Today News : CM દેવેન્દ્ર ફડણવીસે આપી ચેતવણી, કહ્યું - મરાઠીના નામે ગુંડાગીરી ન કરી શકાય

Today Latest News Update in Gujarati 4 July 2025: મહારાષ્ટ્રમાં મરાઠી ભાષાને લઈને રાજકારણ ગરમાઈ રહ્યું છે. જ્યારથી મનસેના કાર્યકર્તાઓએ એક દુકાનદારને લાફો માર્યો છે ત્યારથી વિવાદ વધી ગયો છે

Today Latest News Update in Gujarati 4 July 2025: મહારાષ્ટ્રમાં મરાઠી ભાષાને લઈને રાજકારણ ગરમાઈ રહ્યું છે. જ્યારથી મનસેના કાર્યકર્તાઓએ એક દુકાનદારને લાફો માર્યો છે ત્યારથી વિવાદ વધી ગયો છે

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
Maharashtra CM Devendra fadanvis

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ - photo- X

Today Latest News Update in Gujarati 4 July 2025: મહારાષ્ટ્રમાં મરાઠી ભાષાને લઈને રાજકારણ ગરમાઈ રહ્યું છે. જ્યારથી મનસેના કાર્યકર્તાઓએ એક દુકાનદારને લાફો માર્યો છે ત્યારથી વિવાદ વધી ગયો છે. હવે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે આ વાયરલ વીડિયો અંગે ચેતવણી આપી છે. દેવેન્દ્ર ફડણવીસે ભારપૂર્વક જણાવ્યું છે કે મરાઠીના નામે ગુંડાગીરીને મંજૂરી આપી શકાતી નથી. તે કેસ અંગે મુખ્યમંત્રીનું કહેવું છે કે, તાત્કાલિક એફઆઇઆર દાખલ કરવામાં આવી હતી. ભાષાના નામે ગુંડાગીરી કરનારને અમે માફ કરવાના નથી. આવા તમામ લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. દરેક વ્યક્તિએ પોતાની ભાષા પર ગર્વ જોવો જોઈએ, પરંતુ તેના નામે ગુંડાગીરી કરી શકાતી નથી.

Advertisment

'આપણે એક પરિવારનો ભાગ છીએ…', ત્રિનિદાદ અને ટોબેગોમાં ભારતીય સમુદાય વચ્ચે પીએમ નરેન્દ્ર મોદી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પાંચ દેશોની મુલાકાત દરમિયાન ત્રિનિદાદ અને ટોબેગો પહોંચ્યા છે. પ્રધાનમંત્રી અગાઉ ઘાનાની મુલાકાતે ગયા હતા. પિયાર્કો આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર વડા પ્રધાન મોદીનું ઔપચારિક સ્વાગત કરવામાં આવ્યું હતું.

ત્રિનિદાદ અને ટોબેગોમાં હાજર ભારતીય સમુદાયને સંબોધતા વડા પ્રધાન મોદીએ કહ્યું, 'હું થોડા સમય પહેલા ગુંજારવ પક્ષીઓની આ સુંદર ભૂમિ પર આવ્યો છું અને મારો પહેલો વાર્તાલાપ અહીંના ભારતીય સમુદાય સાથે છે. તે સંપૂર્ણપણે સ્વાભાવિક લાગે છે કારણ કે આપણે એક પરિવારનો ભાગ છીએ… ત્રિનિદાદ અને ટોબેગોમાં ભારતીય સમુદાયની યાત્રા હિંમતથી ભરેલી છે.

Advertisment

તમારા પૂર્વજોએ મુશ્કેલીઓનો સામનો કર્યો… સમસ્યાઓનો બહાદુરીથી સામનો કર્યો. તેઓ ગંગા અને યમુનાને પાછળ છોડી ગયા પણ રામાયણને તેમના હૃદયમાં લઈ ગયા. તેઓએ તેમની માટી છોડી દીધી, પણ તેમનું મીઠું નહીં. તેઓ ફક્ત સ્થળાંતર કરનારા નહોતા; તેઓ એક શાશ્વત સભ્યતાના સંદેશવાહક હતા. તેમના યોગદાનથી આ દેશને સાંસ્કૃતિક, આર્થિક અને આધ્યાત્મિક રીતે ફાયદો થયો છે.'

