Gujarati News 21 February 2025 : દહેજ ન માંગે તો પણ સાસરિયાઓ સામે 498Aનો કેસ થઈ શકે છે, સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય

India Gujarat Today Latest News in Gujarati, Gujarat Samachar (ગુજરાત સમાચાર) 21 February 2025: સુપ્રીમ કોર્ટે આ વિષય પર સ્થિતિ સ્પષ્ટ કરતા કહ્યું કે કલમ 498Aનો હેતુ માત્ર દહેજની માંગ કરતી વખતે ઉત્પીડનથી બચાવવાનો નથી. તેનો ઉદ્દેશ્ય મહિલાઓને ઘરેલુ શોષણ, હિંસા અને અત્યાચારથી બચાવવાનો છે

Written by Ankit Patel
Updated : February 21, 2025 23:52 IST
Gujarati News 21 February 2025 : દહેજ ન માંગે તો પણ સાસરિયાઓ સામે 498Aનો કેસ થઈ શકે છે, સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય
સુપ્રીમ કોર્ટ ફાઈલ તસવીર - Photo - Jansatta

Gujarat Latest News in Gujarati, Gujarati Samachar (ગુજરાતી સમાચાર) 21 February 2025, આજના તાજા સમાચાર: સુપ્રીમ કોર્ટે હાલમાં જ કહ્યું હતું કે મહિલાનો પતિ અને સાસરિયા દહેજ માંગતા નથી પરંતુ હિંસા અને ટોર્ચર કરે છે તો પણ તેમની સામે કલમ 498A હેઠળ કાર્યવાહી થઈ શકે છે. સામાન્ય ધારણા એ છે કે આ કાયદો મહિલાઓને દહેજ સતામણીના કેસોથી બચાવવા માટે છે. આવી સ્થિતિમાં સુપ્રીમ કોર્ટની આ ટિપ્પણી મહત્વની છે. સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે દહેજની માંગ પર કલમ 498A લાગુ પડે છે અને જો દહેજની માંગ કરવામાં ન આવે તો આવા કિસ્સામાં મહિલાના પતિ અને પરિવારને બચાવી શકાય છે. જોકે સુપ્રીમ કોર્ટે આ વિષય પર સ્થિતિ સ્પષ્ટ કરતા કહ્યું કે કલમ 498Aનો હેતુ માત્ર દહેજની માંગ કરતી વખતે ઉત્પીડનથી બચાવવાનો નથી. તેનો ઉદ્દેશ્ય મહિલાઓને ઘરેલુ શોષણ, હિંસા અને અત્યાચારથી બચાવવાનો છે.

કચ્છમાં ખાનગી ટ્રાવેલ્સ અને ટ્રક વચ્ચે કસ્માત, પાંચના મોત

કચ્છમાંથી દુઃખદ સમાચાર મળી રહ્યા છે. કચ્છના ભુજ મુદ્રા રોડ ઉપર આજે શુક્રવારે સવારે કેરા ગામ નજીક ખાનગી ટ્રાવેલ્સની મિની લક્ઝરી બસ અને ટ્રેલર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં પાંચ લોકોના મોત થયાના સમાચાર મળી રહ્યા છે. જ્યારે ચાર જેટલા લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. અકસ્માતના પગલે પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથધરી હતી.

હાથરસ ભાગદોડમાં બોલેબાબાને ક્લીન ચીટ, પોલીસની બેદરકારી

હાથરસ નાસભાગ કેસમાં ભોલે બાબાને ક્લીનચીટ આપવામાં આવી છે, જે તપાસ હાથ ધરવામાં આવી છે તેમાં પોલીસ બેદરકારીનો આરોપ છે. આ દુર્ઘટનામાં 121 લોકોના દુઃખદ મૃત્યુ થયા, એક નાસભાગ કે જેણે ઘણા પરિવારોને કાયમ માટે ઉથલાવી દીધા. હવે આ મામલે પહેલા કહેવામાં આવ્યું હતું કે ભોલે બાબાની પણ ભૂલ હતી, તેમના કાર્યક્રમમાં જરૂર કરતાં વધુ ભીડ આવી હતી.

