Today News : ‘Enough Is Enough, 'હવે અમે સુદર્શન ચક્ર ઉપાડી લીધું છે ', રાજનાથની પાકિસ્તાનને ચેતવણી

Today Latest News Update in Gujarati 28 July 2025: દેશના સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે સંસદમાં ઓપરેશન સિંદૂર વિશે માહિતી આપી છે. તેમણે આ લશ્કરી કાર્યવાહી અંગેના દરેક પ્રશ્નના જવાબ આપ્યા છે. તેમણે જણાવ્યું છે કે કેવી રીતે 22 મિનિટમાં પાકિસ્તાનને યોગ્ય જવાબ આપવામાં આવ્યો હતો.

Today Latest News Update in Gujarati 28 July 2025: દેશના સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે સંસદમાં ઓપરેશન સિંદૂર વિશે માહિતી આપી છે. તેમણે આ લશ્કરી કાર્યવાહી અંગેના દરેક પ્રશ્નના જવાબ આપ્યા છે. તેમણે જણાવ્યું છે કે કેવી રીતે 22 મિનિટમાં પાકિસ્તાનને યોગ્ય જવાબ આપવામાં આવ્યો હતો.

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
Operation sindoor rajnath

લોકસભા ચોમાસું સત્રમાં રાજનાથ સિંહનું નિવેદન- photo- jansatta

Today Latest News Update in Gujarati 28 July 2025: દેશના સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે સંસદમાં ઓપરેશન સિંદૂર વિશે માહિતી આપી છે. તેમણે આ લશ્કરી કાર્યવાહી અંગેના દરેક પ્રશ્નના જવાબ આપ્યા છે. તેમણે જણાવ્યું છે કે કેવી રીતે 22 મિનિટમાં પાકિસ્તાનને યોગ્ય જવાબ આપવામાં આવ્યો હતો.

Advertisment

રાજનાથ સિંહે કહ્યું કે આપણા લશ્કરી નેતૃત્વએ માત્ર પોતાની પરિપક્વતા જ દર્શાવી નથી. ઓપરેશન સિંદૂર હાથ ધરતા પહેલા, આપણી સેનાએ દરેક પાસાઓનો અભ્યાસ કર્યો હતો. અમારી પાસે ઘણા વિકલ્પો હતા, પરંતુ અમે એવા વિકલ્પો પસંદ કર્યા જેનાથી આતંકવાદી ઠેકાણાઓને મહત્તમ નુકસાન થાય અને પાકિસ્તાનના સામાન્ય લોકોને નુકસાન ન થાય. સેનાની સ્ટ્રાઇકે 9 આતંકવાદી ઠેકાણાઓને ચોકસાઈથી નષ્ટ કર્યા, એક અંદાજ મુજબ, 100 થી વધુ આતંકવાદીઓ માર્યા ગયા. આ ફક્ત એક અંદાજ છે, આ આંકડો આનાથી ઘણો વધારે હોઈ શકે છે.

  • Jul 28, 2025 23:28 IST

    લોકસભામાં વિદેશ મંત્રીએ કહ્યું - ‘22 એપ્રિલથી 17 જૂન વચ્ચે મોદી-ટ્રમ્પ વચ્ચે કોઇ વાતચીત થઇ નથી’

    Operation Sindoor Debate : વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યું કે 10 મેના રોજ અનેક દેશોએ ભારતનો સંપર્ક કર્યો અને કહ્યું કે પાકિસ્તાન સીઝફાયર માટે તૈયાર છે. આ પછી ભારતે સ્પષ્ટ કર્યું હતું કે તે સીઝફાયરના પ્રસ્તાવ પર ત્યારે જ વિચાર કરશે જ્યારે તેને પાકિસ્તાનની ડાયરેક્ટર જનરલ ઓફ મિલિટરી ઓપરેશન્સ (ડીજીએમઓ) ચેનલ દ્વારા ભારતની સામે રાખવામાં આવશે ...વધુ માહિતી



  • Jul 28, 2025 22:15 IST

    Redmi Note 14 SE 5G : ભારતમાં રેડમીનો નવો 5જી સ્માર્ટફોન લોન્ચ, જાણો કિંમત, ફિચર્સ અને બધી ડિટેલ્સ

