Gujarati News 19 April 2025 : જમ્મુ-કાશ્મીરમાં ભૂકંપના જોરદાર આંચકા, અફઘાનિસ્તાનમાં કેન્દ્ર બિન્દુ

India Gujarat Today Latest News in Gujarati, Gujarati Samachar (ગુજરાતી સમાચાર) 19 April 2025: જમ્મુ-કાશ્મીરમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. પહાડી રાજ્યમાં આ ભૂકંપના કારણે લોકો ખૂબ જ ડરી ગયા અને ઘરની બહાર આવી ગયા.

India Gujarat Today Latest News in Gujarati, Gujarati Samachar (ગુજરાતી સમાચાર) 19 April 2025: જમ્મુ-કાશ્મીરમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. પહાડી રાજ્યમાં આ ભૂકંપના કારણે લોકો ખૂબ જ ડરી ગયા અને ઘરની બહાર આવી ગયા.

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
Earthquake: ભૂકંપ

Earthquake: ભૂકંપ

Gujarat Latest News in Gujarati, Gujarati Samachar (ગુજરાતી સમાચાર) 19 April 2025, આજના તાજા સમાચાર: જમ્મુ-કાશ્મીરમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. પહાડી રાજ્યમાં આ ભૂકંપના કારણે લોકો ખૂબ જ ડરી ગયા અને ઘરની બહાર આવી ગયા. ભૂકંપનું કેન્દ્ર અફઘાનિસ્તાન હોવાનું કહેવાય છે જ્યાં આ વિસ્તારમાં 5.9ની તીવ્રતાનો આંચકો આવ્યો હતો. હવે અફઘાનિસ્તાન પણ જમ્મુ-કાશ્મીરની નજીક હોવાથી ત્યાં પણ ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. રાહતની વાત એ છે કે કોઈપણ પ્રકારના નુકસાનના સમાચાર નથી, કોઈ જાનહાનિ થઈ નથી.

Advertisment

ભૂકંપનું કેન્દ્ર અફઘાનિસ્તાન-તાજિકિસ્તાન સરહદી વિસ્તારમાં હોવાનું કહેવાય છે. ભૂકંપની ઉંડાઈ ધરતીથી 86 કિલોમીટર દૂર હતી જેના કારણે આંચકા વધુ તીવ્રતાથી અનુભવાયા હતા. હવે જમ્મુ-કાશ્મીરમાં હળવો ભૂકંપ પણ લોકોને ડરાવે છે, તેનું મુખ્ય કારણ એ છે કે ભૂકંપની દૃષ્ટિએ ખીણ સંવેદનશીલ ગણાય છે, અહીં મોટા ભૂકંપની સંભાવના હંમેશા રહે છે.

બાંગ્લાદેશમાં હિન્દુ નેતાની હત્યા, ભારતે કહ્યું - કોઈ પણ બહાના વગર હિન્દુઓની રક્ષા કરો

બાંગ્લાદેશમાં શેખ હસીનાના સત્તાપલટા બાદ હિન્દુઓ પર શરુ થયેલા અત્યાચારનો સિલસિલો હજુ પણ યથાવત્ છે. બાંગ્લાદેશમાં એક હિન્દુ નેતાની નિર્મમ હત્યા કરવામાં આવી છે. ભારતે હવે આ મામલે બાંગ્લાદેશને ફટકાર લગાવી છે. વિદેશ મંત્રાલયે કહ્યું કે અમે ફરી એકવાર વચગાળાની સરકારને યાદ અપાવીએ છીએ કે તેઓ કોઈ પણ બહાના અથવા ભેદભાવ વિના હિન્દુઓ સહિત લઘુમતીઓની સુરક્ષા માટેની તેની જવાબદારી નિભાવે.

Advertisment

દિલ્હીના મુસ્તફાબાદમાં મકાન ધરાશાયી, 4ના મોત

દિલ્હીના મુસ્તફાબાદ વિસ્તારમાં શનિવારે વહેલી સવારે એક ઈમારત ધરાશાયી થઈ હતી. આમાં ચાર લોકોના મોત થયા છે અને ઘણા લોકો હજુ પણ કાટમાળમાં ફસાયેલા છે. NDRF અને દિલ્હી પોલીસની બચાવ ટુકડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને ફસાયેલા લોકોને બચાવવાનું ઓપરેશન ચાલી રહ્યું છે. એડિશનલ ડીસીપી સંદીપ લાંબાના જણાવ્યા અનુસાર આ અકસ્માતમાં અત્યાર સુધીમાં ચાર લોકોના મોત થયા છે. અત્યાર સુધીમાં 10 લોકોને બચાવી લેવાયા છે. કાટમાળ નીચે હજુ પણ 10 લોકો ફસાયા હોવાની આશંકા છે.

ફાયર વિભાગના અધિકારી રાજેન્દ્ર અઠવાલે જણાવ્યું હતું કે, 'અમને સવારે 2.50 વાગ્યે મકાન ધરાશાયી થવાની માહિતી મળી હતી. જ્યારે અમારી પ્રારંભિક ટીમો આવી ત્યારે તેઓએ જોયું કે આખી ઇમારત તૂટી પડી હતી અને અમને માહિતી મળી હતી કે લોકો કાટમાળ નીચે ફસાયા છે. અમારી ટીમો હાલમાં ઘટના સ્થળે કામ કરી રહી છે. NDRF, દિલ્હી ફાયર સર્વિસ અને વિવિધ સિવિલ એજન્સીઓ ફસાયેલા લોકોને બચાવવા માટે કામગીરી કરી રહી છે.