પરંતુ હવે તપાસ ટીમે તેને ક્લીનચીટ આપીને મોટી રાહત આપી છે. તપાસમાં જાણવા મળ્યું છે કે સૌથી મોટી ભૂલ પોલીસની હતી, તેમની બેદરકારીને કારણે ઘણા લોકોએ જીવ ગુમાવ્યા હતા. ન્યાયિક પંચે સ્વીકાર્યું હતું કે તે ઘટના દરમિયાન સુરક્ષાના ધોરણોનું પાલન કરવામાં આવ્યું ન હતું, અરાજકતા અને ગેરવહીવટ સ્પષ્ટપણે દેખાય છે. પોલીસ અંગે જણાવાયું હતું કે, તેઓ પોતાની જવાબદારીને ગંભીરતાથી લેતા નથી, જો ભીડને યોગ્ય રીતે કાબૂમાં લેવામાં આવી હોત તો આવી દુર્ઘટના ન બની હોત તે વાત પર ભાર મૂકવામાં આવ્યો હતો.

તેલ અવીવ સતત ત્રણ વિસ્ફોટોથી હચમચી ગયું હતું, બસોને નિશાન બનાવાઈ

ઈઝરાયેલની રાજધાની તેલ અવીવમાં ત્રણ વિસ્ફોટ થયા છે. ઈઝરાયેલે તેને આતંકવાદી હુમલો ગણાવ્યો છે. આ વિસ્ફોટ એવા સમયે થયો હતો જ્યારે યુદ્ધવિરામ કરાર હેઠળ હમાસ દ્વારા ગાઝામાં ચાર બંધકોના મૃતદેહો પરત કરવામાં આવ્યા હતા. આનાથી ઈઝરાયેલ ઘણું દુઃખી છે.

ઇઝરાયેલી પોલીસના પ્રવક્તાએ જણાવ્યું હતું કે અન્ય બે બસોમાં વિસ્ફોટકો મળી આવ્યા હતા, પરંતુ તે ફૂટ્યા ન હતા. ઇઝરાયેલ પોલીસે જણાવ્યું હતું કે પાંચેય બોમ્બ સરખા હતા અને ટાઇમરથી સજ્જ હતા. તેમણે કહ્યું કે બે બોમ્બને નિષ્ક્રિય કરવામાં આવ્યા છે. તેલ અવીવમાં આ ઘટનાને પગલે રેલ અને બસ સેવાઓ બંધ કરી દેવામાં આવી છે.

ગુજરાતમાં તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નહીં

ગુજરાતમાં શિયાળો અંતના આરે આવીને ઊભો છે ત્યારે તાપમાનમાં કોઈ મોટો ફેરફાર જોવા મળતો નથી. હવામાન વિભાગે આપેલા તાપમાનના આંકડા પ્રમાણે ગુજરાતમાં 15.2 ડિગ્રીથી લઈને 23 ડિગ્રી વચ્ચે લઘુતમ તાપમાન નોંધાયું હતું. નલિયામાં કોઈ મોટો ફેરફાર ન થતાં લઘુતમ તાપમાન 16.2 ડિગ્રી નોંધાયું હતું. જ્યારે 15.2 ડિગ્રી લઘુતમ તાપમાન સાથે કેશોદ રાજ્યનું ઠંડુ શહેર રહ્યું હતું. જ્યારે ઓખામાં 23 ડિગ્રી લઘુતમ તાપમાન રહ્યું હતું.

