/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/02/farmers-modi-govt-meeting.jpg)
કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશી અને કેન્દ્રીય અધિકારીઓની એક ટીમે શુક્રવારે ખેડૂત નેતાઓ સાથે મુલાકાત કરી હતી (એક્સપ્રેસ ફોટો)
Gujarat Latest News in Gujarati, Gujarati Samachar (ગુજરાતી સમાચાર) 14 February 2025 LIVE, આજના તાજા સમાચાર: કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશી અને કેન્દ્રીય અધિકારીઓની એક ટીમે શુક્રવારે ખેડૂત નેતાઓ સાથે મુલાકાત કરી હતી, જેમાં પાક પર લઘુત્તમ ટેકાના ભાવ (એમએસપી) માટે કાનૂની ગેરંટી સહિતની મુખ્ય માંગણીઓ પર બે કલાકથી વધુ સમય સુધી વાતચીત થઈ હતી. સૌહાર્દપૂર્ણ કહેવાતી આ ચર્ચા 22 ફેબ્રુઆરીએ ફરી થશે, જેમાં કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણ આગામી તબક્કાની વાતચીતનું નેતૃત્વ કરશે. છેલ્લા એક વર્ષથી સંયુક્ત કિસાન મોરચા (એસકેએમ) બિનરાજકીય અને કિસાન મજદૂર મોરચાનું પ્રતિનિધિત્વ કરી રહેલા 28 સભ્યોના પ્રતિનિધિમંડળે પંજાબના કૃષિ મંત્રી ગુરમીત સિંહ ખુદ્ડિયન અને રાજ્યના અન્ય અધિકારીઓની હાજરીમાં કેન્દ્રીય મંત્રી સાથેની વાટાઘાટોમાં ભાગ લીધો હતો
મહાકુંભમાં શનિવાર અને રવિવાર માટે સવારથી સાંજ સુધી નો-વ્હીકલ ઝોન રહેશે
મહાકુંભના ડીઆઈજી વૈભવ કૃષ્ણએ કહ્યું કે આજે બપોરે 1 વાગ્યા સુધીમાં મહાકુંભમાં લગભગ 55 લાખ લોકોએ સ્નાન કર્યું છે. આજે પણ અહીં ભારે ભીડ છે. સમગ્ર કુંભ મેળા વિસ્તારમાં અત્યાર સુધી ટ્રાફિક જામની કોઈ ફરિયાદ નથી. અમે શનિવાર અને રવિવાર માટે ખાસ તૈનાત કરી છે. શનિવાર અને રવિવાર માટે સવારથી સાંજ સુધી નો-વ્હીકલ ઝોન રહેશે. ફક્ત ઇમરજન્સી સેવાના વાહનોને જ આવવાની મંજૂરી આપવામાં આવશે.
નલિયામાં ઠંડીની સ્થિતિ સામાન્ય
હવામાન વિભાગે આપેલા આંકડા પ્રમાણે ગુજરાતમાં ગુરુવારે તાપમાનમાં કોઈ ફેરફાર જોવા મળ્યો ન્હોતો. મોટાભાગના વિસ્તારોમાં 15-16 ડિગ્રીની આજુબાજુ લઘુતમ તાપમાન નોંધાયું હતું. રાજ્યમાં 14.2થી લઈને 21.2 ડિગ્રી વચ્ચે લઘુતમ તાપમાન નોંધાયું હતું. 14.2 ડિગ્રી લઘુતમ તાપમાન સાથે નલિયામાં સૌથી વધુ ઠંડી નોંધાઈ હતી. જ્યારે ઓખામાં 21.2 સૌથી ઉંચુ લઘુતમ તાપમાન રહ્યું હતું. ડીસામાં 14.8 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું.
