Today News updates : પીએમ મોદીએ કહ્યું – ઓપરેશન સિંદૂર માત્ર એક નામ નથી, દેશના કરોડો લોકોની ભાવનાઓનું પ્રતિબિંબ છે

India Gujarat Today Latest News in Gujarati, Gujarati Samachar (ગુજરાતી સમાચાર) 12 May 2025: પીએમ નરેન્દ્ર મોદીએ ઓપરેશન સિંદૂર પછી પ્રથમ વખત દેશના લોકોને સંબોધન કર્યું. પીએમ મોદીએ કહ્યું કે ઓપરેશન સિંદૂર માત્ર એક નામ નથી, તે દેશના કરોડો લોકોની ભાવનાઓનું પ્રતિબિંબ છે.ઓપરેશન સિંદૂર એ ન્યાયની અખંડ પ્રતિજ્ઞા છે. 6 મે ની મોડી રાત્રે અને 7 મેની વહેલી સવારે આખી દુનિયાએ આ પ્રતિજ્ઞાને પરિણામમાં બદલતા જોઇ છે.

Written by Ankit Patel
Updated : May 12, 2025 23:48 IST
Today News updates : પીએમ મોદીએ કહ્યું – ઓપરેશન સિંદૂર માત્ર એક નામ નથી,  દેશના કરોડો લોકોની ભાવનાઓનું પ્રતિબિંબ છે
PM Narendra Modi: પીએમ નરેન્દ્ર મોદી. (Photo: @narendramodi)

Gujarat Latest News in Gujarati, Gujarati Samachar (ગુજરાતી સમાચાર) 12 May 2025, આજના તાજા સમાચાર: પીએમ નરેન્દ્ર મોદીએ ઓપરેશન સિંદૂર પછી પ્રથમ વખત દેશના લોકોને સંબોધન કર્યું હતું. પીએમ મોદીએ કહ્યું કે હું સૌથી પહેલા ભારતની પરાક્રમી સેનાને, સશસ્ત્ર બળોને, આપણી જાસુસી એજન્સીઓને, આપણા વૈજ્ઞાનિકોને દરેક ભારતવાસી તરફથી સેલ્યુટ કરું છું. આપણા વીર સૈનિકોએ ઓપરેશન સિંદૂરનાં લક્ષ્યો પ્રાપ્ત કરવા માટે અસીમ શૌર્યનું પ્રદર્શન કરવામાં આવ્યું છે. હું તેમની વીરતા, તેમના સાહસ, તેમના પરાક્રમને આજે આપણા દેશની દરેક માતા, બહેન અને પુત્રીને સમર્પિત કરું છું.

પીએમ મોદીએ કહ્યું કે ઓપરેશન સિંદૂર માત્ર એક નામ નથી, તે દેશના કરોડો લોકોની ભાવનાઓનું પ્રતિબિંબ છે.ઓપરેશન સિંદૂર એ ન્યાયની અખંડ પ્રતિજ્ઞા છે. 6 મે ની મોડી રાત્રે અને 7 મેની વહેલી સવારે આખી દુનિયાએ આ પ્રતિજ્ઞાને પરિણામમાં બદલતા જોઇ છે.

ભારતીય સેનાએ કહ્યું – આપણી એર સિસ્ટમને ભેદવી અશક્ય

ભારતીય સેનાના ત્રણેય વડાઓએ ‘ઓપરેશન સિંદૂર’ અને ભારત અને પાકિસ્તાન વચ્ચેની વર્તમાન પરિસ્થિતિ વિશે માહિતી આપવા માટે પ્રેસ બ્રીફિંગ કરી હતી. પ્રેસ બ્રીફિંગમાં એર માર્શલ એકે ભારતીએ કહ્યું કે અમારી લડાઈ આતંકવાદ અને આતંકવાદીઓ સામે છે. તેથી અમે પહેલા આતંકવાદીઓના ઠેકાણાઓ પર હુમલો કર્યો. પરંતુ પાકિસ્તાને આતંકવાદીઓને સાથ આપવાનું યોગ્ય માન્યું. તેથી પાકિસ્તાને આ લડાઈને પોતાની લડાઈ બનાવી તેથી તેમને જવાબ આપવો જરૂરી હતો. આપણી એર સિસ્ટમને ભેદવી અશક્ય છે.