Live Updates

Today News live : ઉત્તરાખંડમાં હવે બહારના લોકો ખેતીલાયક જમીન ખરીદી શકશે નહીં

ઉત્તરાખંડ વિધાનસભાએ પુષ્કર સિંહ ધામી સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલા જમીન બિલને પસાર કરી દીધું છે, જે ઉત્તરાખંડ (ઉત્તર પ્રદેશ જમીનદારી નાબૂદી અને જમીન સુધારણા અધિનિયમ, 1950) સુધારા બિલ, 2025 છે. નવા બિલમાં રાજ્યના 13 જિલ્લાઓમાંથી 11 જિલ્લાઓમાં રાજ્યની બહારના લોકોને ખેતી અને બાગાયતી જમીન ખરીદવા પર પ્રતિબંધ મૂકવામાં આવશે અને બહારના લોકો આ જિલ્લાઓમાં ખેતી માટે જમીન ખરીદી શકશે નહીં. જાણકારી મુજબ જે બે જિલ્લામાં આ પ્રતિબંધ લાગુ નથી થયો તે હરિદ્વાર અને ઉધમ સિંહ નગર છે. આ સુધારો મ્યુનિસિપલ હદ બહારની જમીનની ખરીદીને લાગુ પડે છે. પરવાનગી વિના રહેણાંક ઉપયોગ માટે 250 ચોરસ મીટર જમીન ખરીદવાની મંજૂરી આપવાની જોગવાઈ હજી પણ અમલમાં રહેશે.

Today News live : ચેમ્પિયન્સ ટ્રોફી, દક્ષિણ આફ્રિકાનો 107 રને વિજય

રેયાન રિકલ્ટનની સદી (103)બાદ કાગિસો રબાડાની શાનદાર બોલિંગની (3 વિકેટ)મદદથી દક્ષિણ આફ્રિકાએ અફઘાનિસ્તાન સામે 107 રને વિજય મેળવ્યો છે. દક્ષિણ આફ્રિકાએ પ્રથમ બેટિંગ કરતા 50 ઓવરમાં 6 વિકેટે 315 રન બનાવ્યા હતા. જવાબમાં અફઘાનિસ્તાન 43.3 ઓવરમાં 208 રનમાં ઓલઆઉટ થઇ ગયું હતું.

Today News live : એકનાથ શિંદેની ચેતવણી, કહ્યું - મને હળવાશથી ના લેતા

મહારાષ્ટ્રના સીએમ દેવેન્દ્ર ફડણવીસ અને એકનાથ શિંદે વચ્ચે સતત અણબનાવના સમાચાર આવી રહ્યા છે. આ અહેવાલો વચ્ચે હવે રાજ્યના ડેપ્યુટી સીએમએ મોટું નિવેદન આપ્યું છે. એકનાથ શિંદેએ કહ્યું કે તેમને હળવાશથી લેવાની જરૂર નથી. મીડિયાકર્મીઓ સાથે વાત કરતા એકનાથ શિંદેએ કહ્યું કે 2022માં તેમને હળવાશથી લેવામાં આવ્યા હતા, ત્યારબાદ તેમણે સરકાર બદલી નાખી. તેથી તેમને હળવાશથી ન લો.

Today News live : દહેજ ન માંગે તો પણ સાસરિયાઓ સામે 498Aનો કેસ થઈ શકે છે, સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય

સુપ્રીમ કોર્ટે હાલમાં જ કહ્યું હતું કે મહિલાનો પતિ અને સાસરિયા દહેજ માંગતા નથી પરંતુ હિંસા અને ટોર્ચર કરે છે તો પણ તેમની સામે કલમ 498A હેઠળ કાર્યવાહી થઈ શકે છે. સામાન્ય ધારણા એ છે કે આ કાયદો મહિલાઓને દહેજ સતામણીના કેસોથી બચાવવા માટે છે. આવી સ્થિતિમાં સુપ્રીમ કોર્ટની આ ટિપ્પણી મહત્વની છે. સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે દહેજની માંગ પર કલમ 498A લાગુ પડે છે અને જો દહેજની માંગ કરવામાં ન આવે તો આવા કિસ્સામાં મહિલાના પતિ અને પરિવારને બચાવી શકાય છે. જોકે સુપ્રીમ કોર્ટે આ વિષય પર સ્થિતિ સ્પષ્ટ કરતા કહ્યું કે કલમ 498Aનો હેતુ માત્ર દહેજની માંગ કરતી વખતે ઉત્પીડનથી બચાવવાનો નથી. તેનો ઉદ્દેશ્ય મહિલાઓને ઘરેલુ શોષણ, હિંસા અને અત્યાચારથી બચાવવાનો છે.

