Today News : ડો શ્યામા પ્રસાદ મુખર્જી ન હોત તો કાશ્મીર ભારતનું અભિન્ન અંગ બની શક્યું ન હોત : અમિત શાહ

Today Latest News Update in Gujarati 6 July 2025: ડો શ્યામા પ્રસાદ મુખર્જીની 125મી જન્મ જયંતી પર કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે કહ્યું કે, તેમણે એક દેશમાં બે કાયદા બે મંત્રી અને બે પ્રતિક ચાલશે નહીં - નારો આપતા કાશ્મીર માટે પોતાનું બલીદાન આપ્યું.

Written by Ajay Saroya
Updated : July 06, 2025 23:13 IST
Today News : ડો શ્યામા પ્રસાદ મુખર્જી ન હોત તો કાશ્મીર ભારતનું અભિન્ન અંગ બની શક્યું ન હોત : અમિત શાહ
કેન્દ્રીય મંત્રી અમિત શાહ (તસવીર - અમિત શાહ ટ્વિટર સ્ક્રિનગ્રેબ)

Today Latest News Update in Gujarati 6 July 2025: ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બ્રાઝીલ છે. બ્રાઝીલ પહોંચ્યા બાદ પીએમ મોદીએ કહ્યું કે, બ્રાઝીલના ભારતીય સમુદાયના લોકોએ રિયો ડી જેનરિયોમાં તેમનો બહુ જ શાનદાર રીતે સ્વાગત કરવામાં આવ્યો છે. તે આશ્ચર્યજનક છે કે તેઓ ભારતીય સંસ્કૃતિ સાથે કેવી રીતે જોડાયેલા છે અને ભારતના વિકાસ માટે કેટલા ભાવુક છે. અહીં પીએમ મોદી 17માં બ્રિક્સ શિખર સમિટમાં ભાગ લેશે. ત્યારબાદ રાજકીય પ્રવાસ પર જશે. પીએમ મોદીની આ ચોથી બ્રાઝીલ યાત્રા છે. આ દરમિયાન તેઓ ઘણી દ્વિપક્ષીય બેઠકોમાં ભાર લઇ શકે છે.

આજે ડો શ્યામા પ્રસાદ મુખર્જીની જન્મ જયંતિ, PM મોદીએ શ્રદ્ધાંજલી અર્પિત કરી

ડો શ્યામા પ્રસાદ મુખર્જીની આજે જન્મ આજે 125મી જન્મ જયંતી છે. ડો શ્યામા પ્રસાદ મુખર્જી ભારતના મહાન સ્વતંત્રત સેનાની, રાજકારણી, કેબિનેટ મંત્રી શિક્ષણવિદ, સામાજિક કાર્યકર અને બેરિસ્ટર હતા. તેનો જન્મ 6 જુલાઇ 1901માં કલકત્તામાં થયો હતો. જનસંઘ પાર્ટીની સ્થાપના ડો શ્યામા પ્રસાદ મુખર્જી એ કરી હતી. આજે ડો શ્યામા પ્રસાદ મુખર્જીની જન્મ જયંતી પર પીએમ નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા X પર પોસ્ટ કરી તેમને શ્રદ્ધાંજલી અર્પિત કરી છે.

આજે દેવશયની એકાદશી, પંઢરના વિઠ્ઠલ મંદિરમાં ભવ્ય ઉજવણી

આજે દેશભરમાં દેવશયની એકાદશીની ધામધમૂથી ઉજવણી કરવામાં આવી છે. શ્રદ્ધાઓએ ગંગા સહિત પવિત્ર નદીઓમાં સ્નાન કર્યું છે. આજથી ભગવાન વિષ્ણુ 4 મહિના સુધી ક્ષિરસાગરમાં શયન કરશે ચાતુર્માસનો પ્રારંભ થાય છે. મહારાષ્ટ્રના પંઢરમાં શ્રી વિઠ્ઠલ રુક્મણી મંદિરમાં અષાઢી એકાદશી અવસર પર મહાપૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું. દિલ્હીમાં પણ પંઢરપુરની ધાર્મિક વારી પંરપરાની ઉજવણી કરવામાં આવી છે.

Live Updates

ભારત ઈતિહાસ રચવાથી માત્ર 5 વિકેટ દૂર

ઈંગ્લેન્ડે 28 ઓવરમાં 5 વિકેટ પર 110 રન બનાવ્યા છે. જીત માટે 498 રનની જરૂર છે. બહેન સ્ટોક 10 અને જેમી સ્મીથ 17 રન બનાવીને ક્રિજ પર છે. બંને વચ્ચે 27 રનની ભાગીદારી થઈ છે. ટીમ ઈન્ડિયા વધુ પાંચ વિકેટ લેતાની સાથે જ ઈતિહાસ રચાઈ જશે.

