Gujarati News 18 February 2025 : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જીત પર પીએમ મોદીએ કહ્યું - વિકાસની રાજનીતિનો ફરી એકવાર વિજય

India Gujarat Today Latest News in Gujarati, Gujarat Samachar (ગુજરાત સમાચાર) 18 February 2025: સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં ભાજપની જીત પછી પીએમ મોદીએ કહ્યું - હું નતમસ્તક છું કે ગુજરાતના લોકો વારંવાર અમારા પ્રયાસોમાં વિશ્વાસ વ્યક્ત કરી રહ્યા છે. આ વિજય વિકાસની રાજનીતિનો ફરી એકવાર વિજય છે જે અમને જનસેવા માટે વધુ ઊર્જા આપે છે

India Gujarat Today Latest News in Gujarati, Gujarat Samachar (ગુજરાત સમાચાર) 18 February 2025: સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં ભાજપની જીત પછી પીએમ મોદીએ કહ્યું - હું નતમસ્તક છું કે ગુજરાતના લોકો વારંવાર અમારા પ્રયાસોમાં વિશ્વાસ વ્યક્ત કરી રહ્યા છે. આ વિજય વિકાસની રાજનીતિનો ફરી એકવાર વિજય છે જે અમને જનસેવા માટે વધુ ઊર્જા આપે છે

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
Guajrat local body election resutls

ગુજરાત સ્થાનિક સ્વરાજ ચૂંટણી પરિણામ - photo - freepik

Gujarat Latest News in Gujarati, Gujarati Samachar (ગુજરાતી સમાચાર) 18 February 2025, આજના તાજા સમાચાર: સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામો સામે આવી ગયા છે. 1 મનપા, 66 નગરપાલિકાની સામાન્ય અને 2 નગરપાલિકાની મધ્યસત્ર ચૂંટણીનાં પરિણામમાં ભાજપે જુનાગઢ મનપા સહિત 61 પર, જ્યારે કોંગ્રેસે 1 પર કબજો કર્યો છે. તેમજ કુતિયાણા અને રાણાવવામાં સપાની સત્તા આવી છે અને 1 નગરપાલિકા પર અન્યોએ કબ્જો કર્યો છે.

Advertisment

ચોરવાડ નગરપાલિકાના વોર્ડ નંબર-3માં કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમાનો પરાજય થયો છે. જ્યારે જૂનાગઢ મનપાની ચૂંટણીમાં 6 વાર ડે.મેયર રહેલા ગિરીશ કોટેચાના પુત્ર પાર્થ કોટેચાની હાર થઈ છે. કુતિયાણા નગરપાલિકાની 24 સીટમાંથી સમાજવાદી પાર્ટીને 14 સીટ મળી છે. જ્યારે ભાજપને 10 સીટ મળી છે. આ ચૂંટણીમાં કાંધલ જાડેજાનો દબદબો યથાવત રહ્યો છે. ઢેલીબેનના એક ચક્રી શાસનનો અંત આવ્યો છે.

પીએમ મોદીએ કહ્યું - વિકાસની રાજનીતિનો ફરી એકવાર વિજય

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ભાજપના શાનદાર વિજય પછી પીએમ મોદીએ ટ્વિટ કર્યું છે. પીએમ મોદીએ ટ્વિટ કરીને કહ્યું કે ગુજરાત અને ભાજપ વચ્ચેનો સંબંધ અતૂટ છે અને તે દિવસે ને દિવસે વધુ મજબૂત થઈ રહ્યો છે. તાજેતરમાં રાજ્યભરમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ભાજપને સમર્થન આપવા બદલ હું ગુજરાતની જનતાનો આભાર માનું છું. હું નતમસ્તક છું કે ગુજરાતના લોકો વારંવાર અમારા પ્રયાસોમાં વિશ્વાસ વ્યક્ત કરી રહ્યા છે. આ વિજય વિકાસની રાજનીતિનો ફરી એકવાર વિજય છે જે અમને જનસેવા માટે વધુ ઊર્જા આપે છે. હું ભાજપના પ્રત્યેક કાર્યકર્તાના જમીની પ્રયાસોની પ્રશંસા કરું છું જેણે આ ઉત્કૃષ્ટ પરિણામમાં મહત્વનો ફાળો આપ્યો છે.