  • Jul 04, 2025 23:30 IST

    Today News Live : CM દેવેન્દ્ર ફડણવીસે આપી ચેતવણી, કહ્યું - મરાઠીના નામે ગુંડાગીરી ન કરી શકાય

    મહારાષ્ટ્રમાં મરાઠી ભાષાને લઈને રાજકારણ ગરમાઈ રહ્યું છે. જ્યારથી મનસેના કાર્યકર્તાઓએ એક દુકાનદારને લાફો માર્યો છે ત્યારથી વિવાદ વધી ગયો છે. હવે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે આ વાયરલ વીડિયો અંગે ચેતવણી આપી છે. દેવેન્દ્ર ફડણવીસે ભારપૂર્વક જણાવ્યું છે કે મરાઠીના નામે ગુંડાગીરીને મંજૂરી આપી શકાતી નથી. તે કેસ અંગે મુખ્યમંત્રીનું કહેવું છે કે, તાત્કાલિક એફઆઇઆર દાખલ કરવામાં આવી હતી. ભાષાના નામે ગુંડાગીરી કરનારને અમે માફ કરવાના નથી. આવા તમામ લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. દરેક વ્યક્તિએ પોતાની ભાષા પર ગર્વ જોવો જોઈએ, પરંતુ તેના નામે ગુંડાગીરી કરી શકાતી નથી.



  • Jul 04, 2025 20:38 IST

    Banks : બચત ખાતાધારકો માટે ખુશખબર, 5 બેંકોએ મિનિમમ બેલેન્સ નિયમ નાબૂદ કર્યો, શું તમારી બેંકે રાહત આપી કે નહીં

    Bank Minimum Balance Penalty Waives : બેંકો દ્વારા બચત ખાતામાં મિનિમમ બેલેન્સ રાખવાનો નિયમ રદ કરવામાં આવ્યો છે. અત્યાર સુધી બેંકો બેંક ખાતાંમાં લઘુત્તમ બેલેન્સ ન હોય તો દંડ વસૂલતી હતી. જાણો તમારી બેંકોએ મિનિમમ બેલેન્સ પેનલ્ટી નાબૂદ કરી કે નહીં ...અહીં વાંચો



  • Jul 04, 2025 19:39 IST

    ડિપ્ટી આર્મી ચીફે કહ્યું - ઓપરેશન સિંદૂરમાં ભારતનો ત્રણ વિરોધીઓથી થયો સામનો, ચીન-તુર્કીને લઇને કહી મોટી વાત

    Operation Sindoor : લેફ્ટિનેન્ટ જનરલ રાહુલ સિંહે કહ્યું કે પાકિસ્તાન પાસે તેના 81 ટકા સૈન્ય હાર્ડવેર ચીનના છે. ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંઘર્ષમાં ચીન પોતાના હથિયારોનું અન્ય વેપન સિસ્ટમ સામે ટેસ્ટ કરવામાં સફળ રહ્યું ...સંપૂર્ણ માહિતી



  • Jul 04, 2025 17:44 IST

    Today News Live : રાજ્યમાં સાંજે 4 વાગ્યા સુધીમાં 153 તાલુકામાં વરસાદ

    શુક્રવારે સવારથી ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડી રહ્યો છે. સવારે 6 થી સાંજે 4 વાગ્યા સુધીમાં 153 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. સુરતના પલસાણા 3.50 અને બનાસકાંઠાના વાવમાં 2.99 ઈંચ વરસાદ ખાબક્યો હતો. રાજ્યના 35 તાલુકામાં એક ઇંચથી વધારે વરસાદ વરસ્યો છે.



