાઓ સાથે મળીને આપણા સ્વાભિમાન કાર્યક્રમને તેના અંતિમ ધ્યેય સુધી લઈ જઈ શકે છે ...બધું જ વાંચો



  • Jun 26, 2025 14:26 IST

    today News Live : હવે જ્યારે તમે ફોન કરો છો ત્યારે અમિતાભ બચ્ચનની કોલર ટ્યુન તમને સંભળાશે નહીં

    છેલ્લા કેટલાક સમયથી, ચાહકો અમિતાભ બચ્ચનની લગભગ દરેક પોસ્ટ પર ટિપ્પણી કરી રહ્યા હતા કે તેઓ ફોન પર તેમના અવાજથી કંટાળી ગયા છે, તેથી તેમણે બોલવાનું બંધ કરી દેવું જોઈએ. જેના પર અમિતાભ બચ્ચને જવાબ આપ્યો કે 'સરકારને કહો, મને નહીં, જ્યારે સરકારે કહ્યું ત્યારે અમે તે કર્યું.' હવે એવું લાગે છે કે લોકોનો અવાજ યોગ્ય જગ્યાએ પહોંચ્યો છે, કારણ કે આ કોલર ટ્યુન હવે સરકારે બંધ કરી દીધી છે.

    દેશમાં વધતા સાયબર ગુનાઓને કારણે, ભારત સરકારે ટેલિકોમ કંપનીઓને દરેક કોલ પર જાગૃતિ સંદેશાઓ વગાડવાનો નિર્દેશ આપ્યો હતો, જેથી લોકો નકલી કોલ અને ઓનલાઈન છેતરપિંડીથી બચી શકે. આ માટે, અમિતાભ બચ્ચનના શક્તિશાળી અવાજનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. જેમાં તેઓ વપરાશકર્તાઓને ચેતવણી આપતા હતા કે તેઓ કોલ્સ અથવા સંદેશાઓ પર OTP શેર ન કરો.



  • Jun 26, 2025 14:24 IST

    today News Live : ‘પાણી ક્યાંય જશે નહીં…’, બિલાવલ ભુટ્ટોની ધમકીઓ પર કેન્દ્રીય જળ ઉર્જા મંત્રી સીઆર પાટીલની સ્પષ્ટતા

    પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારતે સિંધુ જળ સંધિ સ્થગિત કરી દીધી હતી. પાકિસ્તાનના ભૂતપૂર્વ વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટોએ કહ્યું હતું કે જો ભારત સિંધુ જળ સંધિ સ્થગિત કરશે અને નદીનું પાણી વાળવાનો અથવા બંધ બનાવવાનો પ્રયાસ કરશે, તો ભારત સામે યુદ્ધ લડવામાં આવશે. હવે આ અંગે કેન્દ્રીય જળ ઉર્જા મંત્રી સીઆર પાટીલની પ્રતિક્રિયા સામે આવી છે. તેમણે કહ્યું કે પાણી ક્યાંય જશે નહીં.

    મીડિયા સાથેની વાતચીતમાં કેન્દ્રીય જળ ઉર્જા મંત્રી સીઆર પાટીલે કહ્યું, ‘હું તમને એક જ વાક્યમાં કહી શકું છું કે પાણી ક્યાંય જશે નહીં. બિલાવલ જે કહે છે તે તેમનો પ્રશ્ન છે. તેમણે ત્યાં પોતાનું રાજકારણ કરવાનું છે. તેથી તેઓ કંઈ પણ કહેતા રહી શકે છે. તેમણે ધમકી પણ આપી હતી કે જો પાણી નહીં વહે તો લોહી વહેશે. તમે આ સાંભળ્યું જ હશે. આપણે આવી ધમકીઓથી ડરતા પણ નથી. પરંતુ કેટલીક વાતો યોગ્ય સમયે જ સારી લાગે છે. તેથી તેનો સમયસર જવાબ મળવો સારી વાત છે.’



  • Jun 26, 2025 11:10 IST

    SCO Summit 2025: આતંકવાદના ઠેકાણા હવે સેફ નથી, ચીનની ધરતી પર રાજનાથ સિંહે પાકને સંભળાવી ખરી ખોટી

    Rajnath Singh at SCO Summit 2025: રાજનાથ સિંહે આતંકવાદ પર કડક સંદેશ આપ્યો હતો અને એપ્રિલમાં પહેલગામ આતંકવાદી હુમલાને પગલે પાકિસ્તાનની આકરી ટીકા કરી હતી. ...વધુ વાંચો



  • Jun 26, 2025 11:00 IST

    Uttarakhand Bus Accident: મુસાફરોથી ભરેલી બસ અલકનંદા નદીમાં પડી, ઘણા લોકો ડૂબ્યા, રેસ્ક્યૂ ચાલું

    Rudraprayag Bus Accident News: ત્તરાખંડમાં બદ્રીનાથ હાઇવે પર ઘોલથીર નજીક ગુરુવારે 18 લોકોને લઈ જતી એક પેસેન્જર બસ અલકનંદા નદીમાં પડી. આ અકસ્માતમાં અત્યાર સુધીમાં એક વ્યક્તિનું મોત થયું છે અને સાત લોકો ઘાયલ થયા છે. ...સંપૂર્ણ વાંચો



  • Jun 26, 2025 09:55 IST

    today News Live : મુસાફરોથી ભરેલી બસ અલકનંદા નદીમાં પડી

    ઉત્તરાખંડમાં બદ્રીનાથ હાઇવે પર ઘોલથીર નજીક ગુરુવારે 18 લોકોને લઈ જતી એક પેસેન્જર બસ અલકનંદા નદીમાં પડી. આ અકસ્માતમાં અત્યાર સુધીમાં એક વ્યક્તિનું મોત થયું છે અને સાત લોકો ઘાયલ થયા છે. ANI અનુસાર, SDRF, પોલીસ અને વહીવટી ટીમો બચાવ કામગીરી ચલાવી રહી છે.