દિલ્હી રેલવે સ્ટેશન ભાગદોડ ઘટનામાં RPF નો મોટો દાવો

નવી દિલ્હી રેલવે સ્ટેશન પર શનિવારે રાત્રે થયેલી નાસભાગમાં 18 લોકોના મોત થયા હતા અને ઘણા લોકો ઘાયલ થયા હતા. તે જ સમયે નાસભાગના કારણો પર રેલ્વે પ્રોટેક્શન ફોર્સના અધિકારી દ્વારા તૈયાર કરવામાં આવેલા તપાસ રિપોર્ટ અનુસાર નવી દિલ્હી રેલ્વે સ્ટેશન પર નાસભાગમાં 18 લોકોના મોતનું કારણ પ્રયાગરાજ જતી કુંભ સ્પેશિયલ ટ્રેનના પ્લેટફોર્મમાં ફેરફારની જાહેરાત હતી.

Advertisment

માહિતી અનુસાર, અધિકારીએ 16 ફેબ્રુઆરીએ દિલ્હી ઝોનના તેમના વરિષ્ઠ અધિકારીઓને સુપરત કરેલા અહેવાલમાં લખ્યું હતું કે, "રાત્રે લગભગ 8.45 વાગ્યે, પ્રયાગરાજ જતી કુંભ સ્પેશિયલ ટ્રેન પ્લેટફોર્મ નંબર 12 પરથી રવાના થવાની જાહેરાત કરવામાં આવી હતી, પરંતુ થોડા સમય પછી બીજી જાહેરાત કરવામાં આવી હતી કે કુંભ સ્પેશિયલ ટ્રેન પ્લેટફોર્મ નંબર 16 પરથી રવાના થશે, જેના કારણે મુસાફરોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો."

  • Feb 18, 2025 21:07 IST

    today News Live : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપની જીત પર પીએમ મોદીએ કહ્યું - વિકાસની રાજનીતિનો ફરી એકવાર વિજય

    ગુજરાત અને ભાજપ વચ્ચેનો સંબંધ અતૂટ છે અને તે દિવસે ને દિવસે વધુ મજબૂત થઈ રહ્યો છે. તાજેતરમાં રાજ્યભરમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ભાજપને સમર્થન આપવા બદલ હું ગુજરાતની જનતાનો આભાર માનું છું. હું નતમસ્તક છું કે ગુજરાતના લોકો વારંવાર અમારા પ્રયાસોમાં વિશ્વાસ વ્યક્ત કરી રહ્યા છે. આ વિજય વિકાસની રાજનીતિનો ફરી એકવાર વિજય છે જે અમને જનસેવા માટે વધુ ઊર્જા આપે છે. હું ભાજપના પ્રત્યેક કાર્યકર્તાના જમીની પ્રયાસોની પ્રશંસા કરું છું જેણે આ ઉત્કૃષ્ટ પરિણામમાં મહત્વનો ફાળો આપ્યો છે.



  • Feb 18, 2025 18:48 IST

    today News Live : કુતિયાણામાં કાંધલ જાડેજાનો દબદબો યથાવત

    કુતિયાણા નગરપાલિકાની 24 સીટમાંથી સમાજવાદી પાર્ટીને 14 સીટ મળી છે. જ્યારે ભાજપને 10 સીટ મળી છે. આ ચૂંટણીમાં કાંધલ જાડેજાનો દબદબો યથાવત રહ્યો છે. ઢેલીબેનના એક ચક્રી શાસનનો અંત આવ્યો છે.



