Gujarati News 2 April 2025 : જેડીયુ અને ટીડીપીએ વક્ફ બિલનું સમર્થન કર્યું, JDU એ કહ્યું - આ બિલ કોઈપણ રીતે મુસ્લિમ વિરોધી નથી

India Gujarat Today Latest News in Gujarati, Gujarati Samachar (ગુજરાતી સમાચાર) 2 April 2025: સંસદીય કાર્યમંત્રી કિરણ રીજ્જુ એ વક્ફ (સંશોધન) બિલ, 2024 લોકસભામાં રજૂ કર્યું. કોંગ્રેસ સહિત ઘણા વિપક્ષોએ વક્ફ સંશોધન બિલનો વિરોધ કર્યો

India Gujarat Today Latest News in Gujarati, Gujarati Samachar (ગુજરાતી સમાચાર) 2 April 2025: સંસદીય કાર્યમંત્રી કિરણ રીજ્જુ એ વક્ફ (સંશોધન) બિલ, 2024 લોકસભામાં રજૂ કર્યું. કોંગ્રેસ સહિત ઘણા વિપક્ષોએ વક્ફ સંશોધન બિલનો વિરોધ કર્યો

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
Parliament, સંસદ

સંસદ સત્ર - Express photo

Gujarat Latest News in Gujarati, Gujarati Samachar (ગુજરાતી સમાચાર) 2 April 2025, આજના તાજા સમાચાર: સંસદમાં બુધવારે વક્ફ (સંશોધન) બિલ, 2024 લોકસભામાં રજૂ કરવામાં આવ્યું છે. ભાજપના નેતા કિરણ રીજ્જુએ વક્ફ સશોધન રજૂ કરતી વખતે કહ્યું કે, જેપીસી એ મહત્વપૂર્ણ કામ કર્યું છે. જો કે કોંગ્રેસ સહિત ઘણા વિપક્ષો એ વક્ફ બિલનો વિરોધ કર્યો છે. જેડીયુ અને ટીડીપીએ વક્ફ બિલનું સમર્થન કર્યું છે.

Advertisment

જામનગરમાં જેગુઆર ફાઈટર પ્લેન ક્રેશ

જામનગરના કાલાવડ રોડ પર આવેલા સુવરડા ગામની સીમમાં જેગુઆર પ્લેન ક્રેશ થયું છે. જે વિસ્તારમાં પ્લેન ક્રેશ થયું તે સમગ્ર વિસ્તાર આગની લપેટમાં આવી ગયો હતો. ઘટનાની જાણ થતાં જ SP, કલેક્ટર અને 108 સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયા હતા.

તેલુગુ દેશમ પાર્ટી (ટીડીપી)એ વક્ફ બિલનું સમર્થન કર્યું

તેલુગુ દેશમ પાર્ટી (ટીડીપી)એ વક્ફ બિલનું સમર્થન કર્યું છે. ટીડીપીનાના સાંસદ કૃષ્ણ પ્રસાદ તેન્નટીએ જણાવ્યું હતું કે વકફ પાસે 1.2 લાખ કરોડ રૂપિયાથી વધુની સંપત્તિ છે. આ મિલકતો ગેરવહીવટનો ભોગ બની છે. અમારી પાર્ટી માને છે કે આ મિલકતનો ઉપયોગ મુસ્લિમોના કલ્યાણ માટે, મહિલાઓના કલ્યાણ માટે થવો જોઈએ. અમારું માનવું છે કે આમાં સુધારો કરવાની જરૂર છે. અમે જેપીસીની માંગણી કરનાર પ્રથમ પક્ષ હતા. અમે વક્ફ બિલનું સમર્થન કરીએ છીએ.

આ બિલ કોઈપણ રીતે મુસ્લિમ વિરોધી નથી - JDU સાંસદ લલ્લન સિંહ

JDU સાંસદ અને કેન્દ્ર સરકારમાં પંચાયતી રાજ મંત્રી રાજીવ રંજન સિંહ ઉર્ફે લલ્લન સિંહે કહ્યું કે એવો નેરેટિવ બનાવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે આ બિલ મુસલમાન વિરોધી છે. આ બિલ કોઈપણ રીતે મુસ્લિમ વિરોધી નથી. શું વકફ એક મુસ્લિમ સંસ્થા છે. વકફ કોઈ ધાર્મિક સંસ્થા નથી, તે એક ટ્રસ્ટ છે જે મુસ્લિમોના કલ્યાણ માટે કામ કરે છે. તે ટ્રસ્ટને તમામ વર્ગના લોકો સાથે ન્યાય કરવાનો અધિકાર હોવો જોઈએ, જે થઈ રહ્યું નથી. વકફની આવક યોગ્ય જગ્યાએ ખર્ચ થાય તે સુનિશ્ચિત કરવા માટે આ સુધારો કરવામાં આવ્યો છે. આમાં શું સમસ્યા છે. શું તમે મુસ્લિમોના કલ્યાણની વિરુદ્ધ છો.

