Gujarati News 2 March 2025: ચમોલીમાં સર્ચ ઓપરેશન સમાપ્ત, 8 મૃતદેહ મળ્યા, ઉપરના વિસ્તારમાં ફરીથી એવલોંચની ચેતવણી

India Gujarat Today Latest News in Gujarati, Gujarati Samachar (ગુજરાતી સમાચાર) 2 March 2025: ઉત્તરાખંડના ચમોલી જિલ્લાના સરહદી વિસ્તારમાં માના ગામ નજીક ગ્લેશિયર તૂટવાથી થયેલી મોટી દુર્ઘટના બાદ શરૂ કરાયેલું શોધ અભિયાન સમાપ્ત થઈ ગયું છે. રવિવારે શોધખોળ કામગીરી દરમિયાન વધુ ચાર મૃતદેહ મળી આવ્યા હતા.

Written by Ajay Saroya
Updated : March 02, 2025 22:57 IST
Gujarati News 2 March 2025: ચમોલીમાં સર્ચ ઓપરેશન સમાપ્ત, 8 મૃતદેહ મળ્યા, ઉપરના વિસ્તારમાં ફરીથી એવલોંચની ચેતવણી
ભારત-તિબ્બત સીમા પર આવેલું અંતિમ ગામ છે માણા (તસવીર: Jansatta)

Gujarat Latest News in Gujarati, Gujarati Samachar (ગુજરાતી સમાચાર) 2 March 2025, આજના તાજા સમાચાર: ઉત્તરાખંડના ચમોલી જિલ્લાના સરહદી વિસ્તારમાં માના ગામ નજીક ગ્લેશિયર તૂટવાથી થયેલી મોટી દુર્ઘટના બાદ શરૂ કરાયેલું શોધ અભિયાન સમાપ્ત થઈ ગયું છે. રવિવારે શોધખોળ કામગીરી દરમિયાન વધુ ચાર મૃતદેહ મળી આવ્યા હતા, જેના કારણે આ ઘટનામાં માર્યા ગયેલા લોકોની કુલ સંખ્યા 8 થઈ ગઈ છે. શનિવારે પણ ચાર મૃતદેહ મળી આવ્યા હોવાનું કહેવાય છે.

આ સિવાય ઓપરેશન દ્વારા બાકીના બધાને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે. 28 ફેબ્રુઆરીના રોજ માના અને બદ્રીનાથ વચ્ચે બોર્ડર રોડ્સ ઓર્ગેનાઇઝેશન (BRO) કેમ્પમાં હિમપ્રપાતની ઘટના બની હતી જેમાં 54 કામદારો આઠ કન્ટેનર અને એક શેડમાં દટાયા હતા.

બસપાના વડા માયાવતી એ તેમના ભત્રીજા આકાશ આનંદને પક્ષના તમામ પદેથી હટાવી દીધા છે. મીડિયા રિપોર્ટ મુજબ લખનઉની બેઠક પહેલા માયાવતીએ 25 ફેબ્રુઆરીએ પદાધિકારીઓ સાથે અલગ અલગ બેઠક કરી છે, તેમણે નક્કી કર્યું છે કે, 2027ની ઉત્તરપ્રદેશ વિધાનસભા ચૂંટણી પહેલા ઘણા ફેરફાર થશે. આવું પહેલીવાર બન્યું છે જ્યારે બસવા પ્રમુખે મંડળથી લઇ જિલ્લા લેવલ સુધી 1028 પ્રભારી નિમણૂક કર્યા છે. 403 વિધાનસભા બેઠકમાં 2-2 પ્રભારી નિમણૂક કરવામાં આવ્યા છે.

