Today News : સ્મૃતિ મંધાના ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં સદી ફટકારનાર પ્રથમ ભારતીય મહિલા ક્રિકેટર બની

Today Latest News Update in Gujarati 28 June 2025: ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે મહિલા ટી20 શ્રેણીની પહેલી મેચમાં સ્મૃતિ મંધાનાએ શાનદાર બેટિંગ કરતા માત્ર 62 બોલમાં 112 રન બનાવ્યા હતા. જેમાં પાંચ ફોર અને ત્રણ સિક્સર ફટકારી

Today Latest News Update in Gujarati 28 June 2025: ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે મહિલા ટી20 શ્રેણીની પહેલી મેચમાં સ્મૃતિ મંધાનાએ શાનદાર બેટિંગ કરતા માત્ર 62 બોલમાં 112 રન બનાવ્યા હતા. જેમાં પાંચ ફોર અને ત્રણ સિક્સર ફટકારી

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
Smriti Mandhana, સ્મૃતિ મંધાના

સ્મૃતિ મંધાના ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં સદી ફટકારનાર એકમાત્ર ભારતીય મહિલા ક્રિકેટર બની (@BCCIWomen)

Today Latest News Update in Gujarati 28 June 2025: ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે મહિલા ટી20 શ્રેણીની પહેલી મેચમાં સ્મૃતિ મંધાનાએ શાનદાર બેટિંગ કરતા માત્ર 62 બોલમાં 112 રન બનાવ્યા હતા. જેમાં પાંચ ફોર અને ત્રણ સિક્સર ફટકારી હતી. આ 28 વર્ષીય મંધાનાની ટી20 માં પહેલી સદી છે. સ્મૃતિ મંધાના ક્રિકેટના ત્રણેય ફોર્મેટ એટલે કે ટેસ્ટ, વનડે ઇન્ટરનેશનલ અને ટી20 માં સદી ફટકારનાર એકમાત્ર ભારતીય મહિલા ક્રિકેટર બની છે.

Advertisment

પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં આત્મઘાતી હુમલો, 13 સૈનિકોના મોત

પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વાના ઉત્તર વઝીરિસ્તાન જિલ્લામાં થયેલા એક મોટા આત્મઘાતી બોમ્બ હુમલામાં 13 સૈનિકોના મોત થયા છે અને બે ડઝનથી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે. મીર અલીના ખાદી માર્કેટમાં થયેલા હુમલામાં ઘાયલ થયેલા લોકોમાં એક ડઝનથી વધુ મહિલાઓ અને બાળકોનો સમાવેશ થાય છે, જેમાંથી ઘણાની હાલત ગંભીર છે.

ખામેની પરના નિવેદન પર ઈરાને અમેરિકન રાષ્ટ્રપતિને ચેતવણી આપી

ઈરાને તેના સુપ્રીમ લીડર આયાતુલ્લાહ અલી ખામેની પર અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ટિપ્પણીની નિંદા કરી છે. ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચીએ ટ્રમ્પને ચેતવણી આપી હતી કે જો તેઓ ખામેની સાથે કોઈ કરાર કરવા માંગતા હોય, તો તેમણે 'પોતાનો સ્વર અલગ રાખવો પડશે'. વિદેશ મંત્રી અરાઘચીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોતાનો મુદ્દો સ્પષ્ટ અને મજબૂત રીતે રજૂ કર્યો.

વિદેશ મંત્રી અરાઘચીએ કહ્યું, 'જો રાષ્ટ્રપતિ ટ્રમ્પ ખરેખર કોઈ કરાર પર પહોંચવા માંગતા હોય, તો તેમણે ઈરાની સુપ્રીમ લીડર ગ્રાન્ડ આયાતુલ્લાહ ખામેની માટે પોતાનો અપમાનજનક અને અસ્વીકાર્ય સ્વર છોડી દેવો જોઈએ અને તેમના લાખો સમર્થકોને નુકસાન પહોંચાડવાનું બંધ કરવું જોઈએ.'

Advertisment

રાજસ્થાનના દૌસામાં કાર અને ટ્રક વચ્ચે અકસ્માત, ચારના મોત

રાજસ્થાનના દૌસામાં મોડી રાત્રે એક કાર અને ટ્રક વચ્ચે ટક્કર થઈ હતી. જેમાં ચાર લોકોના મોત નીપજ્યા હતા. ડીએસપી રવિ પ્રકાશે જણાવ્યું કે નેશનલ હાઈવે પર ઈલેક્ટ્રિક ચાર રસ્તા પાસે એક ટ્રક અને કાર વચ્ચે ટક્કર થઈ હતી. કારમાં સવાર તમામ ચાર લોકો, ત્રણ મહિલા અને એક પુરુષનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. તપાસના આદેશ આપ્યા છે.

