/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/04/maharashtra-makes-hindi-compulsory-language.jpg)
મહારાષ્ટ્રમાં હિન્દી ભણવી ફરજિયાત - Photo - freepik
Today Latest News Update in Gujarati 27 June 2025: ઠાકરે પરિવારના બે પિતરાઈ ભાઈઓ, ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરે, જેઓ લગભગ વીસ વર્ષથી અલગ રાજકીય માર્ગે ચાલી રહ્યા છે, હવે એક જ મંચ પર જોવા મળશે. તેનું કારણ મહારાષ્ટ્રની શાળાઓમાં હિન્દી ભાષા લાદવાનો કથિત પ્રયાસ છે. રાજ્યમાં નવા શૈક્ષણિક સત્રની શરૂઆત સાથે, ત્રણ ભાષાના સૂત્ર હેઠળ પ્રાથમિક શિક્ષણમાં હિન્દી લાગુ કરવાની યોજના સામે વિરોધનું મોજું ઉભું થયું છે. આ વિરોધથી મરાઠી ઓળખના નામે ઠાકરે ભાઈઓ ફરી નજીક આવ્યા છે.
શિવસેના (ઉદ્ધવ જૂથ) અને મહારાષ્ટ્ર નવનિર્માણ સેના એટલે કે મનસે નેતાઓ આ જ મુદ્દા પર વિરોધ કરવાના છે. મનસે વડા રાજ ઠાકરે 5 જુલાઈએ રેલી કાઢશે, જ્યારે મરાઠી સંકલન સમિતિ દ્વારા 7 જુલાઈએ ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વમાં એક મોટી કૂચનું આયોજન કરવામાં આવશે. રસપ્રદ વાત એ છે કે, શરૂઆતમાં રાજ ઠાકરેએ તેમની રેલીની તારીખ 6 જુલાઈ નક્કી કરી હતી, પરંતુ બાદમાં આ તારીખ બદલીને 5 જુલાઈ કરવામાં આવી હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ ફેરફાર ઉદ્ધવ ઠાકરેના જૂથના સૂચન પર થયો છે, જે બંને વચ્ચે સંકલન દર્શાવે છે.
1 જુલાઈએ વોશિંગ્ટન ડીસીમાં ક્વાડની મહત્વપૂર્ણ બેઠક યોજાશે
આજનો દિવસ સમાચારની દ્રષ્ટિએ મહત્વપૂર્ણ છે કારણ કે આજે ઓડિશાના પુરીથી ગુજરાતના અમદાવાદ સુધી ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળી છે. તો બીજી તરફ ક્વાડ સમિટ બેઠક 01 જુલાઈના રોજ વોશિંગ્ટન ડીસી, યુએસએમાં યોજાશે. ભારત, જાપાન, અમેરિકા અને ઓસ્ટ્રેલિયાના પ્રતિનિધિઓ તેમાં ભાગ લેશે.
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ જગન્નાથ યાત્રા પર ટ્વીટ કર્યું
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ટ્વીટ કર્યું કે પવિત્ર રથયાત્રા નિમિત્તે, હું દેશ અને વિદેશમાં રહેતા મહાપ્રભુ જગન્નાથના ભક્તોને મારી હાર્દિક શુભકામનાઓ પાઠવું છું. લાખો ભક્તો બડે ઠાકુર બલભદ્ર, મહાપ્રભુ શ્રી જગન્નાથ, દેવી સુભદ્રા અને ચક્રરાજ સુદર્શનને રથ પર બેઠેલા જોઈને દિવ્ય અનુભવ મેળવે છે. આ દિવ્ય સ્વરૂપોનો માનવીય ખેલ રથયાત્રાની વિશેષતા છે. આ શુભ પ્રસંગે, મહાપ્રભુ શ્રી જગન્નાથને મારી પ્રાર્થના છે કે સમગ્ર વિશ્વમાં શાંતિ, મિત્રતા અને સ્નેહનું વાતાવરણ રહે.