Advertisment

વક્ફ સુધારા બિલ પર ગૌરવ ગોગોઈએ શું કહ્યું

લોકસભામાં કોંગ્રેસના નેતા ગૌરવ ગોગોઈએ વક્ફ સુધારા બિલ પર ચર્ચા દરમિયાન કહ્યું કે સરકાર લઘુમતીઓ પ્રત્યે સહાનુભૂતિ દાખવી રહી છે પરંતુ તેમની ડબલ એન્જિન સરકારે લોકોને રસ્તાઓ પર ઈદની નમાજ અદા કરવાની મંજૂરી આપી નહીં. સૌ પ્રથમ તેમણે સ્પષ્ટ કરવું જોઈએ કે લોકસભામાં તેમના કેટલા લઘુમતી સાંસદો છે.

મહારાષ્ટ્રના બુલઢાણામાં ત્રિપલ અકસ્માતમાં 5 લોકોના મોત

મહારાષ્ટ્રના બુલઢાણા જિલ્લાના શેગાંવ ખામગાંવ હાઈવે પર એક ખાનગી બસ, એક એસ.ટી. બસ અને બોલેરો વચ્ચે આ ભીષણ અકસ્માત સર્જાયો હતો. વહેલી સવારે પૂરપાટ ગતિએ દોડતી બોલેરો કાર એસ.ટી.બસ સાથે અથડાઈ હતી. જેના લીધે પાછળ આવતી ખાનગી બસ પણ આ અકસ્માતમાં લપેટાઈ ગઈ હતી. ભયાનક અકસ્માતમાં 5 લોકો ઘટનાસ્થળે જ મૃત્યુ પામી ગયા. જોકે 24 લોકો ઈજાગ્રસ્ત થઈ ગયા છે.

ગુજરાતમાં હીટવેવ અને માવઠાંની બેવડી આગાહી

ગુજરાતમાં અત્યારે બેવડી આગાહી થઈ રહી છે ત્યારે સૌરાષ્ટ્રના ભાવનગર, દીવ અને કચ્છમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે. જ્યારે પોરબંદરમાં ગરમીનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ ઉપરાંત મધ્ય ગુજરાતમાં ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહિસાગરમાં વાવાઝોડા સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાતમાં વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ અને દાદરા નગર હવેલીમાં કમોસમી વરાસદની આગાહી કરવામાં આવી છે.

  • Apr 02, 2025 23:35 IST

    Today News live : જામનગરમાં જેગુઆર ફાઈટર પ્લેન ક્રેશ

    જામનગરના કાલાવડ રોડ પર આવેલા સુવરડા ગામની સીમમાં જેગુઆર પ્લેન ક્રેશ થયું છે. જે વિસ્તારમાં પ્લેન ક્રેશ થયું તે સમગ્ર વિસ્તાર આગની લપેટમાં આવી ગયો હતો. ઘટનાની જાણ થતાં જ SP, કલેક્ટર અને 108 સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયા હતા.



  • Apr 02, 2025 18:58 IST

    Today News live : અમિત શાહે કહ્યું - ઘણા ચર્ચ અને ઇસાઇ સમૂહ બિલનું સમર્થન કરી રહ્યા છે

    વકફ બિલ પર બોલતા કેન્દ્રીય મંત્રી અમિત શાહે કહ્યું કે તેઓ આ બિલના સમર્થનમાં ઉભા છે. મને લાગે છે કે નિર્દોષ ભાવથી કે રાજકીય કારણોસરથી ઘણી બધા ભ્રમ સદસ્યોના મનમાં છે અને તેને ફેલાવવાના પ્રયાસો થઈ રહ્યા છે. રિજિજુજી બિલ પરની ચર્ચાનો જવાબ આપશે. હું કેટલીક બાબતો સ્પષ્ટ કરવાનો પ્રયાસ કરીશ. ઘણા ચર્ચ અને ઇસાઇ સમૂહ બિલનું સમર્થન કરી રહ્યા છે



