Today News: તમિલનાડુમાં રેલીમાં નાસભાગ, 39 મૃતકોને 10 લાખ સહાય, તપાસ માટે સમિતિની રચના

Gujarat Latest News Update Today in Gujarati 28 September 2025: નુહમાં આરોપીઓને પકડવા ગયેલી પોલીસ ટીમ પર બંદુક વડે હુમલો કરવામાં આવ્યો હતો. આ ઘટનામાં 4 -5 પોલીસ કર્મીને ઇજા થઇ છે અને પોલીસના વાહનોને નુકસાન પહોંચાડ્યું છે.

Written by Ajay Saroya
Updated : September 29, 2025 17:12 IST
Today News: તમિલનાડુમાં રેલીમાં નાસભાગ, 39 મૃતકોને 10 લાખ સહાય, તપાસ માટે સમિતિની રચના
Nuh Police Attack : નૂહમાં આરોપીને પકડવા ગયેલી પોલીસ ટીમ પર હુમલો થયો છે. (Photo: Social Media)

Gujarat Latest News Update Today in Gujarati 28 September 2025: તમિલનાડુમાં શનિવાારે તમિલગા વેત્રી કઝગમ (TVK)ના પ્રમુખ અને અભિનેતામાંથી રાજકારણી બનેલા વિજયની રેલીમાં નાસભાગથી 39 લોકોના કરુણ મોત થયા છે. આ ઘટના મામલે વિજયની પાર્ટી TVKના કરુર જિલ્લા સચિવ વિરુદ્ધ કે દાખલ કરવામાં આવ્યો છે. તો રાજ્યના CM એમકે સ્ટાલિનને આ ઘટનાની તપાસ માટે તપાસ પંચની રચના કરી છે. આ ઘટનાના મૃતકોના પરિવારજનોને 10 – 10 લાખ રૂપિયા અને ઘાયલકોને 1 લાખ રૂપિયા સહાય આપવાની ઘોષણા કરી છે.

નોંધનિય છે કે, ટીવીકેની રેલીમાં 10000 લોકો આવવાની અપેક્ષા છે, જેની સામે 27000 હજારથી વધુ લોકો ઉમટી પડ્યા હતા. રેલીનો સમય બપોરે 3 થી રાતના 10 વાગ્યા સુધી હતો, જો કે બપોરે 11 વાગેથી જ લોકો મેદાનમાં એકઠાં થવા લાગ્યા હતા. ઉપરાંત અભિનેતા વિજય પણ સાત કલાક મોડો સાંજે 7.40 વાગે રેલીમાં પહોંચ્યો હતો. કલાકો સુધી લોકો ભુખ્યા તરસ્યા વિજયની રાહ જોઇ બેસી રહ્યા હતા, અભિનેતાન જોતા જ ભીડ બેકાબુ તઇ ગઇ હતી.

નુહમાં પોલીસ ટીમ પર હુમલો, આરોપીઓને પકડવા ગયા હતા

હરિયાણામાં સાયબર ફ્રોડ સાથે જોડાયેલા કેસમાં પોલીસની ટીમ દરોડા પાડી આરોપીઓને ધરપકડ કરવા ગઈ હતી. પરંતુ આરોપીઓના સમર્થકોએ પોલીસ ટીમ પર બંદુકો વડે હુમલો કર્યો હતો. હરિયાણાના ડીએસપી પુનાહાના જિતેન્દ્ર રાણાએ કહ્યું કે, જે કેસમાં FIR દાખલ થઇ હતી, તેમા પંજાબ માંથી કાર લઇ ખોટા નામ અને દસ્તાવેજથી વેચવામાં આવી હતી.

CIAને જાણકારી મળી હતી, જેમા એક વ્યક્તિની આઝાદ નામે ઓળખ થઇ હતી, તે એક ઘરમાં હતો ત્યાં દરોડા પાડવામાં આવ્યા. 3 મહિલાઓ અને 10 પુરુષોની ઘરપકડ કરવામાં આવી. દરોડા દરમિયાન પોલીસના વાહનોને નુકસાન પહોંચાડવામાં આવ્યું અને પોલીસ ટીમ પર ગોળીબાર કરવામાં આવ્યો હતો. આ ઘટનામાં એક પિસ્તોલ મળી અને 4 -5 પોલીસ કર્મી ઇજાગ્રસ્ત થયા છે. અમે ટુંક સમયમાં તમામ આરોપીઓની ધરપકડ કરી લઇશું અને પંજાબ પોલીસને સોંપીશું.

Live Updates

નુહમાં પોલીસની ટીમ પર હુમલો, ગેરકાયદેસર રાઇફલ્સથી અંધાધૂંધ ફાયરિંગ

હરિયાણામાં સાયબર ફ્રોડ સાથે જોડાયેલા કેસમાં પોલીસની ટીમ દરોડા પાડી આરોપીઓને ધરપકડ કરવા ગઈ હતી. પરંતુ આરોપીઓના સમર્થકોએ પોલીસ ટીમ પર બંદુકો વડે હુમલો કર્યો હતો. હરિયાણાના ડીએસપી પુનાહાના જિતેન્દ્ર રાણાએ કહ્યું કે, જે કેસમાં FIR દાખલ થઇ હતી, તેમા પંજાબ માંથી કાર લઇ ખોટા નામ અને દસ્તાવેજથી વેચવામાં આવી હતી. CIAને જાણકારી મળી હતી, જેમા એક વ્યક્તિની આઝાદ નામે ઓળખ થઇ હતી, તે એક ઘરમાં હતો ત્યાં દરોડા પાડવામાં આવ્યા. 3 મહિલાઓ અને 10 પુરુષોની ઘરપકડ કરવામાં આવી. દરોડા દરમિયાન પોલીસના વાહનોને નુકસાન પહોંચાડવામાં આવ્યું અને પોલીસ ટીમ પર ગોળીબાર કરવામાં આવ્યો હતો. આ ઘટનામાં એક પિસ્તોલ મળી અને 4 -5 પોલીસ કર્મી ઇજાગ્રસ્ત થયા છે. અમે ટુંક સમયમાં તમામ આરોપીઓની ધરપકડ કરી લઇશું અને પંજાબ પોલીસને સોંપીશું.

