Today News: પુરી જગન્નાથ રથયાત્રાના મૃતકોને 25 લાખની સહાય, કલેક્ટરની બદલી અને DCP સસ્પેન્ડ

Today Latest News Update in Gujarati 29 June 2025: ઓડિશાના પુરીમાં જગન્નાથ રથયાત્રામાં રવિવારે નાસભાગ થતા 3 લોકોના મોત થયા છે. રાજ્યના મુખ્યમંત્રી મોહન ચરણ માઝી એ ઘટનાની તપાસના આદેશ આપ્યા છે.

Written by Ajay Saroya
Updated : June 29, 2025 23:09 IST
Today News: પુરી જગન્નાથ રથયાત્રાના મૃતકોને 25 લાખની સહાય, કલેક્ટરની બદલી અને DCP સસ્પેન્ડ
Puri Jagannath Rath Yatra 2025: ઓડિશામાં પુરીમાં પ્રસિદ્ધ ભગવાન જગન્નાથ રથયાત્રામાં દેશ વિદેશમાં કરોડો લોકો દર્શન કરવા આવે છે. (Photo: Social Media)

Today Latest News Update in Gujarati 29 June 2025: ઉત્તરાખંડમાં ભારે વરસાદની ચેતવણીને ધ્યાનમાં રાખી ચાર ધામ યાત્રા 24 કલાક માટે સ્થગિત કરવામાં આવી છે. પોલીસ અને વહીવટીતંત્રના અધિકારીઓને હરિદ્વાર, ઋષિકેશ, શ્રીનગર, રુદ્ગપ્રયાગ અને વિકાસનગરમાં તીર્થયાત્રીઓને રોકવાનો આદેશ આપવામાં આવ્યો છે. તમને જણાવી દઇયે કે, ઉત્તરાખંડમાં બડકોટ જિલ્લામાં યમુનોત્રી ધામ જવાના માર્ગ પર બલિગઢ ક્ષેત્રમાં વાદળ ફાટ્યું છે. આ ઘટના બાદ નિર્માણધીન હોટલની સાઇટને બહુ નુકસાન પહોંચ્યું છે. વાદળ ફાંટવાની ઘટના બાદ નિર્માણાધીન હોટલની સાઇટ પર કામ કરતા 8 થી 9 શ્રમિકો લાપતા છે. પોલીસ તેમજ SDRF અને NDRFની ટીમ ઘટના સ્થળે રવાના થઇ ગઇ છે.

પાકિસ્તાનમાં 5.2 તીવ્રતાનો ભૂકંપ

પાકિસ્તાનમાં વહેલી સવારે ભૂકંપ આવ્યો હતો. ભૂકંપની તીવ્રતા વધારે હોવાથી લોકો ગભરાઇ ઘરની બહાર દોડી આવ્યા હતા. રોડ પર અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. નેશનલ સેન્ટરઓફ સિસ્મોલોજીના રિપોર્ટ મુજબ રવિવારે સવારે 3.54 વાગે પાકિસ્તાનમાં 5.2 તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. ભૂકંપનું કેન્દ્ર પાકિસ્તાનના ઉત્તર પશ્ચિમમાં 150 કિમી ઉંડાણમાં હતો. તો ભૂકંપનું કેન્દ્ર 30.25 ડિગ્રી ઉત્તર અક્ષાંશ અને 69.82 ડિગ્રી પૂર્વ દેશાંતર નોંધાયો છે. અલબત્ત ભૂકંપથી કોઇ જાનહાનીના સમાચાર આવ્યા નથી, જો કે લોકો ડરેલા છે.

ઉત્તરાખંડમાં યમુનોત્રી ધામ જવાના માર્ગમાં વાદળ ફાટ્યું, 8 – 9 લોકો ગુમ

ઉત્તરાખંડમાં બડકોટ જિલ્લામાં યમુનોત્રી ધામ જવાના માર્ગ પર બલિગઢ ક્ષેત્રમાં વાદળ ફાટ્યું છે. આ ઘટના બાદ નિર્માણધીન હોટલની સાઇટને બહુ નુકસાન પહોંચ્યું છે. વાદળ ફાંટવાની ઘટના બાદ નિર્માણાધીન હોટલની સાઇટ પર કામ કરતા 8 થી 9 શ્રમિકો લાપતા છે. પોલીસ તેમજ SDRF અને NDRFની ટીમ ઘટના સ્થળે રવાના થઇ ગઇ છે.

