/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/09/Singapore-Prime-Minister-Lawrence-Wong.jpg)
સિંગાપોરના વડા પ્રધાન લોરેન્સ વોંગ ભારત પહોંચ્યા - photo- X @LawrenceWongST
Today Latest News Update in Gujarati 3 September 2025: સિંગાપોરના વડા પ્રધાન લોરેન્સ વોંગ મંગળવારે ત્રણ દિવસની મુલાકાતે ભારત પહોંચ્યા. આ દરમિયાન ભારત અને સિંગાપોર વચ્ચે શિપિંગ અને નાગરિક ઉડ્ડયન જેવા ક્ષેત્રોમાં સંબંધોને પ્રોત્સાહન આપવા માટે પાંચ કરારો પર હસ્તાક્ષર કરવામાં આવશે. સિંગાપોરના વડા પ્રધાન તરીકે વોંગની આ ભારતની પહેલી મુલાકાત છે.
મંગળવારે પોતાની મુલાકાતની જાહેરાત કરતા વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે વોંગ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના આમંત્રણ પર ભારત આવી રહ્યા છે અને તેમની સાથે ત્રણ વરિષ્ઠ કેબિનેટ મંત્રીઓ - વિદેશ પ્રધાન વિવિયન બાલકૃષ્ણન, કાર્યકારી પરિવહન પ્રધાન અને નાણાં રાજ્ય પ્રધાન જેફરી સીઓ પણ છે. વડા પ્રધાન મોદી અને વડા પ્રધાન વાંગ ગુરુવારે દ્વિપક્ષીય વાટાઘાટો કરશે અને મહત્વપૂર્ણ કરારો પર હસ્તાક્ષર કરશે. વડા પ્રધાન રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને પણ મળશે અને વિદેશ પ્રધાન એસ જયશંકર અને અન્ય કેબિનેટ મંત્રીઓને પણ મળશે.
- Sep 03, 2025 23:35 IST
GST પર મોદી સરકારનો મોટો નિર્ણય, 12 અને 28 ટકાનો ટેક્સ સ્લેબ ખતમ, હવે ફક્ત 5% અને 18% સ્લેબ રહેશે
GST Council Meeting Updates: મોદી સરકારે GST પર મોટો નિર્ણય લીધો છે. કેન્દ્ર સરકારે 12 અને 28 ટકાના ટેક્સ સ્લેબને નાબૂદ કરી દીધો છે. આ નિર્ણય 56મી GST કાઉન્સિલની બેઠકમાં લેવામાં આવ્યો છે. હવે ફક્ત 5% અને 18% બે જ GST ટેક્સ સ્લેબ રહેશે ...બધું જ વાંચો
- Sep 03, 2025 21:58 IST
Express Adda : ભારતના મુખ્ય આર્થિક સલાહકાર વી.કે. અનંત નાગેશ્વરને કહ્યું - અમેરિકાના વધારાના 25% ટેરિફ ટૂંકા ગાળાના રહેશે
Express Adda : ભારતના મુખ્ય આર્થિક સલાહકાર વી.કે. અનંત નાગેશ્વરને ઇન્ડિયન એક્સપ્રેસના 'એક્સપ્રેસ અડ્ડા' કાર્યક્રમમાં દેશની અર્થવ્યવસ્થા સહિત વિવિધ મુદ્દાઓ પર વિસ્તૃત વાતચીત કરી હતી ...વધુ માહિતી
- Sep 03, 2025 20:22 IST
ભારત-યુરોપિયન યૂનિયન વચ્ચે જલ્દી થશે ફ્રી ટ્રેડ ડીલ, જર્મન વિદેશ મંત્રી સાથે મુલાકાત પછી જયશંકરે કહી આવી વાત
વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યું કે ભારત ઇચ્છે છે કે યુરોપિયન યુનિયન સાથે મુક્ત વેપાર કરાર (એફટીએ) માટે તેની વાતચીત જલદી કોઈ નિષ્કર્ષ પર પહોંચે. જયશંકરે જર્મનીના વિદેશ મંત્રી જોહાન વેડફુલ સાથેની વાતચીત બાદ સંયુક્ત પત્રકાર પરિષદમાં આ ટિપ્પણી કરી હતી. ...વધુ માહિતી
- Sep 03, 2025 19:08 IST
Gujarat Rain : રાજ્યમાં 25 તાલુકામાં મેઘમહેર, 4 સપ્ટેમ્બરે આ જિલ્લામાં વરસાદની ભારે આગાહી
