Gujarati News 20 March 2025 : કેન્દ્રીય મંત્રી નિત્યાનંદ રાયના ભત્રીજાનું ફાયરિંગમાં મોત

India Gujarat Today Latest News in Gujarati, Gujarati Samachar (ગુજરાતી સમાચાર) 20 March 2025: બિહારના ભાગલપુરથી મોટા સમાચાર સામે આવ્યા છે. અહીં કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી નિત્યાનંદ રાયના ભત્રીજાનું ગોળી વાગવાથી મોત થયું છે. આ મામલો ભાગલપુરના નવગચિયાનો છે.

Written by Ankit Patel
Updated : March 20, 2025 23:35 IST
Gujarati News 20 March 2025 : કેન્દ્રીય મંત્રી નિત્યાનંદ રાયના ભત્રીજાનું ફાયરિંગમાં મોત
કેન્દ્રીય મંત્રી નિત્યાનંદ રાય - photo - jansatta

Gujarat Latest News in Gujarati, Gujarati Samachar (ગુજરાતી સમાચાર) 20 March 2025, આજના તાજા સમાચાર: બિહારના ભાગલપુરથી મોટા સમાચાર સામે આવ્યા છે. અહીં કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી નિત્યાનંદ રાયના ભત્રીજાનું ગોળી વાગવાથી મોત થયું છે. આ મામલો ભાગલપુરના નવગચિયાનો છે. અહીં બંને ભાઈઓ વચ્ચે ગોળીબાર થયો હતો, જેમાં એકનું મોત થયું હતું અને બે ઘાયલ થયા હતા. મૃતકની ઓળખ વિશ્વજીત તરીકે થઈ છે.

13 મહિના બાદ શંભુ અને ખનૌરી બોર્ડર ખાલી, અનેક ખેડૂત આગેવાનોની અટકાયત

પંજાબ પોલીસે બુધવારે ખેડૂત કાર્યકર્તા જગજીત સિંહ દલ્લેવાલ અને કિસાન મજદૂર મોરચાના પ્રમુખ સર્વન સિંહ પંઢેરની સાથે મોહાલીમાં ઉપવાસ કરી રહેલા અન્ય અગ્રણી આંદોલનકારીઓની અટકાયત કરી હતી. આ દરમિયાન ખેડૂતો અને સુરક્ષા દળો વચ્ચે ઘર્ષણ થયું જ્યારે ખેડૂતો ખનૌરી અને શંભુ બોર્ડર પોઈન્ટ તરફ કૂચ કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા. 13 ફેબ્રુઆરી 2024થી આ બંને સ્થળો પર ખેડૂતો વિરોધ કરી રહ્યા હતા. માહિતી અનુસાર, શંભુ અને ખનૌરી બંને જગ્યાએ લગભગ 3000 પોલીસ કર્મચારીઓ તૈનાત કરવામાં આવ્યા છે.

ખેડૂતો અને પોલીસ વચ્ચેની અથડામણ બાદ ખનૌરી બોર્ડર અને સંગરુર અને પટિયાલા જિલ્લામાં ઈન્ટરનેટ સેવાઓ બંધ કરી દેવામાં આવી છે. આ સિવાય પંજાબના ઘણા વિસ્તારોમાં ઈન્ટરનેટ સેવાઓ બંધ કરી દેવામાં આવી છે.

ગુજરાતમાં ત્રણ દિવસ બાદ પડશે કાળઝાર ગરમી

માર્ચ મહિનો અંત તરફ જઈ રહ્યો છે સાથે સાથે ગરમી પણ ધીમે ધીમે વધશે. આગામી ત્રણ દિવસ સુધી રાજ્યના વાતાવરણમાં મોટો કોઈ ફેરફાર જોવા નહીં મળે એમ હવામાન વિભાગે આગાહી કરી છે. જોકે, ત્રણ દિવસ બાદ રાજ્યના મહત્તમ તાપમાનમાં ત્રણ ડિગ્રી સુધીનો વધારો થશે. એટલે કે રાજ્યમાં તાપમાન ફરી 40 ડિગ્રીને પાર થઈ શકે છે.

Live Updates

Today News live : દિશા સાલિયન કેસ પર આદિત્ય ઠાકરેએ કહ્યું - છેલ્લા 5 વર્ષથી મને બદનામ કરવાનો પ્રયાસ કર્યો

દિશા સાલિયન કેસ પર શિવસેના યુબીટી નેતા આદિત્ય ઠાકરેએ કહ્યું કે છેલ્લા 5 વર્ષથી ઘણા લોકોએ મને બદનામ કરવાનો પ્રયાસ કર્યો છે. જો મામલો કોર્ટમાં છે, તો અમે અમારો કેસ ફક્ત કોર્ટમાં જ રજૂ કરીશું.

