/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/05/Justice-BR-Gavai-1.jpg)
જસ્ટિસ બીઆર ગવઈ - file photo- jansatta
Gujarat Latest News in Gujarati, Gujarati Samachar (ગુજરાતી સમાચાર) 14 May 2025, આજના તાજા સમાચાર: જસ્ટિસ બીઆર ગવઈએ આજે ભારતના આગામી મુખ્ય ન્યાયાધીશ તરીકે શપથ લીધા છે. જસ્ટિસ ગવઈ ભારતના 52મા મુખ્ય ન્યાયાધીશ બન્યા છે. તેમનું પુરુ નામ ભૂષણ રામકૃષ્ણ ગવઈ છે. તેઓ 23 નવેમ્બર, 2025 ના રોજ નિવૃત્તિ સુધી આ પદ પર રહેશે. સુપ્રીમ કોર્ટમાં ન્યાયાધીશોની નિવૃત્તિ વય 65 વર્ષ છે.
જસ્ટિસ ગવઈ મહારાષ્ટ્રના અમરાવતીના રહેવાસી છે. તેઓ 16 માર્ચ, 1985ના રોજ બારમાં જોડાયા અને 1987 સુધી બોમ્બે હાઈકોર્ટના ભૂતપૂર્વ એડવોકેટ જનરલ અને ન્યાયાધીશ રાજા એસ ભોંસલે સાથે કામ કર્યું. 1990 પછી, તેમણે બોમ્બે હાઈકોર્ટની નાગપુર બેન્ચમાં બંધારણીય અને વહીવટી કાયદામાં પ્રેક્ટિસ કરી. તેઓ નાગપુર મ્યુનિસિપલ કોર્પોરેશન, અમરાવતી મ્યુનિસિપલ કોર્પોરેશન અને અમરાવતી યુનિવર્સિટીના વકીલ પણ રહી ચૂક્યા છે.
કેન્દ્રીય મંત્રીમંડળે જેવરમાં ભારતના છઠ્ઠા સેમિકન્ડક્ટર યુનિટને મંજૂરી આપી
કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે કેન્દ્રીય મંત્રીમંડળે ઉત્તર પ્રદેશના જેવરમાં ભારતના છઠ્ઠા સેમિકન્ડક્ટર યુનિટને મંજૂરી આપી છે. ભારત સેમિકન્ડક્ટર મિશન હેઠળ અત્યાર સુધીમાં 5 સેમિકન્ડક્ટર યુનિટને મંજૂરી આપવામાં આવી છે અને ત્યાં બાંધકામનું કામ ઝડપી ગતિએ ચાલી રહ્યું છે. આ વર્ષે એક યુનિટમાં ઉત્પાદન શરૂ થશે. આ શ્રેણીમાં બીજું સુપર-એડવાન્સ્ડ યુનિટ છે. તે HCL અને ફોક્સકોનનું સંયુક્ત સાહસ છે.
UP માં ઓપરેશન સિંદૂર વિશે અફવા ફેલાવનાર 25 લોકોની ધરપકડ
તાજેતરમાં પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (POK) માં કાર્યરત આતંકવાદી ઠેકાણાઓ પર ઓપરેશન સિંદૂર હેઠળ ભારત દ્વારા કરવામાં આવેલા હવાઈ હુમલાને લઈને સરહદ પર તેમજ સોશિયલ મીડિયા પર વાતાવરણ ખૂબ ગરમાયું હતું. ઘણા લોકોએ ઓપરેશન સિંદૂર અંગે ભારતીય સૈનિકોને પ્રોત્સાહન આપ્યું, પરંતુ ઘણા લોકો એવા હતા જેઓ ઓપરેશન સિંદૂર વિશે ખોટા સમાચાર અને અફવાઓ ફેલાવવાનું કામ કરતા હતા.
હવે ઉત્તર પ્રદેશ પોલીસે અફવા ફેલાવનારા આવા લોકો સામે ખૂબ જ કડક વલણ અપનાવ્યું છે. ઉત્તર પ્રદેશ પોલીસે મંગળવારે જણાવ્યું હતું કે તેણે અફવાઓ અને ખોટી માહિતી ફેલાવતા 37 સોશિયલ મીડિયા એકાઉન્ટ્સની ઓળખ કરી છે અને તેમને બ્લોક કરવાની તૈયારી કરી રહી છે.
