/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/07/Arvind-Kejriwal-.jpg)
આપ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલ (ફાઇલ ફોટો)
Gujarat Latest News Update Today in Gujarati 7 September 2025 : ઉજ્જૈનની શનિવાર મોડી રાત્રે ક્ષિપ્રા નદીમાં એક કાર પડવાની દૂર્ઘટના બની છે. દૂર્ઘટનાગ્રસ્ત કારમાં 1 પોલીસ ઇન્સ્પેક્ટર સહિત 3 પોલીસ કર્મચારી સવાર હતા. શનિવારે રાત્રે કાર ક્ષિપ્રા નદીના મોટા પુલ પરથી પસાર થઇ હતી ત્યારે અચાનક નદીમાં પડી ગઇ હતી. કારમાં સવાર 1 પોલીસ અધિકારીનું મોત થયું છે, જ્યારે અન્ય બે પોલીસ કર્મચારીની નદીમાં શોધખોળ ચાલી રહી છે.
જાપાનના પીએમ શિગેરુ ઇશિબા રાજીનામું આપશે
જાપાનના વડાપ્રધાન શિગેરુ ઇશિબાએ સત્તાધારી લિબરલ ડેમોક્રેટિક પાર્ટીમાં ભંગાણ ન પડે તે માટે રાજીનામું આપવાનો નિર્ણય કર્યો છે. સ્થાનિક મીડિયાએ આ જાણકારી આપી છે. ઇશિબાની આગેવાની હેઠળના એલડીપીની આગેવાની હેઠળના ગઠબંધને ગયા વર્ષે સત્તામાં આવ્યા બાદ સંસદના બંને ગૃહોની ચૂંટણીમાં બહુમતી ગુમાવી દીધી છે, કારણ કે જીવનનિર્વાહના વધતા જતા ખર્ચને કારણે મતદારો નારાજ છે.
અરવિંદ કેજરીવાલનો મોદી સરકાર પર કટાક્ષ - અમેરિકાના કોટનની ઇમ્પોર્ટ ડ્યુટી ઘટાડી, ભારતના ખેડૂતોનો કપાસ કોણ ખરીદશે?
આપ પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે કહ્યું કે, 19 ઓગસ્ટે કેન્દ્રની મોદી સરકારી 11 ટકા ઇમ્પોર્ટ ડ્યૂટી ઘટાડી દીધી છે. હવે અમેરિકાથી આવતું કોટન ભારતના ખેડૂતોની તુલનામાં 15 થી 20 રૂપિયા પ્રતિ કિલો સસ્તું થઇ જશે. પરિણામે આપણા દેશના ખેડૂતોનું કપાસ વેચાશે નહીં. જ્યારે આપણા દેશના ખેડૂતો ઓક્ટોબર - નવેમ્બરમાં માર્કેટયાર્ડમાં પોતાનો કપાસ લઇને જશે ત્યારે ખબર પડશે કે કપાસ ખરીદનાર કોઇ નથી. 2013માં ગુજરાતમાં લગભગ 1500 - 1700 રૂપિયા પ્રતિ મણના હિસાબે કપાસના ખેડૂતોને ભાવ મળતા હતા. તે સમયે 2024માં ચૂંટણી પહેલા વડાપ્રધાન મોદી કહેતા હતા કે, તે બહુ ઓછા છે, તે 2500 રૂપિયા હોવા જોઇએ. પરંતુ 2500 તો દૂર હવે બજારમાં એક ખેડૂતને 1200 રૂપિયા ભાવ મળી રહ્યો છે, જ્યારે દરેક ચીજના ભાવ વધ્યા છે. અમેરિકાનો કપાસ આવવાથી કપાસનો ભાવ 900 રૂપિયા સુધી જતો રહશે. અમેરિકાના ખેડૂતોને માલામાલ કરવામાં આવી રહ્યા છે.
- Sep 07, 2025 14:06 IST
અરવિંદ કેજરીવાલના મોદી સરકાર પર કટાક્ષ - અમેરિકાના કોટનની ઇમ્પોર્ટ ડ્યુટી ઘટાડી, ભારતના ખેડૂતોનો કપાસ કોણ ખરીદશે?