  • Jul 04, 2025 14:33 IST

    Gujarat Heavy Rain : આજે બપોર 2 વાગ્યા સુધીમાં ગુજરાતના 115 તાલુકામાં વરસાદ, પલસાણામાં 3.50 ઈંચ ખાબક્યો

    Gujarat heavy rain today : ભારે વરસાદની આગાહી વચ્ચે આજે શુક્રવારે સવારથી ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડી રહ્યો છે. સવારથી બપોરે 2 વાગ્યા સુધીમાં 115 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. સુરતના પલસાણા 3.50 અને બનાસકાંઠાના વાવમાં 2.99 ઈંચ વરસાદ ખાબક્યો હતો. ...સંપૂર્ણ માહિતી



  • Jul 04, 2025 14:14 IST

    Today News Live : દેવભૂમિ દ્વારકાના કલ્યાણ પૂરમાં બે કલાકમાં 2.24 ઈંચ વરસાદ ખાબક્યો

    SEOC ગાંધીનગરે આપેલા વરસાદના આંકડા પ્રમાણે આજે 4 જુલાઈ 2025, શુક્રવારે સવારે 10 વાગ્યાથી લઈને બપોરના 12 વાગ્યા સુધીના 2 કલાકના સમયમાં ગુજરાતના 58 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે વરસાદ દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુરમાં 2.24 ઈંચ વરસાદ ખાબક્યો હતો. જ્યારે સુરતના પલસાણામાં 1.77 ઈંચ, વલસાડના વાપીમાં 1.26 ઈંચ વરસાદ નોંધાયો હતો.



  • Jul 04, 2025 14:07 IST

    Today News Live : ગુજરાતમાં બપોરે 12 વાગ્યા સુધીમાં 78 તાલુકામાં વરસાદ

    ગુજરાત સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવેલા વરસાદના આંકડા પ્રમાણે 4 જુલાઈ 2025, શુક્રવારે સવારે 6 વાગ્યાથી લઈને બપોરે 12 વાગ્યા સુધીના 6 કલાકના સમયગાળામાં ગુજરાતમાં 78 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે વરસાદ સુરતના પલસાણામાં 2.99 ઈંચ, બનાસકાંઠાના વાવમાં 2.99 ઈંચ વરસાદ નોંધાયો હતો.



  • Jul 04, 2025 14:03 IST

    BJP President Election: શું પહેલીવાર કોઈ મહિલાને રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવશે ભાજપ? RSS નું શું સ્ટેડ છે?

    BJP new national president 2025 : છેલ્લા કેટલાક દિવસોમાં કેન્દ્રીય નેતૃત્વએ ઘણા રાજ્યોમાં પ્રદેશ પ્રમુખોની જાહેરાત કરી છે અને તેનાથી પાર્ટીના બંધારણ મુજબ રાષ્ટ્રીય અધ્યક્ષની પસંદગીનો માર્ગ મોકળો થયો છે. ...વધુ માહિતી



  • Jul 04, 2025 12:36 IST

    Gujarat Bharti 2025 : મોડાસામાં નોકરી મેળવવાની તક, માત્ર લખતા વાંચતા આવડતું જોઈએ, વાંચો બધી માહિતી

    modasa nagarpalika Bharti 2025 : મોડાસા ભરતી 2025 અંતર્ગત પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, નોકરીનો પ્રકાર સહિતની મહત્વની માહિતી જાણવા માટે ઉમદેવારોએ આ સમાચાર છેલ્લે સુધી વાંચવા. ...સંપૂર્ણ માહિતી



  • Jul 04, 2025 10:40 IST

    Today News Live : ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 199 તાલુકામાં વરસાદ

    ગુજરાત સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવેલા વરસાદના આંકડા પ્રમાણે 3 જુલાઈ 2025, સવારે 6 વાગ્યાથી લઈને 4 જુલાઈ સવારે 6 વાગ્યા સુધીના 24 કલાકના સમયગાળામાં ગુજરાતમાં 199 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે રાજકોટના જામકંડોળામાં 6 ઈંચ, સાબરકાંઠાના ઈડરમાં 6 ઈંચ, બનાસકાંઠાના ધાનેરામાં 5 ઈચથી વધુ વરસાદ નોંધાયો હતો.