પોલીસે જણાવ્યું છે કે ઉત્તર પ્રદેશના અનેક જિલ્લાઓમાં ખોટા સમાચાર અને અફવાઓથી લોકોને ગેરમાર્ગે દોરવાના આરોપમાં FIR નોંધવામાં આવી છે અને અત્યાર સુધીમાં 25 લોકોની ધરપકડ કરવામાં આવી છે. પોલીસના જણાવ્યા અનુસાર બુલંદશહેર, કાનપુર, સંભલ, બલરામપુર, સંત કબીર નગર, કુશીનગર અને કેટલાક અન્ય જિલ્લાઓમાં FIR નોંધવામાં આવી છે.
- May 14, 2025 23:23 IST
Today News Live : આઈપીએલની બાકીની મેચો માટે ઈંગ્લેન્ડના આ 3 ખેલાડીઓ ભારત પરત ફરશે નહીં
આઈપીએલની બાકીની મેચોમાં ઈંગ્લેન્ડના ખેલાડી જોફ્રા આર્ચર, જેમી ઓવરટન અને સેમ કરન જોવા મળશે નહીં. જોકે જોસ બટલર, વિલ જેક્સ, લિયામ લિવિંગસ્ટોન અને જેકબ બેથેલ સહિતના ખેલાડીઓ આઇપીએલની પોતાની ફરજ પુરી કરવા માટે બુધવારે રાત્રે ભારત આવશે. જેમી ઓવરટન અને સેમ કરનના રિપ્લેસમેન્ટની પણ જાહેરાત કરવામાં આવશે નહિ. ઈંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડ (ઈસીબી)ના એક ઉચ્ચ અધિકારીએ કહ્યું કે તેમની સમજ એવી છે કે, ઈંગ્લેન્ડના કેટલાક ખેલાડીઓ લીગની પ્રતિબદ્ધતાઓને પરિપૂર્ણ કરવા માટે પાછા ફરી રહ્યા છે, જ્યારે કેટલાક અન્ય લોકોએ તેમ ન કરવાનો નિર્ણય લીધો છે, જેની પુષ્ટિ પણ તેમની સંબંધિત ફ્રેન્ચાઈઝીઓએ કરી છે.
- May 14, 2025 19:09 IST
Today News Live : બગલીહાર હાઇડ્રોઇલેક્ટ્રિક પ્રોજેક્ટ ડેમના બધા દરવાજા બંધ કરાયા
જમ્મુ અને કાશ્મીર: ચેનાબ નદી પરના બગલીહાર હાઇડ્રોઇલેક્ટ્રિક પ્રોજેક્ટ ડેમના બધા દરવાજા બંધ કરી દેવામાં આવ્યા છે.
watch रामबन, जम्मू-कश्मीर: चेनाब नदी पर बने बगलिहार जलविद्युत परियोजना बांध के सभी द्वार बंद कर दिए गए हैं।
(वीडियो शाम 6.05 बजे शूट की गई है) pic.twitter.com/kTlpQZttK0— ANI_HindiNews (@AHindinews) May 14, 2025
- May 14, 2025 16:41 IST
Today News Live : કેન્દ્રીય મંત્રીમંડળે જેવરમાં છઠ્ઠા સેમિકન્ડક્ટર યુનિટને મંજૂરી આપી
કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે કેન્દ્રીય મંત્રીમંડળે ઉત્તર પ્રદેશના જેવરમાં ભારતના છઠ્ઠા સેમિકન્ડક્ટર યુનિટને મંજૂરી આપી છે. ભારત સેમિકન્ડક્ટર મિશન હેઠળ અત્યાર સુધીમાં 5 સેમિકન્ડક્ટર યુનિટને મંજૂરી આપવામાં આવી છે અને ત્યાં બાંધકામનું કામ ઝડપી ગતિએ ચાલી રહ્યું છે. આ વર્ષે એક યુનિટમાં ઉત્પાદન શરૂ થશે. આ શ્રેણીમાં બીજું સુપર-એડવાન્સ્ડ યુનિટ છે. તે HCL અને ફોક્સકોનનું સંયુક્ત સાહસ છે.