Today News live : અમેરિકાના રાષ્ટ્રપતિનો બ્રિક્સ અંગે મોટો દાવો

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો છે કે વધારે પડતો ટેરિફ લાદવાની ધમકી બાદ BRICS જૂથ હવે અસ્તિત્વમાં નથી.જોકે હજુ આ મામલે કોઈ પણ બ્રિક્સ દેશ તરફથી કોઈ સત્તાવાર પુષ્ટી કરવામાં આવી નથી.ચાલુ વર્ષે જુલાઈમાં બ્રાઝિલમાં BRICSના તમામ પાંચ સભ્ય દેશોની બેઠક યોજાવાની છે. ટ્રમ્પ લાંબા સમયથી ડૉલર મુદ્દે BRICS દેશો પર 100% ટેરિફ લાદવાની ધમકી આપી રહ્યા છે.

Today News live : શેરબજારમાં મંદી યથાવત, સેન્સેક્સ 500 પોઇન્ટ તૂટ્યો, નિફ્ટી 22750 નીચે

શેરબજારમાં મંદી યથાવત રહેતા સેન્સેક્સ નિફ્ટીમાં મોટો ઘટાડો નોંધયો છે. સેન્સેક્સ પાછલા બંધ 75735 સામે આજે 75612 ખુલ્યો હતો. વેચવાલીના દબાણથી સેન્સેક્સ 500 પોઇન્ટથી વધુ તૂટ્યો અને નીચામાં 75200 સુધી ગયો હતો. એનએસઇ નિફ્ટી પાછલા બંધ 22913 સામે આજે 22857 ખુલ્યો હતો. હાલ નિફ્ટી 120 પોઇન્ટના ઘટાડે 22750 લેવલ નીચે ટ્રેડ કરી રહ્યો છે. બેંક નિફ્ટી ઈન્ડેક્સ 500 પોઇન્ટ અને નિફ્ટી આઈટી ઈન્ડેક્સ 120 પોઇન્ટ ડાઉન હતા. સેન્સેક્સના ટોપ લૂઝર શેરમાં મહિન્દ્રા મહિન્દ્રા 6 ટકા, અલ્ટ્રાટેક સિમેન્ટ, ટાટા મોટર, આઈસીઆઈસીઆઈ બેંક, કોટક બેંક અને મારૂતિ કંપનીના શેર 1 થી સવા 2 ટકા સુધી ડાઉન હતા.

Today News live : સૌરાવ ગાંગુલીની કારનો દુર્ગાપુર એક્સપ્રેસ વે પર અકસ્માત

દુર્ગાપુર એક્સપ્રેસ વે પર સૌરવ ગાંગુલીની કારનો ભયાનક અકસ્માત થયો છે. અકસ્માત થયો ત્યારે પૂર્વ ક્રિકેટર એક કાર્યક્રમમાં હાજરી આપવા માટે નીકળ્યો હતો. આ અકસ્માતમાં સૌરવનો આબાદ બચાવ થયો હતો. જણાવવામાં આવી રહ્યું છે કે દંતનપુર પાસે ગાંગુલીના કાફલાની સામે એક ટ્રક આવી ગઈ હતી, જેના કારણે પૂર્વ ક્રિકેટરના ડ્રાઈવરે ઈમરજન્સી બ્રેક લગાવવી પડી હતી, જેના કારણે પાછળથી આવી રહેલા અન્ય ઘણા વાહનો એકબીજા સાથે અથડાઈ ગયા હતા, જેમાંથી એક ગાંગુલીનું વાહન હતું.

જણાવવામાં આવી રહ્યું છે કે સૌરવ ગાંગુલી 10 મિનિટ સુધી ઘટનાસ્થળે હાજર રહ્યો હતો, ત્યારબાદ તે કાર્યક્રમ માટે રવાના થયો હતો. સારી વાત એ છે કે કોઈને ઈજા થઈ નથી, કારણ કે સમયસર બ્રેક લગાવી દેવામાં આવી હતી અને મોટી દુર્ઘટના ટળી હતી. આ અકસ્માત અંગે સૌરવ ગાંગુલીએ પોતે કોઈ નિવેદન જારી કર્યું નથી, તેની ટીમે પણ કંઈ કહ્યું નથી, પરંતુ ચાહકો ખુશ છે કે પૂર્વ ક્રિકેટર સંપૂર્ણપણે સ્વસ્થ છે અને તેને કંઈ થયું નથી.