Live Updates

Today News Live : સાંબામાં બ્લેકઆઉટ વચ્ચે ભારતીય વાયુસેનાએ પાકિસ્તાની ડ્રોનને અટકાવ્યું

જમ્મુ અને કાશ્મીર: સાંબામાં બ્લેકઆઉટ વચ્ચે ભારતીય વાયુસેનાએ પાકિસ્તાની ડ્રોનને અટકાવ્યું. વિસ્ફોટનો અવાજો સંભળાયા

Today News Live : પીએમ મોદીએ કહ્યું – ઓપરેશન સિંદૂર માત્ર એક નામ નથી, દેશના કરોડો લોકોની ભાવનાઓનું પ્રતિબિંબ છે

પીએમ નરેન્દ્ર મોદીએ ઓપરેશન સિંદૂર પછી પ્રથમ વખત દેશના લોકોને સંબોધન કર્યું હતું. પીએમ મોદીએ કહ્યું કે હું સૌથી પહેલા ભારતની પરાક્રમી સેનાને, સશસ્ત્ર બળોને, આપણી જાસુસી એજન્સીઓને, આપણા વૈજ્ઞાનિકોને દરેક ભારતવાસી તરફથી સેલ્યુટ કરું છું. આપણા વીર સૈનિકોએ ઓપરેશન સિંદૂરનાં લક્ષ્યો પ્રાપ્ત કરવા માટે અસીમ શૌર્યનું પ્રદર્શન કરવામાં આવ્યું છે. હું તેમની વીરતા, તેમના સાહસ, તેમના પરાક્રમને આજે આપણા દેશની દરેક માતા, બહેન અને પુત્રીને સમર્પિત કરું છું.

પીએમ મોદીએ કહ્યું કે ઓપરેશન સિંદૂર માત્ર એક નામ નથી, તે દેશના કરોડો લોકોની ભાવનાઓનું પ્રતિબિંબ છે.ઓપરેશન સિંદૂર એ ન્યાયની અખંડ પ્રતિજ્ઞા છે. 6 મે ની મોડી રાત્રે અને 7 મેની વહેલી સવારે આખી દુનિયાએ આ પ્રતિજ્ઞાને પરિણામમાં બદલતા જોઇ છે.

Today News Live : પીએમ મોદી આજે રાત્રે 8 વાગ્યે દેશને સંબોધિત કરશે

પીએમ નરેન્દ્ર મોદી આજે રાત્રે 8 કલાકે દેશના લોકોને સંબોધિત કરશે. આ સંબોધન એવા સમયે થઇ રહ્યું છે જ્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવપૂર્ણ સ્થિતિ પછી સીઝફાયર થયું છે.

Today News Live : અમે કિરાના હિલ્સ પર હુમલો નથી કર્યોઃ એર માર્શલ એકે ભારતી

જ્યારે એર માર્શલ એ.કે. ભારતીને પૂછવામાં આવ્યું કે ભારતે કિરાના હિલ્સ પર હુમલો કર્યો છે તો તેમણે કહ્યું કે અમને એ જણાવવા માટે ધન્યવાદ કે કિરાના હિલ્સમાં કેટલાક પરમાણું ઈન્સ્ટોલેશન છે. અમને આ વાતની જાણ ન્હોતી. અમે કિરાના હિલ્સ પર હુમલો કર્યો નથી.

Today News Live : તુર્કિના ડ્રોનને અમે શું હાલ કર્યા : એર માર્શલ

એર માર્શલ એકે ભારતીએ એક પ્રશ્નના જવાબમાં કહ્યું હતું કે તુર્કીના ડ્રોન્સ હોય કે પછી અન્ય દેશોના ડ્રોન્સ હોય આપણી એર ડિફેન્સ સીસ્ટમ સામે લાચાર નજર આવ્યા છે. તેમના કાટમાળને બધાયે જોયો છે.અમે તેની શું હાલ કર્યા એ પણ જોયા.