ડો શ્યામા પ્રસાદ મુખર્જી ન હોત તો કાશ્મીર ભારતનું અભિન્ન અંગ બની શક્યું ન હોત : અમિત શાહ

ડો શ્યામા પ્રસાદ મુખર્જીની 125મી જન્મ જયંતી પર કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે કહ્યું કે, ડો શ્યામા પ્રસાદ મુખર્જી ન હોત તો કાશ્મીર ભારતનું અભિન્ન અંગ ન શક્યું હોત. તેમણે ‘એક દેશમાં બે કાયદા, બે મંત્રી અને બે પ્રતિક ચાલશે નહીં’ નારો આપતા કાશ્મીર માટે પોતાનું બલીદાન આપ્યું. આજે પશ્ચિમ બંગાળ આપણા દેશનો હિસ્સો છે, તેનો સંપૂર્ણ શ્રેય શ્યામા પ્રસાદ મુખર્જી અને સ્વામી પ્રણવાનંદને જાય છે. તેમણે તૃષ્ટિકરણ નીતિના વિરોધમાં જવાહરલાલ નહેરુના મંત્રીમંડળ માંથી રાજીનામું આપી દીધું હતું. તેમણે 10 સભ્યો સાથે જ પાર્ટી શરૂ કરી હતી, તે આજે 12 કરોડ લોકોના સભ્યપદ સાથે દુનિયાની સૌથી મોટી રાજકીય પાર્ટી બની ગઇ છે.

આજે દેવશયની એકાદશી, ચાતુર્માસ શરૂ, પંઢરના વિઠ્ઠલ મંદિરમાં ભવ્ય ઉજવણી

આજે દેશભરમાં દેવશયની એકાદશીની ધામધમૂથી ઉજવણી કરવામાં આવી છે. શ્રદ્ધાઓએ ગંગા સહિત પવિત્ર નદીઓમાં સ્નાન કર્યું છે. આજથી ભગવાન વિષ્ણુ 4 મહિના સુધી ક્ષિરસાગરમાં શયન કરશે ચાતુર્માસનો પ્રારંભ થાય છે.

મહારાષ્ટ્રના પંઢરમાં શ્રી વિઠ્ઠલ રુક્મણી મંદિરમાં અષાઢી એકાદશી અવસર પર મહાપૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું. દિલ્હીમાં પણ પંઢરપુરની ધાર્મિક વારી પંરપરાની ઉજવણી કરવામાં આવી છે.

દલાઇ લામાનો આજે 90મો જન્મ દિવસ

બૌદ્ધ ધર્મના આધ્યાત્મિક ગુરુ દલાઇ લામાનો આજે 90મો જન્મ દિવસ છે. હિમાચલ પ્રદેશના ધર્મશાલામાં આજે દલાઇ લામાના જન્મ દિવસની ઉજવણીનો ભવ્ય સમારોહ યોજાયો છે.

આજે ડો શ્યામા પ્રસાદ મુખર્જીની જન્મ જયંતિ, PM મોદીએ શ્રદ્ધાંજલી અર્પિત કરી

ડો શ્યામા પ્રસાદ મુખર્જીની આજે 125મી જન્મ જયંતી છે. પીએમ નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા X પર પોસ્ટ કરી ડો શ્યામા પ્રસાદ મુખર્જીને શ્રદ્ધાંજલી અર્પીત કરી છે. ડો શ્યામા પ્રસાદ મુખર્જી ભારતના મહાન સ્વતંત્ર સેનાની, રાજકારણી, કેબિનેટ મંત્રી શિક્ષણવિદ, સામાજિક કાર્યકર અને બેરિસ્ટર હતા. તેનો જન્મ 6 જુલાઇ 1901માં કલકત્તામાં થયો હતો. જનસંઘ પાર્ટીની સ્થાપના ડો શ્યામા પ્રસાદ મુખર્જી એ કરી હતી. જ્યારે સંસદમાં જવાહરલાલ નહેરુ એ ડો શ્યામા પ્રસાદ મુખર્જીની માફી માંગી, વધુ વાંચવા ક્લિક કરો

https://publish.twitter.com/?url=https://twitter.com/narendramodi/status/1941680842033516884

PM મોદી બ્રાઝીલ પહોંચ્યા, BRICS શિખર સમિટમાં ભાગ લેશે

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બ્રાઝીલ છે. બ્રાઝીલ પહોંચ્યા બાદ પીએમ મોદીએ કહ્યું કે, બ્રાઝીલના ભારતીય સમુદાયના લોકોએ રિયો ડી જેનરિયોમાં તેમનો બહુ જ શાનદાર રીતે સ્વાગત કરવામાં આવ્યો છે. તે આશ્ચર્યજનક છે કે તેઓ ભારતીય સંસ્કૃતિ સાથે કેવી રીતે જોડાયેલા છે અને ભારતના વિકાસ માટે કેટલા ભાવુક છે. અહીં પીએમ મોદી 17માં બ્રિક્સ શિખર સમિટમાં ભાગ લેશે. ત્યારબાદ રાજકીય પ્રવાસ પર જશે. પીએમ મોદીની આ ચોથી બ્રાઝીલ યાત્રા છે. આ દરમિયાન તેઓ ઘણી દ્વિપક્ષીય બેઠકોમાં ભાર લઇ શકે છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