- Jun 27, 2025 23:22 IST
આંતરડામાં સોજો હોવા પર પેટમાં ઝડપથી બને છે ગેસ, આ 5 ફૂડને ડાયેટનો ભાગ બનાવો, થશે સુધારો
Health Tips : આંતરડા આપણા પાચનતંત્રનો મહત્વનો ભાગ છે. ચાલો જાણીએ કે આંતરડામાં સારા બેક્ટેરિયા વધારવા અને આંતરડાને સ્વસ્થ રાખવા માટે કયા ખોરાકનું સેવન કરવું જરૂરી છે ...સંપૂર્ણ વાંચો
- Jun 27, 2025 22:26 IST
અમદાવાદ રથયાત્રામાં હાથી બેકાબૂ કેમ થયા? ઝૂ સુપ્રિન્ટેન્ડેન્ટે જણાવ્યા કારણ
Ahmedabad Rath Yatra 2025 Elephant Runs Amok: અમદાવાદમાં જગન્નાથ રથયાત્રામાં 3 હાથી બેકાબુ થતા અફરાતફરી મચી હતી. ગુસ્સે ભરાયેલા રસ્તાઓ પર દોડવા લાગ્યા હતા. મહાવત અને વેટરનિટી સ્ટાફે મહામહેનતે હાથીને કાબુમાં લીધા હતા. ...વધુ વાંચો
- Jun 27, 2025 21:51 IST
ટી 20 ક્રિકટમાં પાવરપ્લે નિયમમાં ફેરફાર, ઓવર કટ થવા પર લાગુ થશે, આસાન રીતે સમજો
ICC New PowerPlay Overs Rules : આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદે ટી-20માં પાવરપ્લેના નવા નિયમોની જાહેરાત કરી હતી. આ નિયમ વરસાદ થવા પર કે અન્ય કોઈ કારણોસર ઓવરો ઓછી કરાશે ત્યારે લાગુ પડશે ...બધું જ વાંચો
- Jun 27, 2025 20:21 IST
કોલકાતા ગેંગરેપ કેસ, પીડિતાએ સંભળાવી દર્દનાક આપવીતી
Kolkata Rape Case: પશ્ચિમ બંગાળની રાજ્ય સરકાર દ્વારા સંચાલિત કોલકાતા લૉ કોલેજમાં એક વિદ્યાર્થિની ઉપર ગેંગરેપ થયો છે. પોલીસે ત્રણ વ્યક્તિઓની ધરપકડ કરી છે, જેમાંથી બે કોલેજના વિદ્યાર્થીઓ છે જ્યારે એક એક ભૂતપૂર્વ વિદ્યાર્થી છે. 25 જૂનની રાત્રે પીડિતાની સાથે શું થયું તે અંગે તેણે વિસ્તારથી ખુલાસો કર્યો ...વધુ માહિતી
- Jun 27, 2025 16:49 IST
Today News Live : સરહદ વિવાદનો 'કાયમી' ઉકેલ! રાજનાથ સિંહની ચીનના મંત્રી સાથે મહત્વપૂર્ણ મુલાકાત
સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ હાલમાં SCO સમિટમાં ભાગ લેવા માટે ચીનમાં છે. આ પ્રસંગે તેમણે ચીનના સંરક્ષણ મંત્રી એડમિરલ ડોંગ જુનને પણ મળ્યા. આ બેઠક દરમિયાન, LAC વિવાદ પર વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી, અને બંને દેશો વચ્ચે સહયોગ કેવી રીતે વધારવો તે અંગે પણ વિચાર-વિમર્શ કરવામાં આવ્યો હતો.
મોટી વાત એ છે કે પહેલીવાર કોઈ નિવેદનમાં 'કાયમી ડી-એસ્કેલેશન' શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો છે. અત્યાર સુધી, પરસ્પર વિશ્વાસને માધ્યમ બનાવીને ફક્ત વાતચીત દ્વારા શાંતિ સ્થાપિત કરવાની વાત કરવામાં આવી હતી, પરંતુ આ પહેલીવાર છે જ્યારે 'કાયમી ડી-એસ્કેલેશન' શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો છે. એવું અનુમાન કરવામાં આવી રહ્યું છે કે હવે કોઈ મોટો નિર્ણય પણ લઈ શકાય છે.
- Jun 27, 2025 16:40 IST
Today News Live : ગુજરાતમાં સાંજના 4 વાગ્યા સુધીમાં 131 તાલુકામાં વરસાદ, બેકલાકમાં કચ્છમાં 2.28 ઈંચ વરસાદ
ગુજરાત સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવેલા વરસાદના આંકડા પ્રમાણે આજે 27 જૂન 2025, સવારે 6થી બપોરે 4 વાગ્યા સુધીમાં 131તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે વરસાદ કચ્છના માંડવી તાલુકામાં 2.28 ઈંચ નોંધાયો હતો. આ ઉપરાંત દેવભૂમી દ્વારકા, વલસાડ જિલ્લાના તાલુકામાં પણ વધારે વરસાદ નોંધાયો હતો.