Today News Live : અમે કોઈપણ મિશન પુરું કરવા માટે તૈયાર છીએઃ એર માર્શલ

એર માર્શલ એ.કે. ભારતીએ કહ્યું કે અમારા બધા એરબેઝ, અમારી બીધ સીસ્ટમ સંપૂર્ણ પણે ચાલું છે. અને જરૂર પડે ત્યારે ભવિષ્યમાં પણ કોઈપણ મીશન પુરું કરવા માટે તૈયાર છે.

Today News Live : આગામી મિશન માટે અમે તૈયારઃ એર માર્શલ

એર માર્શલ એકે ભારતીએ ડીજી એર ઓપરેશને એક પ્રશ્નના જવાબમાં રામ ચરિત માનસના એક દોહાને યાદ કરતા કહ્યું હતું. વિનય ના મનત જલધ જડ ગએ તીન દિન બીતિ, બોલે રામ સકોપ તબ ભય બિનું હોના પ્રીતિ

તેમણે આગળ કહ્યું કે સમજદારને ઈશારો કાફી છે.

Today News Live : વાઇસ એડમિરલ એએન પ્રમોદે કહ્યું 'અમે મહત્તમ રડારનો ઉપયોગ કર્યો'

વાઇસ એડમિરલ એએન પ્રમોદે જણાવ્યું હતું કે, “દરિયાઈ દળનો ઉપયોગ હવાઈ ક્ષેત્ર સહિત સતત દેખરેખને સ્થિર કરવા માટે કરવામાં આવ્યો હતો. નૌકાદળ વારાફરતી હવા, સપાટી અને ભૂગર્ભના જોખમોને શોધી કાઢવામાં સક્ષમ હતું. દરિયાઈ દળ સતત દેખરેખ સુનિશ્ચિત કરવામાં સક્ષમ હતું. બહુવિધ સેન્સર અને ઇનપુટ્સનો અસરકારક રીતે ઉપયોગ કરીને અમે સતત દેખરેખ રાખી રહ્યા છીએ. તેથી જ અમે આ જોખમોને નિષ્ક્રિય કરવામાં સક્ષમ હતા. અમે મહત્તમ રડારનો ઉપયોગ કર્યો અને બધી ઉડતી વસ્તુઓ પર નજર રાખી, પછી ભલે તે ડ્રોન હોય, ફાઇટર જેટ હોય.”

તેમણે વધુમાં કહ્યું કે આ બધા એક જટિલ સ્તરીય સંરક્ષણ મિકેનિઝમના છત્ર હેઠળ સંચાલિત થાય છે. કોઈપણ હવાઈ લક્ષ્ય જે આ પરપોટામાં પ્રવેશવાનો પ્રયાસ કરે છે તેને શોધી કાઢવામાં આવે છે અને વ્યાપારી, તટસ્થ અને જોખમી પદાર્થો વચ્ચે તફાવત કરવા માટે ઓળખવામાં આવે છે.

વાઇસ એડમિરલ એએન પ્રમોદે કહ્યું, “અમારા પાઇલટ્સ અમારા વિમાનમાં દિવસ-રાત કામ કરી શકે છે. અમારા પ્રદેશના કેટલાક કિલોમીટરની અંદર કોઈ દુશ્મન વિમાનને આવવાની મંજૂરી નહોતી. કોઈ વિમાન સેંકડો કિલોમીટરની અંદર આવી શકતું નહોતું. અમે અમારી મિસાઇલ વિરોધી અને વિમાન વિરોધી ટેકનોલોજીને માન્ય કરી. અમારું શક્તિશાળી યુદ્ધ જૂથ મુક્તિ સાથે કાર્ય કરવામાં સક્ષમ હતું.

તેણે અસરકારક રીતે પાકિસ્તાની સમકક્ષોને પીછેહઠ કરવા મજબૂર કર્યા. તેણે પાકિસ્તાનને સરહદની નજીક રહેવા મજબૂર કર્યું.” તેમણે વધુમાં કહ્યું કે ભારતીય નૌકાદળના વર્ચસ્વથી સ્પષ્ટ થાય છે કે જો આપણે ઈચ્છીએ તો આપણી ઈચ્છા મુજબ હુમલો કરી શકીએ છીએ.