  • Apr 02, 2025 18:05 IST

    Today News live : શાહનવાઝ હુસૈને કહ્યું - આ બિલ વકફની સંપત્તિને મજબૂત બનાવશે

    વકફ સુધારા બિલ પર ભાજપના નેતા સૈયદ શાહનવાઝ હુસૈને કહ્યું કે આ બિલ વકફની સંપત્તિને મજબૂત બનાવશે. તેનાથી કોઈને કોઈ ખતરો નહીં રહે. મહિલાઓને તેમાં પ્રતિનિધિત્વ મળશે. વકફ ગરીબો અને અનાથ બાળકો માટે છે. જો કોઈ અન્ય તેનો લાભ લઈ રહ્યું હશે તો તેમના અધિકારો ચોક્કસપણે છીનવાઈ જશે અને તે સામાન્ય મુસ્લિમો સુધી પહોંચશે. આજે વકફ બિલ પસાર થશે.

    — ANI_HindiNews (@AHindinews) April 2, 2025



  • Apr 02, 2025 17:23 IST

    Today News live : આ બિલ કોઈપણ રીતે મુસ્લિમ વિરોધી નથી - JDU સાંસદ લલ્લન સિંહ

    JDU સાંસદ અને કેન્દ્ર સરકારમાં પંચાયતી રાજ મંત્રી રાજીવ રંજન સિંહ ઉર્ફે લલ્લન સિંહે કહ્યું કે એવો નેરેટિવ બનાવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે આ બિલ મુસલમાન વિરોધી છે. આ બિલ કોઈપણ રીતે મુસ્લિમ વિરોધી નથી. શું વકફ એક મુસ્લિમ સંસ્થા છે. વકફ કોઈ ધાર્મિક સંસ્થા નથી, તે એક ટ્રસ્ટ છે જે મુસ્લિમોના કલ્યાણ માટે કામ કરે છે. તે ટ્રસ્ટને તમામ વર્ગના લોકો સાથે ન્યાય કરવાનો અધિકાર હોવો જોઈએ, જે થઈ રહ્યું નથી. વકફની આવક યોગ્ય જગ્યાએ ખર્ચ થાય તે સુનિશ્ચિત કરવા માટે આ સુધારો કરવામાં આવ્યો છે. આમાં શું સમસ્યા છે. શું તમે મુસ્લિમોના કલ્યાણની વિરુદ્ધ છો.



  • Apr 02, 2025 16:13 IST

    Today News live : તેલુગુ દેશમ પાર્ટી (ટીડીપી)એ વક્ફ બિલનું સમર્થન કર્યું

    તેલુગુ દેશમ પાર્ટી (ટીડીપી)એ વક્ફ બિલનું સમર્થન કર્યું છે. ટીડીપીનાના સાંસદ કૃષ્ણ પ્રસાદ તેન્નટીએ જણાવ્યું હતું કે વકફ પાસે 1.2 લાખ કરોડ રૂપિયાથી વધુની સંપત્તિ છે. આ મિલકતો ગેરવહીવટનો ભોગ બની છે. અમારી પાર્ટી માને છે કે આ મિલકતનો ઉપયોગ મુસ્લિમોના કલ્યાણ માટે, મહિલાઓના કલ્યાણ માટે થવો જોઈએ. અમારું માનવું છે કે આમાં સુધારો કરવાની જરૂર છે. અમે જેપીસીની માંગણી કરનાર પ્રથમ પક્ષ હતા. અમે વક્ફ બિલનું સમર્થન કરીએ છીએ.



  • Apr 02, 2025 15:35 IST

    Today News live : વક્ફ સુધારા બિલ પર ગૌરવ ગોગોઈએ શું કહ્યું

    લોકસભામાં કોંગ્રેસના નેતા ગૌરવ ગોગોઈએ વક્ફ સુધારા બિલ પર ચર્ચા દરમિયાન કહ્યું કે સરકાર લઘુમતીઓ પ્રત્યે સહાનુભૂતિ દાખવી રહી છે પરંતુ તેમની ડબલ એન્જિન સરકારે લોકોને રસ્તાઓ પર ઈદની નમાજ અદા કરવાની મંજૂરી આપી નહીં. સૌ પ્રથમ તેમણે સ્પષ્ટ કરવું જોઈએ કે લોકસભામાં તેમના કેટલા લઘુમતી સાંસદો છે.



