/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/05/Operation-Sindoor-1-1.jpg)
"ઓપરેશન સિંદૂર 2025" હેઠળ, ભારતીય સશસ્ત્ર દળોએ પાકિસ્તાન અને પીઓકેમાં ફેલાયેલા નવ આતંકવાદી શિબિરો પર હુમલો કર્યો હતો (તસવીર - સોશિયલ મીડિયા)
Today Latest News Update in Gujarati 6 June 2025: ગુજરાત કોંગ્રેસના મહામંત્રી રાજેશ સોનીની શુક્રવારે રાજ્યના સાયબર ક્રાઈમ સેલ દ્વારા સોશિયલ મીડિયા પર 'ઓપરેશન સિંદૂર' સંબંધિત અપમાનજનક અને રાષ્ટ્રવિરોધી પોસ્ટ અપલોડ કરવા બદલ ધરપકડ કરવામાં આવી હતી. સમાચાર એજન્સી પીટીઆઈના અહેવાલમાં જણાવાયું છે.પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે સોની પર ઓપરેશન સિંદૂર અંગે ફેસબુક પર વિવાદાસ્પદ નિવેદનો પોસ્ટ કરવાનો આરોપ છે.
PM મોદીએ J&Kમાં વિશ્વના સૌથી ઊંચા રેલ પુલનું કર્યું ઉદ્ઘાટન કર્યું
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શુક્રવારે ચિનાબ નદી પરના વિશ્વના સૌથી ઊંચા પુલનું ઉદ્ઘાટન કર્યું હતું. આ દરમિયાન લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહા, સીએમ ઓમર અબ્દુલ્લા અને રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ પણ તેમની સાથે હાજર હતા. ઉધમપુરમાં એરફોર્સ સ્ટેશન પર પહોંચ્યા બાદ પ્રધાનમંત્રી હેલિકોપ્ટર દ્વારા ચિનાબ નદી પરના પુલનું ઉદ્ઘાટન કરવા માટે પહોંચ્યા હતા.
ચિનાબ પુલનું ઉદ્ઘાટન કર્યા પછી પ્રધાનમંત્રી મોદીએ ભારતના પ્રથમ 'કેબલ-સ્ટેડ' અંજી પુલનું પણ ઉદ્ઘાટન કર્યું અને 272 કિમી લાંબા ઉધમપુર-શ્રીનગર-બારામુલ્લા રેલ્વે લિંક (USBRL) ના પૂર્ણાહુતિ પ્રસંગે વંદે ભારત ટ્રેનોને લીલી ઝંડી બતાવી. પ્રધાનમંત્રીની મુલાકાત માટે બહુસ્તરીય સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે.
વિશ્વનો સૌથી ઊંચો રેલ્વે કમાન પુલ તરીકે ઓળખાતો ચેનાબ રેલ પુલ 272 કિલોમીટર લાંબા ઉધમપુર-શ્રીનગર-બારામુલ્લા રેલ લિંક (USBRL) પ્રોજેક્ટનો એક ભાગ છે. તે ભારત માટે ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે.
જમ્મુ અને કાશ્મીરના રિયાસી જિલ્લામાં બક્કલ અને કૌરી વચ્ચે લગભગ 1,400 કરોડ રૂપિયાના ખર્ચે બનેલો ચેનાબ પુલ નદીના પટથી 359 મીટર ઉપર છે. તે પેરિસના એફિલ ટાવર કરતા 35 મીટર ઉંચો અને દેશની રાષ્ટ્રીય રાજધાનીમાં કુતુબ મિનાર કરતા લગભગ પાંચ ગણો ઉંચો છે. વર્ષ 2003 માં ચેનાબ પુલ બનાવવા માટે લીલી ઝંડી આપવામાં આવી હતી અને આ સ્વપ્ન આજે પૂર્ણ થઈ રહ્યું છે. જોકે, આ પુલ બનાવવામાં ઘણા પડકારો હતા.