આ પછી એર માર્શલ એ.કે. ભારતીએ કહ્યું કે અમારા બધા લશ્કરી થાણા, સાધનો અને સિસ્ટમો કાર્યરત છે અને જરૂર પડ્યે કોઈપણ મિશન માટે તૈયાર છે.

Today News Live : 1970ના દશકની ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ ક્રિકેટનું ઉદાહરણ આપ્યું

DGMO લેફ્ટન્ટ જનરલ રાજીવ ઘઈએ જણાવ્યું હતું કે આપણી એરફીલ્ડ અને લોજીસ્ટિક્સને નિશાન બનાવવી ખુબ જ કઠીન છે. મેં જોયું કે વિરાટ કોહલીએ હમણા જ ટેસ્ટ ક્રિકેટથી સન્યાસ લીધો છે. તેઓ મારા પસંદીદા ખેલાડી છે. 1970ના દશકમાં ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ વચ્ચે એશેજ દરમિયાન બંને ઓસ્ટ્રેલિયાઈ બોલરોએ ઈંગ્લેન્ડની બેટિંગ લાઈનઅપને નષ્ટ કરી દીધી હતી. ત્યારે ઓસ્ટ્રેલિયાએ એક કહેવત આપી હતી કે રાખથી રાખ અને ધૂળથી ધૂળ. જો થોમો તેમને ના પકડે તો લીલી તમને પકડી લેશે. જો તમે જોશો તો તમે સમજી શકશો જે હું સમજાવવાની કોશિશ કરી રહ્યો છું. ભલે તમે બધા લેયર્સને પાર કરી લો પરંતુ આ ગ્રિડ સિસ્ટમની પરતોમાં એક તમને નષ્ટ કરી દીશે.

Today News Live : ભારતે કેવી રીતે વિફલ કર્યો પાકિસ્તાની હવાઈ હુમલો

એર માર્શલ એ.કે.ભારતીએ કહ્યું કે પાકિસ્તાન દ્વારા ઉપયોગમાં લેવાયેલા ડ્રોન અને માનવ રહિત લડાકૂ હવાઈ વાહનોની અનેક કોશિશોને પણ સ્વદેશી રૂપથી વિકસિત સોફ્ટ અને હાર્ડ કિલ કાઉન્ટર યુએએસ સિસ્ટમ અને સારી રીતે પ્રશિક્ષિત ભારતીય વાયુ રક્ષા કર્મીઓ દ્વારા નિષ્ફળ કરી દીધી હતી.

Today News Live : 'પહલગામ દ્વારા પાપોનું પાત્ર ભરાઈ ગયું હતું...', લેફ્ટનન્ટ જનરલ રાજીવ ઘાઈએ કહ્યું

પ્રેસ બ્રીફિંગ દરમિયાન, લેફ્ટનન્ટ જનરલ રાજીવ ઘાઈએ કહ્યું, “આપણે હવાઈ સંરક્ષણ કાર્યવાહીને સંદર્ભમાં સમજવાની જરૂર છે. પહેલગામ પૂર્ણ થયું ત્યાં સુધીમાં, પાપનો પ્યાલો ભરાઈ ગયો હતો. અમે પહેલાથી જ સંપૂર્ણ તૈયારીઓ કરી લીધી હતી અને કાર્યવાહી કરવામાં આવી હતી.”

‘જ્યારે ઉત્સાહ ઊંચો હોય છે…’

લેફ્ટનન્ટ જનરલ રાજીવ ઘાઈએ જણાવ્યું હતું કે પાકિસ્તાનના દેશના ડ્રોન અને શસ્ત્રોનો નાશ કરવાના પ્રયાસો નિષ્ફળ ગયા અને બાકીના ડ્રોનને તોડી પાડવામાં આવ્યા. હું BSF ની પણ પ્રશંસા કરવા માંગુ છું. રક્ષકો અમારા અભિયાનમાં જોડાયા અને બહાદુરીથી અમને ટેકો આપ્યો. આના કારણે પાકિસ્તાનની નાપાક પ્રવૃત્તિઓનો નાશ થયો. જ્યારે ઉત્સાહ ઊંચો હોય છે, ત્યારે લક્ષ્યો પણ તમારા પગ ચુંબન કરે છે.