  • Jun 28, 2025 23:33 IST

    Today News Live : સ્મૃતિ મંધાના ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં સદી ફટકારનાર પ્રથમ ભારતીય મહિલા ક્રિકેટર બની

    ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે મહિલા ટી20 શ્રેણીની પહેલી મેચમાં સ્મૃતિ મંધાનાએ શાનદાર બેટિંગ કરતા માત્ર 62 બોલમાં 112 રન બનાવ્યા હતા. જેમાં પાંચ ફોર અને ત્રણ સિક્સર ફટકારી હતી. આ 28 વર્ષીય મંધાનાની ટી20 માં પહેલી સદી છે. સ્મૃતિ મંધાના ક્રિકેટના ત્રણેય ફોર્મેટ એટલે કે ટેસ્ટ, વનડે ઇન્ટરનેશનલ અને ટી20 માં સદી ફટકારનાર એકમાત્ર ભારતીય મહિલા ક્રિકેટર બની છે.



  • Jun 28, 2025 23:18 IST

    TMKOC ના ગોગીએ દિલીપ જોશી અને મુનમુન દત્તાના શો છોડવાની અટકળો પર તોડી ચુપ્પી, કહી આવી વાત

    Taarak Mehta Ka Ooltah Chashmah : 'જેઠાલાલ' ઉર્ફે દિલીપ જોશી અને 'બબીતા' ઉર્ફે મુનમુન દત્તા ટીવી શો 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના લેટેસ્ટ એપિસોડમાં જોવા મળી રહ્યા નથી. બન્નેએ શો છોડી દીધો હોવાની અટકળો થઇ રહી છે ...વધુ માહિતી



  • Jun 28, 2025 20:40 IST

    અંતરિક્ષમાં ગયેલા શુભાંશુ શુક્લા સાથે પીએમ મોદીએ કરી ખાસ વાતચીત, જાણો શું કહ્યું

    PM Modi Speaks to Shubhanshu Shukla : પીએમ મોદીએ શુભાંશુ શુક્લાને એક ખાસ સંદેશ પણ આપ્યો અને કહ્યું કે આજે હું વિશ્વાસ સાથે કહી શકું છું કે ભારતના ગગનયાન મિશનની સફળતાનો આ પ્રથમ અધ્યાય છે ...સંપૂર્ણ માહિતી



  • Jun 28, 2025 17:54 IST

    Gujarat Rain : ગુજરાતમાં વરસાદ જામ્યો, દેવભૂમિ દ્વારકામાં 2.4 ઇંચ અને પોરબંદરમાં 1.65 ઇંચ વરસાદ

    Gujarat Rain Update : રાજ્યમાં વરસાદી માહોલ બરાબરનો જામ્યો છે. હવામાન વિભાગે આગામી 5 દિવસ માટે ભારેથી અતિભારે વરસાદ થવાની આગાહી કરી છે ...વધુ માહિતી



  • Jun 28, 2025 15:45 IST

    Today News Live : પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં આત્મઘાતી હુમલો, 13 સૈનિકોના મોત

    પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વાના ઉત્તર વઝીરિસ્તાન જિલ્લામાં થયેલા એક મોટા આત્મઘાતી બોમ્બ હુમલામાં 13 સૈનિકોના મોત થયા છે અને બે ડઝનથી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે. મીર અલીના ખાદી માર્કેટમાં થયેલા હુમલામાં ઘાયલ થયેલા લોકોમાં એક ડઝનથી વધુ મહિલાઓ અને બાળકોનો સમાવેશ થાય છે, જેમાંથી ઘણાની હાલત ગંભીર છે.



  • Jun 28, 2025 15:16 IST

    ભારત વિ ઇંગ્લેન્ડ : આ 3 ખેલાડીઓ થશે બહાર, બીજી ટેસ્ટ માટે ભારતની સંભવિત પ્લેઇંગ ઇલેવન

    IND vs ENG 2nd Test : ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે 2 જુલાઇથી બીજી ટેસ્ટ રમાશે. પ્રથમ ટેસ્ટમાં પરાજય પછી ભારતીય ટીમમાં કેટલાક ફેરફાર જોવા મળી શકે છે ...સંપૂર્ણ વાંચો



  • Jun 28, 2025 14:37 IST

    Gujarat bharti 2025 : રાજકોટમાં પરીક્ષા વગર ₹25000ની નોકરી મેળવાની તક, અહીં વાંચો માહિતી

