/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/07/Pragya-Thakur.jpg)
Pragya Thakur : પ્રજ્ઞા ઠાકુર (Express file photo)
Today Latest News Update in Gujarati 31 July 2025 : NIA કોર્ટે 2008ના માલેગાંવ વિસ્ફોટમાં સાધ્વી પ્રજ્ઞા સિંહ ઠાકુર સહિત તમામ 7 આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા છે. આ કેસમાં લાંબા સમય સુધી જેલમાં બંધ સાધ્વી પ્રજ્ઞા સિંહ ઠાકુરને વર્ષો સુધી આતંકવાદનું કલંક સહન કરવું પડ્યું હતું. નિર્દોષ જાહેર થયા પછી સાધ્વી પ્રજ્ઞા સિંહ ઠાકુરે કહ્યું કે આ કેસે મારું જીવન બરબાદ કરી દીધું, આજે હિંદુત્વની જીત થઇ છે.
- Jul 31, 2025 23:18 IST
Inidan Railways: તહેવારો દરમિયાન ગુજરાતમાં સ્પેશ્ય ટ્રેનોની જાહેરાત, જાણો કયા સ્ટેશનો પર મળશે સ્ટોપેજ?
પશ્ચિમ રેલ્વેએ રક્ષાબંધન, સ્વતંત્રતા દિવસ અને જન્માષ્ટમી દરમિયાન સામાન્ય લોકોની સુવિધા માટે બાંદ્રા ટર્મિનસ-ઓખા અને બાંદ્રા ટર્મિનસ-સાંગાનેર સ્ટેશનો વચ્ચે ખાસ ભાડા પર ખાસ ટ્રેનો ચલાવવાનો નિર્ણય લીધો છે. ...બધું જ વાંચો
- Jul 31, 2025 22:25 IST
‘Statue of Unity આટલું ભવ્ય હશે મને ખ્યાલ નહોતો’, ઓમર અબ્દુલ્લાએ કહ્યું – આ સરદાર પટેલને સાચી શ્રદ્ધાંજલિ
Jammu Kashmir News: જમ્મુ અને કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા ગુરુવારે ગુજરાતના કેવડિયામાં હતા. અહીં તેમણે સરદાર પટેલની સૌથી ઊંચી પ્રતિમા પણ જોઈ. ...સંપૂર્ણ માહિતી
- Jul 31, 2025 21:41 IST
Rain Update: ચોમાસામાં સામાન્ય કરતાં વધુ વરસાદની IMDની આગાહી, ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં ભારે વરસાદ પડશે
ચોમાસાના બીજા રાઉન્ડમાં ભારતમાં સામાન્ય કરતાં વધુ વરસાદ પડવાની શક્યતા છે. ચોમાસા દરમિયાન ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં ભારતમાં સામાન્ય કરતાં વધુ વરસાદ પડવાની શક્યતા છે. ...વધુ માહિતી
- Jul 31, 2025 19:49 IST
Gujarat Rain : રાજ્યમાં વરસાદનો વિરામ, ફક્ત 33 તાલુકામાં છાંટા પડ્યા
ગુજરાત વરસાદ : સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગરના આંકડા પ્રમાણે રાજ્યમાં ગુરુવારને 31 જુલાઇના રોજ સવારના 6 થી સાંજના 6 વાગ્યા સુધીમાં ફક્ત 33 તાલુકામાં વરસાદ વરસ્યો છે ...અહીં વાંચો
- Jul 31, 2025 17:07 IST
ગુજરાતમાં સિંહોના બચ્ચાઓને કોની નજર લાગી? ત્રણ દિવસમાં ત્રણ સિંહબાળના મોત, પ્રશાસન એલર્ટ
