Today News updates : અવંતિપોરામાં સેનાએ ત્રણ આતંકવાદીઓને ઠાર માર્યા, ઘણા કલાકો સુધી ઓપરેશન ચાલ્યું

India Gujarat Today Latest News in Gujarati, Gujarati Samachar (ગુજરાતી સમાચાર) 15 May 2025: અવંતીપોરાના નાદેરમાં ચાલી રહેલા ઓપરેશનમાં ભારતીય સેનાએ ત્રણ આતંકવાદીઓને ઠાર માર્યા છે. સેનાએ કહ્યું છે કે આતંકવાદીઓની ઓળખ કરવામાં આવી રહી છે

Written by Ankit Patel
Updated : May 15, 2025 23:53 IST
Today News  updates : અવંતિપોરામાં સેનાએ ત્રણ આતંકવાદીઓને ઠાર માર્યા, ઘણા કલાકો સુધી ઓપરેશન ચાલ્યું
ભારતીય સેના ફાઇલ ફોટો (Photo- X)

Gujarat Latest News in Gujarati, Gujarati Samachar (ગુજરાતી સમાચાર) 15 May 2025, આજના તાજા સમાચાર: અવંતીપોરાના નાદેરમાં ચાલી રહેલા ઓપરેશનમાં ભારતીય સેનાએ ત્રણ આતંકવાદીઓને ઠાર માર્યા છે. સેનાએ કહ્યું છે કે આતંકવાદીઓની ઓળખ કરવામાં આવી રહી છે. ગુરુવારે સવારથી અવંતીપોરાના ત્રાલ વિસ્તારમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર ચાલી રહ્યું હતું. આતંકવાદીઓની હાજરીની માહિતીના આધારે, સુરક્ષા દળોની સંયુક્ત ટીમે દક્ષિણ કાશ્મીરના પુલવામા જિલ્લાના ત્રાલના નદીર ગામને ઘેરી લીધું હતું.

રામગોપાલ યાદવનું વિંગ કમાન્ડર વ્યોમિકા સિંહ પર વિવાદિત નિવેદન

વિંગ કમાન્ડર વ્યોમિકા સિંહ ઓપરેશન સિંદૂર બાદ ચર્ચામાં આવ્યા હતા. સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય મહાસચિવ અને રાજ્યસભા સાંસદ રામ ગોપાલ યાદવે તેમના વિશે વિવાદિત નિવેદન આપ્યું છે. રામ ગોપાલ યાદવે વ્યોમિકા સિંહ વિશે જાતિસૂચક શબ્દોનો ઉપયોગ કર્યો છે. આ વીડિયો હવે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

Live Updates

Today News Live : સપા સાંસદ રામગોપાલ યાદવની ટિપ્પણીને માયાવતીએ નિંદનીય ગણાવી

બસપા પ્રમુખ માયાવતીએ ટ્વિટ કર્યું કે પાકિસ્તાનમાં આતંકવાદીઓ સામે ભારતીય સેનાના ઓપરેશન સિંદૂરની બહાદુરી પર આખો દેશ એકજુટ અને ગૌરવાન્વિત છે. આવી સ્થિતિમાં સેનાને ધર્મ અને જાતિના આધારે આંકવા/વિભાજન કરવું અત્યંત અનુચિત છે. આને લઇને ભાજપના મંત્રીએ જે ભૂલ કરી, તે જ વરિષ્ઠ સપા નેતાએ પણ આજે કરી છે, જે શરમજનક અને નિંદનીય છે.

Today News Live : સુરક્ષાને ધ્યાનમાં રાખીને તુર્કીની કંપની સેલેબી પર દેશમાં પ્રતિબંધ મુક્યો

સેલેબી એરપોર્ટ સર્વિસીસ ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડના સુરક્ષા મંજૂરી રદ થવા પર કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન રાજ્ય મંત્રી મુરલીધર મોહોલે કહ્યું કે સેલેબી એરપોર્ટ સર્વિસીસ ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડ તુર્કીની કંપની છે જે દેશના ઘણા એરપોર્ટ પર ગ્રાઉન્ડ સર્વિસીસ પૂરી પાડે છે. તુર્કીએ ખુલ્લેઆમ પાકિસ્તાનને ટેકો આપ્યો હતો. વર્તમાન પરિસ્થિતિને જોતાં આ રાષ્ટ્રીય સુરક્ષાનો મુદ્દો બની ગયો છે. સુરક્ષાને ધ્યાનમાં રાખીને સેલેબી પર દેશમાં પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