Today News Live : 'પહલગામ દ્વારા પાપોનું પાત્ર ભરાઈ ગયું હતું...', લેફ્ટનન્ટ જનરલ રાજીવ ઘાઈએ કહ્યું

પ્રેસ બ્રીફિંગ દરમિયાન, લેફ્ટનન્ટ જનરલ રાજીવ ઘાઈએ કહ્યું, “આપણે હવાઈ સંરક્ષણ કાર્યવાહીને સંદર્ભમાં સમજવાની જરૂર છે. પહેલગામ પૂર્ણ થયું ત્યાં સુધીમાં, પાપનો પ્યાલો ભરાઈ ગયો હતો. અમે પહેલાથી જ સંપૂર્ણ તૈયારીઓ કરી લીધી હતી અને કાર્યવાહી કરવામાં આવી હતી.”

Today News Live : ત્રણેય સેનાના કમાન્ડરો 'ઓપરેશન સિંદૂર' અંગે માહિતી આપી રહ્યા છે

ભારતીય સેનાના ત્રણેય વડાઓ ‘ઓપરેશન સિંદૂર’ અને ભારત અને પાકિસ્તાન વચ્ચેની વર્તમાન પરિસ્થિતિ વિશે માહિતી આપવા માટે પ્રેસ બ્રીફિંગ કરી રહ્યા છે.

Today News Live : સેનાના બ્રીફિંગમાં ડીજી એર ઓપરેશન્સે કહ્યું 'પાકિસ્તાને આ યુદ્ધને પોતાનું યુદ્ધ બનાવ્યું...'

પ્રેસ બ્રીફિંગમાં એર માર્શલ એકે ભારતીએ કહ્યું, “અમારી લડાઈ આતંકવાદ અને આતંકવાદીઓ સામે છે, તેથી અમે પહેલા આતંકવાદીઓના ઠેકાણાઓ પર હુમલો કર્યો. પરંતુ પાકિસ્તાને આતંકવાદીઓને ટેકો આપવાનું યોગ્ય માન્યું. તેથી, પાકિસ્તાને આ લડાઈને પોતાની લડાઈ બનાવી, તેથી તેમને જવાબ આપવો જરૂરી હતો.”

Today News Live : PM મોદીની રાજનાથ સિંહ અને વિદેશમંત્રી સાથે મીટિંગ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 7, એલકેએમમાં એક બેઠકની અધ્યક્ષતા કરી હતી. રક્ષામંત્રી રાજનાથ સિંહ, વિદેશ મંત્રી ડો. એસ. જયશંકર, એએસજી અજીત ડોભાલ, સીડીએસ ત્રણે સેનાઓના પ્રમુખ હાજર રહ્યા હતા.

Today News Live : રાહુલ ગાંધીના પત્ર પર શું બોલ્યા પ્રહ્લાદ જોશી

કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીએ લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી દ્વારા પ્રધાનમંત્રી મોદીને પુત્ર લખીને પહલગામ હુમલા પર સંસદમાં વિશેષ સત્ર બોલાવવાનો અનુરોધ કરવા પર કહ્યું કે જ્યારે પણ જરૂર લાગી ત્યારે સરકારે લોકતંત્રની સ્વસ્થ પરંપરાને જાળવી રાખવા દરેક વિપક્ષી નેતાઓને જાણકારી આપી હતી.

Today News Live : શ્રીનગર એરપોર્ટ ઉડના સંચાલન માટે તૈયાર

શ્રીનગર આંતરરાષ્ટ્રીય એરપોર્ટ હવે ઉડાનોના સંચાલન માટે સંપૂર્ણ પણે તૈયાર છે. એક અધિકારીએ સોમવારે જણાવ્યું કે એયરડ્રોમ ક્લોજર નોટમને રદ્દ કરવામાં આવ્યું છે. અને શ્રીનગર એરપોર્ટ ઉડાન સંચાલન માટે તૈયાર છે.

