Today News : નિઠારી હત્યાકાંડના આરોપીઓને સુપ્રીમ કોર્ટમાંથી રાહત

Today Latest News Update in Gujarati 30 July 2025: સુપ્રીમ કોર્ટે નિઠારી હત્યાના આરોપી મોનિન્દર સિંહ પંઢેર અને તેના ઘરેલુ નોકર સુરેન્દ્ર કોલીને નિર્દોષ જાહેર કર્યા હતા. સર્વોચ્ચ અદાલતે અલ્હાબાદ હાઈકોર્ટના ચુકાદાને યથાવત્ રાખ્યો હતો. કોર્ટે નિર્દોષ જાહેર કરવા સામે સીબીઆઈ, ઉત્તર પ્રદેશ સરકાર અને પીડિત પરિવારોની અપીલો ફગાવી દીધી

Today Latest News Update in Gujarati 30 July 2025: સુપ્રીમ કોર્ટે નિઠારી હત્યાના આરોપી મોનિન્દર સિંહ પંઢેર અને તેના ઘરેલુ નોકર સુરેન્દ્ર કોલીને નિર્દોષ જાહેર કર્યા હતા. સર્વોચ્ચ અદાલતે અલ્હાબાદ હાઈકોર્ટના ચુકાદાને યથાવત્ રાખ્યો હતો. કોર્ટે નિર્દોષ જાહેર કરવા સામે સીબીઆઈ, ઉત્તર પ્રદેશ સરકાર અને પીડિત પરિવારોની અપીલો ફગાવી દીધી

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
nithari murder case, નિઠારી સિરિયલ મર્ડર કેસ

નોઈડાના પ્રખ્યાત નિઠારી સિરિયલ મર્ડર કેસમાં સુપ્રીમ કોર્ટે મોટો(Express file Photo) ચુકાદો આપ્યો

Today Latest News Update in Gujarati 30 July 2025: નોઈડાના પ્રખ્યાત નિઠારી સિરિયલ મર્ડર કેસમાં સુપ્રીમ કોર્ટે મોટો ચુકાદો આપ્યો છે.સુપ્રીમ કોર્ટે નિઠારી હત્યાના આરોપી મોનિન્દર સિંહ પંઢેર અને તેના ઘરેલુ નોકર સુરેન્દ્ર કોલીને નિર્દોષ જાહેર કર્યા હતા. સર્વોચ્ચ અદાલતે અલ્હાબાદ હાઈકોર્ટના ચુકાદાને યથાવત્ રાખ્યો હતો. કોર્ટે નિર્દોષ જાહેર કરવા સામે સીબીઆઈ, ઉત્તર પ્રદેશ સરકાર અને પીડિત પરિવારોની અપીલો ફગાવી દીધી હતી.

Advertisment

અગાઉ નીચલી કોર્ટે સુરેન્દ્ર કોલીને 12 કેસોમાં મૃત્યુદંડની સજા ફટકારી હતી. મોનિન્દર સિંહ પંઢેરને બે કેસમાં દોષિત ઠેરવવામાં આવ્યા હતા. પરંતુ પુરાવાના અભાવે અલ્હાબાદ હાઈકોર્ટે બંનેને નિર્દોષ જાહેર કર્યા હતા. હવે સુપ્રીમ કોર્ટે પણ આ જ નિર્ણયને માન્ય રાખ્યો છે.

  • Jul 30, 2025 23:29 IST

    US Tariff Explained: ભારતીય સામાનો પર 25 ટકા ટેક્સની શું અસર થશે? જાણો બાકી દેશો પર કેટલો ટેરિફ

    US Tariff Explained: ભારત જે માલ અમેરિકામાં સૌથી વધુ નિકાસ કરે છે (દવાઓ, ઓટો પાર્ટ્સ, ઇલેક્ટ્રોનિક્સ વગેરે) તેના પર ટેરિફની સીધી અસર પડશે. આનાથી અમેરિકામાં ભારતીય માલ મોંઘો થશે. ...અહીં વાંચો



  • Jul 30, 2025 21:51 IST

    Gujarat Rain : રાજ્યમાં વરસાદનું જોર ઘટી ગયું, થોડા તાલુકામાં ઝરમર વરસ્યો

    Gujarat Rain : સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગરના આંકડા પ્રમાણે રાજ્યમાં બુધવારને 30 જુલાઇના રોજ સવારના 6 થી સાંજના 4 વાગ્યા સુધીમાં ફક્ત 17 તાલુકામાં વરસાદ વરસ્યો છે ...વધુ વાંચો



  • Advertisment
  • Jul 30, 2025 21:21 IST

    શ્રીહરિકોટાથી NASA-ISRO નો NISAR સેટેલાઇટ લોન્ચ, ભૂકંપથી લઈ જલવાયુ પરિવર્તનની અપડેટ્સ આપશે