  • Apr 02, 2025 14:26 IST

    Today News live : પૂંછમાં પાકિસ્તાની સેનાની નાપાક પ્રવૃત્તિ, ગોળીબાર વચ્ચે ઘૂસણખોરીનો પ્રયાસ, મળ્યો જડબાતોડ જવાબ

    જમ્મુ-કાશ્મીરમાં પાડોશી દેશ પાકિસ્તાનની નાપાક ગતિવિધિઓ સામે આવી છે. અહીં પૂંછમાં પાકિસ્તાની સેનાએ ઘૂસણખોરીનો પ્રયાસ કર્યો છે. આ દરમિયાન પાકિસ્તાની સેનાએ પણ ગોળીબાર કર્યો હતો. પાકિસ્તાનની આ કાર્યવાહીનો ભારતે જડબાતોડ જવાબ આપ્યો છે.

    મળતી માહિતી મુજબ, 1 એપ્રિલના રોજ કૃષ્ણા ઘાટી વિસ્તારમાં પાકિસ્તાની સેનાની ઘૂસણખોરીના કારણે લેન્ડ માઈન ફાટ્યો હતો. આ પછી પાકિસ્તાની સેના દ્વારા ભારે ગોળીબાર કરવામાં આવ્યો હતો. તેમની તરફથી સતત યુદ્ધવિરામનું ઉલ્લંઘન થઈ રહ્યું હતું.



  • Apr 02, 2025 12:30 IST

    વક્ફ સંશોધન બિલ લોકસભામાં રજૂ, કોંગ્રેસ સહિત વિપક્ષોનો વિરોધ

    બુધવારે સંસદમાં વક્ફ (સંશોધન) બિલ, 2024 લોકસભામાં રજૂ કરવામાં આવશે. ભાજપ નેતા કિરણ રીજ્જુએ વક્ફ સશોધન રજૂ કરતી વખતે કહ્યું કે, જેપીસી એ મહત્વપૂર્ણ કામ કર્યું છે. જો કે કોંગ્રેસ સહિત ઘણા વિપક્ષો એ વક્ફ બિલનો વિરોધ કર્યો છે. ભાજપ અને કોંગ્રેસ બંનેએ તેમના સાંસદોને ગૃહમાં તેમની હાજરી સુનિશ્ચિત કરવા માટે વ્હિપ જારી કર્યા છે. સત્તાધારી ભાજપના નેતૃત્વવાળા એનડીએ અને વિપક્ષ ઇન્ડિયા અલાયન્સ પક્ષો વચ્ચે સમજૂતીના કોઇ સંકેત ન હોવાથી અંતિમ પરિણામો સંસદ ગૃહમાં બહુમતીના આધારે નક્કી થઇ શકે છે. આ વિધેયકને આજે પ્રશ્નકાળ પછી વિચારણા અને પસાર કરવા માટે હાથ ધરવામાં આવશે અને ત્યારબાદ આઠ કલાક સુધી ચર્ચા કરવામાં આવશે, જેને લંબાવી શકાય છે. ભાજપ અને કોંગ્રેસની તર્જ પર તેમના સહયોગી પક્ષોએ પણ પોતાના તમામ સાંસદોને વ્હિપ જારી કરીને 2 અને 3 એપ્રિલના રોજ ગૃહમાં હાજર રહેવા અને વકફ સુધારા બિલ પર ચર્ચામાં ભાગ લેવા જણાવ્યું છે.

    — ANI_HindiNews (@AHindinews) April 2, 2025



  • Apr 02, 2025 10:00 IST

    Today News live : પોલીસ પાયલોટિંગ મૃતકો સાથે એમ્બ્યુલન્સનો કાફલો ડીસાથી મધ્ય પ્રદેશ જવા રવાના

    ડીસામાં આવેલા ઢુંવા રોડ ઉપર આવેલી ફટાકડા બનાવવાની ફેક્ટરીમાં મંગળવારે બ્લાસ્ટ બાદ ભીષણ આગ લાગી હતી. જેમાં મધ્ય પ્રદેશથી નોકરી માટે આવેલા 21 શ્રમીકોના મોત નીપજ્યા હતા. મધ્ય પ્રદેશના શ્રમીકોના મૃતદેહો લઈને એમ્યુલન્સનો કાફલો પોલીસ પાયલોટિંગ સાથે ડીસાથી મધ્ય પ્રદેશ જવા માટે રવાના થયો છે.