- Feb 14, 2025 23:37 IST
ખેડૂતો અને સરકાર વચ્ચે 22 ફેબ્રુઆરીએ આગામી રાઉન્ડની વાતચીત થશે, કૃષિ મંત્રી શિવરાજ સિંહ સામેલ થશે
કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશી અને કેન્દ્રીય અધિકારીઓની એક ટીમે શુક્રવારે ખેડૂત નેતાઓ સાથે મુલાકાત કરી હતી, જેમાં પાક પર લઘુત્તમ ટેકાના ભાવ (એમએસપી) માટે કાનૂની ગેરંટી સહિતની મુખ્ય માંગણીઓ પર બે કલાકથી વધુ સમય સુધી વાતચીત થઈ હતી. સૌહાર્દપૂર્ણ કહેવાતી આ ચર્ચા 22 ફેબ્રુઆરીએ ફરી થશે, જેમાં કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણ આગામી તબક્કાની વાતચીતનું નેતૃત્વ કરશે. છેલ્લા એક વર્ષથી સંયુક્ત કિસાન મોરચા (એસકેએમ) બિનરાજકીય અને કિસાન મજદૂર મોરચાનું પ્રતિનિધિત્વ કરી રહેલા 28 સભ્યોના પ્રતિનિધિમંડળે પંજાબના કૃષિ મંત્રી ગુરમીત સિંહ ખુદ્ડિયન અને રાજ્યના અન્ય અધિકારીઓની હાજરીમાં કેન્દ્રીય મંત્રી સાથેની વાટાઘાટોમાં ભાગ લીધો હતો
- Feb 14, 2025 23:27 IST
today News Live : ઋચા ઘોષની આક્રમક બેટિંગ, આરસીબીનો ગુજરાત જાયન્ટ્સ સામે વિજય
ઋષા ઘોષ (અણનમ 64)અને એલિસા પેરીની (57) અડધી સદીની મદદથી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે વુમન્સ પ્રીમિયર લીગમાં ગુજરાત જાયન્ટ્સ સામે 6 વિકેટે વિજય મેળવ્યો હતો. ગુજરાત જાયન્ટ્સે વુમન્સે 20 ઓવરમાં 5 વિકેટે 201 રન બનાવ્યા હતા. જવાબમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે 18.3 ઓવરમાં 4 વિકેટ ગુમાવી પડકાર મેળવી લીધો હતો.
- Feb 14, 2025 21:25 IST
today News Live : અમેરિકાથી ગેરકાયદે પ્રવાસીઓને અમૃતસરમાં ઉતારવાને લઇને વિવાદ
અમેરિકાથી ગેરકાયદે પ્રવાસીઓને લઈને આવેલા અમેરિકી વાયુસેનાના વિમાને અમૃતસર એરપોર્ટ પર જ લેન્ડિંગ કર્યું હતું. આ સાથે હજુ બે વિમાનો અન્ય ગેરકાયદે પ્રવાસીઓ સાથે ભારત આવવાના છે તે પણ અમૃતસરમાં ઉતરશે. પંજાબ સરકારે આ અંગે સવાલો ઉઠાવ્યા છે. મુખ્યમંત્રી ભગવંત માનએ પૂછ્યું છે કે અમેરિકાથી ગેરકાયદેસર સ્થળાંતર કરનારાઓને લાવનારા વિમાનોને અમૃતસરમાં કેમ ઉતારવામાં આવી રહ્યા છે, જ્યારે તેઓ અન્ય કોઈ રાજ્યમાં પણ ઉતરી શક્યા હોત. ભગવંત માનએ કહ્યું કે મોદી સરકાર અમૃતસરમાં વિમાનો ઉતારીને પંજાબને બદનામ કરવામાં કોઈ કસર છોડી રહી નથી.