Gujarat Rain : ગુજરાતમાં ફરી એક વખત વરસાદનો ધમાકેદાર રાઉન્ડ શરુ થવા જઇ રહ્યો છે. બુધવારને 4 સપ્ટેમ્બરના રોજ સવારના 6.00 થી સાંજના 6.00 વાગ્યા સુધીમાં 25 તાલુકામાં વરસાદ નોંધાયો છે ...સંપૂર્ણ વાંચો
- Sep 03, 2025 17:48 IST
રોયલ એનફીલ્ડની પ્રથમ ઇલેક્ટ્રિક બાઇક ફ્લાઇંગ Flea C6 ટેસ્ટિંગ દરમિયાન જોવા મળી, જાણો ક્યારે થશે લોન્ચ
Royal Enfield Flying Flea C6 : રોયલ એનફિલ્ડ તેની પ્રથમ ઇલેક્ટ્રિક મોટરસાયકલ ફ્લાઇંગ ફ્લાઇ સી6 ને લોન્ચ કરવાની તૈયારીમાં ઝડપથી આગળ વધી રહી છે. આ બાઇક તાજેતરમાં જ ચેન્નાઇના રસ્તા પર ટેસ્ટિંગ દરમિયાન જોવા મળી છે ...સંપૂર્ણ વાંચો
- Sep 03, 2025 17:07 IST
Teachers Day 2025 : શિક્ષક દિવસ ને યાદગાર બનાવવાની 6 રીતો, આ આઈડિયા ટીચર્સને ખુશ કરી દેશે
Teachers Day 2025 : વર્ષમાં શિક્ષકોને સમર્પિત એક ખાસ દિવસ હોય છે, જેને શિક્ષક દિવસ તરીકે ઓળખવામાં આવે છે. દર વર્ષે 5 સપ્ટેમ્બરે શિક્ષક દિવસ ઉજવવામાં આવે છે ...સંપૂર્ણ માહિતી
- Sep 03, 2025 16:11 IST
બેંગલુરુ ભાગદોડના 3 મહિના પછી વિરાટ કોહલીએ કહ્યું - સૌથી ખુશીની ક્ષણ દર્દનાક બની ગઇ
18 વર્ષમાં આરસીબીના પ્રથમ આઈપીએલ ટાઇટલની ઉજવણી માટે એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે 2.5 લાખ ચાહકો એકઠા થયા બાદ નાસભાગ મચી ગઈ હતી. જેમાં 11 લોકોના મોત થયા હતા અને ઘણા ઇજાગ્રસ્ત બન્યા હતા.
...સંપૂર્ણ વાંચો - Sep 03, 2025 14:36 IST
GSSSB Bharti 2025 : દિવ્યાંગ ઉમેદાવરો માટે ગુજરાત સરકારમાં નોકરીની સુવર્ણ તક, અહીં વાચો બધી જ માહિતી
GSSSB Royalty Inspector Bharti 2025 Know How to Apply Online in Gujarati: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી અંતર્ગત રોયલ્ટી ઈન્સ્પેક્ટરની પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, મહત્વની તારીખો સહિતની અગત્યની માહિતી અહીં વાંચો. ...બધું જ વાંચો
- Sep 03, 2025 14:20 IST
blast in Balochistan : પાકિસ્તાનના બલુચિસ્તાનમાં BNP ની રેલી પછી આત્મઘાતી વિસ્ફોટમાં 14 લોકોના મોત
suicide blast after BNP rally in Balochistan : બલુચિસ્તાન નેશનલ પાર્ટી (BNP) દ્વારા આયોજિત જાહેર રેલી સમાપ્ત થયાના થોડા સમય પછી થયેલા આત્મઘાતી બોમ્બ વિસ્ફોટમાં ઓછામાં ઓછા 14 લોકો માર્યા ગયા અને 35 અન્ય ઘાયલ થયા હતા. ...વધુ વાંચો
- Sep 03, 2025 13:22 IST
Today News Live: પાકિસ્તાનના બલુચિસ્તાનમાં BNP ની રેલી પછી આત્મઘાતી વિસ્ફોટમાં 14 લોકોના મોત
પાકિસ્તાનના ક્વેટા શહેરમાં બલુચિસ્તાન નેશનલ પાર્ટી (BNP) દ્વારા આયોજિત જાહેર રેલી સમાપ્ત થયાના થોડા સમય પછી થયેલા આત્મઘાતી બોમ્બ વિસ્ફોટમાં ઓછામાં ઓછા 14 લોકો માર્યા ગયા અને 35 અન્ય ઘાયલ થયા. મીડિયા રિપોર્ટ્સમાં આ માહિતી આપવામાં આવી છે.