    Redmi Note 14 SE 5G : ભારતમાં લાંબી રાહ જોયા બાદ રેડમી નોટ 14 સીરીઝનો સસ્તો સ્માર્ટફોન Redmi Note 14 SE લોન્ચ કરવામાં આવ્યો છે. આ સ્માર્ટફોનની સેલ 7 ઓગસ્ટ 2025ના રોજ ફ્લિપકાર્ટ પર બપોરે 12 વાગ્યાથી શરૂ થશે ...વધુ માહિતી



  • Advertisment
  • Jul 28, 2025 19:58 IST

    Gujarat Rain : રાજ્યમાં ધમાકેદાર મેઘમહેર, ઉમરપાડામાં પોણા પાંચ ઇંચ વરસાદ

    Gujarat Rain, ગુજરાત વરસાદ : સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગરના આંકડા પ્રમાણે રાજ્યમાં સોમવારને 28 જુલાઇના રોજ સવારના 6 થી સાંજના 6 વાગ્યા સુધીમાં 132 તાલુકામાં વરસાદ વરસ્યો છે. ...સંપૂર્ણ વાંચો



  • Jul 28, 2025 18:27 IST

    સંસદમાં રક્ષા મંત્રી રાજનાથ સિંહે કહ્યું - આજનું ભારત સક્ષમ અને આત્મનિર્ભર, કોઈ પણ દબાણ સામે ઝૂકવાનું નથી

    Rajnath Singh Operation Sindoor Speech: દેશના રક્ષા મંત્રી રાજનાથ સિંહે સંસદમાં ઓપરેશન સિંદૂર વિશે માહિતી આપી છે. તેમણે આ સૈન્ય અભિયાન અંગેના દરેક સવાલના જવાબ આપ્યા ...સંપૂર્ણ માહિતી



  • Jul 28, 2025 17:52 IST

    વિદ્યાર્થિની આત્મહત્યા બાદ અમદાવાદની 1,800 શાળાઓમાં રાજ્ય સરકાર ખાસ પ્રોજેક્ટ શરૂ કરશે

    અમદાવાદની એક ખાનગી શાળાની ધોરણ 10 ની વિદ્યાર્થિનીએ આત્મહત્યા કરી હોવાના તાજેતરના કિસ્સાને ધ્યાનમાં રાખીને જિલ્લા શિક્ષણ અધિકારીઓએ આગામી શનિવારથી શહેરની તમામ 1,800 ખાનગી શાળાઓના પાંચ લાખથી વધુ વિદ્યાર્થીઓને આવરી લેતી એક ખાસ કાઉન્સેલિંગ ઝુંબેશ શરૂ કરવાનો નિર્ણય લીધો છે.
    ...સંપૂર્ણ વાંચો



  • Jul 28, 2025 15:08 IST

    Operation Mahadev: જમ્મુ અને કાશ્મીરના લિડવાસમાં સેનાનું 'ઓપરેશન મહાદેવ' ચાલુ, 3 આતંકવાદીઓ ઠાર

    Operation Mahadev news in gujarati : જમ્મુ અને કાશ્મીરના લિડવાસમાં સેનાનું ઓપરેશન મહાદેવ ચાલુ છે. ચિનાર કોર્પ્સે એક નિવેદનમાં ફક્ત એટલું જ કહ્યું છે કે સંપર્ક સ્થાપિત થયો છે અને ઓપરેશન હજુ પણ ચાલુ છે. ...અહીં વાંચો



  • Jul 28, 2025 14:53 IST

    Today News Live: હવે અમે સુદર્શન ચક્ર ઉપાડી લીધું છે...', રાજનાથની પાકિસ્તાનને ચેતવણી

    દેશના સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે સંસદમાં ઓપરેશન સિંદૂર વિશે માહિતી આપી છે. તેમણે આ લશ્કરી કાર્યવાહી અંગેના દરેક પ્રશ્નના જવાબ આપ્યા છે. તેમણે જણાવ્યું છે કે કેવી રીતે 22 મિનિટમાં પાકિસ્તાનને યોગ્ય જવાબ આપવામાં આવ્યો હતો.