- Jun 06, 2025 22:43 IST
પીએમ મોદીને કેનેડાથી G-7 નું આમંત્રણ મળ્યું, ઘણા દિવસોથી ચાલી રહ્યું હતું સસ્પેન્સ
PM Narendra Modi G7 Invitation : જી-7 સમિટમાં ભારતને આમંત્રણ મળવું મહત્ત્વનું છે. 2019થી પીએમ મોદી સતત આ સમિટનો ભાગ રહ્યા છે ...વધુ વાંચો
- Jun 06, 2025 21:15 IST
Today News Live : આજે ગુજરાતમાં કોરોનાના નવા 170 કેસ નોંધાયા
ગુજરાતમાં કોરોનાના નવા કેસ ખૂબ જ વધી રહ્યાં છે. આજે 6 જૂનના રોજ ગુજરાતમાં કોરોનાના નવા 170 કેસ નોંધાયા છે. રાજ્યમાં આજે નવા સામે આવેલા કોરોનાના 170 કેસની સાથે ગુજરાતમાં કોરોનાના કુલ કેસની સંખ્યા વઘીને 717 થવા પામી છે. જેમાંથી આજે 68 દર્દીઓને રજા આપવામાં આવી છે. જ્યારે 694 કેસના દર્દીઓને હોમ આઈસોલેશનમાં રાખીને સારવાર આપવામાં આવી રહી છે. 23 દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
- Jun 06, 2025 18:55 IST
Today News Live : ગુજરાત કોંગ્રેસના મહામંત્રી રાજેશ સોનીની ધરપકડ
ગુજરાત કોંગ્રેસના મહામંત્રી રાજેશ સોનીની શુક્રવારે રાજ્યના સાયબર ક્રાઈમ સેલ દ્વારા સોશિયલ મીડિયા પર 'ઓપરેશન સિંદૂર' સંબંધિત અપમાનજનક અને રાષ્ટ્રવિરોધી પોસ્ટ અપલોડ કરવા બદલ ધરપકડ કરવામાં આવી હતી. સમાચાર એજન્સી પીટીઆઈના અહેવાલમાં જણાવાયું છે.પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે સોની પર ઓપરેશન સિંદૂર અંગે ફેસબુક પર વિવાદાસ્પદ નિવેદનો પોસ્ટ કરવાનો આરોપ છે.
- Jun 06, 2025 17:29 IST
154Kg થી 65Kg સુધીની સફર, મહિલાએ આ રીતે ઘટાડ્યું 90 કિલો વજન, પોતે જણાવી રીત
pranjal pandey weight loss tips : પ્રાંજલ પાંડેએ દાવો કર્યો છે કે તેણે ખૂબ જ સાદગી અને સમર્પણ સાથે 89 કિલો વજન ઘટાડ્યું છે, જેનું કારણ તેની સમજણ અને સ્વસ્થ આહારની ટેવ અને ફિટનેસ પ્રત્યેનું સમર્પણ છે ...સંપૂર્ણ વાંચો
- Jun 06, 2025 16:50 IST
36 વર્ષની ઉંમરમાં ભારતીય સ્પિનરે ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી, 2 વર્લ્ડ કપ વિજેતા ટીમનો રહ્યો હતો ભાગ
Piyush Chawla retirement : ભારતીય ક્રિકેટ ટીમના 36 વર્ષીય સ્પિનર પિયુષ ચાવલાએ તમામ પ્રકારના ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી છે. પિયુષ ચાવલા ભારત માટે 35 આંતરરાષ્ટ્રીય મેચ રમ્યો હતો જેમાં તેણે કુલ 43 વિકેટ ઝડપી હતી ...બધું જ વાંચો
- Jun 06, 2025 12:33 IST
Today News Live : પીએમ નરેન્દ્ર મોદીએ ચિનાબ અને અંજી પુલનું ઉદ્ઘાટન કર્યું
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શુક્રવારે ચિનાબ નદી પરના વિશ્વના સૌથી ઊંચા પુલનું ઉદ્ઘાટન કર્યું હતું. આ દરમિયાન લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહા, સીએમ ઓમર અબ્દુલ્લા અને રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ પણ તેમની સાથે હાજર હતા. ઉધમપુરમાં એરફોર્સ સ્ટેશન પર પહોંચ્યા બાદ પ્રધાનમંત્રી હેલિકોપ્ટર દ્વારા ચિનાબ નદી પરના પુલનું ઉદ્ઘાટન કરવા માટે પહોંચ્યા હતા.
ચિનાબ પુલનું ઉદ્ઘાટન કર્યા પછી પ્રધાનમંત્રી મોદીએ ભારતના પ્રથમ 'કેબલ-સ્ટેડ' અંજી પુલનું પણ ઉદ્ઘાટન કર્યું અને 272 કિમી લાંબા ઉધમપુર-શ્રીનગર-બારામુલ્લા રેલ્વે લિંક (USBRL) ના પૂર્ણાહુતિ પ્રસંગે વંદે ભારત ટ્રેનોને લીલી ઝંડી બતાવી. પ્રધાનમંત્રીની મુલાકાત માટે બહુસ્તરીય સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે.