Live Updates

પુરી જગન્નાથ રથયાત્રાના મૃતકોને 25 લાખની સહાય, કલેક્ટરની બદલી અને DCP સસ્પેન્ડ

ઓડિશાના પુરીમાં જગન્નાથ રથયાત્રામાં રવિવારે નાસભાગ થતા 3 લોકોના મોત થયા છે. આ ઘટના બાદ ઓડિશાના મુખ્યમંત્રી મોહન ચરણ માઝીએ પ્રત્યેક મતૃક શ્રદ્ધાળુના પરિવારને 25 લાખ રૂપિયાની આર્થિક સહાય આપવાની ઘોષણા કરી છે. મુખ્યમંત્રીએ વિકાસ પંચની દેખરેખમાં આ ઘટનાના વિસ્તૃત વહીવટી તપાસના આદેશ આપ્યા છે. ઉપરાંત પુરીના જિલ્લા કલેક્ટર અને એસપીની બદલીના નિર્દેશ આપ્યા છે. ચંચલ રાણાને નવા જિલ્લા કલેક્ટર પદે નિમણૂક કરવામાં આવ્યા છે, તો પિનાક મિશ્રાને નવા SP બનાવવામાં આવ્યા છે. જવાબદારીમાં લપરવાહી દાખવવા બદલે DCP વિષ્ણુ પતિ અને કમાન્ડેંટ અજય પાધીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

માઉન્ટ આબુ પર સતત વરસાદ

રાજસ્થાનના માઉન્ટ આબુ પર સતત વરસાદ વરસી રહ્યો છે. સતત વરસાદ અને ગાઢ ઘુમ્મસના કારણે વાહનચાલકોને વાહન ચલાવવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ગાઢ ધુમ્મસથી વાહનચાલકોને દિવસમાં વાહનની લાઇટ ચાલુ કરવી પડી છે. વરસાદથી માઉન્ટ આબુ પર વાતાવરણમાં ઠંડક પ્રસરી જતા પ્રવાસીઓને મજા પડી છે.

પુરીની જગન્નાથ રથયાત્રામાં નાસભાગ, 3 શ્રદ્ધાળુના મોત

પુરીની જગન્નાથ યાત્રામાં નાસભાગ થતા 3 લોકોના મોત થયા છે. પ્રાપ્ત પ્રાથમિક માહિતી મુજબ આ 3 મૃતકોમાં 2 મહિલા અને 1 પુરુષ છે. પુરીના સ્થાનિક રહેવાસી સ્વાધીન કુમાર પંડાએ કહ્યું કે, હું ગઇ કાલ રાતે 2 -3 વાગે મંદિર પાસે જ હતો,પરંતુ કોઇ વ્યવસ્થા ન હતી. VIP માટે નવો રસ્તો બનાવવામાં આવ્યો હતો અને સામાન્ય જનતાને દૂરથી બહાર નીકળવા જણાવ્યું હતું. લોકો પ્રવેશ દ્વારથી જ બહાર નીકળી રહ્યા હતા, જેનાથી ભીડ વધી ગઇ. અવરજવરની યોગ્ય વ્યવસ્થા નથી, કારણ કે ઘણા અનધિકૃત મંદિર નજીર આવી ગયા હતા. વહીવટીતંત્રે યોગ્ય રીતે ભીડને નિયંત્રિત કરી નથી. સૌથી મોટી સમસ્યા બહાર નીકળવાના દ્વાર પર હતી, રથા યાત્રાના દિવસ પણ ઘણા લોકોના મોત થયા, પરંતુ સરકાર અને વહીવટીતંત્રે તેનો ખુલાસો કર્યો નથી.