  • Apr 19, 2025 22:41 IST

    Today Live News : રાજકોટના સરધાર પાસે બે કાર વચ્ચે અકસ્માત, ચારના મોત

    ગુજરાતમાં વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે. રાજકોટના સરધાર-ભાડલા રોડ પર અલ્ટો અને હોન્ડા સિટી કાર વચ્ચે ભયંકર અકસ્માત થયો હતો. બન્ને કારની ટક્કર બાદ આગ ફાટી નીકળી હતી. ઘટનામાં માતા-પુત્રી સહિત ચાર લોકોના મોત નીપજ્યા હતા.



  • Apr 19, 2025 16:40 IST

    બાંગ્લાદેશમાં હિન્દુ નેતાની હત્યા, ભારતે કહ્યું - કોઈ પણ બહાના વિના હિન્દુઓની રક્ષા કરો

    બાંગ્લાદેશમાં શેખ હસીનાના સત્તાપલટા બાદ હિન્દુઓ પર શરુ થયેલા અત્યાચારનો સિલસિલો હજુ પણ યથાવત્ છે. બાંગ્લાદેશમાં એક હિન્દુ નેતાની નિર્મમ હત્યા કરવામાં આવી છે. ભારતે હવે આ મામલે બાંગ્લાદેશને ફટકાર લગાવી છે. વિદેશ મંત્રાલયે કહ્યું કે અમે ફરી એકવાર વચગાળાની સરકારને યાદ અપાવીએ છીએ કે તેઓ કોઈ પણ બહાના અથવા ભેદભાવ વિના હિન્દુઓ સહિત લઘુમતીઓની સુરક્ષા માટેની તેની જવાબદારી નિભાવે.



  • Apr 19, 2025 13:33 IST

    Today Live News : ભૂકંપનું કેન્દ્ર અફઘાનિસ્તાન-તાજિકિસ્તાન સરહદી વિસ્તારમાં

    ભૂકંપનું કેન્દ્ર અફઘાનિસ્તાન-તાજિકિસ્તાન સરહદી વિસ્તારમાં હોવાનું કહેવાય છે. ભૂકંપની ઉંડાઈ ધરતીથી 86 કિલોમીટર દૂર હતી જેના કારણે આંચકા વધુ તીવ્રતાથી અનુભવાયા હતા. હવે જમ્મુ-કાશ્મીરમાં હળવો ભૂકંપ પણ લોકોને ડરાવે છે, તેનું મુખ્ય કારણ એ છે કે ભૂકંપની દૃષ્ટિએ ખીણ સંવેદનશીલ ગણાય છે, અહીં મોટા ભૂકંપની સંભાવના હંમેશા રહે છે.



  • Apr 19, 2025 13:33 IST

    Today Live News : જમ્મુ-કાશ્મીરમાં ભૂકંપના જોરદાર આંચકા

    જમ્મુ-કાશ્મીરમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. પહાડી રાજ્યમાં આ ભૂકંપના કારણે લોકો ખૂબ જ ડરી ગયા અને ઘરની બહાર આવી ગયા. ભૂકંપનું કેન્દ્ર અફઘાનિસ્તાન હોવાનું કહેવાય છે જ્યાં આ વિસ્તારમાં 5.9ની તીવ્રતાનો આંચકો આવ્યો હતો. હવે અફઘાનિસ્તાન પણ જમ્મુ-કાશ્મીરની નજીક હોવાથી ત્યાં પણ ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. રાહતની વાત એ છે કે કોઈપણ પ્રકારના નુકસાનના સમાચાર નથી, કોઈ જાનહાનિ થઈ નથી.



  • Apr 19, 2025 08:55 IST

    Today Live News : દિલ્હીના મુસ્તફાબાદમાં મકાન ધરાશાયી, 4ના મોત

    દિલ્હીના મુસ્તફાબાદ વિસ્તારમાં શનિવારે વહેલી સવારે એક ઈમારત ધરાશાયી થઈ હતી. આમાં ચાર લોકોના મોત થયા છે અને ઘણા લોકો હજુ પણ કાટમાળમાં ફસાયેલા છે. NDRF અને દિલ્હી પોલીસની બચાવ ટુકડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને ફસાયેલા લોકોને બચાવવાનું ઓપરેશન ચાલી રહ્યું છે. એડિશનલ ડીસીપી સંદીપ લાંબાના જણાવ્યા અનુસાર આ અકસ્માતમાં અત્યાર સુધીમાં ચાર લોકોના મોત થયા છે. અત્યાર સુધીમાં 10 લોકોને બચાવી લેવાયા છે. કાટમાળ નીચે હજુ પણ 10 લોકો ફસાયા હોવાની આશંકા છે.



બ્રેકિંગ ન્યૂઝ ગુજરાત વિશ્વ દેશ