    પોલીસ મુખ્યાલયના પ્રવક્તા IG નિલેશ આનંદ ભરણેએ સમાચાર એજન્સી ANIને જણાવ્યું હતું કે, 'રુદ્રપ્રયાગ જિલ્લાના ઘોલથીર વિસ્તારમાં એક બસ નિયંત્રણ બહાર જઈને અલકનંદા નદીમાં પડી ગઈ. અત્યાર સુધી મળેલી માહિતી અનુસાર, બસમાં 18 લોકો સવાર હતા. ગઢવાલ ડિવિઝનલ કમિશનર વિનય શંકર પાંડેએ જણાવ્યું હતું કે, 'રુદ્રપ્રયાગ જિલ્લાના ઘોલથીરમાં 18 સીટર બસ અલકનંદા નદીમાં પડી જતાં એક વ્યક્તિનું મોત થયું છે અને સાત લોકો ઘાયલ થયા છે. SDRF, પોલીસ અને વહીવટી ટીમો બચાવ કામગીરી માટે ઘટનાસ્થળે હાજર છે.'



  • Jun 26, 2025 09:22 IST

    today News Live : આમ આદમી પાર્ટીના ઉમેશ મકવાણા ધારાસભ્ય પદેથી રાજીનામું આપશે

    વિસાવદર પેટા ચૂંટણી પરથી ગોપાલ ઈટાલિયાની જીત બાદ આમ આદમી પાર્ટી વધુ એક ધારાસભ્ય મળ્યા છે. ત્યારે બીજી તરફ બોટાદના ધારાસભ્યો ઉમેશ મકવાણા ધારાસભ્ય પદેથી રાજીનામુ આપશે એવી અટકળો ચાલી રહી છે. પાર્ટીથી નારાજ હોવાનું કારણ પણ સામે આવ્યું છે.



  • Jun 26, 2025 08:28 IST

    today News Live : રથયાત્રા પૂર્વે આજે ગુરુવારે ભગવાન જગન્નાથ 'સોનાવેશ' ધારણ કરશે

    અમદાવાદમાં અષાઢી બીજના દિવસે અમદાવાદમાં ભગવાન જગન્નાથની 148મી રથયાત્રા નીકળશે. ભગવાન આ દિવસે નગરચર્ચાએ નીકળશે. જ્યારે આ પૂર્વે એટલે કે આજે ગુરુવારે ભગવાન જગન્નાથ સોનાના વસ્ત્રો ધારણ કરશે. આજે સોનાના આભૂષણોથી ભગવાન જગન્નાથને શણગારવામાં આવશે.



  • Jun 26, 2025 08:25 IST

    today News Live : ગોત્રી મેડિકલ કોલેજના બે વિદ્યાર્થીઓનું કેનાલમાં ડૂબતા મોત

    વડોદરાની ગોત્રી મેડિકલ કોલેજના બે વિદ્યાર્થીઓનું નર્મદા કેનાલમાં ડૂબી જતાં મોત થયું હતું. વડોદરાની ગોત્રી મેડિકલ કોલેજના બે વિદ્યાર્થીઓ કેનાલ પાસે ફરવા ગયા હતા ને અચાનક કેનાલમાં ડૂબી જતા બન્નેના મોત થયા.



  • Jun 26, 2025 07:37 IST

    today News Live : ટ્રમ્પે ફરી ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામનો શ્રેય લીધો

    યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર એ જ નિવેદનનું પુનરાવર્તન કર્યું છે જેના કારણે ભારતમાં હોબાળો મચી ગયો છે. ટ્રમ્પે કહ્યું છે કે ગયા મહિને ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંઘર્ષ દરમિયાન તેમણે યુદ્ધવિરામ કરાવ્યો હતો. ભારતમાં કોંગ્રેસ આ બાબતે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને સતત પ્રશ્નો પૂછી રહી છે. કેન્દ્ર સરકાર દ્વારા સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે યુદ્ધવિરામમાં ત્રીજા પક્ષની કોઈ ભૂમિકા નહોતી.

    ટ્રમ્પના મતે, "કદાચ તે બધા (યુદ્ધો)માંથી સૌથી મહત્વપૂર્ણ ભારત અને પાકિસ્તાન હતા, મેં ફોન કરીને તેને સમાપ્ત કર્યું અને કહ્યું કે જો તમે એકબીજા સાથે લડશો તો અમે કોઈપણ પ્રકારનો વેપાર સોદો કરીશું નહીં. પાકિસ્તાનના આર્મી ચીફ જનરલ અસીમ મુનીર તાજેતરમાં વ્હાઇટ હાઉસ આવ્યા હતા. વડા પ્રધાન નરેન્દ્ર મોદી મારા સારા મિત્ર છે, તેમણે કહ્યું હતું કે અમે વેપાર સોદો ઇચ્છીએ છીએ...અમે પરમાણુ યુદ્ધ બંધ કર્યું."



બ્રેકિંગ ન્યૂઝ ગુજરાત વિશ્વ દેશ