/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/08/Uttarakhand-Uttarkashi-Cloudburst-8.jpg)
Uttarakhand Uttarkashi Cloudburst News : ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં વાદળ ફાટવાથી એક મોટી દુર્ઘટના સામે આવી (તસવીર - સોશિયલ મીડિયા)
Today Latest News Update in Gujarati 6 August 2025: ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં વાદળ ફાટ્યા બાદ કુદરતનો પ્રકોપ જોવા મળ્યો. મંગળવારે ઉત્તરકાશી જિલ્લાના ધારાલી ગામના ખીરગંગામાં અચાનક વાદળ ફાટ્યું. ત્યારબાદ આવેલા પૂરે ભયંકર વિનાશ મચાવ્યો છે. ઉત્તરકાશીમાં ભૂસ્ખલન બાદ 11 સૈનિકો પણ ગુમ છે. મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી ડિઝાસ્ટર કંટ્રોલ રૂમમાં પહોંચ્યા. ત્યાં તેમણે આપત્તિ અંગે એક બેઠક યોજી હતી. આ બેઠકમાં મુખ્ય સચિવ, ગૃહ સચિવ અને ડીજીપી પણ હાજર હતા.
આ કુદરતી આપત્તિમાં 50 થી વધુ લોકો ગુમ થયા હોવાના અહેવાલ છે. તે જ સમયે, બચાવ કામગીરી શરૂ કરવામાં આવી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે એક જગ્યાએ લગભગ 20 મીટર ઊંચો કાટમાળ જમા થયો છે. રાજ્યના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી ઘટના સ્થળે પહોંચ્યા હતા. અને પરિસ્થિતિનું અવલોકન કર્યું હતું. સોશિયલ મીડિયા પર જણાવ્યું હતું કે રાહત અને બચાવ કામગીરી માટે યુદ્ધ સ્તરે કામ ચાલી રહ્યું છે. આનાથી પીડિતો સુધી પહોંચી શકાય છે. મળતી માહિતી મુજબ, અત્યાર સુધીમાં ચાર લોકોના મોત થયા છે. તે જ સમયે, 11 સૈન્ય જવાનો ગુમ થયાના અહેવાલ છે.
- Aug 06, 2025 23:27 IST
297 વર્ષ બાદ રક્ષાબંધન પર બની રહ્યો છે 6 ગ્રહોનો દુર્લભ સંયોગ, આ રાશિઓનો શરુ થશે ગોલ્ડન સમય
Raksha Bandhan 2025: વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર તહેવારો અને પર્વો પર ગ્રહોનું વિશેષ સંયોજન રચાય છે, જેની અસર માનવ જીવન અને દેશ-દુનિયા પર જોવા મળે છે. તમને જણાવી દઈએ કે આ વર્ષે રક્ષાબંધનના તહેવાર પર 297 વર્ષ બાદ દુર્લભ ગ્રહોની યુતિ બનશે ...વધુ માહિતી
- Aug 06, 2025 21:49 IST
ઇકો સેન્સિટિવ ઝોનમાં છે ધરાલી, આખરે કેમ ઉત્તરાખંડમાં વધી રહી છે વાદળ ફાટવાની અને ભૂસ્ખલનની ઘટનાઓ?
