Gujarati News 14 March 2025 : માર્ક કાર્નીએ કેનેડાના 24માં વડા પ્રધાન તરીકે શપથ લીધા

India Gujarat Today Latest News in Gujarati LIVE, Gujarati Samachar (ગુજરાતી સમાચાર) 14 March 2025: માર્ક કાર્નીએ શુક્રવારે કેનેડાના 24માં વડા પ્રધાન તરીકે શપથ લીધા છે. કાર્ની જસ્ટિન ટ્રુડોનું સ્થાન લેશે. ટ્રુડો 2015થી કેનેડાના વડા પ્રધાન હતા.

Written by Ankit Patel
Updated : March 14, 2025 22:57 IST
Gujarati News 14 March 2025 : માર્ક કાર્નીએ કેનેડાના 24માં વડા પ્રધાન તરીકે શપથ લીધા
કેનેડાના વડાપ્રધાન માર્ક કાર્ની - photo - X @MarkJCarney

Gujarat Latest News in Gujarati, Gujarati Samachar (ગુજરાતી સમાચાર) 14 March 2025, આજના તાજા સમાચાર: માર્ક કાર્નીએ શુક્રવારે કેનેડાના 24માં વડા પ્રધાન તરીકે શપથ લીધા છે. કાર્ની જસ્ટિન ટ્રુડોનું સ્થાન લેશે. ટ્રુડો 2015થી કેનેડાના વડા પ્રધાન હતા. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સત્તામાં પાછા ફર્યા પછી અમેરિકા સાથે બગડતા સંબંધો વચ્ચે માર્ક કાર્નીએ સરકારની બાગડોર સંભાળી છે.

‘બ્રહ્માસ્ત્ર’ ફિલ્મના નિર્દેશક અયાન મુખર્જીના પિતા દેબનું નિધન

એક તરફ દેશમાં હોળીની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે બીજી તરફ ‘બ્રહ્માસ્ત્ર’ ફિલ્મના નિર્દેશક અયાન મુખર્જી પર દુ:ખનો પહાડ તૂટી પડ્યો છે. તેમના પિતા અને જૂના અભિનેતા દેબ મુખર્જીનું અવસાન થયું છે. તેમણે 83 વર્ષની વયે દુનિયાને અલવિદા કહી દીધું છે. કહેવામાં આવી રહ્યું છે કે તેઓ છેલ્લા કેટલાક સમયથી બીમાર હતા. હોસ્પિટલમાં તેની સારવાર ચાલી રહી હતી. જોકે, આજે 14 માર્ચે હોળીના દિવસે મુંબઈમાં તેમના ઘરે તેમનું અવસાન થયું હતું. જણાવવામાં આવી રહ્યું છે કે દેબ મુખર્જીના અંતિમ સંસ્કાર પણ આજે સાંજે વિલે પાર્લેના પવન હંસ સ્મશાનગૃહમાં કરવામાં આવશે.

ઉત્તર પ્રદેશના સંભલમાં હોળી અને જુમ્માની નમાજ શાંતિમય વાતાવરણમાં સંપન્ન

ઉત્તર પ્રદેશના સંભલમાં હોળી અને જુમ્માની નમાઝ શાંતિમય વાતાવરણમાં સંપન્ન થઇ છે. ન્યૂઝ એજન્સી એએનઆઈ સાથે વાત કરતા યુપી પોલીસના સીઓ અનુજ ચૌધરીએ કહ્યું કે બધાએ હોળીને ખૂબ જ પ્રેમથી ઉજવી છે, ક્યાંય પણ કોઈ પણ પ્રકારની ફરિયાદ ન હતી. નમાજ પણ શાંતિપૂર્ણ રહી હતી. હોળીની શોભાયાત્રા અંગેના પ્રશ્નના જવાબમાં તેમણે જણાવ્યું હતું કે મસ્જિદની પાછળ વિશાળ શોભાયાત્રા નીકળી હતી. લગભગ 3000 લોકો હશે. બધું જ બરાબર રહ્યું છે. સંભલ તરફથી દરેક માટે એક સારો સંદેશ છે કે અહીં શાંતિ અને વ્યવસ્થા સંપૂર્ણપણે જળવાઈ રહે છે અને અહીંના સમુદાયોમાં ભાઈચારો છે.