- Jun 27, 2025 16:36 IST
Today News Live : કોલકાતામાં કોલેજ કેમ્પસમાં કાયદાની વિદ્યાર્થિની પર ગેંગરેપ, બે વિદ્યાર્થિનીઓ સહિત ત્રણની ધરપકડ
કોલકાતાના કસ્બા વિસ્તારમાં કાયદાની વિદ્યાર્થિની પર કથિત ગેંગરેપના સંદર્ભમાં ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ ઘટના બુધવારે સાંજે 7.30 થી 8.50 વાગ્યાની વચ્ચે બની હોવાનું કહેવાય છે. NDTVના અહેવાલ મુજબ, ધરપકડ કરાયેલા ત્રણમાંથી બે વિદ્યાર્થિનીઓ છે. ત્રીજી ભૂતપૂર્વ વિદ્યાર્થિની છે.
- Jun 27, 2025 14:52 IST
Today News Live : મહેસાણા દૂધસાગર ડેરીની બોર્ડ મિટિંગમાં હોબાળો, વાઈસ ચેરમન પર હુમલો
દૂધસાગર ડેરીની મિટિંગમાં ભ્રષ્ટાચાર મુદ્દે સવાલો કરનાર વાઇસ ચેરમેન યોગેશભાઈ પટેલ પર ચેરમેન અશોકભાઈ ચૌધરી અને દિલીપભાઈ ચૌધરી એ હુમલો કરીને મારામારી કરી સોનાની ચેન અને ચશ્મા તોડી નાંખ્યા. મહેસાણા બી.ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ માટે અરજી કરાઈ.
- Jun 27, 2025 14:32 IST
Today News Live : છેલ્લા બે કલાકમાં ગુજરાતમાં 41 તાલુકામાં વરસાદ
ગુજરાત સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવેલા વરસાદના આંકડા પ્રમાણે આજે 27 જૂન 2025, સવારે 6થી બપોરે 2 વાગ્યા સુધીમાં 113 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે વરસાદ વલસાડના પારડીમાં 1.61 ઈંચ નોંધાયો હતો. આ ઉપરાંત જૂનાગઢ, તાપી અને ગીર સોમનાથમાં નોંધાયો હતો.
- Jun 27, 2025 13:12 IST
Today News Live : મહારાષ્ટ્રની શાળાઓમાં હિન્દી વિરુદ્ધ ઉદ્ધવ અને રાજ ઠાકરે સંયુક્ત રીતે માર્ચ કાઢશે
ઠાકરે પરિવારના બે પિતરાઈ ભાઈઓ, ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરે, જેઓ લગભગ વીસ વર્ષથી અલગ રાજકીય માર્ગે ચાલી રહ્યા છે, હવે એક જ મંચ પર જોવા મળશે. તેનું કારણ મહારાષ્ટ્રની શાળાઓમાં હિન્દી ભાષા લાદવાનો કથિત પ્રયાસ છે. રાજ્યમાં નવા શૈક્ષણિક સત્રની શરૂઆત સાથે, ત્રણ ભાષાના સૂત્ર હેઠળ પ્રાથમિક શિક્ષણમાં હિન્દી લાગુ કરવાની યોજના સામે વિરોધનું મોજું ઉભું થયું છે. આ વિરોધથી મરાઠી ઓળખના નામે ઠાકરે ભાઈઓ ફરી નજીક આવ્યા છે.
શિવસેના (ઉદ્ધવ જૂથ) અને મહારાષ્ટ્ર નવનિર્માણ સેના એટલે કે મનસે નેતાઓ આ જ મુદ્દા પર વિરોધ કરવાના છે. મનસે વડા રાજ ઠાકરે 5 જુલાઈએ રેલી કાઢશે, જ્યારે મરાઠી સંકલન સમિતિ દ્વારા 7 જુલાઈએ ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વમાં એક મોટી કૂચનું આયોજન કરવામાં આવશે. રસપ્રદ વાત એ છે કે, શરૂઆતમાં રાજ ઠાકરેએ તેમની રેલીની તારીખ 6 જુલાઈ નક્કી કરી હતી, પરંતુ બાદમાં આ તારીખ બદલીને 5 જુલાઈ કરવામાં આવી હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ ફેરફાર ઉદ્ધવ ઠાકરેના જૂથના સૂચન પર થયો છે, જે બંને વચ્ચે સંકલન દર્શાવે છે.
- Jun 27, 2025 12:32 IST
Today News Live : છેલ્લા બે કલાકમાં ગુજરાતમાં 41 તાલુકામાં વરસાદ
ગુજરાત સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવેલા વરસાદના આંકડા પ્રમાણે આજે 27 જૂન 2025, સવારે 10થી બપોરે 12 વાગ્યા સુધીમાં બે કલાકામાં 41 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે વરસાદ સુરત શહેર અને સુરત જિલ્લામાં નોંધાયો હતો.
