Gujarati News 10 April 2025 : મુંબઈ હુમલાના દોષિત તહવ્વુર રાણાને ભારત લાવવામાં આવ્યો

India Gujarat Today Latest News in Gujarati, Gujarati Samachar (ગુજરાતી સમાચાર) 10 April 2025: મુંબઈના 26/11ના આતંકી હુમલાના માસ્ટરમાઈન્ડ આતંકી તહવ્વુર રાણાને ભારત લાવવામાં આવ્યો. ભારત સરકારે તહવ્વુર રાણાના પ્રત્યાર્પણ માટે યુએસ કોર્ટમાં લાંબી લડાઈ લડી હતી

India Gujarat Today Latest News in Gujarati, Gujarati Samachar (ગુજરાતી સમાચાર) 10 April 2025: મુંબઈના 26/11ના આતંકી હુમલાના માસ્ટરમાઈન્ડ આતંકી તહવ્વુર રાણાને ભારત લાવવામાં આવ્યો. ભારત સરકારે તહવ્વુર રાણાના પ્રત્યાર્પણ માટે યુએસ કોર્ટમાં લાંબી લડાઈ લડી હતી

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
Mumbai attack mastermind Tahawwur Rana

મુંબઈ હુમલાના માસ્ટર માઇન્ડ તહવ્વુર રાણા - Express photo

Gujarat Latest News in Gujarati, Gujarati Samachar (ગુજરાતી સમાચાર) 10 April 2025, આજના તાજા સમાચાર: મુંબઈના 26/11ના આતંકી હુમલાના માસ્ટરમાઈન્ડ આતંકી તહવ્વુર રાણાને ભારત લાવવામાં આવ્યો છે. તેની ફ્લાઈટ અમેરિકાથી રવાના થઈ હતી અને આજે ભારત પહોંચ્યો હતો. ભારત સરકારે તહવ્વુર રાણાના પ્રત્યાર્પણ માટે યુએસ કોર્ટમાં લાંબી લડાઈ લડી હતી, જ્યારે આતંકવાદી રાણાએ પ્રત્યાર્પણ ટાળવા માટે તમામ યુક્તિઓનો ઉપયોગ કર્યો હતો પરંતુ તેની એક પણ યુક્તિ કામ કરી શકી નહોતી. રાણા અમેરિકાથી ભારત આવ્યા બાદ તેને દિલ્હીની તિહાર જેલમાં ગુપ્ત એગ સેલમાં રાખવામાં આવી શકે છે.

Advertisment

તહવ્વુર રાણાના પ્રત્યાર્પણ પર ઇઝારાયેલે ખુશી વ્યક્ત કરી

ઇઝરાયલે પાકિસ્તાની-કેનેડિયન આતંકવાદી અને 26/11 મુંબઈ હુમલાના કાવતરાખોર તહવ્વુર રાણાના અમેરિકાથી ભારત પ્રત્યાર્પણનું સ્વાગત કર્યું છે. ભારતમાં ઇઝરાયલના રાજદૂત રુવેન અઝારે આ ઘટનાક્રમ પર સત્તાવાર નિવેદન જાહેર કર્યું છે અને ભારત સરકારના પ્રયાસોની પ્રશંસા કરી છે. તેમના નિવેદનમાં તેમણે કહ્યું કે હું ભારત સરકારની આતંકવાદીઓને ન્યાયના કઠાડામાં લાવવા માટે તેમની દ્રઢતા અને સમર્પણ બદલ તેમનો આભાર આપવા માનું છું.

  • Apr 10, 2025 23:47 IST

    Today News live : તહવ્વુર રાણાને પટિયાલા હાઉસ કોર્ટમાં લાવવામાં આવ્યો

    26/11 મુંબઈ હુમલાના આરોપી તહવ્વુર રાણાને પટિયાલા હાઉસ કોર્ટમાં લાવવામાં આવ્યો છે. અમેરિકા દ્વારા પ્રત્યાર્પણ બાદ તે આજે ભારત પહોંચ્યો છે.

    — ANI_HindiNews (@AHindinews) April 10, 2025



  • Apr 10, 2025 19:39 IST

    Today News live : એકનાથ શિંદેએ કહ્યું - તહવ્વુર રાણાને કડક સજા મળશે

    મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેએ ટ્વિટ કરીને કહ્યું કે દેશ પર થયેલા સૌથી મોટા આતંકવાદી હુમલા, 26/11 ના માસ્ટરમાઇન્ડ તહવ્વુર રાણાને ભારત લાવવામાં આવ્યો છે. આ માટે હું વડા પ્રધાન નરેન્દ્ર મોદીને હૃદયપૂર્વક અભિનંદન આપું છું. લગભગ એક મહિના પહેલા વડા પ્રધાન મોદી અને અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે ચર્ચા થઈ હતી. તે મુજબ અમેરિકાએ દેશના સૌથી મોટા ગુનેગારને ભારતમાં પ્રત્યાપર્ણ કર્યો છે. આ માટે હું વિદેશમંત્રી ડૉ. એસ. જયશંકરને પણ અભિનંદન આપું છું. તેમાં કોઈ શંકા નથી કે વિશ્વના સૌથી મોટા લોકતંત્ર પર હુમલા માટેના જવાબદાર તહવ્વુર રાણાને કડક સજા મળશે.



