/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/03/Lex-Fridman-Podcast.jpg)
પીએમ નરેન્દ્ર મોદીએ એક પોડકાસ્ટ દરમિયાન પાકિસ્તાન પર પ્રહારો કર્યા હતા. (તસવીર: Express File)
Gujarat Latest News in Gujarati, Gujarati Samachar (ગુજરાતી સમાચાર) 16 March 2025, આજના તાજા સમાચાર: પીએમ નરેન્દ્ર મોદીએ એક પોડકાસ્ટ દરમિયાન પાકિસ્તાન પર પ્રહારો કર્યા અને કહ્યું, 'એક પ્રોક્સી યુદ્ધ ચાલી રહ્યું છે અને આ કોઈ વિચારધારા નથી. આતંકવાદીઓને એક્સપોર્ટ કરવાનું કામ ચાલી રહ્યું છે. દુનિયામાં જ્યાં પણ આતંકવાદી હુમલો થાય છે, તેની કડીઓ કોઈને કોઈ રીતે પાકિસ્તાન સાથે જોડાયેલી હોય છે. 9/11ના માસ્ટરમાઇન્ડ ઓસામા બિન લાદેન પણ પાકિસ્તાનમાં આશરો લઈ રહ્યો હતો.
હું પોતે શાંતિ માટે લાહોર ગયો હતો - મોદી
પીએમ મોદીએ વધુમાં કહ્યું, 'દુનિયાએ તેમની આતંકવાદી માનસિકતાને ઓળખી લીધી છે.' આ માત્ર ભારત માટે જ નહીં પરંતુ સમગ્ર વિશ્વ માટે મુશ્કેલીનું કેન્દ્ર બની ગયું છે. અમે તેમને સતત કહ્યું કે આ માર્ગથી કોને ફાયદો થશે, તમારે આતંકવાદનો માર્ગ છોડી દેવો જોઈએ. રાજ્ય પ્રાયોજિત આતંકવાદનો અંત આવવો જ જોઇએ. હું પોતે શાંતિના પ્રયાસો માટે લાહોર ગયો હતો. મેં મારા શપથ ગ્રહણ સમારોહમાં પાકિસ્તાનને આમંત્રણ આપ્યું હતું જેથી આપણે એક નવી શરૂઆત કરી શકીએ.
ગુજરાતના ભરૂચમાં 45 વર્ષના વ્યક્તિની ઝેરી દવા પી આત્મહત્યા, પોલીસ સામે આક્ષેપ
ગુજરાતના ભરૂચમાં એક 45 વર્ષના કીર્તન નામના વ્યક્તિએ ઝેર પી આત્મહત્યા કરી છે. ભરૂચ ડીએસપી સી.કે.પટેલે જણાવ્યું કે, કિર્તન નામના 45 વર્ષના વ્યક્તિએ ઝેર પી આત્મ હત્યા કરી છે. તેની પાસેથી એક સુસાઇડ નોટ મળી છે. તેમા નબીપુર પોલીસ સ્ટેશનના ઇમ્ચાર્જ અને 2 પોલીસ કર્મીઓના નામ છે. કિર્તન અગાઉ વિદેશી દારુના કેસમાં પકડાયો હતો. તે સમયે પોલીસે તેની પાસેથી એક ગાડી જપ્ત કરી હતી. સુસાઇડ નોટમાં લખ્યું છે કે,પોલીસ તેને ગાડી પરત આપી રહી નથી અને તેના પરિવારને પરેશાન કરે છે. તપાસ બાદ સત્ય બહાર આવશે અને તે મુજબ કાર્યવાહી કરવામાં આવશે.
- Mar 16, 2025 21:22 IST
હું પોતે શાંતિ માટે લાહોર ગયો હતો - પીએમ મોદી
પીએમ મોદીએ વધુમાં કહ્યું, 'દુનિયાએ તેમની આતંકવાદી માનસિકતાને ઓળખી લીધી છે.' આ માત્ર ભારત માટે જ નહીં પરંતુ સમગ્ર વિશ્વ માટે મુશ્કેલીનું કેન્દ્ર બની ગયું છે. અમે તેમને સતત કહ્યું કે આ માર્ગથી કોને ફાયદો થશે, તમારે આતંકવાદનો માર્ગ છોડી દેવો જોઈએ. રાજ્ય પ્રાયોજિત આતંકવાદનો અંત આવવો જ જોઇએ. હું પોતે શાંતિના પ્રયાસો માટે લાહોર ગયો હતો. મેં મારા શપથ ગ્રહણ સમારોહમાં પાકિસ્તાનને આમંત્રણ આપ્યું હતું જેથી આપણે એક નવી શરૂઆત કરી શકીએ.