Today News Live : રામગોપાલ યાદવનું વિંગ કમાન્ડર વ્યોમિકા સિંહ પર વિવાદિત નિવેદન

વિંગ કમાન્ડર વ્યોમિકા સિંહ ઓપરેશન સિંદૂર બાદ ચર્ચામાં આવ્યા હતા. સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય મહાસચિવ અને રાજ્યસભા સાંસદ રામ ગોપાલ યાદવે તેમના વિશે વિવાદિત નિવેદન આપ્યું છે. રામ ગોપાલ યાદવે વ્યોમિકા સિંહ વિશે જાતિસૂચક શબ્દોનો ઉપયોગ કર્યો છે. આ વીડિયો હવે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

Today News Live : અવંતિપોરામાં સેનાએ ત્રણ આતંકવાદીઓને ઠાર માર્યા, ઘણા કલાકો સુધી ઓપરેશન ચાલ્યું

અવંતીપોરાના નાદેરમાં ચાલી રહેલા ઓપરેશનમાં ભારતીય સેનાએ ત્રણ આતંકવાદીઓને ઠાર માર્યા છે. સેનાએ કહ્યું છે કે આતંકવાદીઓની ઓળખ કરવામાં આવી રહી છે. ગુરુવારે સવારથી અવંતીપોરાના ત્રાલ વિસ્તારમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર ચાલી રહ્યું હતું. આતંકવાદીઓની હાજરીની માહિતીના આધારે, સુરક્ષા દળોની સંયુક્ત ટીમે દક્ષિણ કાશ્મીરના પુલવામા જિલ્લાના ત્રાલના નદીર ગામને ઘેરી લીધું હતું.

Today News Live : જમ્મુ-કાશ્મીરના ત્રાલમાં એન્કાઉન્ટરમાં એક આતંકવાદી ઠાર

જમ્મુ-કાશ્મીરના અવંતીપોરાના ત્રાલ વિસ્તારમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર ચાલી રહ્યું છે. આ એન્કાઉન્ટરમાં સેનાએ એક આતંકવાદીને ઠાર માર્યો હતો. જમ્મુ અને કાશ્મીર પોલીસે તેના X હેન્ડલ પર એન્કાઉન્ટર વિશે માહિતી આપી છે. આતંકવાદીઓની હાજરીની માહિતીના આધારે, સુરક્ષા દળોની સંયુક્ત ટીમે દક્ષિણ કાશ્મીરના પુલવામા જિલ્લાના ત્રાલના નદીર ગામને ઘેરી લીધું હતું.

આ દરમિયાન આતંકવાદીઓએ ગોળીબાર શરૂ કર્યો પરંતુ સુરક્ષા દળોએ વળતો જવાબ આપ્યો. આ એન્કાઉન્ટરમાં એક આતંકવાદી ઠાર મરાયો હતો. સુરક્ષા દળો આ વિસ્તારમાં છુપાયેલા અન્ય આતંકવાદીઓને શોધી રહ્યા છે. પોલીસ અને સેનાની ટીમો આતંકવાદીઓને ખતમ કરવામાં રોકાયેલી છે.

Today News Live : ગુજરાતમાં 24 કલાકમાં 11 તાલુકામાં વરસાદ

ગુજરાત ઈમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવેલા વરસાદના આંકડા પ્રમાણે 14 મે 2025, સવારે 6 વાગ્યાથી લઈને 15 મે 2025 સવારે છ વાગ્યાના 24 કલાકના સમયમાં રાજ્યના 11 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે વરસાદ સાબરકાંઠાના પોશીના વિસ્તારમાં એક ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો.

Today News Live : સેન્સેક્સ નિફ્ટી ડાઉન, બેંક શેરમાં નરમાઇ

શેરબજાર સેન્સેક્સ નિફ્ટી ગુરુવારે ફ્લેટ ખુલ્યા બાદ ઘટ્યા હતા. સેન્સેક્સ પાછલા બંધ 81330 સામે આજે 81354 ખુલ્યો હતો. બેંક અને ફાર્મા સહિત પસંદગીના બ્લુચીપ શેરમાં વેચવાલીથી સેન્સેક્સ 200 પોઇન્ટથી વધુ ઘટીને 81044 સુધી તૂટ્યો હતો. એનએસઇ નિફ્ટી પાછલા બંધ 24666 સામે આજે ગુરુવારે 24694 ખુલ્યો હતો. વેચવાલીના દબાણથી નિફ્ટી 60 પોઇન્ટ ઘટીને 24706 થયો હતો. સેન્સેક્સના ટોપ 5 લુઝર શેરમાં પાવરગ્રીડ, સન ફાર્મા, કોટક બેંક, મહિન્દ્રા મહિન્દ્રા, એક્સિસ બેંકના શેર અડથા 1 ટકા સુધી ઘટ્યા હતા. બેંક નિફ્ટી 180 પોઇન્ટ અને નિફ્ટી આઈટી ઈન્ડેક્સ 40 પોઇન્ટના ઘટાડે ટ્રેડ કરી રહ્યો છે.

