Gujarat Latest News in Gujarati, Gujarati Samachar (ગુજરાતી સમાચાર) 20 April 2025, આજના તાજા સમાચાર: હવામાન વિભાગ દ્વારાઉત્તરાખંડમાં ભારે વરસાદ અને તોફાન સાથે કરા પડવાની ચેતવણી આપવામાં આવી છે. રવિવારે હળવા થી મધ્યમ વરસાદ, કરા પડવા અને ભારે પવન ફુંકાવાની ચેતવણી આપી છે. તમને જણાવી દઇયે કે, જમ્મુ કાશ્મીરના રામબનમાં રવિવારે વાદળ ફાટ્યું છે. ભારે વરસાદ બાદ પુર અને ભૂસ્ખલન થયું છે. જેમાં 3 લોકોના મોત થયા છે. ભૂસ્ખલન બાદ શ્રીનગર હાઇવે બંધ કરી રહેવામાં આવ્યો છે.
જમ્મુ કાશ્મીરના રામબનમાં આભ ફાટ્યું, 3 લોકોના મોત, શ્રીનગર હાઇવે બંધ
જમ્મુ કાશ્મીરના રામબનમાં ભર ઉનાળે આભ ફાટ્યું છે. ભારે વરસાદ બાદ પુર અને ભૂસ્ખલનથી ભારે તબાહી થઇ છે. આ કુદરતી આપત્તિમાં 3 લોકોના મોત થયા છે. ભારે વરસાદના કારણે ભૂસ્ખલન થતા શ્રીનગર હાઇવે બંધ કરી દેવામાં આવ્યો છે. છેલ્લા 24 કલાકથી રામબનમાં ભારે વરસાદ પડી રહ્યો છે.
ગુજરાતમાં આજે 97000 ઉમેદવારો GPSC વર્ગ 1 અને વર્ગ 2ની પરીક્ષા આપશે
ગુજરાતમાં આજે જીપીએસસી દ્વારા વર્ગ 1 અને વર્ગ 2ની જગ્યા માટે પરીક્ષા લેવામાં આવશે. રાજ્યના 21 જિલ્લાઓમાં 405 કેન્દ્રો પર 97 હજાર ઉમેદવારો જીપીએસસીની પરીક્ષા આપશે. જીપીએસસી પરીક્ષામાં ગેરરીતિ રોકવા માટે કડક વ્યવસ્થા કરવામાં આવી છે.
મહારાષ્ટ્રના ગઢચિરોલીમાં 4 માઓવાદીઓ પકડાયા
મહારાષ્ટ્રના ગઢચિરોલી વિસ્તારમાં 4 માઓવાદીની ઝડપી લેવામાં આવ્યા છે. મહારાષ્ટ્ર પોલીસ અને સીઆરપીએફના જવાનોએ 4 માઓવાદીઓની ધરપકડ કરી છે, જે દિરાંગી – ફુલનાર અથડામણ દરમિયાન સી-60 કમાન્ડોની હત્યામાં સામેલ હતા.
મધ્યપ્રદેશના ગાંધી સાગર અભ્યારણમાં ચિત્તા છોડવામાં આવ્યા
મધ્યપ્રદેશના ગાંધી સાગર અભ્યારણમાં ચિત્તા છોડવામાં આવ્યા છે. મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવે કહ્યું કે, ગાંધી સાગરમાં આજે ચિંતા છોડવામાં આવી રહ્યા છે. ઉજ્જૈનમાં એવી માન્યતા છે કે, લગભગ 100 – 200 વર્ષ પહેલા અહીં ચિત્તા હતા. હવે ફરી પુનઃસ્થાપિત થતા જોઇ બહુ ખુશી થઇ રહી છે. વન્ય જીવો માટે એક પારિસ્થિતક તંત્ર બનાવવા માટે આપણી ધરતી બધાનું સ્વાગચ કરે છે. હું રાજ્યના અન્ય ચિત્તા અભ્યારણોની પણ મુલાકાત કરશે.