  • Feb 18, 2025 13:47 IST

    today News Live : સુપ્રીમ કોર્ટે રણવીર અલ્હાબાદિયાને લગાવી ફટકાર

    રણવીર અલ્હાબાદિયાએ સમય રૈનાના શો 'ઈન્ડિયાઝ ગોટ લેટેન્ટ'માં અશ્લીલ ટિપ્પણી કરી હતી, જેના પછી મામલો ખૂબ જ ગરમ થઈ ગયો હતો. આ મુદ્દો એટલો ગરમાયો કે સંસદમાં પણ ઉઠાવવામાં આવ્યો. અભદ્ર ટિપ્પણી પછી, યુટ્યુબર વિરુદ્ધ વિવિધ રાજ્યોમાં ફરિયાદો દાખલ કરવામાં આવી હતી. તેણે એવો પણ દાવો કર્યો હતો કે તેને જાનથી મારી નાખવાની ધમકીઓ મળી હતી. આવી સ્થિતિમાં હવે રણવીરે આ તમામ કેસ રદ કરાવવા માટે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે. આ અંગે કોર્ટમાં સુનાવણી શરૂ થઈ છે અને કોર્ટ દ્વારા કડક વલણ અપનાવવામાં આવ્યું છે. કોર્ટે રણવીરની અશ્લીલ ટિપ્પણીઓને મનની ગંદી ઉપજ ગણાવી છે. ચાલો તમને જણાવીએ કે કોર્ટે શું કહ્યું.

    સુપ્રીમ કોર્ટે રણવીર અલ્હાબાદિયાના કેસની સુનાવણી કરતી વખતે કડક વલણ અપનાવ્યું હતું અને તેની અભદ્ર ટિપ્પણીઓ માટે તેને ઠપકો પણ આપ્યો હતો. જસ્ટિસ સૂર્યકાંતે કોર્ટમાં આ કેસની સુનાવણી કરી હતી. સુપ્રીમ કોર્ટે તેમને ઠપકો આપતા કહ્યું કે એવું લાગે છે કે તેમના મનમાં કોઈ ગંદકી છે. કોર્ટે એમ પણ કહ્યું કે આવા વ્યક્તિના કેસની સુનાવણી શા માટે થવી જોઈએ. સુપ્રીમ કોર્ટે ઠપકો આપતા કહ્યું કે લોકપ્રિય હોવાનો મતલબ એ નથી કે તમે કંઈપણ ટિપ્પણી કરશો. તમે લોકો માતા-પિતાનું અપમાન કરો છો. એવું લાગે છે કે તમારા માથામાં છી છે.



  • Feb 18, 2025 09:32 IST

    today News Live : ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની મતગણતરી શરૂ

    સ્થાનિક સ્વરાજની ચૂંટણી અંતર્ગત 66 નગરપાલિકામાં 61.65 ટકા મતદાન થયું હતું.જેનું આજે પરિણામ છે. સવારે 9 વાગ્યાથી પરિણામ આવવાનું શરું થઈ ગયું છે. ઉલ્લેખનીય છે કે આ વર્ષનું મતદાન 2018ની સરખામણીમાં 3.35 ટકા ઓછું છે. એકંદરે વર્ષ 2018માં 75 નગપાલિકાની યોજાયેલી ચૂંટણીમાં 65 ટકા મતદાન થયું હતું. નગરપાલિકાની 1844 બેઠકમાંથી 167 બેઠક બિન હરીફ થતા 66 પાલિકાઓની 1677 બેઠક માટે 4374 ઉમેદવારો માટે મતદાન થયું હતું. 66 પાલિકાની 167 બિન હરિફમાંથી ભાજપની 162, કોંગ્રેસની 1 અને અન્ય 4 સીટ બિન હરીફ થઈ છે.



  • Feb 18, 2025 09:18 IST

    today News Live : દિલ્હી રેલવે સ્ટેશન ભાગદોડ ઘટનામાં RPF નો મોટો દાવો

    નવી દિલ્હી રેલવે સ્ટેશન પર શનિવારે રાત્રે થયેલી નાસભાગમાં 18 લોકોના મોત થયા હતા અને ઘણા લોકો ઘાયલ થયા હતા. તે જ સમયે નાસભાગના કારણો પર રેલ્વે પ્રોટેક્શન ફોર્સના અધિકારી દ્વારા તૈયાર કરવામાં આવેલા તપાસ રિપોર્ટ અનુસાર નવી દિલ્હી રેલ્વે સ્ટેશન પર નાસભાગમાં 18 લોકોના મોતનું કારણ પ્રયાગરાજ જતી કુંભ સ્પેશિયલ ટ્રેનના પ્લેટફોર્મમાં ફેરફારની જાહેરાત હતી.



બ્રેકિંગ ન્યૂઝ ગુજરાત વિશ્વ દેશ