Today News Live : ભારત-પાકિસ્તાન તણાવને કારણે બંધ કરાયેલા 32 એરપોર્ટ ખોલવાનો આદેશ

પાકિસ્તાન સાથેના તણાવ વચ્ચે, ભારતે આગામી સૂચના સુધી 32 એરપોર્ટને અસ્થાયી રૂપે બંધ કરી દીધા હતા. ભારતે ઉત્તર અને પશ્ચિમ ભારતના 32 એરપોર્ટને નાગરિક વિમાન સંચાલન માટે કામચલાઉ બંધ કરવાની જાહેરાત કર્યાના થોડા દિવસો બાદ, સોમવારે આ આદેશ રદ કરવામાં આવ્યો હતો. જે પછી હવે આ એરપોર્ટ પરથી કામગીરી ટૂંક સમયમાં શરૂ થવાની શક્યતા છે.

Today News Live : ત્રણેય સેનાઓના DGMO આજે 2.30 વાગ્યે ફરી પ્રેસ કોન્ફરન્સ કરશે

ભારતીય સેના, ભારતીય નૌસેના અને ભારતીય વાયુસેનાના સૈન્ય સંચાલન મહાનિદેશક દ્વારા આજે બપોરે 2.30 વાગ્યે મીડિયા બ્રીફિંગ કરશે. જોકે, ભારત પાકિસ્તાન વચ્ચે સિઝ ફાયર પર સહમતી બન્યા પછી બધી જગ્યા પર સ્થિતિ સામાન્ય થઈ રહી છે.

Today News Live : શેરબજારમાં સાર્વત્રિક તેજી, સેન્સેક્સ 2300 પોઇન્ટ અને નિફ્ટી 600 પોઇન્ટ ઉછળ્યા

શેરબજાર સેન્સેક્સ નિફ્ટીમાં જબરદસ્ત ઉછાળો આવ્યો છે અને જેનું કારણ છે ભારત પાકિસ્તાન યુદ્ધવિરામ. સેન્સેક્સ પાછલા બંધ 79454 સામે 1350 પોઇન્ટના ઉછાળે આજે 80803 ખુલ્યો હતો. બેન્કિંગ અને આઈટી શેરમાં તેજીથી સેન્સેક્સ 2300 પોઇન્ટ ઉછળી 81470ની ટોચ સુધી પહોંચ્યો હતો. એનએસઇ નિફ્ટી પાછલા બંધ 24008 સામે 400 પોઇન્ટથી વધુના ઉછાળે સોમવારે 24420 ખુલ્યો હતો. સાર્વત્રિક તેજીના માહોલમાં 600 પોઇન્ટ ઉછળી નિફ્ટી 24633ની ટોચ સુધી પહોંચ્યો હતો. સેન્સેક્સના ટોપ ગેઇનરમાં અદાણી પોર્ટ્સ 4.3 ટકા, બજાજ ફાઈનાન્સ 3.7 ટકા, એક્સિસ બેંક 3.6 ટકા, ઇન્ફોસિસ 3.5 ટકા અને બજાજ ફિનસર્વ 3.5 ટકા વધ્યા હતા.

Today News Live : SIAએ કાશ્મીરમાં 20 સ્થળોએ દરોડા પાડ્યા, અનેક સ્લીપર સેલની ધરપકડ

ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે સ્ટેટ ઇન્વેસ્ટિગેશન એજન્સી (SIA) એ રવિવારે દક્ષિણ કાશ્મીરમાં અનેક સ્થળોએ સુરક્ષા દળો અને મહત્વપૂર્ણ સ્થાપનો વિશે સંવેદનશીલ માહિતી મેસેજિંગ એપ્સ દ્વારા શેર કરવાના કેસમાં દરોડા પાડ્યા હતા. જમ્મુ અને કાશ્મીરમાં રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) ની સમકક્ષ તપાસ એજન્સીએ ઘણા લોકોની અટકાયત કરી છે અને તેમની પાસેથી વાંધાજનક સામગ્રી જપ્ત કરવાનો દાવો કર્યો છે.