    રાજનાથ સિંહે કહ્યું કે આપણા લશ્કરી નેતૃત્વએ માત્ર પોતાની પરિપક્વતા જ દર્શાવી નથી. ઓપરેશન સિંદૂર હાથ ધરતા પહેલા, આપણી સેનાએ દરેક પાસાઓનો અભ્યાસ કર્યો હતો. અમારી પાસે ઘણા વિકલ્પો હતા, પરંતુ અમે એવા વિકલ્પો પસંદ કર્યા જેનાથી આતંકવાદી ઠેકાણાઓને મહત્તમ નુકસાન થાય અને પાકિસ્તાનના સામાન્ય લોકોને નુકસાન ન થાય. સેનાની સ્ટ્રાઇકે 9 આતંકવાદી ઠેકાણાઓને ચોકસાઈથી નષ્ટ કર્યા, એક અંદાજ મુજબ, 100 થી વધુ આતંકવાદીઓ માર્યા ગયા. આ ફક્ત એક અંદાજ છે, આ આંકડો આનાથી ઘણો વધારે હોઈ શકે છે.



  • Jul 28, 2025 14:47 IST

    Today News Live: જમ્મુ અને કાશ્મીરના લિડવાસમાં સેનાનું 'ઓપરેશન મહાદેવ'

    જમ્મુ અને કાશ્મીરના લિડવાસમાં સેનાનું ઓપરેશન મહાદેવ ચાલુ છે. ચિનાર કોર્પ્સે એક નિવેદનમાં ફક્ત એટલું જ કહ્યું છે કે સંપર્ક સ્થાપિત થયો છે અને ઓપરેશન હજુ પણ ચાલુ છે. સેનાએ કહ્યું છે કે અત્યાર સુધીમાં ત્રણ આતંકવાદીઓ માર્યા ગયા છે. કેટલાક મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ઘેરાયેલા આતંકવાદીઓનો પહેલગામ હુમલા સાથે સંબંધ હોઈ શકે છે.



  • Jul 28, 2025 14:20 IST

    Today News Live: ગુજરાતમાં સવારે 6થી બપોરે 2 વાગ્યા માં 131 તાલુકામાં વરસાદ નોંધાયો

    સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગરે આપેલા વરસાદના આંકડા પ્રમાણે 28 જુલાઈ 2025 સવારે 6 વાગ્યાથી લઈને બપોરે 12 વાગ્યા સુધીમાં 6 કલાકમાં રાજ્યના 131 તાલુકામાં વરસાદ નોંધાયો હતો.જેમાં સૌથી વધાર વરસાદ છોટા ઉદેપુરના બોડેલીમાં 2.80 ઈંચ વરસાદ નોંધાયો હતો.જ્યારે સુરતના ઉમરપાડામાં 2.48 ઈંચ વરસાદ નોંધાયો હતો.



  • Jul 28, 2025 12:27 IST

    Today News Live: ગુજરાતમાં સવારે 6થી બપોરે 12 માં 128 તાલુકામાં વરસાદ નોંધાયો

    સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગરે આપેલા વરસાદના આંકડા પ્રમાણે 28 જુલાઈ 2025 સવારે 6 વાગ્યાથી લઈને બપોરે 12 વાગ્યા સુધીમાં 6 કલાકમાં રાજ્યના 128 તાલુકામાં વરસાદ નોંધાયો હતો.જેમાં સૌથી વધાર વરસાદ છોટા ઉદેપુરના બોડેલીમાં 2.36 ઈંચ વરસાદ નોંધાયો હતો.જ્યારે સુરતના ઉમરપાડામાં 2.28 ઈંચ અને દાહોદના ગરબાડામાં 2.05 ઈંચ વરસાદ નોંધાયો હતો.