ગુજરાતના અમરેલી જિલ્લામાં ત્રણ દિવસમાં ત્રણ સિંહ બાળના મૃત્યુ થયા છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે આ ઘટના બાદ વન વિભાગે સાવચેતી રૂપે ત્રણ સિંહણ અને છ સિંહબાળને અલગ કર્યા છે. ...અહીં વાંચો
- Jul 31, 2025 12:13 IST
આ કેસે મારું જીવન બરબાદ કરી દીધું, આજે હિંદુત્વની જીત થઇ : સાધ્વી પ્રજ્ઞા ઠાકુર
માલેગાવ બ્લાસ્ટ કેસમાં અદાલતે પ્રજ્ઞા ઠાકુર સહિત તમામ 7 આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા છે. NIA કોર્ટના ચુકાદા બાદ સાધ્વી પ્રજ્ઞા સિંહ ઠાકુરે કહ્યું કે, મે શરૂઆતથી કહ્યું હતું કે, મને તપાસ માટે બોલાવાય છે, તેની પાછળ કોઇને કોઇ પુરાવા હોવા જોઇએ. મને તપાસ માટે બોલાવાતી હતી અને મારી ધરપકડ કરી હેરાન કરવામાં આવી. તેનાથી મારું જીવન બરબાદ થઇ ગયું. હું એક સાધુનું જીવન જીવી રહી હતી પરંતુ મારા પર આરોપ લગાવવામાં આવ્યા, કોઇ પણ મારી સાથે ઉભું ન હતું. હું જીવીત છું કારણ કે હું એક સંન્યાસી છું. તેમણે ષડયંત્ર રચી ભગવાને બદનામ કર્યો, આજે ભગવાની જીત થઇ છે, હિંદુત્વની જીત થઇ છે અને ઈશ્વર દોષીઓને સજા આપશે.
NIA कोर्ट में जज को संबोधित करते हुए साध्वी प्रज्ञा सिंह ने कहा, "मैंने शुरू से ही कहा था कि जिन्हें भी जांच के लिए बुलाया जाता है, उनके पीछे कोई न कोई आधार ज़रूर होना चाहिए। मुझे जांच के लिए बुलाया गया और मुझे गिरफ़्तार करके प्रताड़ित किया गया। इससे मेरा पूरा जीवन बर्बाद हो गया।… pic.twitter.com/rT6TKk3y6E
— ANI_HindiNews (@AHindinews) July 31, 2025
- Jul 31, 2025 11:42 IST
Malegaon Case Verdict: માલેગાવ વિસ્ફોટ કેસના તમામ આરોપીઓ નિર્દોષ જાહેર, 17 વર્ષ બાદ કોર્ટનો ચુકાદો
Malegaon Blast Case Judgement : માલેગાવ બ્લાસ્ટ કેસમાં કોર્ટે ચુકાદો આપ્યો છે. અદાલતે વર્ષ 2008ના માલેગાવ વિસ્ફોટ કેસના પ્રજ્ઞા સાધ્વી સહિત તમામ આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા છે. ...વધુ માહિતી
- Jul 31, 2025 10:37 IST
માલેગાવ બ્લાસ્ટ કેસમાં આજે ચુકાદો, સાધ્વી પ્રજ્ઞા કોર્ટ પહોંચી
માલેગાવ બ્લાસ્ટ કેસમાં આજે એક વિશેષ અદાલત ચુકાદો આપવાની છે. આ કેસના આરોપીઓમાં સાધ્વી પ્રજ્ઞા અને મેજર રરમેશ ઉપાધ્યાય (નિવૃત્ત)નું પણ નામ સામેલ છે. માલેગાવ વિસ્ફોટ કેસના ચૂકાદ પહેલા સાધ્વી પ્રજ્ઞા અને આરોપીઓ અદાલત પહોંચ્યા છે.