કુકી-જો કાઉન્સિલે મણિપુરમાં બંધ હટાવવાની જાહેરાત કરી

કુકી જો કાઉન્સિલે ગુરુવારે સાંજે જાહેરાત કરી કે તેણે મણિપુરના કુકી-જો વિસ્તારોમાં લાદવામાં આવેલ બંધ હટાવી લીધો છે. આ બંધ 8 માર્ચે લાદવામાં આવ્યો હતો. જોકે, કાઉન્સિલે એ પણ સ્પષ્ટ કર્યું છે કે તે કેન્દ્ર સરકારની ફ્રી મૂવમેન્ટ સ્કીમનો વિરોધ કરવાનું ચાલુ રાખશે. કાંગપોકપી જિલ્લામાં કુકી-જો વિરોધીઓ અને સુરક્ષા દળો વચ્ચે ઉગ્ર અથડામણ અને હિંસા બાદ કાઉન્સિલ દ્વારા 8 માર્ચે બંધની જાહેરાત કરવામાં આવી હતી. આ હિંસામાં એક યુવકનું મોત થયું હતું અને ઘણા લોકો ઘાયલ થયા હતા. ઘાયલોમાં સુરક્ષાકર્મીઓનો પણ સમાવેશ થાય છે.

ગુજરાતમાં પાંચ દિવસમાં મહત્તમ તાપમાનમાં 2-4 ડિગ્રી ઘટાડો નોંધાશેઃ હવામાન વિભાગ

ગુજરાતમાં આગામી પાંચ દિવસોમાં મહત્તમ તાપમાનમાં 2-4 ડિગ્રી ઘટાડો થવાની શક્યતાઓ હવામાન વિભાગે સેવી છે. જોકે, ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં હિટવેવની આગાહી કરી છે. આ ઉપરાંત કચ્છ અને સૌરાષ્ટ્રના રાજકોટ, પોરબંદરમાં હિટવેવની આગાહી કરી છે.

Live Updates

Today News live : માર્ક કાર્નીએ કેનેડાના 24માં વડા પ્રધાન તરીકે શપથ લીધા

માર્ક કાર્નીએ શુક્રવારે કેનેડાના 24માં વડા પ્રધાન તરીકે શપથ લીધા છે. કાર્ની જસ્ટિન ટ્રુડોનું સ્થાન લેશે. ટ્રુડો 2015થી કેનેડાના વડા પ્રધાન હતા. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સત્તામાં પાછા ફર્યા પછી અમેરિકા સાથે બગડતા સંબંધો વચ્ચે માર્ક કાર્નીએ સરકારની બાગડોર સંભાળી છે.

Today News live : ખતરનાક આતંકી અબુ ખદીજાને ઇરાક અને અમેરિકાએ ઠાર કર્યો, ISISને મોટો ઝટકો

ઇરાક અને સીરિયામાં ઇસ્લામિક સ્ટેટના ટોચના નેતા અબુ ખદીજાનું મોત થયું છે. ઇરાકના વડાપ્રધાન મોહમ્મદ શિયા અલ-સુદાનીએ શુક્રવારે આ માહિતી આપી હતી. સુદાનીના જણાવ્યા અનુસાર અબુ ખદીજાને ઇરાકી સુરક્ષા દળોએ અમેરિકાની આગેવાની હેઠળના ગઠબંધનના દળો સાથે મળીને ઠાર કર્યો છે. અબુ ખદીજા અબ્દુલ્લા માકી મુસલેહ અલ-રિફાઇ તરીકે પણ ઓળખાતો હતો. અબુ ખદીજાની ગણતરી ઇરાકની સાથે-સાથે દુનિયાભરના સૌથી ખતરનાક આતંકીઓમાં થતી હતી. અબુ ખદીજાની હત્યા આઇએસઆઇએસ માટે મોટો ઝટકો માનવામાં આવે છે.