Today News live : હાથરસ ભાગદોડમાં બોલેબાબાને ક્લીન ચીટ

હાથરસ નાસભાગ કેસમાં ભોલે બાબાને ક્લીનચીટ આપવામાં આવી છે, જે તપાસ હાથ ધરવામાં આવી છે તેમાં પોલીસ બેદરકારીનો આરોપ છે. આ દુર્ઘટનામાં 121 લોકોના દુઃખદ મૃત્યુ થયા, એક નાસભાગ કે જેણે ઘણા પરિવારોને કાયમ માટે ઉથલાવી દીધા. હવે આ મામલે પહેલા કહેવામાં આવ્યું હતું કે ભોલે બાબાની પણ ભૂલ હતી, તેમના કાર્યક્રમમાં જરૂર કરતાં વધુ ભીડ આવી હતી.

પરંતુ હવે તપાસ ટીમે તેને ક્લીનચીટ આપીને મોટી રાહત આપી છે. તપાસમાં જાણવા મળ્યું છે કે સૌથી મોટી ભૂલ પોલીસની હતી, તેમની બેદરકારીને કારણે ઘણા લોકોએ જીવ ગુમાવ્યા હતા. ન્યાયિક પંચે સ્વીકાર્યું હતું કે તે ઘટના દરમિયાન સુરક્ષાના ધોરણોનું પાલન કરવામાં આવ્યું ન હતું, અરાજકતા અને ગેરવહીવટ સ્પષ્ટપણે દેખાય છે. પોલીસ અંગે જણાવાયું હતું કે, તેઓ પોતાની જવાબદારીને ગંભીરતાથી લેતા નથી, જો ભીડને યોગ્ય રીતે કાબૂમાં લેવામાં આવી હોત તો આવી દુર્ઘટના ન બની હોત તે વાત પર ભાર મૂકવામાં આવ્યો હતો.

Today News live : ગુજરાતમાં તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નહીં

ગુજરાતમાં શિયાળો અંતના આરે આવીને ઊભો છે ત્યારે તાપમાનમાં કોઈ મોટો ફેરફાર જોવા મળતો નથી. હવામાન વિભાગે આપેલા તાપમાનના આંકડા પ્રમાણે ગુજરાતમાં 15.2 ડિગ્રીથી લઈને 23 ડિગ્રી વચ્ચે લઘુતમ તાપમાન નોંધાયું હતું. નલિયામાં કોઈ મોટો ફેરફાર ન થતાં લઘુતમ તાપમાન 16.2 ડિગ્રી નોંધાયું હતું. જ્યારે 15.2 ડિગ્રી લઘુતમ તાપમાન સાથે કેશોદ રાજ્યનું ઠંડુ શહેર રહ્યું હતું. જ્યારે ઓખામાં 23 ડિગ્રી લઘુતમ તાપમાન રહ્યું હતું.

Today News live : તેલ અવીવ સતત ત્રણ વિસ્ફોટોથી હચમચી ગયું

ઈઝરાયેલની રાજધાની તેલ અવીવમાં ત્રણ વિસ્ફોટ થયા છે. ઈઝરાયેલે તેને આતંકવાદી હુમલો ગણાવ્યો છે. આ વિસ્ફોટ એવા સમયે થયો હતો જ્યારે યુદ્ધવિરામ કરાર હેઠળ હમાસ દ્વારા ગાઝામાં ચાર બંધકોના મૃતદેહો પરત કરવામાં આવ્યા હતા. આનાથી ઈઝરાયેલ ઘણું દુઃખી છે.

ઇઝરાયેલી પોલીસના પ્રવક્તાએ જણાવ્યું હતું કે અન્ય બે બસોમાં વિસ્ફોટકો મળી આવ્યા હતા, પરંતુ તે ફૂટ્યા ન હતા. ઇઝરાયેલ પોલીસે જણાવ્યું હતું કે પાંચેય બોમ્બ સરખા હતા અને ટાઇમરથી સજ્જ હતા. તેમણે કહ્યું કે બે બોમ્બને નિષ્ક્રિય કરવામાં આવ્યા છે. તેલ અવીવમાં આ ઘટનાને પગલે રેલ અને બસ સેવાઓ બંધ કરી દેવામાં આવી છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