Today News Live : ઓપરેશન સિંદૂર ચાલુ રાખવું એ એક સારો સંદેશ છે - ભૂતપૂર્વ ડીજીપી એસપી વૈદ

ઓપરેશન સિંદૂર અંગે જમ્મુ અને કાશ્મીરના ભૂતપૂર્વ ડીજીપી એસપી વૈદે કહ્યું, “ઓપરેશન સિંદૂર આતંકવાદ સામે લડવા માટે શરૂ કરવામાં આવ્યું હતું. આ ઓપરેશન ચાલુ રહેશે અને જ્યાં પણ તેઓ (આતંકવાદીઓ) છુપાયેલા હશે ત્યાં અમે હુમલો કરીશું…ઓપરેશન સિંદૂર ચાલુ છે અને તે એક સારો સંદેશ છે…વડાપ્રધાન મોદીએ સશસ્ત્ર દળોને સંપૂર્ણ તાકાતથી જવાબ આપવા માટે છૂટ આપી છે.”

Today News Live : સરહદી ગામડાઓ સામાન્ય સ્થિતિમાં પાછા ફરી રહ્યા છે

કાશ્મીરના સરહદી ગામડાઓ ધીમે ધીમે સામાન્ય થઈ રહ્યા છે. કુપવાડાના તંગધારના એક રહેવાસીએ ધ ઇન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું કે ગઈકાલે રાત્રે બંને તરફથી કોઈ ગોળીબાર થયો નથી. પાકિસ્તાન દ્વારા સરહદ પારથી થયેલા ગોળીબાર અને ડ્રોન હુમલાઓ પછી પંજાબ અને રાજસ્થાનમાં પણ શાંતિ છે.

Today News Live : બ્રહ્મોસ એક શસ્ત્ર નથી પણ પોતે એક સંદેશ છે - રાજનાથ સિંહ

રવિવારે લખનૌમાં બ્રહ્મોસ ટેસ્ટ રેન્જના ઉદ્ઘાટન દરમિયાન સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે કહ્યું હતું કે આ મિસાઇલો માત્ર એક શસ્ત્ર નથી પરંતુ સશસ્ત્ર દળોની તાકાતનો સંદેશ છે. તેમણે કહ્યું, “જ્યાં સુધી બ્રહ્મોસનો સવાલ છે, તમે બધા જાણો છો કે બ્રહ્મોસ વિશ્વની સૌથી ઝડપી સુપરસોનિક મિસાઇલોમાંની એક છે. બ્રહ્મોસ કોઈ શસ્ત્ર નથી પણ પોતે એક સંદેશ છે. તે ભારતીય સશસ્ત્ર દળોની તાકાતનો સંદેશ છે, આપણા દુશ્મનોને નિરાશ કરવાનો સંદેશ છે અને આપણી સરહદોની સુરક્ષા પ્રત્યેની આપણી પ્રતિબદ્ધતાનો સંદેશ છે.”

Today News Live : પંજાબના 6 જિલ્લાઓમાં આજે શાળાઓ બંધ રહેશે

પાકિસ્તાન અને સંગરુરની સરહદે આવેલા છ પંજાબ જિલ્લાઓમાં સોમવારે શાળાઓ બંધ રહેશે. અધિકારીઓએ આ માહિતી આપી. અધિકારીઓએ જણાવ્યું હતું કે સાવચેતીના પગલા તરીકે રવિવારે મોડી રાત્રે હોશિયારપુરમાં ‘બ્લેકઆઉટ’ લાદવામાં આવ્યો હતો.

તેમણે કહ્યું કે રાજ્યના બાકીના ભાગોમાં શૈક્ષણિક સંસ્થાઓ સોમવારથી ફરી ખુલશે. પાકિસ્તાનની સરહદે આવેલા ફાઝિલકા, પઠાણકોટ, અમૃતસર, ફિરોઝપુર, ગુરદાસપુર અને તરનતારન જિલ્લાઓમાં અધિકારીઓએ શાળાઓ બંધ રાખવાનો આદેશ આપ્યો છે. ભારત અને પાકિસ્તાનના ડીજીએમઓ સોમવારે બપોરે 12 વાગ્યે એકબીજા સાથે વાત કરશે. યુદ્ધવિરામ પરના કરાર પછી બંને દેશો વચ્ચે આ પહેલી વાતચીત હશે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