  • Jul 28, 2025 11:52 IST

    UPSC Recruitment 2025: સારા પગારવાળી સરકારી નોકરી મેળવવાની વધુ એક તક, અહીં વાંચો સંપૂર્ણ માહિતી

    UPSC સહાયક નિયામક ભરતી 2025 : UPSC ભરતી 2025 અંતર્ગત સહાયક નિયામકની પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, અરજી પ્રક્રિયા સહિતની મહત્વની માહિતી અહીં વાંચો. ...બધું જ વાંચો



  • Jul 28, 2025 11:13 IST

    Today News Live: કોંગ્રેસની માનસિકતા પ્રતિબિંબિત કરે છે - અનુરાગ ઠાકુર

    ઓપરેશન સિંદૂર પર પી ચિદમ્બરમના નિવેદન પર, ભાજપના સાંસદ અનુરાગ ઠાકુરે કહ્યું, "જ્યારે પણ પાકિસ્તાન અને આતંકવાદની વાત થાય છે, ત્યારે પાકિસ્તાન પણ રાહુલ ગાંધીની કોંગ્રેસ જેટલું પોતાનો બચાવ કરતું નથી. કોંગ્રેસને પાકિસ્તાનનો પક્ષ લેવાની શું મજબૂરી છે? ભૂતપૂર્વ ગૃહમંત્રીનું આવું નિવેદન કોંગ્રેસની માનસિકતા દર્શાવે છે."



  • Jul 28, 2025 10:12 IST

    શ્રાવણના સોમવારે ઉત્તર પ્રદેશના બારાબંકીમાં શિવમંદિરમાં ભાગદોડ, બે શ્રદ્ધાળુઓના મોત, 29 ઘાયલ

    uttar Pradesh Barabanki electric shock death : ઉત્તર પ્રદેશના બારાબંકી જિલ્લામાં શ્રાવણ માસના પહેલા સોમવારે એટલે કે રવિવારે મોડી રાત્રે લગભગ 2 વાગ્યે જલાભિષેક દરમિયાન આ અકસ્માત થયો હતો, જ્યારે હજારો શ્રદ્ધાળુઓ દર્શન માટે મંદિરમાં હાજર હતા. ...સંપૂર્ણ વાંચો



  • Jul 28, 2025 09:45 IST

    Weekly Government Bharti 2025: GSSSBથી લઈને SBI સુધીની અરજી પ્રક્રિયા થશે બંધ, ફટાફટ વાંચી લો

    Government bharti online apply last date : આ સપ્તાહમાં ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળથી લઈને સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા સુધીની વિવિધ સરકારી નોકરીઓ માટેની અરજી પ્રક્રિયા બંધ થશે. આ સપ્તાહમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, કચ્છ જિલ્લાની ભરતીઓ પણ બંધ થવા જઈ રહી છે. ...બધું જ વાંચો



  • Jul 28, 2025 09:03 IST

    Today News Live: પંજાબના નૈના દેવી મંદિરથી પરત ફરી રહેલા શ્રદ્ધાળુઓને લઈ જતી પિકઅપ કાર નહેરમાં પડી, 2 બાળકો સહિત 4 લોકોના મોત

    પંજાબના લુધિયાણા જિલ્લામાં મોડી રાત્રે એક મોટો માર્ગ અકસ્માત થયો. હિમાચલ પ્રદેશના માતા નૈના દેવી મંદિરથી પરત ફરી રહેલા શ્રદ્ધાળુઓથી ભરેલી મહિન્દ્રા પિકઅપ કાર માલેરકોટલા રોડ પર જાગેરા નહેર પુલ પર સંતુલન ગુમાવીને નહેરમાં પડી ગઈ. આ દુ:ખદ માર્ગ અકસ્માતમાં બે બાળકો સહિત ચાર લોકોના ઘટનાસ્થળે જ મોત થયા છે, જ્યારે 3 થી 4 લોકો હજુ પણ ગુમ છે. જણાવવામાં આવી રહ્યું છે કે પિકઅપમાં 24 થી 26 લોકો હતા, જે લુધિયાણાના માનકવાલ ગામના રહેવાસી છે. અકસ્માત સમયે આ વાહન ઓવરલોડેડ હતું. વાહનને ઓવરટેક કરતી વખતે વાહન સંતુલન ગુમાવ્યું અને સીધું નહેરમાં પડી ગયું.