- Feb 14, 2025 16:39 IST
today News Live : મહાકુંભમાં શનિવાર અને રવિવાર માટે સવારથી સાંજ સુધી નો-વ્હીકલ ઝોન રહેશે
મહાકુંભના ડીઆઈજી વૈભવ કૃષ્ણએ કહ્યું કે આજે બપોરે 1 વાગ્યા સુધીમાં મહાકુંભમાં લગભગ 55 લાખ લોકોએ સ્નાન કર્યું છે. આજે પણ અહીં ભારે ભીડ છે. સમગ્ર કુંભ મેળા વિસ્તારમાં અત્યાર સુધી ટ્રાફિક જામની કોઈ ફરિયાદ નથી. અમે શનિવાર અને રવિવાર માટે ખાસ તૈનાત કરી છે. શનિવાર અને રવિવાર માટે સવારથી સાંજ સુધી નો-વ્હીકલ ઝોન રહેશે. ફક્ત ઇમરજન્સી સેવાના વાહનોને જ આવવાની મંજૂરી આપવામાં આવશે.
- Feb 14, 2025 14:23 IST
today News Live : RBIએ મુંબઈની આ બેંક પર લગાવ્યો 'પ્રતિબંધ'
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ મુંબઈની ન્યુ ઈન્ડિયા કો-ઓપરેટિવ બેંક પર નવા લોન આપવા, વિતરણ કરવા અને ખાતાધારકોના નાણાં ઉપાડવા જેવા અનેક નિયંત્રણો લાદ્યા છે. RBI ના 'પ્રતિબંધ' પછી, આજે સવારે (14 ફેબ્રુઆરી 2025) બેંકની બહાર લોકોની લાંબી કતારો લાગી. આરબીઆઈએ ખાતાધારકોને પૈસા ઉપાડવા પર પણ પ્રતિબંધ મૂક્યો છે. આરબીઆઈના આ પ્રતિબંધ બાદ બેંકના ગ્રાહકોમાં ગભરાટ છે અને લોકોના મનમાં એક સવાલ છે કે હવે તેમના પૈસાનું શું થશે?
મુંબઈના અંધેરીમાં વિજયનગર શાખાની બહાર સેંકડો ખાતાધારકો એકઠા થયા છે. લોકોના મનમાં સવાલ છે કે તેમના પૈસાનું શું થશે? શું તેમની મહેનતની કમાણી ખોવાઈ જશે? લોકોનું કહેવું છે કે બેંકની કસ્ટમર સપોર્ટ સર્વિસ કામ કરી રહી નથી અને એપ પણ ચાલી રહી નથી.
- Feb 14, 2025 10:10 IST
સેન્સેક્સ નિફ્ટી નરમ, મિડકેપ અને સ્મોલકેપ ઇન્ડેક્સમાં કડાકો
શેરબજાર સેન્સેક્સ નિફ્ટી સપ્તાહના છેલ્લા દિવસે વધીને ખુલ્યા બાદ ફ્લેટ ટ્રેડ કરી રહ્યા છે. જો કે બોર્ડર માર્કેટમાં ભારે વેચવાલીથી મિડકેપ 400 પોઇન્ટ અને સ્મોલકેપ ઈન્ડેક્સ 700 પોઇન્ટથી વધુ તૂટ્યા હતા. સેન્સેક્સ પાછલા બંધ 76138 સામે આજે વધીને 76388 ખુલ્યો હતો. જો કે અદાણી પોર્ટ્સ, સન ફાર્મા અને અલ્ટ્રાટેક સિમેન્ટ જેવા બ્લુચીપ શેરમાં નરમાઇથી સેન્સેક્સમાં આરંભિક સુધારો ધોવાઇ જતા ફ્લેટ ટ્રેડ કરી રહ્યા છે. નિફ્ટી પાછલા બંધ 23031 સામે આજે 23096 ખુલ્યો હતો.
- Feb 14, 2025 09:42 IST
today News Live : આજથી વડોદરામાં WPLનો રંગારંગ પ્રારંભ થશે
WPL વિમેન્સ પ્રિમિયર લીગ નો આજે 14 ફેબ્રુઆરી 2025થી પ્રારંભ થઈ રહ્યો છે. વડોદરાના કોટંબી સ્ટેડીયમમાં ગુજરાત જાયન્ટ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે પ્રથમ મેચ રમાશે. તે પહેલા યોજાનારા રંગારંગ કાર્યક્રમમાં બોલિવુડ એક્ટર આયુષ્માન ખુરાના પર્ફોમ કરશે. વડોદરાના કોટંબી સ્ટેડીયમમાં WPLની કુલ 6 મેચ રમાવાની છે.