પીએમ મોદી જામનગરમાં, બપોર બાદ સોમનાથ અને સાસણગીરની મુલાકાતે

પીએમ નરેન્દ્ર મોદી ગુજરાતની 3 મુલાકાતે આવ્યા છે. આજે પીએમ મોદીનો ગુજરાત મુલાકાતનો બીજો દિવસ છે. પીએમ મોદી શનિવાર સાંજે જામનગર આવી પહોંચ્યા હતા. પીએમ મોદી 2 માર્ચે જામનગરમાં મુકેશ અંબાણીના વનતારાની મુલાકાત લેશે. બપોરે તેઓ ગીર સોમનાથ જશે ત્યાં સોમનાથ મંદિરમાં દર્શન કરશે અને કાર્યકર્તાઓ સાથે મુલાકાત કરશે. ત્યાર પછી 4 વાગેની આસપાસ સાસણગીર જશે. સાસણગીરમાં વનવિભાગની કોન્ફરન્સમાં ભાગ લેશે. પીએમ મોદી સાસણગીરમાં આવેલા સિંહ સદનમાં રાત્રિરોકાણ કરશે.

પીએમ મોદીએ રમઝાન માસની શુભકામના પાઠવી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ રમઝાન માસની શરૂઆતની શુભકામના પાઠવી. તમને જણાવી જઇયે કે, મુસલમાન લોકોને પવિત્ર રમઝાન માસ 1 માર્ચ, 2025થી શરૂ થયો છે.

હરિયાણામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મનોહરલાલ ખટ્ટરે મતદાન કર્યું

હરિયાણામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે આજે મતદાન થઇ રહ્યું છે. હરિયાણાના નેતા મનોહરલાલ ખટ્ટરે ચૂંટણી માટે આજે મતદાન કર્યું છે. તેમણ કહ્યું કે, તમામ લોકોએ મતદાન કરવું જોઇએ. દરેક વ્યક્તિએ પોતાના અધિકારનો ઉપયોગ કરવો જોઇએ. મારી બધા લોકોને મતદાન કરવા અપીલ છે.

Live Updates

ચેમ્પિયન ટ્રોફી 2025 જીતવા દુબઇમાં ભારત ન્યુઝિલેન્ડ વચ્ચે મેચ

ચેમ્પિયન ટ્રોફી 2025ની અંતિમ લીગ મેચ ભારત અને ન્યુઝીલેન્ટ ટીમ દુબઇ ઇન્ટરનેશનલ ક્રિકેટ મેદાનમાં મેચ રમી રહી છે. ન્યુઝિલેન્ડના કેપ્ટને ટોસ જીત ફિલ્ડિંગ કરવાનું પસંદ કર્યું છે. ભારત અને ન્યુઝિલેન્ડ ક્રિકેટ ટીમના 11 પ્લેયરમાં 1-1 ફેરફાર થયો છે. ટીમ ઈન્ડિયાના રોહિત શર્મા અને શુભમન ગીલ બેટિંગ કરી રહ્યા છે. ટીમ ઈન્ડિયાએ 2 ઓવરમાં 7 રન બનાવ્યા છે.

માયાવતી એક્શનમાં, ભત્રિજા આકાશ આનંદને BSPના તમામ પદેથી હટાવ્યા

બસવાના વડા માયાવતી એ તેમના ભત્રીજા આકાશ આનંદને પક્ષના તમામ પદેથી હટાવી દીધા છે. મીડિયા રિપોર્ટ મુજબ લખનઉની બેઠક પહેલા માયાવતીએ 25 ફેબ્રુઆરીએ પદાધિકારીઓ સાથે અલગ અલગ બેઠક કરી છે, તેમણે નક્કી કર્યું છે કે, 2027ની ઉત્તરપ્રદેશ વિધાનસભા ચૂંટણી પહેલા ઘણા ફેરફાર થશે. આવું પહેલીવાર બન્યું છે જ્યારે બસવા પ્રમુખે મંડળથી લઇ જિલ્લા લેવલ સુધી 1028 પ્રભારી નિમણૂક કર્યા છે. 403 વિધાનસભા બેઠકમાં 2-2 પ્રભારી નિમણૂક કરવામાં આવ્યા છે.