  • Advertisment
  • Apr 10, 2025 18:25 IST

    Today News live : રૂતુરાજ ગાયકવાડ ઈજાને કારણે આઈપીએલમાંથી બહાર

    ચેન્નઇ સુપર કિંગ્સનો કેપ્ટન રૂતુરાજ ગાયકવાડ ઈજાને કારણે સમગ્ર IPL ટૂર્નામેન્ટમાંથી બહાર છે. બાકીની મેચો માટે એમએસ ધોની કેપ્ટનશીપ સંભાળશે. CSKના કોચ સ્ટીફન ફ્લેમિંગ આ માહિતી આપી છે.



  • Apr 10, 2025 17:07 IST

    Today News live : તહવ્વુર રાણાના પ્રત્યાર્પણ પર ઇઝારાયેલે ખુશી વ્યક્ત કરી

    ઇઝરાયલે પાકિસ્તાની-કેનેડિયન આતંકવાદી અને 26/11 મુંબઈ હુમલાના કાવતરાખોર તહવ્વુર રાણાના અમેરિકાથી ભારત પ્રત્યાર્પણનું સ્વાગત કર્યું છે. ભારતમાં ઇઝરાયલના રાજદૂત રુવેન અઝારે આ ઘટનાક્રમ પર સત્તાવાર નિવેદન જાહેર કર્યું છે અને ભારત સરકારના પ્રયાસોની પ્રશંસા કરી છે. તેમના નિવેદનમાં તેમણે કહ્યું કે હું ભારત સરકારની આતંકવાદીઓને ન્યાયના કઠાડામાં લાવવા માટે તેમની દ્રઢતા અને સમર્પણ બદલ તેમનો આભાર આપવા માનું છું.



  • Apr 10, 2025 13:43 IST

    Today News live : રાણા સામે અનેક કલમો હેઠળ કેસ નોંધાયેલા છે

    મુંબઈ હુમલાના માસ્ટર માઈન્ડ રાણા પર ગુનાહિત કાવતરું, ભારત સરકાર વિરુદ્ધ યુદ્ધ છેડવું, હત્યા, બનાવટી અને ગેરકાનૂની પ્રવૃત્તિઓ (નિવારણ) અધિનિયમ સહિત અનેક કલમો હેઠળ આરોપ મૂકવામાં આવ્યો છે. જોકે, મુંબઈ પોલીસને હજુ સુધી તેની શહેરમાં ટ્રાન્સફર અંગે કોઈ સત્તાવાર માહિતી મળી નથી.



  • Apr 10, 2025 13:40 IST

    Today News live : તહવ્વુર રાણાને લઈને ઘણી હંગામો થઈ રહ્યો છે, દિલ્હી મેટ્રોએ JLN સ્ટેડિયમ ગેટ નંબર 2 બંધ કર્યા

    સુરક્ષા એજન્સીઓ મુંબઈ હુમલાના માસ્ટરમાઇન્ડ તહવ્વુર રાણાને આજે અમેરિકાથી ભારત લાવી રહી છે. આવી સ્થિતિમાં દિલ્હીમાં સુરક્ષા વ્યવસ્થા સઘન કરવામાં આવી છે. દિલ્હી મેટ્રોએ જેએલએન સ્ટેડિયમ મેટ્રો સ્ટેશનનો ગેટ નંબર 2 બંધ કરી દીધો છે. આ ગેટ NIA હેડક્વાર્ટર પાસે છે. બાકીના દરવાજા ખુલ્લા રહેશે.