Today News live : છત્તીસગઢ : એન્કાઉન્ટર દરમિયાન 26 નક્સલીઓના મૃતદેહ મળ્યા

બસ્તરના આઈજી સુંદરરાજ પી.એ જણાવ્યું કે બીજાપુર, સુકમા અને દાંતેવાડાના સરહદી વિસ્તારોમાં નક્સલીઓ સામે એક ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું હતું. અત્યાર સુધીમાં એન્કાઉન્ટર દરમિયાન 26 નક્સલીઓના મૃતદેહ મળી આવ્યા છે. ઘટનાસ્થળેથી મોટી સંખ્યામાં હથિયારો મળી આવ્યા છે. એક સૈનિક શહીદ થયો છે, તેમના મૃતદેહને જિલ્લા મુખ્યાલય લાવવામાં આવી રહ્યો છે.

Today News live : ભાજપના નેતાએ ગોળી મારી આત્મહત્યા કરી

જમ્મુ-કાશ્મીરના ભાજપના નેતા ફકીર મોહમ્મદ ખાને ગુરુવારે કથિત રીતે પોતાને ગોળી મારીને આત્મહત્યા કરી લીધી હતી. આ માહિતી ભાજપના અધિકારીઓએ આપી હતી. ફકીર મોહમ્મદ ખાન જમ્મુ-કાશ્મીરના ગુરેજ મત વિસ્તારના પૂર્વ અપક્ષ ધારાસભ્ય છે. ભાજપના અધિકારીઓએ જણાવ્યું હતું કે 62 વર્ષીય ફકીર મોહમ્મદ ખાને તુલસીબાગના સરકારી ક્વાર્ટર્સમાં કથિત રીતે આત્મહત્યા કરી હતી. ભાજપના પ્રવક્તા અલ્તાફ ઠાકુરે આ ઘટનાની પુષ્ટિ કરતા કહ્યું કે પૂર્વ ધારાસભ્યએ આત્મહત્યા કરી છે. જોકે ફકીર મોહમ્મદ ખાને આ પગલું કેમ ભર્યું તે હજુ સ્પષ્ટ થયું નથી.

Today News live : પંજાબ કોંગ્રેસના પ્રમુખ અને સાંસદ અમરિંદર સિંહ રાજા વડિંગે કહ્યું - યુ-ટર્ન એ AAPની વિશેષતા છે

પંજાબ કોંગ્રેસના પ્રમુખ અને સાંસદ અમરિંદર સિંહ રાજા વડિંગે પંજાબ સરકારના મંત્રી હરપાલ સિંહ ચીમાના નિવેદન પર કહ્યું કે જો ખેડૂતો દ્વારા પંજાબની અર્થવ્યવસ્થાને નુકસાન થઈ રહ્યું હતું તો ચીમા સાહેબ દોઢ વર્ષ સુધી શું કરી રહ્યા હતા? અમે ઇચ્છીએ છીએ કે વેપારીઓ, ઉદ્યોગપતિઓ માટે રસ્તા ખુલ્લા રહે અને પંજાબની અર્થવ્યવસ્થાને કોઈ પણ પ્રકારનું નુકસાન ન થવું જોઈએ. જોકે તે વાતચીત દ્વારા ખોલવું જોઈતું હતું. વાતચીત માટે આવેલા ખેડૂતો સાથે જે પ્રકારનો અત્યાચાર કરવામાં આવ્યો તે યોગ્ય નથી. ‘યુ-ટર્ન’ એ AAPની વિશેષતા છે. તેઓ પહેલા કંઈક કહે છે અને પછી કંઈક બીજું કહે છે.

Today News live : કેન્દ્રીય મંત્રી નિત્યાનંદ રાયના ભત્રીજાનું ફાયરિંગમાં મોત

બિહારના ભાગલપુરથી મોટા સમાચાર સામે આવ્યા છે. અહીં કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી નિત્યાનંદ રાયના ભત્રીજાનું ગોળી વાગવાથી મોત થયું છે. આ મામલો ભાગલપુરના નવગચિયાનો છે. અહીં બંને ભાઈઓ વચ્ચે ગોળીબાર થયો હતો, જેમાં એકનું મોત થયું હતું અને બે ઘાયલ થયા હતા. મૃતકની ઓળખ વિશ્વજીત તરીકે થઈ છે.

Today News live : બીજાપુરમાં નક્સલવાદીઓ સામે સુરક્ષાદળોની મોટી કાર્યવાહી

છત્તીસગઢના બીજાપુર જિલ્લાના બીજાપુર અને દંતેવાડાની સરહદ પર ગુરુવારે સવારે સુરક્ષા દળો અને નક્સલવાદીઓ વચ્ચે ભીષણ અથડામણ થઈ હતી. સુરક્ષા દળોની સંયુક્ત ટીમ આ નક્સલ વિરોધી ઓપરેશનને અંજામ આપી રહી છે. પોલીસના જણાવ્યા અનુસાર, એન્કાઉન્ટર હજુ પણ ચાલુ છે અને સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશનને તેજ કરવામાં આવ્યું છે, જેથી નક્સલવાદીઓ સામેની કાર્યવાહીને વધુ અસરકારક બનાવી શકાય.