    Rajkot Municipal Corporation Recruitment 2025 in Gujarati: રાજકોટ મહાનગરપાલિકા ભરતી અંતર્ગત લાઇવ સ્ટોક ઈન્સ્પેક્ટર પોસ્ટની વિગતો, વય મર્યાદા, પગાર ધોરણ, શૈક્ષણિક લાયકાત સહિતની મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ સમાચાર છેલ્લે સુધી વાંચવા. ...બધું જ વાંચો



  • Jun 28, 2025 12:20 IST

    જે મન હશે એ કરીશ, ડોનાલ્ડ ટ્રમ્પે ટેરિફ અંગે ફરી આપી ધમકી? ભારત માટે પણ કહી આ વાત

    donald trump tariffs : અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે આયાત પર ટેરિફ માટેની સમય મર્યાદા લવચીક છે અને તેને લંબાવી શકાય છે. હાલ પૂરતું આ રાહત 9 જુલાઈ સુધી ચાલુ રહેશે. ...સંપૂર્ણ માહિતી



  • Jun 28, 2025 11:25 IST

    Today News Live : રાજસ્થાનના દૌસામાં મોટો અકસ્માત

    રાજસ્થાનના દૌસામાં મોડી રાત્રે એક કાર અને ટ્રક વચ્ચે ટક્કર થઈ હતી. જેમાં ચાર લોકોના મોત નીપજ્યા હતા. ડીએસપી રવિ પ્રકાશે જણાવ્યું કે નેશનલ હાઈવે પર ઈલેક્ટ્રિક ચાર રસ્તા પાસે એક ટ્રક અને કાર વચ્ચે ટક્કર થઈ હતી. કારમાં સવાર તમામ ચાર લોકો, ત્રણ મહિલા અને એક પુરુષનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. તપાસના આદેશ આપ્યા છે.



  • Jun 28, 2025 11:03 IST

    Indus Waters Treaty: પાકિસ્તાનના ઈશારા પર કરવામાં આવ્યું નાટક, સિંધુ જળ સંઘિ મામલે ભારતે અપનાવ્યું આક્રમક વલણ

    India Pakistan Indus Waters Treaty : ભારતે સિંધુ જળ સંધિ હેઠળ રચાયેલી મધ્યસ્થતા અદાલતની માન્યતા સ્વીકારવાનો ઇનકાર કર્યો છે. આ અદાલતે જમ્મુ અને કાશ્મીરમાં કિશનગંગા અને રાતલે પ્રોજેક્ટ સંબંધિત કેસોની સુનાવણી કરવાની તેની ક્ષમતા પર પૂરક ચુકાદો આપ્યો હતો. ...સંપૂર્ણ માહિતી



  • Jun 28, 2025 11:03 IST

    Indus Waters Treaty: પાકિસ્તાનના ઈશારા પર કરવામાં આવ્યું નાટક, સિંધુ જળ સંઘિ મામલે ભારતે અપનાવ્યું આક્રમક વલણ

    India Pakistan Indus Waters Treaty : ભારતે સિંધુ જળ સંધિ હેઠળ રચાયેલી મધ્યસ્થતા અદાલતની માન્યતા સ્વીકારવાનો ઇનકાર કર્યો છે. આ અદાલતે જમ્મુ અને કાશ્મીરમાં કિશનગંગા અને રાતલે પ્રોજેક્ટ સંબંધિત કેસોની સુનાવણી કરવાની તેની ક્ષમતા પર પૂરક ચુકાદો આપ્યો હતો. ...સંપૂર્ણ માહિતી



  • Jun 28, 2025 09:16 IST

    Today News Live : હવામાન એક પડકાર, પૂરને કારણે સંકટ, ઘણા રાજ્યોમાં પાણી ભરાયા

    દેશભરમાં ચોમાસાની ગતિવિધિ ચાલુ છે, જેના કારણે ઘણા રાજ્યોમાં સામાન્ય કરતાં વધુ વરસાદ પડી રહ્યો છે અને કેટલાક વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ રહી છે. દિલ્હી અને મુંબઈમાં તાજેતરના દિવસોમાં સતત વરસાદ પડી રહ્યો છે. મુંબઈના કોલાબા સ્ટેશન પર અત્યાર સુધી જૂન મહિનાના સરેરાશ કરતાં વધુ વરસાદ નોંધાયો છે. દિલ્હી-એનસીઆરમાં હળવાથી મધ્યમ વરસાદથી શહેરનું તાપમાન ઘટ્યું છે, પરંતુ ચોમાસાની હજુ પણ રાહ જોવાઈ રહી છે. પૂર જેવી પરિસ્થિતિ નથી. ગુજરાતમાં પણ હળવાથી મધ્યમ વરસાદ ચાલુ છે, જોકે કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાના અહેવાલો મળ્યા છે, જેના કારણે સ્થાનિક વહીવટીતંત્ર સતર્ક છે.