- Jun 27, 2025 12:12 IST
GPSC Recruitment 2025 : ગુજરાત સરકારમાં નોકરીઓની બમ્પર ભરતી, વાંચો A to Z માહિતી
GPSC Ojas Recruitment 2025 :ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી અંતર્ગત વિવિધ પોસ્ટની વિગતો, વય મર્યાદા, પગાર ધોરણ, અરજી પ્રક્રિયા, છેલ્લી તારીખ સહિતની મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ સમાચાર છેલ્લે સુધી વાંચવા. ...વધુ માહિતી
- Jun 27, 2025 10:01 IST
Today News Live : અમદાવાદના મેયરે રથયાત્રા અંગે શું કહ્યું?
આજે અમદાવાદમાં 148 મી રથયાત્રા નીકળી છે ત્યારે આ અવસરે અમદાવાદના મેયરે જણાવ્યું હતું કે ભગવાન જગન્નાથજી ભાઈ બલરામજી અને બહેન સુભદ્રાજી સાથે નગરજનોને દર્શન આપવા નરગચર્યાએ નીકળ્યા છે. આ નગરયાત્રા છે તેમાં આજે ભગવાનના સ્વાગત સાથે મહામંડલેશ્વર દિલિપદાસજીનું ભાવભર્યું સ્વાગત અમદાવાદ મહાનગરપાલિકા અને નગરજનો દ્વારા કરવામાં આવ્યું છે. ભગવાન જગન્નાથજીના આશીર્વાદ સમગ્ર વર્ષ દરમિયાન નગરજનો અને અમદાવાદ પર રહે તેવી ભગવાનને પ્રાર્થનના કરું છું.
- Jun 27, 2025 09:17 IST
Today News Live : કર્ણાટકમાં પાંચ વાઘના મોત
કર્ણાટકમાં વન મંત્રી ઈશ્વર ખાંડરેએ કહ્યું કે માલે મહાદેશ્વર હિલ્સમાં એક માદા વાઘ અને ચાર શાવકો સહિત પાંચ વાઘના મોત થયા છે. મેં ઉચ્ચ સ્તરીય તપાના આદેશ આવ્યા છે. આ ઘટનાથી હું સ્તબ્ધ અને દુઃખી છું. સ્થાપિત પ્રોટોકોલસ અનુસાર પોસ્ટમોર્ટમ કરવામાં આવશે.
- Jun 27, 2025 09:08 IST
Today News Live : બેંકોના પ્રમુખોને મળશે નાણાંમંત્રી
નાણાંમંત્રી નિર્મલા સીતારમણ આજે સાર્વજનીક ક્ષેત્રની બેંકોના પ્રમુખો સાથે મુલાકાત કરશે. બેંકોના ફાઈનાશિયલ પરફોર્મન્સ અને સરકારી યોજનાઓની સમીક્ષા કરશે.
- Jun 27, 2025 08:59 IST
Today News Live : રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ જગન્નાથ યાત્રા પર ટ્વીટ કર્યું
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ટ્વીટ કર્યું કે પવિત્ર રથયાત્રા નિમિત્તે, હું દેશ અને વિદેશમાં રહેતા મહાપ્રભુ જગન્નાથના ભક્તોને મારી હાર્દિક શુભકામનાઓ પાઠવું છું. લાખો ભક્તો બડે ઠાકુર બલભદ્ર, મહાપ્રભુ શ્રી જગન્નાથ, દેવી સુભદ્રા અને ચક્રરાજ સુદર્શનને રથ પર બેઠેલા જોઈને દિવ્ય અનુભવ મેળવે છે. આ દિવ્ય સ્વરૂપોનો માનવીય ખેલ રથયાત્રાની વિશેષતા છે. આ શુભ પ્રસંગે, મહાપ્રભુ શ્રી જગન્નાથને મારી પ્રાર્થના છે કે સમગ્ર વિશ્વમાં શાંતિ, મિત્રતા અને સ્નેહનું વાતાવરણ રહે.
- Jun 27, 2025 08:58 IST
today News Live : 1 જુલાઈએ વોશિંગ્ટન ડીસીમાં ક્વાડની મહત્વપૂર્ણ બેઠક યોજાશે
ક્વાડ સમિટ બેઠક 01 જુલાઈના રોજ વોશિંગ્ટન ડીસી, યુએસએમાં યોજાશે. ભારત, જાપાન, અમેરિકા અને ઓસ્ટ્રેલિયાના પ્રતિનિધિઓ તેમાં ભાગ લેશે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us