  • Jul 28, 2025 08:56 IST

    Today News Live: ગુજરાતમાં સવારે 6થી 8માં 87 તાલુકામાં વરસાદ નોંધાયો

    સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગરે આપેલા વરસાદના આંકડા પ્રમાણે 28 જુલાઈ 2025 સવારે 6 વાગ્યાથી લઈને સવારે 8 વાગ્યા સુધીમાં બે કલાકમાં રાજ્યના 87 તાલુકામાં વરસાદ નોંધાયો હતો.જેમાં સૌથી વધાર વરસાદ સુરતના ઉમરપાડામાં 1.54 ઈંચ અને દાહોદના ગરબાડામાં 1.34 ઈંચ વરસાદ નોંધાયો હતો.



  • Jul 28, 2025 08:12 IST

    Gujarat Rain : ખેડામાં મેઘાની ધબધબાટી, નડિયાદમાં 10.43 ઈંચ ખાબક્યો, 24 કલાકમાં ગુજરાતમાં ક્યાં કેટલો પડ્યો વરસાદ?

    today 28 July 2025 Gujarat rain fall data in gujarati : ગુજરાતમાં 24 કલાકમાં પડેલા વરસાદની વાત કરીએ તો આખા ખેડામાં મેધા ધબધબાટી બોલાવી હતી. જેમાં ખાસ કરીને રાજ્યનો સૌથી વધારે વરસાદ નડિયાદમાં 10.43 ઈંચ નોંધાયો હતો. ...વધુ વાંચો



  • Jul 28, 2025 08:03 IST

    Today News Live: 24 કલાકમાં 198 તાલુકામાં વરસાદ નોંધાયો

    સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગરે આપેલા વરસાદના આંકડા પ્રમાણે 27 જુલાઈ 2025 સવારે 6 વાગ્યાથી લઈને 28 જુલાઈ 2025 સવારે 6 વાગ્યા સુધીમાં 24 કલાકમાં રાજ્યના 198 તાલુકામાં વરસાદ નોંધાયો હતો.જેમાં બે તાલુકામાં 10 ઈંચ ઉપર વરસાદ નોંધાયો હતો.જ્યારે 5 તાલુકા એવા છે જેમાં 5 ઈંચથી લઈને 10 ઈંચ વચ્ચે વરસાદ નોંધાયો હતો.



  • Jul 28, 2025 07:49 IST

    Today News Live: 24 કલાકમાં ખેડના નડિયામાં સૌથી વધુ 10.43 ઈંચ વરસાદ ખાબક્યો

    સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગરે આપેલા વરસાદના આંકડા પ્રમાણે 27 જુલાઈ 2025 સવારે 6 વાગ્યાથી લઈને 28 જુલાઈ 2025 સવારે 6 વાગ્યા સુધીમાં 24 કલાકમાં રાજ્યના 198 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે વરસાદ ખેડા જિલ્લાના નડિયાદ તાલુકામાં 10.43 ઈંચ વરસાદ નોંધાયો હતો.



  • Jul 28, 2025 07:43 IST

    Today News Live: ઓપરેશન સિંદૂર પર આજે સંસદમાં થશે ચર્ચા

    ઓપરેશન સિંદૂર પર પહેલીવાર સંસદમાં મોટી ચર્ચા થવા જઈ રહી છે. વિપક્ષના તીખા સવાલો જોવા મળી શકે છે તો બીજી તરફ સરકાર પોતાની દલીલો આપશે. દેશની સુરક્ષા પર મંથન થશે. પાકિસ્તાની ષડયંત્ર પરથી પડદો ઉઠશે. અને પહલગામ આતંકી હુમલાને લઈને પણ અનેક જાણકારીઓ આપશે. જોકે, સરકારે પહેલાથી જ સ્પષ્ટ કરી દીધું હતું કે સરકાર આ મુદ્દાથી ભાગશે નહીં અને સંસદમાં જરૂર ચર્ચા કરશે.વિપક્ષે પણ મોનસૂન સત્રની શરુઆતમાં જ કહ્યું હતું કે આ મુદ્દા પર ચર્ચા થવી જોઈએ.



બ્રેકિંગ ન્યૂઝ ગુજરાત વિશ્વ દેશ