- Mar 16, 2025 12:17 IST
એઆર રહેમાનની તબિયત લથડી, હોસ્પિટલમાં દાખલ
પ્રખ્યાત સંગીતકાર એઆર રહેમાનની તબિયત લથડતા ચેન્નઇની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ડોક્ટરની દેખરેખમાં તેમની સારવાર ચાલી રહી છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ એઆર રહેમાનને છાતીમાં દુખાવો છતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ સમાચાર બાદ એઆર રહેમાનના ચાહકો ચિંતિત છે. તમને જણાવી દઇયે કે, તાજેતરમાં એઆર રહેમાનના પત્ની સાયરો બાનો સાથે છૂટાછેડા થયા છે. તેમના લગ્ન વર્ષ 1995માં થયા હતા.
- Mar 16, 2025 09:07 IST
નોઇડામા ગારમેન્ટ કંપનીમાં આગ લાગી
નોઇડા સેક્ટર 63માં એક ગારમેન્ટ કંપનીમાં આગ લાગી છે. આ દુર્ઘટનામાં કોઇ જાનહાનીના સમાચાર હાલ આવ્યા નથી.
watch उत्तर प्रदेश: नोएडा के सेक्टर 63 में एक गारमेंट कंपनी में आग लग गई। किसी के हताहत होने की खबर नहीं है। अधिक जानकारी की प्रतीक्षा है।
(सोर्स: अग्निशमन विभाग) pic.twitter.com/OLeP5UXORq— ANI_HindiNews (@AHindinews) March 16, 2025
- Mar 16, 2025 08:11 IST
વોન્ટેડ આતંકવાદી અબુ કતાલ સિંધી માર્યો ગયો
ભારતના દુશ્મન અને આતંકવાદી અબુ કતાલ સિંધી માર્યો ગયો છે. ભારતમાં 9 જૂને રિયાસીમાં એક તીર્થયાત્રીઓની બસ પર હુમલો કરવામાં સામેલ અબુ કતલા સિંધી લાંબા સમયથી છુપાયેલો હતો, હવે તેના મોતના સમાચાર આવ્યા છે. અબુ કતાલ મોસ્ટ વોન્ટેડ આતંકવાદી હતો. અજાણ્યા હુમલાખોરોએ અલુ કતાલને મારી નાંખ્યો છે. જો કે તેની હત્યા વિશે વધારે જાણકારી મળી નથી.
- Mar 16, 2025 07:34 IST
ભરૂચમાં 45 વર્ષના વ્યક્તિની ઝેરી દવા પી આત્મહત્યા
ગુજરાતના ભરૂચમાં એક 45 વર્ષના કીર્તન નામના વ્યક્તિએ ઝેર પી આત્મહત્યા કરી છે. ભરૂચ ડીએસપી સી.કે.પટેલે જણાવ્યું કે, કિર્તન નામના 45 વર્ષના વ્યક્તિએ ઝેર પી આત્મ હત્યા કરી છે. તેની પાસેથી એક સુસાઇડ નોટ મળી છે. તેમા નબીપુર પોલીસ સ્ટેશનના ઇમ્ચાર્જ અને 2 પોલીસ કર્મીઓના નામ છે. કિર્તન અગાઉ વિદેશી દારુના કેસમાં પકડાયો હતો. તે સમયે પોલીસે તેની પાસેથી એક ગાડી જપ્ત કરી હતી. સુસાઇડ નોટમાં લખ્યું છે કે,પોલીસ તેને ગાડી પરત આપી રહી નથી અને તેના પરિવારને પરેશાન કરે છે. તપાસ બાદ સત્ય બહાર આવશે અને તે મુજબ કાર્યવાહી કરવામાં આવશે.
watch भरूच, गुजरात: DSP भरूच सी. के. पटेल ने कहा, "कीर्तन नाम के 45 साल के एक युवक ने जहर पीकर आत्महत्या कर ली है... उसके पास से एक नोट भी मिला है। उस नोट में उसने नबीपुर पुलिस थाने के थाना प्रभारी और 2 पुलिस कर्मचारियों के नाम लिखे हैं। कीर्तन पहले विदेशी शराब के केस में पकड़ा… pic.twitter.com/G6iDtwiOCp
— ANI_HindiNews (@AHindinews) March 16, 2025


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us