એન્કાઉન્ટરમાં ડિસ્ટ્રિક્ટ રિઝર્વ ગાર્ડ (DRG)નો એક જવાન શહીદ થયો છે, જ્યારે પોલીસે 18 નક્સલવાદીઓને ઠાર કર્યા છે. સુરક્ષા દળોએ સ્થળ પરથી હથિયાર અને દારૂગોળો પણ જપ્ત કર્યો છે. બીજાપુર પોલીસના જણાવ્યા અનુસાર આ વિસ્તારમાં હજુ પણ સર્ચ ઓપરેશન ચાલુ છે અને સુરક્ષા દળો સંપૂર્ણ સતર્કતા સાથે નક્સલ વિરોધી અભિયાન ચલાવી રહ્યા છે.

Today News live : સેન્સેક્સ 500 પોઇન્ટ ઉછળ્યો, નિફ્ટી 23000 પાર

શેરબજાર સેન્સેક્સ નિફ્ટીમાં ગુરુવારે મોટો ઉછાળો આવ્યો છે. સેન્સેક્સ પાછલા બંધ 75449 સામે આજે 500 પોઇન્ટ જેટલો ઉછળી 75917 ખુલ્યો હતો. સેન્સેક્સ હવે 76000 લેવલ વટાવી શકે છે. નિફ્ટી પાછલા બંધ 22907 સામે 125 પોઇન્ટના ઉંચા ગેપમાં આજે 23036 ખુલ્યો હતો. યુએસ ફેડ રિઝર્વ બેંકે વ્યાજદર સ્થિર રાખતા માર્કેટનું સેન્ટિમેન્ટ સુધર્યું હોવાનું જણાય છે. આઈટી શેરમાં રિકવરીથી નિફ્ટી આઈટી ઇન્ડેક્સ 800 પોઇન્ટ ઉછળ્યો. બેંક નિફ્ટી ઇન્ડેક્સ 300 પોઇન્ટ વધીને ટ્રેડ કરી રહ્યો છે.

Today News live : પુતિન પછી ટ્રમ્પે ઝેલેન્સકી સાથે એક કલાક સુધી વાત કરી

રશિયા-યુક્રેન યુદ્ધની વાત કરીએ તો અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ તેને ખતમ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ મુદ્દે તેમણે ગઈકાલે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે લગભગ બે કલાક સુધી વાત કરી હતી. આ દરમિયાન તેમણે યુદ્ધવિરામના મુદ્દાઓ પર ચર્ચા કરી. આ પછી રાષ્ટ્રપતિ ટ્રમ્પે તેમના યુક્રેનિયન સમકક્ષ વોલોદિમિર ઝેલેન્સકી સાથે એક કલાક સુધી વાત કરી. આ પછી, તે વાતચીતની વિગતો પણ શેર કરવામાં આવી છે.

Today News live : ગુજરાતમાં ત્રણ દિવસ બાદ પડશે કાળઝાર ગરમી

માર્ચ મહિનો અંત તરફ જઈ રહ્યો છે સાથે સાથે ગરમી પણ ધીમે ધીમે વધશે. આગામી ત્રણ દિવસ સુધી રાજ્યના વાતાવરણમાં મોટો કોઈ ફેરફાર જોવા નહીં મળે એમ હવામાન વિભાગે આગાહી કરી છે. જોકે, ત્રણ દિવસ બાદ રાજ્યના મહત્તમ તાપમાનમાં ત્રણ ડિગ્રી સુધીનો વધારો થશે. એટલે કે રાજ્યમાં તાપમાન ફરી 40 ડિગ્રીને પાર થઈ શકે છે.

Today News live : 13 મહિના બાદ શંભુ અને ખનૌરી બોર્ડર ખાલી

પંજાબ પોલીસે બુધવારે ખેડૂત કાર્યકર્તા જગજીત સિંહ દલ્લેવાલ અને કિસાન મજદૂર મોરચાના પ્રમુખ સર્વન સિંહ પંઢેરની સાથે મોહાલીમાં ઉપવાસ કરી રહેલા અન્ય અગ્રણી આંદોલનકારીઓની અટકાયત કરી હતી. આ દરમિયાન ખેડૂતો અને સુરક્ષા દળો વચ્ચે ઘર્ષણ થયું જ્યારે ખેડૂતો ખનૌરી અને શંભુ બોર્ડર પોઈન્ટ તરફ કૂચ કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા. 13 ફેબ્રુઆરી 2024થી આ બંને સ્થળો પર ખેડૂતો વિરોધ કરી રહ્યા હતા. માહિતી અનુસાર, શંભુ અને ખનૌરી બંને જગ્યાએ લગભગ 3000 પોલીસ કર્મચારીઓ તૈનાત કરવામાં આવ્યા છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