- May 14, 2025 12:30 IST
Today News Live : BSF જવાન પૂર્ણમ કુમાર શો 20 દિવસ પછી ભારત પરત ફર્યા
બીએસએફ કોન્સ્ટેબલ પૂર્ણમ કુમાર શો ભારત પરત ફર્યા છે. તે છેલ્લા ઘણા દિવસોથી પાકિસ્તાનની કસ્ટડીમાં હતો. પંજાબના ફિરોઝપુર સેક્ટરમાં તૈનાત 40 વર્ષીય શૉ 23 એપ્રિલના રોજ આંતરરાષ્ટ્રીય સરહદ પાર કરીને પાકિસ્તાનના ક્ષેત્રમાં પ્રવેશ્યા હતા. ત્યાં તેમને પાકિસ્તાન રેન્જર્સ દ્વારા કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા.
બીએસએફએ તેની ધરપકડ અંગે પાકિસ્તાની રેન્જર્સ સમક્ષ વિરોધ નોંધાવ્યો હતો. ભારત આ મામલે પાકિસ્તાની રેન્જર્સ સાથે ફ્લેગ મીટિંગ અને અન્ય માધ્યમો દ્વારા સતત સંપર્કમાં હતું.
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ થોડા દિવસો પહેલા BSF જવાનની પત્ની રજની શો સાથે વાત કરી હતી. આ પછી, રજની શોએ ધ ઇન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું કે યુદ્ધવિરામ પછી તે ખૂબ જ સકારાત્મક છે અને તેને ભગવાનમાં વિશ્વાસ છે કે તેનો પતિ સુરક્ષિત રીતે પાછો ફરશે.
- May 14, 2025 09:50 IST
Today News Live : ભાજપના નેતા ઈન્દ્રવિજય ચુડાસમાએ કોંગ્રેસ નેતા પર હુમલો કર્યો
ઉપલેટાના ભાયાવદરમાં ભાજપ નેતાની ગુંડાગીરી સામે આવી છે. ભાજપના નેતા ઈન્દ્રવિજય ચુડાસમાએ કોંગ્રેસ નેતા પર હુમલો કર્યો હોવાની ઘટના બની છે. સોશિયલ મીડિયામાં મેસેજને લઈ ભાજપના કાર્યકરોએ હુમલો કર્યો હોવાનો દાવો છે. ભાયાવદર પાલિકાના પૂર્વ પ્રમુખ નયન જીવાણી પર 25 લોકોનો હુમલો કર્યાની ઘટના બની હતી.
- May 14, 2025 09:35 IST
Today News Live : કલમ ૩૭૦, નોટબંધી, ચૂંટણી બોન્ડ, જસ્ટિસ ગવઈ કોણ છે, આજે CJI તરીકે શપથ લેશે
જસ્ટિસ બીઆર ગવઈ આજે ભારતના આગામી મુખ્ય ન્યાયાધીશ તરીકે શપથ લેશે. જસ્ટિસ ગવઈ ભારતના 52મા મુખ્ય ન્યાયાધીશ બનશે. તેમનું પૂરું નામ ભૂષણ રામકૃષ્ણ ગવઈ છે. તેઓ 23 નવેમ્બર, 2025 ના રોજ નિવૃત્તિ સુધી આ પદ પર રહેશે. સુપ્રીમ કોર્ટમાં ન્યાયાધીશોની નિવૃત્તિ વય 65 વર્ષ છે.
આવો, જાણીએ કે જસ્ટિસ બીઆર ગવઈ કોણ છે?