  • Jun 28, 2025 09:06 IST

    Gujarat Rain forecast: ગુજરાતમાં મેઘો જામ્યો, આજે કચ્છ- સૌરાષ્ટ્રના 5 જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી

    Gujarat Rain Weather Forecast Update Today: વરસાદી સિઝનમાં હવામાન વિભાગે કચ્છ અને સૌરાષ્ટ્રના છ જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે આ વિસ્તારોમાં વરસાદનું રેડ એલર્ટ આપ્યું છે. ...સંપૂર્ણ વાંચો



  • Jun 28, 2025 08:20 IST

    Today News Live : મોદી સરકારના બે મંત્રીઓ RSS નેતાના સમર્થનમાં સામે આવ્યા

    RSS મહાસચિવ દત્તાત્રેય હોસાબલેએ કટોકટીના 50 વર્ષ પૂર્ણ થવા પર બંધારણની પ્રસ્તાવનામાં કરવામાં આવેલા ફેરફારો પર પ્રશ્નો ઉઠાવ્યા હતા. તેમણે કહ્યું હતું કે કટોકટી દરમિયાન બંધારણમાં સમાજવાદ અને ધર્મનિરપેક્ષતા શબ્દો ઉમેરવામાં આવ્યા હતા. હવે તેમને દૂર કરવા માટે વિચાર કરવો પડશે. RSS નેતાનું આ નિવેદન વિવાદ પેદા કરી રહ્યું હતું પરંતુ હવે મોદી સરકારના બે મંત્રીઓ આ નિવેદનના સમર્થનમાં બહાર આવ્યા છે.

    મોદી સરકારમાં કેન્દ્રીય મંત્રી અને ભાજપના દિગ્ગજ નેતા શિવરાજ સિંહ ચૌહાણે દત્તાત્રેય હોસાબલેના નિવેદનનું સમર્થન કર્યું છે. આ ઉપરાંત, મોદી સરકારમાં મંત્રી ડૉ. જીતેન્દ્ર સિંહે પણ કહ્યું છે કે RSS નેતાનો આ વિચાર સાચો છે. એ પણ નોંધનીય છે કે ભાજપે RSS નેતાના સૂચન પર કોઈ ટિપ્પણી કરી નથી.



  • Jun 28, 2025 07:49 IST

    Today News Live : ખામેની પરના નિવેદન પર ઈરાને અમેરિકન રાષ્ટ્રપતિને ચેતવણી આપી

    ઈરાને તેના સુપ્રીમ લીડર આયાતુલ્લાહ અલી ખામેની પર અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ટિપ્પણીની નિંદા કરી છે. ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચીએ ટ્રમ્પને ચેતવણી આપી હતી કે જો તેઓ ખામેની સાથે કોઈ કરાર કરવા માંગતા હોય, તો તેમણે 'પોતાનો સ્વર અલગ રાખવો પડશે'. વિદેશ મંત્રી અરાઘચીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોતાનો મુદ્દો સ્પષ્ટ અને મજબૂત રીતે રજૂ કર્યો.

    વિદેશ મંત્રી અરાઘચીએ કહ્યું, 'જો રાષ્ટ્રપતિ ટ્રમ્પ ખરેખર કોઈ કરાર પર પહોંચવા માંગતા હોય, તો તેમણે ઈરાની સુપ્રીમ લીડર ગ્રાન્ડ આયાતુલ્લાહ ખામેની માટે પોતાનો અપમાનજનક અને અસ્વીકાર્ય સ્વર છોડી દેવો જોઈએ અને તેમના લાખો સમર્થકોને નુકસાન પહોંચાડવાનું બંધ કરવું જોઈએ.'



  • Jun 28, 2025 07:49 IST

    Shefali Jariwala death : ‘કાંટા લગા’ ફેમ શેફાલી જરીવાલાનું નિધન, હાર્ટ એટેક આવતા હોસ્પિટલમાં કરાયી હતી દાખલ

    Shefali Jariwala death : બિગ બોસની સ્પર્ધક શેફાલીના મૃત્યુના સમાચારે સોશિયલ મીડિયા પર લોકોને ચોંકાવી દીધા છે. મળતી માહિતી મુજબ, તેણીને કાર્ડિયાક એરેસ્ટ થયો હતો, તેણીને મૃત હાલતમાં મુંબઈની બેલેવ્યુ મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલ (અંધેરી) માં લાવવામાં આવી હતી. ...અહીં વાંચો



બ્રેકિંગ ન્યૂઝ ગુજરાત વિશ્વ દેશ