આપ પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે કહ્યું કે, 19 ઓગસ્ટે કેન્દ્રની મોદી સરકારી 11 ટકા ઇમ્પોર્ટ ડ્યૂટી ઘટાડી દીધી છે. હવે અમેરિકાથી આવતું કોટન ભારતના ખેડૂતોની તુલનામાં 15 થી 20 રૂપિયા પ્રતિ કિલો સસ્તું થઇ જશે. પરિણામે આપણા દેશના ખેડૂતોનું કપાસ વેચાશે નહીં. જ્યારે આપણા દેશના ખેડૂતો ઓક્ટોબર - નવેમ્બરમાં માર્કેટયાર્ડમાં પોતાનો કપાસ લઇને જશે ત્યારે ખબર પડશે કે કપાસ ખરીદનાર કોઇ નથી. 2013માં ગુજરાતમાં લગભગ 1500 - 1700 રૂપિયા પ્રતિ મણના હિસાબે કપાસના ખેડૂતોને ભાવ મળતા હતા. તે સમયે 2024માં ચૂંટણી પહેલા વડાપ્રધાન મોદી કહેતા હતા કે, તે બહુ ઓછા છે, તે 2500 રૂપિયા હોવા જોઇએ. પરંતુ 2500 તો દૂર હવે બજારમાં એક ખેડૂતને 1200 રૂપિયા ભાવ મળી રહ્યો છે, જ્યારે દરેક ચીજના ભાવ વધ્યા છે. અમેરિકાનો કપાસ આવવાથી કપાસનો ભાવ 900 રૂપિયા સુધી જતો રહશે. અમેરિકાના ખેડૂતોને માલામાલ કરવામાં આવી રહ્યા છે.
watch | दिल्ली: AAP के राष्ट्रीय संयोजक अरविंद केजरिवाल ने कहा, "19 अगस्त से केंद्र की मोदी सरकार ने 11% (इम्पोर्ट)ड्यूटी हटा दी है। अब अमेरिका से आने वाली कपास भारत के किसानों की कपास की तुलना में 15 से 20 रुपये प्रतिकिलों से भी ज्यादा सस्ती हो जाएगी। नतीजन हमारी देश के किसानों… pic.twitter.com/sBSDT7It0d
— ANI_HindiNews (@AHindinews) September 7, 2025
- Sep 07, 2025 12:52 IST
જાપાનના પીએમ શિગેરુ ઇશિબા રાજીનામું આપશે
જાપાનના વડાપ્રધાન શિગેરુ ઇશિબાએ સત્તાધારી લિબરલ ડેમોક્રેટિક પાર્ટીમાં ભંગાણ ન પડે તે માટે રાજીનામું આપવાનો નિર્ણય કર્યો છે. સ્થાનિક મીડિયાએ આ જાણકારી આપી છે. ઇશિબાની આગેવાની હેઠળના એલડીપીની આગેવાની હેઠળના ગઠબંધને ગયા વર્ષે સત્તામાં આવ્યા બાદ સંસદના બંને ગૃહોની ચૂંટણીમાં બહુમતી ગુમાવી દીધી છે, કારણ કે જીવનનિર્વાહના વધતા જતા ખર્ચને કારણે મતદારો નારાજ છે.
- Sep 07, 2025 11:03 IST
Gujarat Rain : અમદાવાદમાં વરસાદની ધડબડાટી, સાબરમતી નદીમાં પાણી છોડાતા ચેતવણી, આ 8 જિલ્લામાં રેડ એલર્ટ
Gujarat Rain Red Alert IMD Weather Forecast : હવામાન વિભાગે રવિવારે ગુજરાતમાં 8 જિલ્લામાં ભારે થી અતિ ભારે વરસાદની ચેતવણી આપી છે. અમદાવાદમાં શનિવારથી ઝરમર વરસાદ વરસી રહ્યો છે. સાબરમતી નદીમાં ભારે પાણી છોડાતા વાસણા બેરેજના તમામ દરવાજા ખોલવામાં આવ્યા છે. ...સંપૂર્ણ માહિતી
- Sep 07, 2025 11:00 IST
ઉજ્જૈન ક્ષિપ્રા નદીમાં કાર પડતા 1 પોલીસ અધિકારીનું મોત, 2 લોકોની શોધખોળ ચાલુ
ઉજ્જૈનની શનિવાર મોડી રાત્રે ક્ષિપ્રા નદીમાં એક કાર પડવાની દૂર્ઘટના બની છે. દૂર્ઘટનાગ્રસ્ત કારમાં 1 પોલીસ ઇન્સ્પેક્ટર સહિત 3 પોલીસ કર્મચારી સવાર હતા. શનિવારે રાત્રે કાર ક્ષિપ્રા નદીના મોટા પુલ પરથી પસાર થઇ હતી ત્યારે અચાનક નદીમાં પડી ગઇ હતી. કારમાં સવાર 1 પોલીસ અધિકારીનું મોત થયું છે, જ્યારે અન્ય બે પોલીસ કર્મચારીની નદીમાં શોધખોળ ચાલી રહી છે.
watch | Madhya Pradesh | Car plunges into Shipra river in Ujjain. Rescue and search operation underway.
Ujjain SP Pradeep Sharma says, "A white car plunging into the river on a bridge was reported. The incident occurred around 8.45 PM... The water flow is strong, making it… pic.twitter.com/LvEcqyjwMm— ANI (@ANI) September 6, 2025


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us