Today News Live : લખનઉમાં ચાલતી AC બસમાં આગ, 5 જીવતા સળગ્યા

આજે ગુરુવારે સવારે 5 વાગ્યે લખનઉમાં મોહનલાલગંજ નજીક આઉટર રિંગ રોડમાં એક ચાલતી સ્લીપર એસી બસમાં આગ લાગી ગઈ. આ અકસ્માતમાં પાંચ મુસાફરો જીવતા બળીને ખાખ થઈ ગયા હતા. મૃતકોમાં માતા-પુત્રી, ભાઈ-બહેનનો સમાવેશ થાય છે. બસમાં લગભગ 80 મુસાફરો હતા. બસ બિહારથી દિલ્હી જઈ રહી હતી.

Today News Live : 10 આતંકવાદીઓ માર્યા ગયા

બુધવારે મણિપુરના ચંદેલ જિલ્લામાં આસામ રાઇફલ્સના એક યુનિટ સાથે થયેલી અથડામણમાં ઓછામાં ઓછા 10 આતંકવાદીઓ માર્યા ગયા. અધિકારીઓએ આ માહિતી આપી. તેમણે કહ્યું કે આ અભિયાન હજુ પણ ચાલુ છે.

Today News Live : સિંધુ જળ સંધિ માટે પાકિસ્તાન ચર્ચા કરવા તૈયાર

પહેલગામ આતંકવાદી હુમલા બાદ 1969માં સિંધુ જળ સંધિ સ્થગિત થયા પછી આ પહેલી વાર છે જ્યારે ઇસ્લામાબાદે સંધિ અંગે દિલ્હીની ચિંતાઓ પર ચર્ચા કરવાની તૈયારી દર્શાવી છે. ઇન્ડિયન એક્સપ્રેસ દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર પાકિસ્તાનના જળ સંસાધન સચિવ સૈયદ અલી મુર્તઝાએ તાજેતરમાં જ કેન્દ્રીય મંત્રીમંડળના સંધિને મુલતવી રાખવાના નિર્ણયની ભારતની ઔપચારિક સૂચના પર પ્રતિક્રિયા આપી છે અને તેમની સરકાર વતી ભારત જે ચોક્કસ શરતોનો વિરોધ કરી રહ્યું છે તેની ચર્ચા કરવાની ઓફર કરી છે.

Today News Live : આજથી 32 બંધ એરપોર્ટ પર કામગીરી શરૂ

ભારત-પાકિસ્તાન તણાવને કારણે બંધ કરાયેલા 32 ભારતીય એરપોર્ટ આજે ફરી ખુલશે. AAI એ 12 મે, 2025 ના રોજ આ બધા એરપોર્ટ ફરીથી ખોલવાની જાહેરાત કરી હતી. ભારતીય ઉડ્ડયન સત્તાવાળાઓ દ્વારા જારી કરાયેલી એરમેનને નોટિસ અનુસાર, 15 મે ના રોજ ભારતીય સમય મુજબ સવારે 5:29 વાગ્યા પછી એરપોર્ટ પર કામગીરી ફરી શરૂ થશે. બંધ કરાયેલા એરપોર્ટમાં શ્રીનગર, જમ્મુ, લેહ, અમૃતસર, ચંદીગઢ, અંબાલા, લુધિયાણા, જોધપુર, બિકાનેર, જેસલમેર, ઉત્તરલાઈ, રાજકોટ, ભૂજ, જામનગર, ધર્મશાળા, ભટિંડા, પટિયાલા, પઠાણકોટ, શિમલા, કિશનગઢ, હિંડોન, પોરબંદર, મુન્દ્રા અને કંડલાનો સમાવેશ થાય છે.

Today News Live : જમ્મુ કાશ્મિરના અવંતીપોરામાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ ચાલુ

પહલગામ હુમલા બાદ ભારત પાકિસ્તાન બોર્ડર ઉપર તણાવ વધ્યો હતો. જોકે જમ્મી કાશ્મીરમાં હજી પણ આતંકી ગતિવિધિઓ ચાલી રહી છે. ત્યારે ભારતીય સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે અથડાણ ચાલી રહી છે. જમ્મુ-કાશ્મીરના અવંતીપોરાના ત્રાલ વિસ્તારના નાદેરમાં એન્કાઉન્ટર શરૂ થયું છે. પોલીસ અને સુરક્ષા દળો કામે લાગી ગયા છે. જમ્મુ પોલીસે કહ્યું કે વધુ માહિતી પછીથી આપવામાં આવશે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