જસ્ટિસ ગવઈ મહારાષ્ટ્રના અમરાવતીના રહેવાસી છે. તેઓ 16 માર્ચ, 1985ના રોજ બારમાં જોડાયા અને 1987 સુધી બોમ્બે હાઈકોર્ટના ભૂતપૂર્વ એડવોકેટ જનરલ અને ન્યાયાધીશ રાજા એસ ભોંસલે સાથે કામ કર્યું. 1990 પછી, તેમણે બોમ્બે હાઈકોર્ટની નાગપુર બેન્ચમાં બંધારણીય અને વહીવટી કાયદામાં પ્રેક્ટિસ કરી. તેઓ નાગપુર મ્યુનિસિપલ કોર્પોરેશન, અમરાવતી મ્યુનિસિપલ કોર્પોરેશન અને અમરાવતી યુનિવર્સિટીના વકીલ પણ રહી ચૂક્યા છે.
- May 14, 2025 09:31 IST
Today News Live : સેન્સેક્સ 400 પોઇન્ટ વધ્યો, ટાટા સ્ટીલ ટોપ ગેઇનર
સેન્સેક્સ નિફ્ટી બુધવારે પોઝિટિવ ખુલ્યા હતા. સેન્સેક્સ પાછલા બંધ 81148 સામે વધીને આજે 81278 ખુલ્યો હતો. ટાટા સ્ટીલ અને આઈટી શેરમાં તેજીથી સેન્સેક્સ 400 પોઇન્ટ વધીને 81550 ઉપર ટ્રેડ કરી રહ્યો છે. એનએસઇ નિફ્ટી વધીને 24613 ખુલ્યો હતો. બેંક નિફ્ટી 130 પોઇન્ટ અને નિફ્ટી આઈટી ઈન્ડેક્સ 330 પોઇન્ટ વધીને ટ્રેડ કરી રહ્યા છે. સેન્સેક્સના ટોપ 5 ગેઇનર શેરમાં ટાટા સ્ટીલ 4 ટકા, ભારતી એરટેલ 2.2 ટકા, ઝોમેટો 1.4 ટકા, ટેક મહિન્દ્રા અને ઇન્ફોસિસ 1 - 1 ટકા વધ્યા હતા.
- May 14, 2025 08:54 IST
Today News Live : ઓપરેશન સિંદૂરમાં પાકિસ્તાનના ઘણા એરબેઝનો નાશ થયો, સેટેલાઇટ તસવીર સામે આવી
ભારતે ઓપરેશન સિંદૂર હેઠળ પાકિસ્તાનમાં અનેક આતંકવાદી ઠેકાણાઓ પર હવાઈ હુમલા કર્યા અને ત્યારબાદ પાકિસ્તાનના ઘણા એરબેઝનો નાશ કર્યો. હવે એક ખાનગી કંપની મેક્સરે આ નાશ પામેલા એરબેઝની તસવીરો જાહેર કરી છે. સેનાએ એક પ્રેસ બ્રીફિંગમાં એમ પણ કહ્યું હતું કે તેના હવાઈ હુમલામાં પાકિસ્તાનના છ એરબેઝને વ્યાપક નુકસાન થયું છે.
- May 14, 2025 08:18 IST
Today News Live : UP માં ઓપરેશન સિંદૂર વિશે અફવા ફેલાવનાર 25 લોકોની ધરપકડ
ઉત્તર પ્રદેશ પોલીસે અફવા ફેલાવનારા આવા લોકો સામે ખૂબ જ કડક વલણ અપનાવ્યું છે. ઉત્તર પ્રદેશ પોલીસે મંગળવારે જણાવ્યું હતું કે તેણે અફવાઓ અને ખોટી માહિતી ફેલાવતા 37 સોશિયલ મીડિયા એકાઉન્ટ્સની ઓળખ કરી છે અને તેમને બ્લોક કરવાની તૈયારી કરી રહી છે. પોલીસે જણાવ્યું છે કે ઉત્તર પ્રદેશના અનેક જિલ્લાઓમાં ખોટા સમાચાર અને અફવાઓથી લોકોને ગેરમાર્ગે દોરવાના આરોપમાં FIR નોંધવામાં આવી છે અને અત્યાર સુધીમાં 25 લોકોની ધરપકડ કરવામાં આવી છે. પોલીસના જણાવ્યા અનુસાર બુલંદશહેર, કાનપુર, સંભલ, બલરામપુર, સંત કબીર નગર, કુશીનગર અને કેટલાક અન્ય જિલ્લાઓમાં FIR નોંધવામાં આવી છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us