  • Apr 10, 2025 10:57 IST

    Today News live : તેહવ્વુર રાણા પર ગાળિયો કશવાની તૈયારીઓ પૂરજોશમાં

    જાન્યુઆરીના અંતમાં મુંબઈથી દિલ્હી લાવવામાં આવેલા 26/11ના મુંબઈ આતંકવાદી હુમલા સાથે સંબંધિત ટ્રાયલ કોર્ટના રેકોર્ડ તાજેતરમાં પટિયાલા હાઉસ કોર્ટને મળ્યા છે, એમ સૂત્રોએ જણાવ્યું હતું. 26/11ના મુંબઈ આતંકવાદી હુમલા સાથે સંબંધિત ટ્રાયલ કોર્ટના રેકોર્ડ્સ NIA કેસમાં પુરાવાનો ભાગ બની શકે છે જેમાં તહવ્વુર હુસૈન રાણા અને ડેવિડ કોલમેન હેડલીને આરોપી તરીકે નામ આપવામાં આવ્યા છે. જાન્યુઆરીમાં, દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટે મુંબઈ હુમલા સાથે સંબંધિત તેના ટ્રાયલ કોર્ટના રેકોર્ડ્સ પાછા બોલાવ્યા હતા, જે એનઆઈએ દ્વારા મુંબઈથી પાછા બોલાવવા માટે અરજી કરવામાં આવી હતી.



  • Apr 10, 2025 09:15 IST

    Today News live : ગુજરાતમાં હવામાન વિભાગની આગાહી, 24 કલાકમાં ગરમી ભુક્કા બોલાવશે

    ગુજરાતમાં આકાશમાંથી ભારે તાપ વરસી રહ્યો છે ત્યારે હજી પણ આવી સ્થિતિ યથાવત રહેશે. હવામાન વિભાગે આગામી 24 કલાક સુધી તાપમાનમાં કોઈ જ ફેરફાર ન થવાની શક્યતા સેવી છે. જોકે, ત્યારબાદ મહત્તમ તાપમાનમાંથી 2થી 4 ડિગ્રી સુધી ઘટાડો થવાની શક્યતાઓ સેવી છે.

    આ ઉપરાંત હવામાન વિભાગે સૌરાષ્ટ્રના રાજકોટ, ભાવનગર, પોરબંદર, મોરબી તેમજ કચ્છમાં હીટવેવની આગાહી કરી છે. આ ઉપરાંત ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, મહેસાણા અને સાબરકાંઠામાં પણ હીટવેવની આગાહી કરી છે. તેમજ મધ્ય ગુજરાતમાં અમદાવાદ, ગાંધીનગર, આણંદ અને દક્ષિણ ગુજરાતના સુરતમાં પણ યલો એલર્ટ જાહેર કર્યું છે.



  • Apr 10, 2025 09:14 IST

    Today News live : ટ્રમ્પે ભારત સહિત 75 દેશોને રાહત આપી

    રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે બુધવારે મોડી રાત્રે ભારત સહિત 75 દેશોને મોટી રાહત આપી છે. તેમની બાજુથી વધેલા ટેરિફ પર 90-દિવસનો મોરેટોરિયમ લાદવામાં આવ્યો હતો. પરંતુ ચીન અંગે તેમનું વલણ સ્પષ્ટ હતું, ત્યાં વધુ ટેરિફ લાદવામાં આવ્યા હતા. હવે અમેરિકાએ ચીન પર 125% ટેરિફ લાદી છે. એવું માનવામાં આવે છે કે અન્ય દેશોને આપવામાં આવેલી રાહતની અસર ચોક્કસપણે થશે, પરંતુ ચીન સાથે વધતા સંઘર્ષને નુકસાન પણ થશે.



  • Apr 10, 2025 07:43 IST

    Today News live : મુંબઈ હુમલાના માસ્ટરમાઇન્ડ તહવ્વુર રાણાને આજે ભારત લાવવામાં આવશે

    મુંબઈના 26/11ના આતંકી હુમલાના માસ્ટરમાઈન્ડ આતંકી તહવ્વુર રાણાને ભારત લાવવામાં આવી રહ્યો છે, તેની ફ્લાઈટ અમેરિકાથી રવાના થઈ ગઈ છે અને તે આજે ભારત પહોંચશે. આતંકી હુમલામાં સામેલ અમેરિકન નાગરિક પણ ડેવિડ કોલમેન હેડલી ઉર્ફે દાઉદ ગિલાનીનો સહયોગી છે. તેના પ્રત્યાર્પણ માટે દેશની અનેક એજન્સીઓના અધિકારીઓ અમેરિકા પહોંચી ગયા છે.

    ભારત સરકારે તહવ્વુર રાણાના પ્રત્યાર્પણ માટે યુએસ કોર્ટમાં લાંબી લડાઈ લડી હતી, જ્યારે આતંકવાદી રાણાએ પ્રત્યાર્પણ ટાળવા માટે તમામ યુક્તિઓનો ઉપયોગ કર્યો હતો પરંતુ તેની એક પણ યુક્તિ કામ કરી શકી નહોતી. રાણા અમેરિકાથી ભારત આવ્યા બાદ તેને દિલ્હીની તિહાર જેલમાં ગુપ્ત એગ સેલમાં રાખવામાં આવી શકે છે.



બ્રેકિંગ ન્યૂઝ ગુજરાત વિશ્વ દેશ