- Sep 03, 2025 10:38 IST
Today Live News : સિંગાપોરના વડા પ્રધાન લોરેન્સ વોંગ ભારત પહોંચ્યા, ઘણા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરશે
સિંગાપોરના વડા પ્રધાન લોરેન્સ વોંગ મંગળવારે ત્રણ દિવસની મુલાકાતે ભારત પહોંચ્યા. આ દરમિયાન ભારત અને સિંગાપોર વચ્ચે શિપિંગ અને નાગરિક ઉડ્ડયન જેવા ક્ષેત્રોમાં સંબંધોને પ્રોત્સાહન આપવા માટે પાંચ કરારો પર હસ્તાક્ષર કરવામાં આવશે. સિંગાપોરના વડા પ્રધાન તરીકે વોંગની આ ભારતની પહેલી મુલાકાત છે. મંગળવારે પોતાની મુલાકાતની જાહેરાત કરતા વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે વોંગ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના આમંત્રણ પર ભારત આવી રહ્યા છે અને તેમની સાથે ત્રણ વરિષ્ઠ કેબિનેટ મંત્રીઓ - વિદેશ પ્રધાન વિવિયન બાલકૃષ્ણન, કાર્યકારી પરિવહન પ્રધાન અને નાણાં રાજ્ય પ્રધાન જેફરી સીઓ પણ છે. વડા પ્રધાન મોદી અને વડા પ્રધાન વાંગ ગુરુવારે દ્વિપક્ષીય વાટાઘાટો કરશે અને મહત્વપૂર્ણ કરારો પર હસ્તાક્ષર કરશે. વડા પ્રધાન રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને પણ મળશે અને વિદેશ પ્રધાન એસ જયશંકર અને અન્ય કેબિનેટ મંત્રીઓને પણ મળશે.
- Sep 03, 2025 08:51 IST
LIC HFL Bharti 2025 : કોલેજ પાસ ઉમેદવારો માટે LIC HFLમાં નોકરી, ગુજરાતમાં કેટલી જગ્યા?
lic hfl apprentice bharti 2025 : LIC HFL ભરતી 2025 અંતર્ગત પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, પસંદગી પ્રક્રિયા સહિતની મહત્વની માહિતી આ લેખમાં આપેલી છે. ...વધુ માહિતી
- Sep 03, 2025 08:18 IST
ભારત સાથે અમારા સંબંધો ખુબ જ સારા છે, પરંતુ…,જાણો ટેરિફ અંગે હવે શું બોલ્યા ડોનાલ્ડ ટ્રમ્પ
Donald trump on India US trade relations : અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને વ્હાઇટ હાઉસમાં પૂછવામાં આવ્યું કે શું તેઓ ભારતના 50 ટકા ટેરિફ ઘટાડવાનું વિચારશે, ત્યારે ટ્રમ્પે જવાબ આપ્યો, "ભારત સાથે અમારા ખૂબ સારા સંબંધો છે. પરંતુ તમારે સમજવું પડશે કે ઘણા વર્ષોથી તે એકતરફી સંબંધ રહ્યો છે." ...બધું જ વાંચો
- Sep 03, 2025 07:28 IST
Today News Live: પંજાબના મુખ્યમંત્રીએ રાહત માટે કેન્દ્ર પાસેથી માંગી 60,000 કરોડની રાહત
કુદરતી આફતોથી થયેલા નુકસાન માટે લોકોને આપવામાં આવતા નજીવા વળતર અંગે ઊંડી ચિંતા વ્યક્ત કરતા, માનએ કેન્દ્રના રાહત ધોરણોમાં વધારો કરવાની માંગ કરી. તેમણે કેન્દ્ર પાસે પંજાબના 60,000 કરોડ રૂપિયાના બાકી ભંડોળને મુક્ત કરવાની માંગણીનો પુનરોચ્ચાર કર્યો અને કહ્યું કે તેઓ રાજ્યના અધિકારોની માંગ કરી રહ્યા છે અને પ્રદેશમાં આવેલા પૂરને પગલે ભીખ માંગવા માંગતા નથી.
- Sep 03, 2025 07:27 IST
Today News Live: પંજાબના તમામ 23 જિલ્લાઓને પૂરગ્રસ્ત જાહેર
પંજાબ સરકારે મંગળવારે તમામ 23 જિલ્લાઓને પૂરગ્રસ્ત જાહેર કર્યા. તેમણે એમ પણ કહ્યું કે પૂરને કારણે અત્યાર સુધીમાં 30 લોકોના મોત થયા છે અને 3.5 લાખથી વધુ લોકો પ્રભાવિત થયા છે. ડેમના જળાશયો હજુ પણ સંપૂર્ણ રીતે ભરાઈ ગયા છે, જ્યારે નદીઓ ભયજનક સપાટીએ વહી રહી છે, જેના કારણે ઘણા જિલ્લાઓમાં ચેતવણી જારી કરવામાં આવી છે.
આ દરમિયાન, રાજ્યપાલ ગુલાબ ચંદ કટારિયા અને મુખ્યમંત્રી ભગવંત માન વિવિધ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી. માનએ હોડી દ્વારા ફિરોઝપુરના પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી. કટારિયાએ ફિરોઝપુર અને તરનતારનના ગંભીર અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us