Uttarakhand Cloudburst Explained : આ બધાની વચ્ચે મોટો સવાલ એ ઉભો થાય છે કે ઉત્તરાખંડમાં પૂર, વાદળ ફાટવા અને ભૂસ્ખલનની ઘટનાઓ કેમ વધી રહી છે. ધરાલી, જે મંગળવારે આવેલા પૂર અને ભૂસ્ખલનનું કેન્દ્ર હતું, તે ભાગીરથી ઇકો-સેન્સિટિવ ઝોનમાં સ્થિત છે ...બધું જ વાંચો
- Aug 06, 2025 18:43 IST
કર્તવ્ય ભવનમાં સ્માર્ટ કાર્ડથી થશે એન્ટ્રી, ગૃહ-વિદેશ સહિત આ વિભાગોના હશે મંત્રાલય
Kartavya Bhawan: દિલ્હીમાં પીએમ નરેન્દ્ર મોદીએ નવા કેન્દ્રીય સચિવાલયના એક બિલ્ડિંગ KB3નું ઉદ્ઘાટન કર્યું છે. તેને કર્તવ્ય ભવન નામ આપવામાં આવ્યું છે, જે હવે સત્તાનો એક મહત્વપૂર્ણ કોરિડોર માનવામાં આવે છે ...અહીં વાંચો
- Aug 06, 2025 17:35 IST
પીએમ મોદી SCO સમિટમાં ભાગ લેવા માટે ચીનના પ્રવાસે જાય તેવી સંભાવના, ગલવાન સંઘર્ષ પછી પ્રથમ મુલાકાત
PM Modi China visit : પીએમ નરેન્દ્ર મોદી 31 ઓગસ્ટથી 1 સપ્ટેમ્બર દરમિયાન યોજાનારી SCO સમિટ માટે ચીનની મુલાકાત લે તેવી શક્યતા છે. 2019 અને 2010માં ગલવાન અથડામણ પછી મોદીની આ પહેલી બેઇજિંગ મુલાકાત હશે ...બધું જ વાંચો
- Aug 06, 2025 16:10 IST
ICC ટેસ્ટ રેન્કિંગ : સિરાજ લાંબી છલાંગ લગાવી આ સ્થાન પર પહોંચ્યો, યશસ્વી જયસ્વાલની ટોપ 5 માં એન્ટ્રી
આઈસીસી ટેસ્ટ રેન્કિંગ : આઈસીસીના લેટેસ્ટ ટેસ્ટ બોલિંગ રેન્કિંગમાં ભારતીય ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજને ઘણો ફાયદો થયો છે. સિરાજ ઇંગ્લેન્ડ સામેની 5 મેચની ટેસ્ટ સિરીઝમાં સૌથી વધુ 23 વિકેટ ઝડપી હતી ...વધુ વાંચો
- Aug 06, 2025 15:27 IST
Gujarat bharti 2025 : ગુજરાતમાં ધો.10 અને 12 ઉમેદવારો માટે સરકારી નોકરીની ઉત્તમ તક, કેટલો મળશે પગાર?
ojas gsssb Bharti 2025 in gujarati : ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી અંતર્ગત વનરક્ષક પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, અરજી પ્રક્રિયા સહિતની મહત્વની માહિતી આ આર્ટિકલમાં વાંચો. ...સંપૂર્ણ વાંચો
- Aug 06, 2025 13:00 IST
Today News Live: બ્રાઝિલના રાષ્ટ્રપતિ લુલાએ ટ્રમ્પની વાતચીતની ઓફરને ઠુકરાવી
ટેરિફને લઈને બ્રાઝિલ અને અમેરિકા વચ્ચે તણાવ વધુ તીવ્ર બન્યો છે. બ્રાઝિલના રાષ્ટ્રપતિ લુઇઝ ઇનાસિયો લુલા દા સિલ્વાએ સ્પષ્ટપણે કહ્યું છે કે તેઓ ટેરિફ પર યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે વાત કરશે નહીં. તેમણે ટ્રમ્પની ફોન કોલની ઓફરને નકારી કાઢી અને કહ્યું કે બ્રાઝિલ તેના હિતોનું રક્ષણ કરવા માટે વિશ્વ વેપાર સંગઠન (WTO) સહિત દરેક પ્લેટફોર્મનો ઉપયોગ કરશે. તેમણે કહ્યું કે તેઓ પીએમ મોદી સાથે વાત કરશે.
- Aug 06, 2025 12:12 IST
Uttarkashi Cloudburst: '15 સેકન્ડમાં જ તાણી લઈ ગયું પૂર' વાદળ ફટવાથી ઉત્તરકાશીમાં ભયંકર તબાહી
Dharali village cloud burst latest updates : ઉત્તરકાશી શહેરમાં કામ કરતી સુમન સેમવાલને ધારાલીમાં વાદળ ફાટવાનું દ્રશ્ય જોયું ત્યારે તે ખૂબ જ ડરી ગઈ અને તેણે મુખાબા ગામમાં રહેતા તેના પિતા રમેશ ચંદ્રને ફોન કર્યો. ...બધું જ વાંચો
- Aug 06, 2025 11:55 IST
Today News Live: સીએમ ધામી ઉત્તરકાશી પહોંચ્યા, અસરગ્રસ્ત વિસ્તારોનો સર્વે કર્યો
રાજ્યના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ સોશિયલ મીડિયા પર જણાવ્યું હતું કે રાહત અને બચાવ કામગીરી માટે યુદ્ધ સ્તરે કામ ચાલી રહ્યું છે. આનાથી પીડિતો સુધી પહોંચી શકાય છે. મળતી માહિતી મુજબ, અત્યાર સુધીમાં ચાર લોકોના મોત થયા છે. તે જ સમયે, 11 સૈન્ય જવાનો ગુમ થયાના અહેવાલ છે.