- Feb 14, 2025 09:15 IST
today News Live : PM મોદી અમેરિકાથી ભારત આવવા રવાના
પીએમ નરેન્દ્ર મોદી પોતાનો બે દિવસનો અમેરિકા પ્રવાસ પૂર્ણ કરીને ભારત- દિલ્હી આવવા થઈ ગયા છે. પીએમ મોદી શુક્રવારે રાત્રે 3 વાગ્યે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને મળવા માટે વ્હાઇટ હાઉસ પહોંચ્યા. બંને નેતાઓ લગભગ અઢી કલાક સુધી સાથે રહ્યા. આ સમયગાળા દરમિયાન બંને વચ્ચે દ્વિપક્ષીય વાટાઘાટો થઈ. ટ્રમ્પ અને મોદીએ બે વાર મીડિયા સાથે વાત કરી.
- Feb 14, 2025 08:23 IST
today News Live : નલિયામાં ઠંડીની સ્થિતિ સામાન્ય
હવામાન વિભાગે આપેલા આંકડા પ્રમાણે ગુજરાતમાં ગુરુવારે તાપમાનમાં કોઈ ફેરફાર જોવા મળ્યો ન્હોતો. મોટાભાગના વિસ્તારોમાં 15-16 ડિગ્રીની આજુબાજુ લઘુતમ તાપમાન નોંધાયું હતું. રાજ્યમાં 14.2થી લઈને 21.2 ડિગ્રી વચ્ચે લઘુતમ તાપમાન નોંધાયું હતું. 14.2 ડિગ્રી લઘુતમ તાપમાન સાથે નલિયામાં સૌથી વધુ ઠંડી નોંધાઈ હતી. જ્યારે ઓખામાં 21.2 સૌથી ઉંચુ લઘુતમ તાપમાન રહ્યું હતું. ડીસામાં 14.8 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું.
- Feb 14, 2025 08:22 IST
today News Live : અયોધ્યા શ્રી રામ જન્મભૂમિ ટ્રસ્ટના ટ્રસ્ટી સ્વામી પરમાનંદની તબિયત લથડી
મહાકુંભમાં સંગમ સ્નાન બાદ શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર અયોધ્યાના ટ્રસ્ટી સ્વામી પરમાનંદ મહારાજની તબિયત અચાનક બગડી હતી. છાતીમાં તીવ્ર દુખાવાની ફરિયાદ બાદ, તેમને પહેલા સેન્ટ્રલ હોસ્પિટલ મહાકુંભમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેમની સ્થિતિ નાજુક રહી હતી. ડોક્ટરોની સલાહ પર તેમને પ્રયાગરાજ સ્વરૂપ રાણી નેહરુ (SRN) હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા. ત્યાંથી તેમની તબિયતમાં સુધારો ન થતાં તેમને એરલિફ્ટ કરીને એઈમ્સ, દિલ્હી લઈ જવામાં આવ્યા હતા.
77 વર્ષના સ્વામી પરમાનંદ મહારાજે માઘી પૂર્ણિમાના અવસરે સંગમ સ્નાન કર્યું હતું. સ્નાન કર્યાના થોડા સમય બાદ તેણે છાતીમાં દુખાવાની ફરિયાદ કરી. તેમના શિષ્યોએ તરત જ પ્રશાસનને જાણ કરી, ત્યારબાદ તેમને એમ્બ્યુલન્સ દ્વારા સેન્ટ્રલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા. ત્યાં ડોક્ટરોની ટીમે તેને આઈસીયુમાં દાખલ કરીને સારવાર શરૂ કરી.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us