ગોલ્ડન ટેમ્પલમાં એક વ્યક્તિએ પાંચ લોકો પર કર્યો હુમલો, એકની હાલત ગંભીર

અમૃતસરમાં શીખોના સૌથી પવિત્ર સ્થળ ગોલ્ડન ટેમ્પલમાં એક અજાણ્યા યુવકે પાંચ શ્રદ્ધાળુઓ પર કથિત રીતે હુમલો કર્યો છે. શુક્રવારે બનેલી આ ઘટનામાં બઠિંડાના એક શીખ યુવકની હાલત ગંભીર હોવાનું કહેવાય છે. અમૃતસરની શ્રી ગુરુ રામદાસ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સસ એન્ડ રિસર્ચની ઇમરજન્સી વિંગમાં યુવકની સારવાર ચાલી રહી છે.

Today News live : વડોદરાના પોર નજીક ગમખ્વાર અકસ્માત, 3 ના મોત

વડોદરાના પોર નજીક ગમખ્વાર અકસ્માતની ઘટના સર્જાઈ છે. જેમાં પાવાગઢથી દર્શન કરીને પરત ફરી રહેલા સુરતીઓને અકસ્માત નડ્યો હતો. અર્ટિગા કાર હાઈવે પરથી નીચે ઉતરી જતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતની ઘટનામાં ત્રણ લોકોના ઘટનાસ્થળે મોત નીપજ્યા હોવાનું સામે આવ્યું છે.

Today News live : ઉત્તર પ્રદેશના સંભલમાં હોળી અને જુમ્માની નમાજ શાંતિમય વાતાવરણમાં સંપન્ન

ઉત્તર પ્રદેશના સંભલમાં હોળી અને જુમ્માની નમાઝ શાંતિમય વાતાવરણમાં સંપન્ન થઇ છે. ન્યૂઝ એજન્સી એએનઆઈ સાથે વાત કરતા યુપી પોલીસના સીઓ અનુજ ચૌધરીએ કહ્યું કે બધાએ હોળીને ખૂબ જ પ્રેમથી ઉજવી છે, ક્યાંય પણ કોઈ પણ પ્રકારની ફરિયાદ ન હતી. નમાજ પણ શાંતિપૂર્ણ રહી હતી. હોળીની શોભાયાત્રા અંગેના પ્રશ્નના જવાબમાં તેમણે જણાવ્યું હતું કે મસ્જિદની પાછળ વિશાળ શોભાયાત્રા નીકળી હતી. લગભગ 3000 લોકો હશે. બધું જ બરાબર રહ્યું છે. સંભલ તરફથી દરેક માટે એક સારો સંદેશ છે કે અહીં શાંતિ અને વ્યવસ્થા સંપૂર્ણપણે જળવાઈ રહે છે અને અહીંના સમુદાયોમાં ભાઈચારો છે.

Today News live : અયાન મુખર્જીના પિતા દેબનું નિધન

એક તરફ દેશમાં હોળીની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે બીજી તરફ ‘બ્રહ્માસ્ત્ર’ ફિલ્મના નિર્દેશક અયાન મુખર્જી પર દુ:ખનો પહાડ તૂટી પડ્યો છે. તેમના પિતા અને જૂના અભિનેતા દેબ મુખર્જીનું અવસાન થયું છે. તેમણે 83 વર્ષની વયે દુનિયાને અલવિદા કહી દીધું છે. કહેવામાં આવી રહ્યું છે કે તેઓ છેલ્લા કેટલાક સમયથી બીમાર હતા. હોસ્પિટલમાં તેની સારવાર ચાલી રહી હતી. જોકે, આજે 14 માર્ચે હોળીના દિવસે મુંબઈમાં તેમના ઘરે તેમનું અવસાન થયું હતું. જણાવવામાં આવી રહ્યું છે કે દેબ મુખર્જીના અંતિમ સંસ્કાર પણ આજે સાંજે વિલે પાર્લેના પવન હંસ સ્મશાનગૃહમાં કરવામાં આવશે.