- Jun 06, 2025 11:06 IST
Today News Live : બેંગલુરુમાં ભાગદોડ કેસમાં કાર્યવાહી શરૂ, પોલીસે 3 RCB અધિકારીઓની ધરપકડ કરી
બેંગલુરુમાં એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમની બહાર રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) ના IPL વિજયની ઉજવણી દરમિયાન થયેલી ભાગદોડથી સમગ્ર શહેર હચમચી ગયું. આ દુ:ખદ અકસ્માતમાં 11 લોકોએ જીવ ગુમાવ્યા અને ઘણા લોકો ઘાયલ થયા. આ ઘટનાએ માત્ર રમતપ્રેમીઓને જ નહીં પરંતુ સમગ્ર કર્ણાટકને આઘાત પહોંચાડ્યો. અકસ્માત બાદ, કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ કડક કાર્યવાહી કરી અને જવાબદારો સામે કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો. શુક્રવારે, બેંગલુરુ પોલીસે RCBના માર્કેટિંગ અને રેવન્યુ હેડ નિખિલ સોસાલે, DNA એન્ટરટેઈનમેન્ટ નેટવર્કના સિનિયર ઇવેન્ટ મેનેજર કિરણ કુમાર અને વાઇસ પ્રેસિડેન્ટ (બિઝનેસ અફેર્સ) સુનિલ મેથ્યુની ધરપકડ કરી.
- Jun 06, 2025 11:04 IST
Today News Live : લખનૌમાં અઢી વર્ષની બાળકી પર બળાત્કારનો આરોપી એન્કાઉન્ટરમાં ઘાયલ થયો, હાલત ગંભીર
લખનૌમાં અઢી વર્ષની બાળકી પર બળાત્કારનો આરોપી પોલીસ એન્કાઉન્ટરમાં ઘાયલ થયો છે. ત્યારબાદ તેને સારવાર માટે હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો હતો. જ્યાં તેની હાલત ગંભીર હોવાનું કહેવાય છે. ગુરુવારે મોડી રાત્રે એક ઉચ્ચ પોલીસ અધિકારીએ આ માહિતી આપી હતી. તેમણે કહ્યું કે ઘટનાના ચોવીસ કલાકમાં જ આરોપીને પકડી લેવામાં આવ્યો હતો.
તમને જણાવી દઈએ કે, આ ઘટના 5 જૂને બની હતી. ફરિયાદના આધારે કેસ નોંધવામાં આવ્યો હતો અને આરોપીને પકડવા માટે પાંચ ટીમો બનાવવામાં આવી હતી. સેન્ટ્રલ લખનૌના ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ (ડીસીપી) આશિષ શ્રીવાસ્તવે આરોપીની ઓળખ દીપક વર્મા તરીકે કરી છે.
- Jun 06, 2025 10:54 IST
Today News Live : પતંજલિ જમીન કૌભાંડમાં નેપાળના ભૂતપૂર્વ વડા પ્રધાન માધવ નેપાળ સામે ભ્રષ્ટાચારનો કેસ દાખલ
પતંજલિ યોગપીઠ-નેપાળ સંબંધિત જમીન કૌભાંડના સંદર્ભમાં નેપાળના ભૂતપૂર્વ વડા પ્રધાન માધવ કુમાર નેપાળ સામે ભ્રષ્ટાચારનો કેસ દાખલ કરવામાં આવ્યો છે. આ કેસ નેપાળની ભ્રષ્ટાચાર વિરોધી એજન્સી ધ કમિશન ઓફ ઇન્ક્વાયરી ઇનટુ એબ્યુઝ ઓફ ઓથોરિટી (CIAA) દ્વારા દાખલ કરવામાં આવ્યો છે. તેમાં માધવ કુમાર નેપાળ અને અન્ય 93 લોકોનું નામ છે. માધવ કુમાર નેપાળ CPN-યુનિફાઇડ સોશિયાલિસ્ટ પાર્ટીના પ્રમુખ છે. આ કેસમાં, પતંજલિ યોગપીઠ પર કાવેરી જિલ્લામાં યોગ કેન્દ્ર અને હર્બલ ખેતી માટે જમીન ખરીદવામાં મદદ કરવાનો આરોપ છે. CIAA એ ખાસ કોર્ટમાં કેસ દાખલ કર્યો છે.
