Today Latest News Update in Gujarati 27 August 2025: બિહારના મંત્રી શ્રવણ કુમાર નાલંદાના માલવણ ગામમાં 9 લોકોના મોત બાદ શોક વ્યક્ત કરવા પહોંચ્યા ત્યારે સ્થાનિક લોકોએ તેમના પર હુમલો કર્યો. આ ઘટના દરમિયાન ગુસ્સે ભરાયેલા ગ્રામજનોએ પથ્થરમારો કર્યો, જેના કારણે મંત્રી અને સ્થાનિક ધારાસભ્યને પોતાનો જીવ બચાવવા માટે લગભગ એક કિલોમીટર સુધી દોડવું પડ્યું. ગ્રામજનોએ મંત્રી અને તેમના સુરક્ષા કર્મચારીઓનો પીછો કર્યો. આ હુમલામાં એક બોડીગાર્ડ ઘાયલ થયો છે.