પાકિસ્તાન સામે એશિયા કપ મેચમાં ભારતની જીત માટે અજમેર શરીફ દરગાહમાં દુઆ થઇ

રાજસ્થાનની અજમેર શરીફ દરગાહ પર પાકિસ્તાન સામે એશિયા કપ 2025 ફાઇનલ મેચમાં ભારતની જીત માટે દુઆ કરવામાં આવી હતી. આજે એશિયા કપ જીતવા માટે ભારત પાકિસ્તાન વચ્ચે ફાઇનલ મેચ દુબઇમાં રમાશે.

દિલ્હીમાં એરપોર્ટ, શાળાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપતો ઇમેલ મળ્યો

દિલ્હીમાં એરપોર્ટ, શાળા અને અન્ય સંસ્થાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપતો ઇમેલ મોકલવામાં આવ્યો છે. દિલ્હી પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.

RSS : નિઃસ્વાર્થ સેવા અને શિસ્તતા આરએસએસની અસલી તાકાત છે : પીએમ નરેન્દ્ર મોદી

PM Narendra Modi On RSS In Mann Ki Baat : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મન કી બાત કાર્યક્રમમાં જણાવ્યું કે, દેશના લોકોમાં લઘુતાગ્રંથિ વિકસવા લાગી છે. તેમણે કહ્યું હતું કે, “તેથી, દેશની આઝાદીની સાથે, દેશ વૈચારિક ગુલામીથી મુક્ત થાય તે પણ જરૂરી હતું”. ” …વધુ માહિતી

Gold VS Silver Return : સોના કરતા ચાંદીમાં છપ્પરફાડ વળતર, આ વર્ષ 50 ટકા સુધીનો ઉછાળો, તેજી ક્યાં સુધી ચાલુ રહેશે?

Gold VS Silver Return : સોના ચાંદીના ભાવ સતત ઐતિહાસિક ટોચે પહોંચ્યા છે. જો કે આ વર્ષે સોનાની સરખામણીમાં ચાંદીના ભાવ વધુ ઉછળ્યા છે. સોના અને ચાંદીમાં તેજીના કારણ અલગ અલગ છે. શું ચાંદીના ભાવમાં ઉછાળો ચાલુ રહેશે? …અહીં વાંચો

Chaitanya Anand Swami : દિલ્હી પોલીસે ચૈતન્યાનંદની આગ્રા માંથી ધરપકડ કરી, 17 મહિલાની જાતીય સતામણીનો આરોપ

Chaitanya Anand Swami Case : ચૈતન્યાનંદ સરસ્વતી પર દિલ્હીની એક સંસ્થાની 17 વિદ્યાર્થીનીઓ સાથે યૌન શોષણ કરવાનો આરોપ છે. અદાલતે ચૈતન્યાનંદની અગ્રીમ જમાનત અરજી પણ ફગાવી દીધી છે. …અહીં વાંચો

બિહાર વિધાનસભા ચૂંટણી ભાજપની કેમ્પેઇન કમિટીની યાદી જાહેર

બિહાર વિધાનસભા ચૂંટણી માટે ભાજપે તૈયારીઓ શરૂ કરી દીધી છે. બિહાર ચૂંટણીમાં માટે ભાજપે કેમ્પેઇન કમિટીના સભ્યોની યાદી જાહેર કરી છે.

તમિલનાડુમાં વિજયની રેલીમાં નાસભાગ, 39 મૃતકોને 10 લાખ સહાય, તપાસ માટે સમિતિની રચના

તમિલનાડુમાં શનિવાારે તમિલગા વેત્રી કઝગમ (TVK)ના પ્રમુખ અને અભિનેતામાંથી રાજકારણી બનેલા વિજયની રેલીમાં નાસભાગથી 39 લોકોના કરુણ મોત થયા છે. આ ઘટના મામલે વિજયની પાર્ટી TVKના કરુર જિલ્લા સચિવ વિરુદ્ધ કે દાખલ કરવામાં આવ્યો છે. તો રાજ્યના CM એમકે સ્ટાલિનને આ ઘટનાની તપાસ માટે તપાસ પંચની રચના કરી છે. આ ઘટનાના મૃતકોના પરિવારજનોને 10 – 10 લાખ રૂપિયા અને ઘાયલકોને 1 લાખ રૂપિયા સહાય આપવાની ઘોષણા કરી છે. નોંધનિય છે કે, ટીવીકેની રેલીમાં 10000 લોકો આવવાની અપેક્ષા છે, જેની સામે 27000 હજારથી વધુ લોકો ઉમટી પડ્યા હતા. રેલીનો સમય બપોરે 3 થી રાતના 10 વાગ્યા સુધી હતો, જો કે બપોરે 11 વાગેથી જ લોકો મેદાનમાં એકઠાં થવા લાગ્યા હતા. ઉપરાંત અભિનેતા વિજય પણ સાત કલાક મોડો સાંજે 7.40 વાગે રેલીમાં પહોંચ્યો હતો. કલાકો સુધી લોકો ભુખ્યા તરસ્યા વિજયની રાહ જોઇ બેસી રહ્યા હતા, અભિનેતાન જોતા જ ભીડ બેકાબુ તઇ ગઇ હતી.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