  • Apr 02, 2025 09:26 IST

    Today News live : સેન્સેક્સ નિફ્ટી વધીને ખુલ્યા, FMCG શેર ડાઉન

    શેરબજાર સેન્સેક્સ નિફ્ટી બુધવારે વધીને ખુલ્યા હતા. સેન્સેક્સ પાછલા બંધ 76024 સામે આજે ઉંચા ગેપમાં 76146 ખુલ્યો હતો. આઇટી અને બેંક શેરમાં સુધારાથી માર્કેટને સપોર્ટ મળ્યો હતો. જો કે એફએમસીજી શેર ડાઉન હતા. એનએસઇ નિફ્ટી પાછલા બંધ 23165 સામે આજે 23192 ખુલ્યો હતો. ઇન્ફોસિસ, ટેક મહિન્દ્રા, મારૂતિ, આઈસીઆઈસીઆઈ બેંક અને એચડીએફસી બેંક શેર 1 ટકા આસપાસ વધ્યા હતા. બેંક નિફ્ટી અને નિફ્ટી આઈટી ઇન્ડેક્સ 150 થી 200 પોઇન્ટ વધીને ટ્રેડ કરી રહ્યા છે.



  • Apr 02, 2025 08:58 IST

    Today News live : મહારાષ્ટ્રના બુલઢાણામાં વહેલી સવારે ત્રિપલ અકસ્માત, 5 લોકોના મોત

    મહારાષ્ટ્રના બુલઢાણા જિલ્લાના શેગાંવ ખામગાંવ હાઈવે પર એક ખાનગી બસ, એક એસ.ટી. બસ અને બોલેરો વચ્ચે આ ભીષણ અકસ્માત સર્જાયો હતો. વહેલી સવારે પૂરપાટ ગતિએ દોડતી બોલેરો કાર એસ.ટી.બસ સાથે અથડાઈ હતી. જેના લીધે પાછળ આવતી ખાનગી બસ પણ આ અકસ્માતમાં લપેટાઈ ગઈ હતી. ભયાનક અકસ્માતમાં 5 લોકો ઘટનાસ્થળે જ મૃત્યુ પામી ગયા. જોકે 24 લોકો ઈજાગ્રસ્ત થઈ ગયા છે.



  • Apr 02, 2025 08:13 IST

    Today News live : આજે ગુજરાતમાં હીટવેવ અને માવઠાંની બેવડી આગાહી

    ગુજરાતમાં અત્યારે બેવડી આગાહી થઈ રહી છે ત્યારે સૌરાષ્ટ્રના ભાવનગર, દીવ અને કચ્છમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે. જ્યારે પોરબંદરમાં ગરમીનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ ઉપરાંત મધ્ય ગુજરાતમાં ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહિસાગરમાં વાવાઝોડા સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાતમાં વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ અને દાદરા નગર હવેલીમાં કમોસમી વરાસદની આગાહી કરવામાં આવી છે.



  • Apr 02, 2025 08:13 IST

    Today News live : આજે લોકસભામાં રજૂ થશે વકફ સંશોધન બિલ

    સંસદના બજેટ સત્રના બીજા તબક્કામાં દેશની મોદી સરકારે વકફ સંશોધન બિલ લાવવાની તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. આજે 2 એપ્રિલના રોજ આ બિલને લોકસભામાં રજૂ કરવામાં આવશે. મંગળવારે સંસદની બિઝનેસ એડવાઇઝરી કમિટીની બેઠકમાં વક્ફ બિલને સંસદમાં રજૂ કરવાની લીલી ઝંડી મળી ગઇ છે.

    વકફ બિલ રજૂ થવાને કારણે સત્તાધારી એનડીએ ગઠબંધનનું નેતૃત્વ કરી રહેલા ભાજપે પોતાના તમામ સાંસદોને ત્રણ લાઇનનો વ્હિપ જારી કર્યો છે. સાંસદોને દરેક સમયે સદનમાં હાજર રહેવા માટે કહેવામાં આવ્યું છે. આ ઉપરાંત ભાજપે પોતાના સાથી પક્ષોને પણ વિનંતી કરી છે કે તેઓ પોતાના તમામ સાંસદોને સંસદમાં હાજર રહેવા માટે વ્હિપ જારી કરે.



બ્રેકિંગ ન્યૂઝ ગુજરાત વિશ્વ દેશ