- Aug 06, 2025 09:20 IST
Canada PR : ખોબે ખોબે PR વહેંચી રહ્યું છે કેનેડા! આ 118 કંપનીઓમાં નોકરી મળી તો પરમેન્ટ રેસીડેન્સી પાક્કી!
west kootenay pr program : બ્રિટિશ કોલંબિયા રાજ્યના વેસ્ટ કુટને પ્રદેશે એવી કંપનીઓના નામ જાહેર કર્યા છે જેમાંથી વિદેશી કામદારો નોકરી મેળવે તો PR માટે પાત્ર બનશે. ...વધુ માહિતી
- Aug 06, 2025 08:07 IST
Today News Live: ગુજરાતમાં 24 કલાકમાં 45 તાલુકામાં વરસાદ નોંધાયો
સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગરે આપેલા વરસાદના આંકડા પ્રમાણે 5 ઓગસ્ટ 2025 સવારે 6 વાગ્યાથી લઈને 6 ઓગસ્ટ 2025 સવારે 6 વાગ્યા સુધીમાં 24 કલાકમાં રાજ્યના 45 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે પોરબંદરમાં 0.39 ઈંચ વરસાદ નોંધાયો હતો.
- Aug 06, 2025 07:32 IST
Today News Live: અમિત શાહે ઉત્તરાખંડના સીએમ ધામી સાથે વાત કરી
આ આપત્તિ અંગે ગૃહમંત્રી અમિત શાહે X પર લખ્યું, "ઉત્તરાખંડના ધારાલી (ઉત્તરકાશી) માં અચાનક પૂરની ઘટના અંગે ઉત્તરાખંડના મુખ્યમંત્રી સાથે વાત કરી અને ઘટના વિશે માહિતી મેળવી. ITBP ની નજીકની 3 ટીમો ત્યાં મોકલવામાં આવી છે. આ સાથે, NDRF ની 6 ટીમો પણ ઘટનાસ્થળે રવાના કરવામાં આવી છે, જે ટૂંક સમયમાં પહોંચીને બચાવ કાર્યમાં જોડાશે."
- Aug 06, 2025 07:31 IST
Today News Live: ઉત્તરકાશીમાં પૂરમાં સેનાના જવાનો સહિત 60 થી વધુ લોકો ગુમ
ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં વાદળ ફાટ્યા બાદ કુદરતનો પ્રકોપ જોવા મળ્યો. મંગળવારે ઉત્તરકાશી જિલ્લાના ધારાલી ગામના ખીરગંગામાં અચાનક વાદળ ફાટ્યું. ત્યારબાદ આવેલા પૂરે ભયંકર વિનાશ મચાવ્યો છે. ઉત્તરકાશીમાં ભૂસ્ખલન બાદ 11 સૈનિકો પણ ગુમ છે. મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી ડિઝાસ્ટર કંટ્રોલ રૂમમાં પહોંચ્યા. ત્યાં તેમણે આપત્તિ અંગે એક બેઠક યોજી હતી. આ બેઠકમાં મુખ્ય સચિવ, ગૃહ સચિવ અને ડીજીપી પણ હાજર હતા.
આ કુદરતી આપત્તિમાં 50 થી વધુ લોકો ગુમ થયા હોવાના અહેવાલ છે. તે જ સમયે, બચાવ કામગીરી શરૂ કરવામાં આવી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે એક જગ્યાએ લગભગ 20 મીટર ઊંચો કાટમાળ જમા થયો છે, જેમાં ઘણા લોકો દટાયેલા હોવાનું કહેવાય છે. તે જ સમયે, ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે. NDRF, SDRF અને જિલ્લા વહીવટીતંત્રની ટીમ રાહત અને બચાવ કાર્યમાં રોકાયેલી છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us