    NASA-ISRO, NISAR Satellite Launch: ઇસરો અને નાસા દ્વારા સંયુક્ત રીતે તૈયાર કરાયેલા પૃથ્વીનું અવલોકન કરનાર સેટેલાઇટ NASA–ISRO Synthetic Aperture Radar (NISAR) ને શુક્રવારના રોજ સફળતાપૂર્વક લોન્ચ કરવામાં આવ્યો ...બધું જ વાંચો



  • Jul 30, 2025 19:28 IST

    અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર લગાવ્યો 25 ટકા ટેરિફ, રશિયા-ચીન સાથે વેપાર પર ચિંતા વ્યક્ત કરી

    Donald trump tarrif: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર 25 ટકા ટેરિફ લાદવાની જાહેરાત કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પે ચીન અને રશિયા સાથે ભારતના વેપાર પર નારાજગી વ્યક્ત કરી છે. ...અહીં વાંચો



  • Jul 30, 2025 18:50 IST

    વર્લ્ડ ચેમ્પિયનશિપ ઓફ લેજન્ડ્સ 2025 : ભારત અને પાકિસ્તાન વચ્ચે સેમિ ફાઇનલ નહીં રમાય, શું કાર્યક્રમમાં ફેરફાર થશે?

    World Championship of Legends 2025: બર્મિંગહામમાં ચાલી રહેલી વર્લ્ડ ચેમ્પિયનશિપ ઓફ લેજન્ડ્સ 2025ની સેમિ ફાઈનલમાં ઈન્ડિયા ચેમ્પિયન્સના ખેલાડીઓએ પાકિસ્તાન ચેમ્પિયન્સ સામે રમવાનો ઈન્કાર કર્યો. આ પહેલા ગ્રુપ સ્ટેજમાં પણ રમ્યા ન હતા ...અહીં વાંચો



  • Jul 30, 2025 17:50 IST

    Today News Live: નિઠારી હત્યાકાંડના આરોપીઓને સુપ્રીમ કોર્ટમાંથી રાહત, સીબીઆઈ અને યુપી સરકારને મોટો ફટકો

    નોઈડાના પ્રખ્યાત નિઠારી સિરિયલ મર્ડર કેસમાં સુપ્રીમ કોર્ટે મોટો ચુકાદો આપ્યો છે.સુપ્રીમ કોર્ટે નિઠારી હત્યાના આરોપી મોનિન્દર સિંહ પંઢેર અને તેના ઘરેલુ નોકર સુરેન્દ્ર કોલીને નિર્દોષ જાહેર કર્યા હતા. સર્વોચ્ચ અદાલતે અલ્હાબાદ હાઈકોર્ટના ચુકાદાને યથાવત્ રાખ્યો હતો. કોર્ટે નિર્દોષ જાહેર કરવા સામે સીબીઆઈ, ઉત્તર પ્રદેશ સરકાર અને પીડિત પરિવારોની અપીલો ફગાવી દીધી હતી.

    અગાઉ નીચલી કોર્ટે સુરેન્દ્ર કોલીને 12 કેસોમાં મૃત્યુદંડની સજા ફટકારી હતી. મોનિન્દર સિંહ પંઢેરને બે કેસમાં દોષિત ઠેરવવામાં આવ્યા હતા. પરંતુ પુરાવાના અભાવે અલ્હાબાદ હાઈકોર્ટે બંનેને નિર્દોષ જાહેર કર્યા હતા. હવે સુપ્રીમ કોર્ટે પણ આ જ નિર્ણયને માન્ય રાખ્યો છે.



  • Jul 30, 2025 17:03 IST

    સિંધૂ જળ સંધિ ક્યાં સુધી સ્થગિત રહેશે, વિદેશ મંત્રી એસ જયશંકરે કહી મોટી વાત

    વિદેશ મંત્રી એસ જયશંકરે સંસદમાં કહ્યું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સિંધુ જળ સંધિ અને કલમ 370 સાથે નિપટવાના મામલે પંડિત જવાહરલાલ નહેરુની ભૂલો સુધારી છે ...અહીં વાંચો



  • Jul 30, 2025 14:42 IST

    કુલદીપ યાદવના સ્થાને ઓલરાઉન્ડરને કેમ મળી રહી છે તક? બેટિંગ કોચ સિતાંશુ કોટકે કર્યો ખુલાસો