watch | पुरी, ओडिशा: पुरी निवासी स्वाधीन कुमार पंडा ने कहा, “मैं कल रात 2-3 बजे तक मंदिर के पास ही था, लेकिन व्यवस्था ठीक नहीं थी… VIP के लिए नया रास्ता बनाया गया था, और आम लोगों को दूर से ही बाहर निकलने के लिए कहा गया था। लोग प्रवेश द्वार से ही बाहर निकलने लगे, जिससे भीड़ बढ़… https://t.co/n596aJuq46 pic.twitter.com/6e5PXB6RfA
— ANI_HindiNews (@AHindinews) June 29, 2025

ઉત્તરાખંડમાં ભારે વરસાદની ચેતવણીથી ચાર ધામ યાત્રા 24 કલાક માટે સ્થગીત

ઉત્તરાખંડમાં ભારે વરસાદની ચેતવણીને ધ્યાનમાં રાખી ચાર ધામ યાત્રા 24 કલાક માટે સ્થગિત કરવામાં આવી છે. પોલીસ અને વહીવટીતંત્રના અધિકારીઓને હરિદ્વાર, ઋષિકેશ, શ્રીનગર, રુદ્ગપ્રયાગ અને વિકાસનગરમાં તીર્થયાત્રીઓને રોકવાનો આદેશ આપવામાં આવ્યો છે. તમને જણાવી દઇયે કે, ઉત્તરાખંડમાં બડકોટ જિલ્લામાં યમુનોત્રી ધામ જવાના માર્ગ પર બલિગઢ ક્ષેત્રમાં વાદળ ફાટ્યું છે. આ ઘટના બાદ નિર્માણધીન હોટલની સાઇટને બહુ નુકસાન પહોંચ્યું છે. વાદળ ફાંટવાની ઘટના બાદ નિર્માણાધીન હોટલની સાઇટ પર કામ કરતા 8 થી 9 શ્રમિકો લાપતા છે. પોલીસ તેમજ SDRF અને NDRFની ટીમ ઘટના સ્થળે રવાના થઇ ગઇ છે.

યમુનોત્રી ધામ જવાના માર્ગમાં વાદળ ફાટ્યું, 8 - 9 લોકો ગુમ

ઉત્તરાખંડમાં બડકોટ જિલ્લામાં યમુનોત્રી ધામ જવાના માર્ગ પર બલિગઢ ક્ષેત્રમાં વાદળ ફાટ્યું છે. આ ઘટના બાદ નિર્માણધીન હોટલની સાઇટને બહુ નુકસાન પહોંચ્યું છે. વાદળ ફાંટવાની ઘટના બાદ નિર્માણાધીન હોટલની સાઇટ પર કામ કરતા 8 થી 9 શ્રમિકો લાપતા છે. પોલીસ તેમજ SDRF અને NDRFની ટીમ ઘટના સ્થળે રવાના થઇ ગઇ છે.

પાકિસ્તાનમાં વહેલી સવારે 5.2 તીવ્રતાનો ભૂકંપ

પાકિસ્તાનમાં વહેલી સવારે ભૂકંપ આવ્યો હતો. ભૂકંપની તીવ્રતા વધારે હોવાથી લોકો ગભરાઇ ઘરની બહાર દોડી આવ્યા હતા. રોડ પર અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. નેશનલ સેન્ટરઓફ સિસ્મોલોજીના રિપોર્ટ મુજબ રવિવારે સવારે 3.54 વાગે પાકિસ્તાનમાં 5.2 તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. ભૂકંપનું કેન્દ્ર પાકિસ્તાનના ઉત્તર પશ્ચિમમાં 150 કિમી ઉંડાણમાં હતો. તો ભૂકંપનું કેન્દ્ર 30.25 ડિગ્રી ઉત્તર અક્ષાંશ અને 69.82 ડિગ્રી પૂર્વ દેશાંતર નોંધાયો છે. અલબત્ત ભૂકંપથી કોઇ જાનહાનીના સમાચાર આવ્યા નથી, જો કે લોકો ડરેલા છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