  • Jul 04, 2025 10:04 IST

    Vadodara school bomb threat : વડોદરા શહેરમાં વધુ એક સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, સર્ચ ઓપરેશન શરૂં

    bomb threat in Vadodara : વડોદરા શહેરના હરણી વિસ્તારમાં આવેલી સિગ્નલ સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા પોલીસ તંત્ર દોડતું થયું છે. બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ અને બોમ્બ સ્ક્વોડ સહિતની ટીમો ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. ...સંપૂર્ણ વાંચો



  • Jul 04, 2025 09:29 IST

    Today News Live : વડોદરા શહેરમાં વધુ એક સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

    વડોદરા શહેરમાં બોમ્બથી સ્કૂલને ઉડાવી દેવાની ધમકીઓનો સિલસિલો યથાવત છે. ત્યારે આજે શુક્રવારે વધુ એક સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. શહેરના હરણી વિસ્તારમાં આવેલી સિગ્નલ સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા પોલીસ તંત્ર દોડતું થયું છે.



  • Jul 04, 2025 08:44 IST

    RRB Technician Bharti 2025: ભારતીય રેલવેમાં સરકારી નોકરી મેળવવાની જોરદાર તક, અહીં વાંચો બધી જ માહિતી

    RRB ભરતી 2025, ભારતીય રેલવે ભરતી 2025 અંતર્ગત ટેક્નિશિયન પોસ્ટની વધારે માહિતી, શૈક્ષણિક લાયકાત, વય મર્યાાદ, પગાર ધોરણ, ભરતી પ્રક્રિયા સહિતની મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ સમાચાર છેલ્લે સુધી વાંચવા. ...સંપૂર્ણ વાંચો



  • Jul 04, 2025 08:15 IST

    Gujarat Rain forecast Today : ઉત્તર ગુજરાતના ચાર જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ, કચ્છ-સૌરાષ્ટ્રના અતિ ભારે વરસાદની આગાહી

    આજની ગુજરાતમાં વરસાદની આગાહી, હવામાન અપડેટ :આજે શુક્રવારે પણ ઉત્તર ગુજરાતના ચાર અને કચ્છ સહિત સૌરાષ્ટ્રના ચાર જિલ્લામાં અતિ ભારે વરસાદની આગાહી કરી છે. ...અહીં વાંચો



  • Jul 04, 2025 08:11 IST

    Today News Live : ત્રિનિદાદ અને ટોબેગોમાં ભારતીય સમુદાય વચ્ચે પીએમ નરેન્દ્ર મોદી

    ત્રિનિદાદ અને ટોબેગોમાં હાજર ભારતીય સમુદાયને સંબોધતા વડા પ્રધાન મોદીએ કહ્યું, 'હું થોડા સમય પહેલા ગુંજારવ પક્ષીઓની આ સુંદર ભૂમિ પર આવ્યો છું અને મારો પહેલો વાર્તાલાપ અહીંના ભારતીય સમુદાય સાથે છે. તે સંપૂર્ણપણે સ્વાભાવિક લાગે છે કારણ કે આપણે એક પરિવારનો ભાગ છીએ... ત્રિનિદાદ અને ટોબેગોમાં ભારતીય સમુદાયની યાત્રા હિંમતથી ભરેલી છે.

    તમારા પૂર્વજોએ મુશ્કેલીઓનો સામનો કર્યો... સમસ્યાઓનો બહાદુરીથી સામનો કર્યો. તેઓ ગંગા અને યમુનાને પાછળ છોડી ગયા પણ રામાયણને તેમના હૃદયમાં લઈ ગયા. તેઓએ તેમની માટી છોડી દીધી, પણ તેમનું મીઠું નહીં. તેઓ ફક્ત સ્થળાંતર કરનારા નહોતા; તેઓ એક શાશ્વત સભ્યતાના સંદેશવાહક હતા. તેમના યોગદાનથી આ દેશને સાંસ્કૃતિક, આર્થિક અને આધ્યાત્મિક રીતે ફાયદો થયો છે.'



બ્રેકિંગ ન્યૂઝ ગુજરાત વિશ્વ દેશ