    India vs England 5th Test : ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે 31મી જુલાઇથી શ્રેણીની પાંચમી અને અંતિમ ટેસ્ટ શરુ થશે. હાલ ઇંગ્લેન્ડ 2-1થી આગળ છે. ભારતનો પ્રમુખ સ્પિનર કુલદીપ યાદવ શ્રેણી દરમિયાન બેન્ચ પર બેસી રહ્યો છે કારણ કે ટીમે વિકેટ ઝડપનારને બદલે ઓલરાઉન્ડને પ્રાધાન્ય આપ્યું છે ...અહીં વાંચો



  • Jul 30, 2025 10:16 IST

    Today News Live: રશિયાના કામચટકામાં 8.7 ની તીવ્રતાનો ભૂકંપ; જાપાનના હોકાઇડો શહેરમાં સુનામી

    બુધવારે સવારે રશિયાના કામચટકા દ્વીપકલ્પમાં 8.7 ની તીવ્રતાના શક્તિશાળી ભૂકંપના થોડા સમય પછી, રશિયાના કુરિલ ટાપુઓ અને જાપાનના મોટા ઉત્તરીય ટાપુ હોકાઇડો પર સુનામી ત્રાટક્યો. જાપાન હવામાન એજન્સીએ અહેવાલ આપ્યો છે કે લગભગ ૩૦ સેમી (લગભગ એક ફૂટ) ઊંચા સુનામીનું પહેલું મોજું હોકાઇડોના પૂર્વ કિનારે નેમુરો સુધી પહોંચ્યું હતું.

    સ્થાનિક ગવર્નર વેલેરી લિમારેન્કોના જણાવ્યા અનુસાર, પ્રથમ સુનામી મોજું પેસિફિક મહાસાગરમાં રશિયાના કુરિલ ટાપુઓના મુખ્ય વસાહત સેવેરો-કુરિલ્સ્કના દરિયાકાંઠાના વિસ્તારમાં ત્રાટક્યું હતું. તેમણે કહ્યું કે લોકો સુરક્ષિત છે અને ભય દૂર ન થાય ત્યાં સુધી તેમને ઊંચા સ્થળોએ રહેવાનું કહેવામાં આવ્યું છે. ઇન્ડોનેશિયા અને ફિલિપાઇન્સમાં પણ સુનામીની ચેતવણી જારી કરવામાં આવી છે.



  • Jul 30, 2025 07:49 IST

    Today News Live: ગુજરાતમાં 24 કલાકમાં 95 તાલુકામાં વરસાદ નોંધાયો

    સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગરે આપેલા વરસાદના આંકડા પ્રમાણે 29 જુલાઈ 2025 સવારે 6 વાગ્યાથી લઈને 30 જુલાઈ 2025 સવારે 6 વાગ્યા સુધીમાં 24 કલાકમાં રાજ્યના 95 તાલુકામાં વરસાદ નોંધાયો હતો.જેમાં સૌથી વધારે વરસાદ વલસાડના કપરાડામાં 2.13 ઈંચ નોંધાયો હતો.



  • Jul 30, 2025 07:34 IST

    Russia Earthquake: રશિયામાં કામચટકામાં 8.7 તીવ્રતાનો જોરદાર ભૂકંપ, સુનામીની ચેતવણી

    russia earthquake tsunami warning in gujarati : રશિયાના કામચટકામાં 8.7 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો છે. ભૂકંપનું કેન્દ્ર રશિયાના પેટ્રોપાવલોવસ્ક-કામચટસ્કીથી 133 કિલોમીટર દક્ષિણપૂર્વમાં 74 કિલોમીટરની ઊંડાઈએ હતું. ...સંપૂર્ણ માહિતી



  • Jul 30, 2025 07:33 IST

    Today News Live: સંસદના ચોમાસુ સત્રનો આઠમો દિવસ,રાજ્યસભામાં ઓપરેશન સિંદૂર પર ચર્ચા થશે

    આજે બુધવારે સંસદના ચોમાસુ સત્રમાં આઠમો દિવસ છે. લોકસભામાં ઓપરેશન સિંદૂર ઉપર લાંબી ચર્ચા થઈ હતી. લોકસભામાં વિરોધ પક્ષે સત્તા પક્ષને ઓપરેશન સિંદૂર પર અનેક પ્રશ્નો પૂછ્યા હતા. જેનો જવાબ અમિત શાહ અને રાજનાથ સિંહે આપ્યો હતો. જ્યારે પીએમ મોદીએ સમાપન ભાષણ આપ્યું હતું. જ્યારે આજે બુધવારે રાજ્યસભામાં ઓપરેશન સિંદૂર પર ચર્ચા થશે. રાજ્યસભામાં પણ ઓપરેશન સિંદૂર પર ચર્ચા થશે. આ મુદ્દો વિપક્ષ સરકારને ઘેરવાનો પ્રયત્ન કરશે.



બ્રેકિંગ ન્યૂઝ ગુજરાત વિશ્વ દેશ