- Jun 06, 2025 09:08 IST
Today News Live : ગુજરાતમાં કોરોનાના કુલ 615 કેસ
ગુજરાતમાં ધીમે ધીમે કોરોના એક્ટીવ કેસોમાં ભારે વધારો થઈ રહ્યો છે ત્યારે ગુરુવારે ગુજરાતમાં કોરોનાના નવા 167 કેસ નોંધાયા હતા. રાજ્યમાં કોરોનાના કુલ 615 કેસ નોંધાયા જેમાંથી 600 દર્દી હોમ આઈસોલેશનમાં છે. તો 15 દર્દી હોસ્પિટલમાં સારવાર હેઠળ દાખલ છે.
- Jun 06, 2025 08:24 IST
Career in canada : કેનેડામાં ભારતીય વિદ્યાર્થીઓની મુશ્કેલીઓ વધશે? સરકાર લાવી રહી છે નવો કાયદો
canada strong borders act : કેનેડાએ 'સ્ટ્રોંગ બોર્ડર એક્ટ' નામનું બિલ રજૂ કર્યું છે. તેનો હેતુ સરહદ સુરક્ષા વધારવા, દેશમાં ડ્રગ્સના પ્રવેશને રોકવા અને મની લોન્ડરિંગ સામે લડવાનો છે. આ બિલને કાયદો બનાવીને ઇમિગ્રેશન સિસ્ટમની અખંડિતતા પણ જાળવવાની છે. ...વધુ વાંચો
- Jun 06, 2025 07:51 IST
Today's Gujarat Weather: અસહ્ય ઉકળાટથી લોકો ત્રાહિમામ, ગુજરાતમાં ગરમી 40 ડિગ્રી પર યથાવત, આજે ક્યાં પડશે વરસાદ?
Gujarat Today Weather Forecast Update: ચોમાસાના આગમન પહેલા રાજ્યમાં ગરમી વધતાં અસહ્ય બફારો વધતાં લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. બીજી તરફ હવામાન વિભાગે આજે શુક્રવારે પણ કેટલાક વિસ્તારોમાં સામાન્ય વરસાદની આગાહી કરી છે. ...વધુ માહિતી
- Jun 06, 2025 07:29 IST
Today News Live : લગભગ 1,400 કરોડ રૂપિયાના ખર્ચે બનેલો છે ચેનાબ પુલ
જમ્મુ અને કાશ્મીરના રિયાસી જિલ્લામાં બક્કલ અને કૌરી વચ્ચે લગભગ 1,400 કરોડ રૂપિયાના ખર્ચે બનેલો ચેનાબ પુલ નદીના પટથી 359 મીટર ઉપર છે. તે પેરિસના એફિલ ટાવર કરતા 35 મીટર ઉંચો અને દેશની રાષ્ટ્રીય રાજધાનીમાં કુતુબ મિનાર કરતા લગભગ પાંચ ગણો ઉંચો છે. વર્ષ 2003 માં ચેનાબ પુલ બનાવવા માટે લીલી ઝંડી આપવામાં આવી હતી અને આ સ્વપ્ન આજે પૂર્ણ થઈ રહ્યું છે. જોકે, આ પુલ બનાવવામાં ઘણા પડકારો હતા.
- Jun 06, 2025 07:28 IST
Today News Live : PM મોદી આજે જમ્મુ અને કાશ્મીરમાં વિશ્વના સૌથી ઊંચા રેલ પુલનું કરશે ઉદ્ઘાટન
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે જમ્મુ અને કાશ્મીરમાં ચેનાબ રેલ પુલનું ઉદ્ઘાટન કરશે. તેઓ શ્રીનગર અને કટરા વચ્ચે ખાસ ડિઝાઇન કરાયેલી બે વંદે ભારત ટ્રેનોને પણ લીલી ઝંડી આપશે. વિશ્વનો સૌથી ઊંચો રેલ્વે કમાન પુલ તરીકે ઓળખાતો ચેનાબ રેલ પુલ 272 કિલોમીટર લાંબા ઉધમપુર-શ્રીનગર-બારામુલ્લા રેલ લિંક (USBRL) પ્રોજેક્ટનો એક ભાગ છે. તે ભારત માટે ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us