Today News live : અક્ષર પટેલ આઈપીએલ 2025માં દિલ્હી કેપિટલ્સની કેપ્ટનશીપ કરશે

IPL 2025 માટે અક્ષર પટેલને દિલ્હી કેપિટલ્સ (DC) ના કેપ્ટન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તે 2019 થી ડીસી સાથે છે. ગયા નવેમ્બરમાં મેગા હરાજી પહેલા તે રૂ. 16.50 કરોડમાં દિલ્હી કેપિટલ્સનો ટોચનો ખેલાડી હતો. જોકે તેનો કેપ્ટનશિપનો અનુભવ વ્યાપક નથી, પણ તેને આ વર્ષે જાન્યુઆરીમાં ભારતનો T20I વાઇસ-કેપ્ટન બનાવવામાં આવ્યો હતો.

Today News live : રાજકોટના એટ્લાન્ટિસ બિલ્ડિંગમાં આગ, 3ના મોત

રાજકોટમાં ફરી આગની મોટી ઘટના બની હતી. રાજકોટમાં આવેલા 150 ફૂટ રિંગરોડ પર આવેલી નામાંકિત એટલાન્ટિક બિલ્ડિંગના પાંચમા અને છઠ્ઠા માળે ભીષણ આગ લાગવાની ઘટના બની હતી. આ આગમાં ત્રણ લોકોના મોત નીપજ્યા હતા. ઘટનાની જાણ તથાં જ પોલીસ અને ફાયર વિભાગ તેમજ એમ્બ્યુલન્સની ટીમો ઘટના સ્થળે પહોંચીને આગ ઉપર કાબુ મેળવવા અને બચાવ કામગીરી હાથધરી હતી.

Today News live : ગુજરાતમાં પાંચ દિવસમાં મહત્તમ તાપમાનમાં 2-4 ડિગ્રી ઘટાડો નોંધાશેઃ હવામાન વિભાગ

ગુજરાતમાં આગામી પાંચ દિવસોમાં મહત્તમ તાપમાનમાં 2-4 ડિગ્રી ઘટાડો થવાની શક્યતાઓ હવામાન વિભાગે સેવી છે. જોકે, ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં હિટવેવની આગાહી કરી છે. આ ઉપરાંત કચ્છ અને સૌરાષ્ટ્રના રાજકોટ, પોરબંદરમાં હિટવેવની આગાહી કરી છે.

Today News live : કુકી-જો કાઉન્સિલે મણિપુરમાં બંધ હટાવવાની જાહેરાત કરી

કુકી જો કાઉન્સિલે ગુરુવારે સાંજે જાહેરાત કરી કે તેણે મણિપુરના કુકી-જો વિસ્તારોમાં લાદવામાં આવેલ બંધ હટાવી લીધો છે. આ બંધ 8 માર્ચે લાદવામાં આવ્યો હતો. જોકે, કાઉન્સિલે એ પણ સ્પષ્ટ કર્યું છે કે તે કેન્દ્ર સરકારની ફ્રી મૂવમેન્ટ સ્કીમનો વિરોધ કરવાનું ચાલુ રાખશે. કાંગપોકપી જિલ્લામાં કુકી-જો વિરોધીઓ અને સુરક્ષા દળો વચ્ચે ઉગ્ર અથડામણ અને હિંસા બાદ કાઉન્સિલ દ્વારા 8 માર્ચે બંધની જાહેરાત કરવામાં આવી હતી. આ હિંસામાં એક યુવકનું મોત થયું હતું અને ઘણા લોકો ઘાયલ થયા હતા. ઘાયલોમાં સુરક્ષાકર્મીઓનો પણ સમાવેશ થાય છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