watch | मुंबई | साध्वी प्रज्ञा NIA कोर्ट पहुँचीं।
NIA कोर्ट आज 2008 के मालेगांव बम विस्फोट मामले में फैसला सुनाएगी, जिसमें साध्वी प्रज्ञा भी एक आरोपी हैं। pic.twitter.com/LTRDH5iX1z— ANI_HindiNews (@AHindinews) July 31, 2025
- Jul 31, 2025 09:45 IST
માલેગાવ વિસ્ફોટ કેસમાં 17 વર્ષ બાદ આજે NIA અદાલત ચુકાદો આપશે
મહારાષ્ટ્રના માલેગાવ વિસ્ફોટ કેસમાં 17 વર્ષ બાદ મુંબઇની એક વિશેષ NIA અદાલત આજે ચુકાદો સંભળાવશે. 29 સપ્ટેમ્બર, 2008માં નાસિકના માલેગાવ શહેરમાં એક મસ્જિદ નજીક એક મોટરસાઇલક પર મુકેલો બોમ્બ બ્લાસ્ટ થતાથી 6 લોકોના મોત અને ઘણા લોકો ઘાયલ થયા હતા.
watch | मुंबई: महाराष्ट्र के मालेगांव विस्फोट के 17 साल बाद, मुंबई की एक विशेष NIA अदालत आज इस मामले में अपना फैसला सुनाएगी।
29 सितंबर, 2008 को नासिक के मालेगांव शहर में एक मस्जिद के पास एक मोटरसाइकिल पर बंधे विस्फोटक उपकरण में विस्फोट होने से छह लोगों की मौत हो गई थी और कई… pic.twitter.com/1uAulGNsmK— ANI_HindiNews (@AHindinews) July 31, 2025
- Jul 31, 2025 08:23 IST
એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ દયા નાયક આજે નિવૃત્તિ થશે
એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ દયા નાયકને સેવા નિવૃત્તિના બે દિવસ પહેલા 29 જુલાઇ આસિસ્ટન્ટ પોલીસ કમિશનર પદે પ્રમોશન આપવામાં આવ્યું છે. તેઓ ક્રાઈમ બ્રાન્ચ 9માં પ્રભારી પોલીસ ઈન્સ્પેક્ટર તરીકે કાર્યરત હતા. દયા નાયક આજે, 31 જુલાઈના રોજ પોલીસ સેવામાંથી નિવૃત્ત થશે.
महाराष्ट्र | एनकाउंटर स्पेशलिस्ट दया नायक को सेवानिवृत्ति से दो दिन पहले 29 जुलाई को सहायक पुलिस आयुक्त के पद पर पदोन्नत किया गया। वे क्राइम ब्रांच 9 के प्रभारी पुलिस निरीक्षक के रूप में कार्यरत थे।
दया नायक आज, 31 जुलाई को पुलिस सेवा से सेवानिवृत्त होंगे।— ANI_HindiNews (@AHindinews) July 31, 2025
- Jul 31, 2025 07:16 IST
IMDનું ઘણા રાજ્યોમાં ભારે વરસાદનું રેડ એલર્ટ
ઉત્તરાખંડમાં સતત વરસાદ અને ભૂસ્ખલનને કારણે કેદારનાથ યાત્રા અટકી ગઈ છે. ભૂસ્ખલનને કારણે રુદ્રપ્રયાગમાં ગૌરીકુંડ અને મુનકટિયા વચ્ચેનો માર્ગ સંપૂર્ણપણે બંધ થઇ ગયો છે, જેમાં આશરે 2,500 યાત્રાળુઓ ફસાયા છે. એસડીઆરએફ અને એનડીઆરએફની ટીમો તેમને સોનપ્રયાગમાં સલામત સ્થળોએ લઈ જઈ રહી છે. દેહરાદૂન, નૈનિતાલ અને પિથોરાગઢમાં યલો એલર્ટ યથાવત છે. હિમાચલમાં 289 રસ્તાઓ પર ટ્રાફિક ઠપ્પ થઈ ગયો છે અને મૃતકોની સંખ્યા વધીને 170 થઈ ગઈ છે. ભારતીય હવામાન વિભાગે 4 ઓગસ્ટ સુધી દેશના ઘણા ભાગોમાં ભારે વરસાદની આગાહી કરી છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us