ગૃહમંત્રી અમિત શાહ મહેસાણામાં, સાંસ્કૃતિક ભવનનું ઉદઘાટન કર્યું

દેશના ગૃહમંત્રિ અમિત શાહ આજે ગુજરાતના મહેસાણા જિલ્લાના વિજાપુર તુલાકાની મુલાકાતે આવ્યા છે. અમિત શાહે આજે વિજાપુરમાં શેઠ જી સી હાઇસ્કૂલમાં વિદ્યા ભવન અને સાંસ્કૃતિક ભવનનું ઉદઘાટન કર્યું હતું.

નવા સીમાંકન સામે કર્ણાટકના નાયબ સીએમ ડીકે શિવકુમારનો વિરોધ

દક્ષિણ ભારતના રાજ્યોમાં નવા સીમાંકનનો વિવાદ વધ્યો છે. નવા સીમાંકન મુદ્દે કર્ણાટકના નાયબ સીએમ ડીકે શિવકુમારે કહ્યું કે, કોંગ્રેસ પાર્ટી નવા સીમાંકનનો વિરોધ કરે છે. (કેન્દ્ર સરકાર) દક્ષિણના રાજ્યોની (કર્ણાટમાં) બેઠક ઘટવા માંગે છે. તેઓ જે પણ કંઇ કરી રહ્યા છે, તેનાથી અમે ખુશ નથી. અમે લોકો માટે ચૂંટણી પંચથી લઇ અદાલત સુધી લડીશું. દક્ષિણ ભારતના કોઇ પણ રાજ્યમાં બેઠક ઘટાડવી સારી વાત નથી.

હરિયાણામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મનોહરલાલ ખટ્ટરે મતદાન કર્યું

હરિયાણામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે આજે મતદાન થઇ રહ્યું છે. હરિયાણાના નેતા મનોહરલાલ ખટ્ટરે ચૂંટણી માટે આજે મતદાન કર્યું છે. તેમણ કહ્યું કે, તમામ લોકોએ મતદાન કરવું જોઇએ. દરેક વ્યક્તિએ પોતાના અધિકારનો ઉપયોગ કરવો જોઇએ. મારી બધા લોકોને મતદાન કરવા અપીલ છે.

પીએમ મોદીએ રમઝાન માસની શુભકામના પાઠવી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ રમઝાન માસની શરૂઆતની શુભકામના પાઠવી. તમને જણાવી જઇયે કે, મુસલમાન લોકોને પવિત્ર રમઝાન માસ 1 માર્ચ, 2025થી શરૂ થયો છે.

https://twitter.com/AHindinews/status/1896034812462580133

PM મોદી આજે જામનગરમાં વનતારાની મુલાકાતે, બપોર પછી સોમનાથ સાસણગીર જશે

પીએમ નરેન્દ્ર મોદી ગુજરાતની 3 મુલાકાતે આવ્યા છે. આજે પીએમ મોદીનો ગુજરાત મુલાકાતનો બીજો દિવસ છે. પીએમ મોદી શનિવાર સાંજે જામનગર આવી પહોંચ્યા હતા. પીએમ મોદી 2 માર્ચે જામનગરમાં મુકેશ અંબાણીના વનતારાની મુલાકાત લેશે. બપોરે તેઓ ગીર સોમનાથ જશે ત્યાં સોમનાથ મંદિરમાં દર્શન કરશે અને કાર્યકર્તાઓ સાથે મુલાકાત કરશે. ત્યાર પછી 4 વાગેની આસપાસ સાસણગીર જશે. સાસણગીરમાં વનવિભાગની કોન્ફરન્સમાં ભાગ લેશે. પીએમ મોદી સાસણગીરમાં આવેલા સિંહ સદનમાં રાત્રિરોકાણ કરશે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